બાળ કાવ્ય સંપદા/શ્રાવણિયો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શ્રાવણિયો

લેખક : સુરેશ દલાલ
(1932-2012)

આ ઝરમર જલની ધાર ઝરે,
ઝરમર ઝરમર શ્રાવણિયો;
ધરતીને ખુશ્બોદાર કરે,
ઝરમર ઝરમર શ્રાવણિયો !

આ વીજળી થૈથૈકાર કરે,
ઝરમર ઝરમર શ્રાવણિયો !
આ ઝરણાંઓ ઝંકાર કરે,
ઝરમર ઝરમર શ્રાવણિયો !

આ ભીનો ભીનો વાયુ વાય,
ઝરમર ઝરમર શ્રાવણિયો;
આ મયૂર પાગલ થઈને ગાય,
ઝરમર ઝરમર શ્રાવણિયો !

આ ફૂલ કદંબનાં ખીલ્યાં છે,
ઝરમર ઝરમર શ્રાવણિયો;
શી મેધધનુષની લીલા છે,
ઝરમર ઝરમર શ્રાવણિયો !