ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૦) અનુમાન અને વ્યંજના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(૧૦) અનુમાન અને વ્યંજના :

વસ્તુવ્યંજના અને અલંકારવ્યંજનાથી રસવ્યંજના એક રીતે જુદી તરી આવે છે. વસ્તુવ્યંજના અને અલંકારવ્યંજનામાં વ્યંગ્ય કોઈ હકીકત હોય છે, સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસોને એ પ્રાપ્ય હોય છે અને સૂક્ષ્મ પ્રકારનો અનુમાનવ્યાપાર એમાં રહેલો હોય છે; જ્યારે રસવ્યંજના એ ભાવનું આસ્વાદનમાત્ર છે, સહૃદયને જ એ ગમ્ય છે અને અનુમાનવ્યાપાર એમાં લગભગ કામ કરતો નથી. માનસશાસ્ત્રની દૃષ્ટિએ જ્ઞાન (cognition) અને લાગણી (feeling) વચ્ચે જે ભેદ છે તે આ બંને વચ્ચે છે. આવા મુદ્દાઓને આગળ કરી આચાર્ય રામચંદ્ર શુક્લ જે દર્શાવે છે કે રસની અનુભૂતિ માટે પણ વ્યંજના શબ્દ વાપરવો બહુ ઉચિત નથી, તે લક્ષમાં રાખવા જેવું છે.[1]


  1. ‘રસમીમાંસા’ (હિન્દી) : પૃ. ૪૭૨

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.