ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/માનવીનું હૈયું

From Ekatra Foundation
Jump to navigation Jump to search


માનવીનું હૈયું

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?

સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

૨૮-૧૦-૧૯૩૭
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)