ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવજી સ્વામી-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવજી(સ્વામી)-૨ [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. હિન્દી-પ્રચુર ગુજરાતીમાં ‘અમરાભિધઋષિ’ એવી નામછાપ ધરાવતી ‘ઉપદેશી લાવણી’ (૨.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, આસો સુદ/વદ ૫, સોમવાર; મુ.)ના કર્તા. આ કવિ લોંકાગચ્છના લીંબડી સંપ્રદાયમાં અવિચલજીની પાટે આવેલા દેવજીસ્વામી હોવાનું સમજાય છે. એ મૂળ વાંકાનેરના લોહાણા હતા. ૧૦ વર્ષની વયે દીક્ષા રાપરમાં ઈ.૧૮૧૪માં. આચાર્યપદ ઈ.૧૮૩૦. અવસાન લીંબડીમાં ઈ.૧૮૬૪ (સં. ૧૯૨૦, જેઠ સુદ ૮, રવિવાર). કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ભા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા (શા) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [ર.ર.દ.]