ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અગ્નિહોત્રી

અગ્નિહોત્રી

કનૈયાલાલ મુનશી

અગ્નિહોત્રી (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) સનાતનધર્મી અગ્નિહોત્રી સનાતનધર્મના પ્રચાર માટે શ્રદ્ધાપૂર્વક પોતાના પુત્રને મુંબઈ મોકલે છે અને ત્યાંથી કોઈ વિશેષ ખબર ન આવતાં પોતે મુંબઈ પહોંચે છે. આખરે, ભ્રષ્ટ પુત્રપરિવાર અને મુંબઈને નિહાળી જલસમાધિ લે છે. વાર્તા, કટ્ટર સનાતનધર્મિતાને વર્તમાન જગત સંદર્ભમાં મૂકી અગ્નિહોત્રીનું ઠઠ્ઠાચિત્ર રચે છે.
ચં.