બરફનાં પંખી/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જક-પરિચય
Anil Joshi 01.jpg


અનિલ જોશીનો ‘કદાચ’ (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. કવિએ કેટલીક ચિરંજીવ ગીતપંક્તિઓ ગુજરાતી કવિતાને આપી છે તેમાંથી એક ગીત પંક્તિમાંના શબ્દોથી આ સંગ્રહનું નામકરણ થયું છે. સંવેદનની ઉત્કટતા, સમૃદ્ધ કલ્પનો અને ભાષાકર્મની વિલક્ષણતાનો સુંદર ત્રિમેળ અહીં જોવા મળે છે. અમૂર્તને મૂર્ત કરતી, સૂક્ષ્મને પ્રત્યક્ષ કરતી તેમની કલ્પનલીલામાં સર્જનાત્મક સાહસવૃત્તિ જોઈ શકાય છે.

— અનંત રાઠોડ)