ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અગતિગમન
Jump to navigation
Jump to search
અગતિગમન
સુરેશ હ. જોષી
અગતિગમન (સુરેશ હ. જોષી; ‘એકદા નૈમિષારણ્યે’, ૧૯૮૧) ઘેરથી મોડો નીકળેલો નાયક સાડા સાતની બસ માટે બસસ્ટોપ પર આવે છે અને ઊભા ઊભા દુ:સ્વપ્નમાં કોઈ ખોટી બસમાં ચઢી જઈ ડ્રાઇવર વગર ચાલતી બસની ગતિની સાથે ભયાવહ વીગતોમાં પ્રવેશી જાય છે. અંતે જાગીને બસની રાહ જોતાં ટોળા વચ્ચે પોતાને જુએ છે. નગરજીવનની અગતિકતા, નિરર્થકતા અને અસંગતતાનો એકસાથે સઘન અનુભવ રચવા તરફ વાર્તાનું લક્ષ્ય છે.
ચં.
વાંચવા અહીં ક્લીક કરો. |