સોરઠિયા દુહા/74


74

સમજદાર સુજાણ, નર અવસર ચૂકે નહિ;
અવસરનાં ઓસાણ, રહે ઘણા દિ રાજિયા!

સમજુ માણસ કદી મોકો ચૂકતો નથી. ખરો અવસર જીવનમાં કોઈક વાર જ આવે છે, એટલે પછી ચૂકેલા અવસરના ઓરતા, હે રાજિયા! બહુ દિવસો સુધી રહી જાય છે.