બાબુ સુથારની કવિતા/લખવું એટલે સમુદ્ર અને રણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૪. લખવું એટલે સમુદ્ર અને રણ

લખવું એટલે કે
સમુદ્ર
અને
રણ વચ્ચે
પ્રાસ બેસાડવો
એટલે કે
જે ભીનું છે
અને
જે કોરું છે
એ બેની વચ્ચેના તૂટેલા લયને સાંધવા
એક પતંગિયાને મોકલવું
પણ એ પહેલાં કવિએ
એવું પતંગિયું મેળવવા
ખોળો પાથરવો પડે
એના પૂર્વજો પાસે.
(‘લખવું એટલે કે...’ માંથી)