બાળ કાવ્ય સંપદા/પતંગિયાં રૂપાળાં

From Ekatra Foundation
Revision as of 18:03, 9 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પતંગિયાં રૂપાળાં

લેખક : કલાધર વૈષ્ણવ
(1932)

અમે પતંગિયાં રૂપાળાં,
પચરંગી પાંખોવાળાં... અમે

અમે ફૂલ ફૂલ ૫૨ મોહ્યાં,
એણે અમી-અંતરો ખોલ્યાં,
એમાં ભાન અમારાં ખોયાં...અમે

પેલી કરણ ચંપો બોલાવે,
એના દિલનાં દ્વાર ખોલાવે,
એના હૈયે અમને ઝુલાવે... અમે

પેલો પવન નાચતો આવે,
એ તો બંસી કેવી બજાવે,
ફૂલ સંગે અમને ઝુલાવે... અમે

અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,
એની કેમ ભુલાશે માયા ?.... અમે