ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રામવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં સુમતિવિજ્યના શિષ્ય. યશોવિજ્યના સમકાલીન. યશોવિજ્યજી તેમની લોકપ્રિય વ્યાખ્યાનશૈલીના પ્રશંસક હતા. ‘તેજપાલ-રાસ’ (ર.ઈ.૧૭૦૪), ‘ધર્મદત્તઋષિ-રાસ’ (ર.ઈ.૧૭૧૦), ૬ ખંડમાં વહેંચાયેલો ‘શાંતિનાથ ભગવાનનો રાસ’(ર.ઈ.૧૭૨૯/સં.૧૭૮૫, વૈશાખ સુદ ૭, ગુરુવાર; મુ.), ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ સાતમે સ્વર્ગવાસ પામેલા લક્ષ્મીસાગરસૂરિના જીવનને વર્ણવતો, ૧૨ ઢાળનો ‘લક્ષ્મીસાગરસૂરિ-નિર્વાણ-રાસ’(મુ.) જેવી રાસકૃતિઓ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૪ આસપાસ; મુ.), ૨૦ ‘વિહરમાન-સ્તવન/વીશી’, ૮ કડીની ‘શિખામણની સઝાય’(મુ.), ૮ કડીનું ‘મહાવીરસ્વામીનું સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગોડીપાર્શ્વનમસ્કાર-સ્તુતિ’(મુ.), ૭ કડીનું ‘અજિતનાથનું સ્તવન’, સાત નય ઉપર મોટી સઝાયો, આદીશ્વર, ગોડીપાર્શ્વનાથ, સિદ્ધચક્ર આદિને અનુલક્ષીને સ્તવનો(મુ.), ૭ કડીની ‘વીરને વિનતિ’(મુ.) અને ચૈત્યવંદનો(મુ.) તથા ‘નેમિનાથચરિત્ર-બાલાવબોધ’ વગેરે કૃતિઓ મળે છે. ઈ.૧૭૨૫માં તેમણે સંસ્કૃતમાં ‘ઉપદેશમાલા’ પર વૃત્તિ (ર.ઈ.૧૭૨૫; મુ.) પણ રચી છે. કૃતિ : ૧. અસ્તમંજુષા, ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈઐરાસમાળા : ૧; ૬. જૈન કથારત્નકોષ : ૮, સં. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૩; ૭. જૈપ્રપુસ્તક : ૧; ૮. જૈરસંગ્રહ; ૯. દેસ્તસંગ્રહ; ૧૦. પ્રાસપસંગ્રહ : ૧; ૧૧. સસન્મિત્ર(ઝ);  ૧૨. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘આત્મનિંદા ને વીરને વિનંતી’. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]