પરમ સમીપે/૨૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૩

પ્રત્યેક દિવસ, પ્રત્યેક પળ
એક નવા સમર્પણ માટેની
એક પૂર્ણ સમર્પણ માટેની તકરૂપ બની રહેવાં જોઈએ.
પણ એ સમર્પણમાં ઉત્સાહનો અતિરેક ન હોય,
ધાંધલ ન હોય, ક્રિયાની અતિશયતા ન હોય,
કાર્યનો આભાસ ભરેલો ન હોય.
એ એક ગહન અને શાંત સમર્પણ હશે.
એ સમર્પણે બહારથી દેખાવાની જરૂર નથી. એ તો
પ્રત્યેક ક્રિયાની અંદર પ્રવેશ કરી જશે અને તેને
પલટી નાખશે. અમારા મને એકલ અને શાંતિમય
બનીને સદાયે તારી અંદર જ નિવાસ કરવો જોઈએ.
અને એ વિશુદ્ધ શિખર પરથી તેણે જગતની
મેળવી લેવું જોઈએ, જગતના અસ્થિર અને
ચંચલ આભાસોની પાછળ આવેલી એકમાત્ર
અને શાશ્વત વાસ્તવિકતાને જોઈ લેવી જોઈએ.
પ્રભુ, મારું હૃદય વિશુદ્ધ બનીને કષ્ટ અને વ્યથામાંથી
મુક્ત બન્યું છે. પ્રત્યેક ચીજમાં એ તને નિહાળે છે.
અમારે માટે ભલે હવે કાંઈ પણ બાહ્ય કર્મ હો;
ભાવિમાં અમારે કોઈ પણ પરિસ્થિતિમાં મુકાવાનું હો,
પણ હું જાણું છું કે તું જ માત્ર એક તત્ત્વ હસ્તીમાં છે,
તારા અક્ષર શાશ્વત સ્વરૂપે
તું જ એક માત્ર સત્ય વસ્તુ છે
અને તારી અંદર અમારો વાસ છે.
આખીયે પૃથ્વી પર શાંતિ હજો.
માતાજી