ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અગ્નિહોત્રી

From Ekatra Foundation
Revision as of 02:04, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અગ્નિહોત્રી

અગ્નિહોત્રી (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) સનાતનધર્મી અગ્નિહોત્રી સનાતનધર્મના પ્રચાર માટે શ્રદ્ધાપૂર્વક પોતાના પુત્રને મુંબઈ મોકલે છે અને ત્યાંથી કોઈ વિશેષ ખબર ન આવતાં પોતે મુંબઈ પહોંચે છે. આખરે, ભ્રષ્ટ પુત્રપરિવાર અને મુંબઈને નિહાળી જલસમાધિ લે છે. વાર્તા, કટ્ટર સનાતનધર્મિતાને વર્તમાન જગત સંદર્ભમાં મૂકી અગ્નિહોત્રીનું ઠઠ્ઠાચિત્ર રચે છે. ચં.