નારીવાદ: પુનર્વિચાર/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

‘નારીવાદ: પુનર્વિચાર’

આ પુસ્તકમાં નારીવાદને લગતાં કેટલાક વિવાદાસ્પદ વિચારોને વિદ્વતાપૂર્વક રજૂ કરવામાં આવેલ છે. ઓક્ટોબર, ૨૦૦૫માં ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગે એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરેલ, જેનો મુખ્ય વિષય હતો, ‘રી-ડિફાઇનિંગ ફેમિનિઝમ્સ’. એક વૈચારિક યોજનાના ફળસ્વરૂપે ‘નારીવાદો’ શબ્દનો પ્રયોગ અહીં બહુવચનમાં કરવામાં આવ્યો છે. નારીવાદને માત્ર જાતિ, એટલે કે જેન્ડરના તફાવત પૂરતો મર્યાદિત ન રાખતા, આમંત્રિત વિદ્વાન શિક્ષણવિદોએ આ માનવવિશ્વને નવીન દ્રષ્ટિકોણોથી તપાસીને પોતાના પેપર્સ રજૂ કરેલ. એના પરિણામ સ્વરૂપે તંત્રીઓ, ડૉ. રંજન હરીશ અને ડૉ. વિ. ભારતી હરિશંકરે આ પુસ્તક અંગ્રેજીમાં પ્રગટ કરેલ. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ નીતા શૈલેશે કરેલ છે, જે ૨૦૧૫માં ગૂર્જર પ્રકાશને બહાર પાડેલ, જેની વિશિષ્ટ નોંધ લેવામાં આવી છે.