ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/પ્રસન્નવદન છબીલારામ દીક્ષિત
Jump to navigation
Jump to search
પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત
એઓ સુરતના વતની, ન્યાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમના પિતાનું નામ છબિલારામ દોલતરામ દીક્ષિત અને માતુશ્રીનું નામ ડાહીગૌરી છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૦૬માં સુરતમાં જયમતીગૌરી સાથે થયું હતું, અને તેમનું મૃત્યુ થતાં બીજીવારનું લગ્ન સન ૧૯૨૦માં નડીયાદમાં શ્રીમતી રાજેન્દ્રબાળા સાથે થયું હતું.
એમણે પ્રીવીયસની પરીક્ષા સુધીનો અભ્યાસ કરેલો છે અને સાહિત્ય અને ધર્મ એમના પ્રિય વિષયો છે અને લેખન કાર્ય એ એમનો મુખ્ય વ્યવસાય છે.
બંગાળી, હિન્દી, સંસ્કૃત વગેરેનું પણ એમણે સારું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે; અને એમના એ શોખને લઈને તેઓ આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકો તૈયાર કરવા શક્તિમાન થયા છે.
-: એમની કૃતિઓ :-
- (૧) બાલ–કાલિદાસ
- (૨) કાલિદાસનાં નીતિવચનો
- (૩) દત્તપ્રબોધ કલ્પદ્રુમ સ્કન્ધ ૧–૨
- (૪) નવનાથ ચરિત્ર ભા. ૧લો
- (૫) ”” ભા. ૨જો
- (૬) દત્તપ્રબોધ કલ્પ દ્રુમ ૩જો સ્કંદ
- (૭) ” ” ૪થો ”
- (૮) શ્રી કૃષ્ણ–લીલા–ભાવાર્થ દીપિકા
- (૯) દત્તાત્ર્ય મહાત્મ્ય
- (૧૦) કુલ–લક્ષ્મી કમલા
- (૧૧) પ્રણયકુંજ
- (૧૨) પ્રસન્ન કથાકુંજ
- (૧૩) આનંદ મઠ
- (૧૪) દેવી ચૌધરાણી
- (૧૫) સતી મહિમાયા ને પાંચ સતીઓની વાર્તા
- (૧૬) બાલપંચતંત્ર
- (૧૭) ઇન્ડિયન ક્લાસ રીડર્સ પ્રિમરની નોટ્સ
- (૧૮) બાલ–ભાગવત
- (૧૯) બાલ–હિતોપદેશ
- (૨૦) ગુજરાતના નાથની નોટ્સ
- (૨૧) વિપિનની નોટ્સ
- (૨૨) બેન્જામિન કિડ કૃત સામાજીક ઉત્ક્રાન્તિ યાને Social Evolutionનો અનુવાદ.
- (૨૩) ‘લક્ષ્મીની લાલસા’ એડગર વોલેસ કૃત A clue of the New inનો અનુવાદ.
- તા. ક. ઈ. સ. ૧૯૧૫માં હરદ્વારવાળા ગુરૂમંડળ આશ્રમના સ્વામી શ્રી આત્મસ્વરૂપજીનો સમાગમ થતાં તેમના વ્યાખ્યાનો લખતાં કરતાં ઘણું ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થયું.