ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીતળદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શીતળદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. લાલદાસજીના શિષ્ય. સદ્ગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની સદ્ગુરુ તરીકેની શક્તિનો મહિમા કરતાં, પાંચથી ૮ કડીનાં પદો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. રવિભાણ સંપ્રદાયની વાણી : ૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. [શ્ર.ત્રિ.]