ભગવાનની વાતો
Revision as of 06:21, 18 February 2025 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{#seo: |title_mode= replace |title= ભગવાનની વાતો - Ekatra Wiki |keywords= ભગવાનની વાતો, દિલીપ ઝવેરી, સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી, Dileep Jhaveri books, Bhagwan ni Vato |description=This is home page for this wiki |image= Tartamya by Anantrai Raval cover.png |image_alt=Wiki Logo |site_name=Ekatra Wiki |locale=gu-IN |type=website |modified_time={{REV...")
કૃતિ-પરિચય
ભગવાનની સાથે વાતો કરનારા તો કે બાળકસંતજ્ઞાનીકવિ. આમાંથી લખી જાણે કવિ. ભગવાન બોલે ને કવિ લખે. એ લખે એટલે ભગવાન વાતો કરે કવિતામાં. જેટલી ભગવાનની વાતો એટલી કવિની કવિતા. ઘણી ઘણી ભાષામાં કવિઓએ ભગવાનને બોલતા કર્યા છે આમ. એમાં એક તે દિલીપ ઝવેરી. દિલીપ ઝવેરીએ લખેલી ‘ભગવાનની વાતો’ નિતનિરાળી ગુજરાતીમાં નખરાળી કવિતા. ગુજરાતી કવિતાના અવનવા પ્રદેશો દેખાડનાર આ કવિને ગુજરાત જેટલું ઓળખે એથી વધુ જગત ઓળખે. એટલે થોડાક રંજ સાથે પણ આ કવિ લખતા રહ્યા છે આજ સુધી. આવતીકાલની ગુજરાતી કવિતા.
— રાજેશ પંડ્યા