ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બિલાડી
બિલાડી
મનહર મોદી
બિલાડી (મનહર મોદી; ‘નવી વાર્તા’, સં. રાધેશ્યામ શર્મા, ૧૯૭૫) પરભુ ગોરના મરી ગયા પછી એકલાં જીવતાં નિઃસંતાન છતાં પ્રેમાળ કમળાકાકી એક સવારે બિલાડી અને ઊંદરની દોડાદોડીથી કંટાળી સીસમનો ચોરસો છુટ્ટો મારતાં બિલાડી મૃત્યુ પામે છે અને એની વેદનાથી કમળાકાકી બિલાડીમાં રૂપાન્તરિત થાય છે. વાર્તા અપરાધભાવને લક્ષ્ય કરે છે.
ચં.