35,823
edits
No edit summary |
No edit summary |
||
| Line 117: | Line 117: | ||
{{Block center|'''<poem> નિપજાવી જે વસ્તુ નીપજે તેમાં શી વડાઈ રે | {{Block center|'''<poem> નિપજાવી જે વસ્તુ નીપજે તેમાં શી વડાઈ રે | ||
અણનીપજી ને અમૂલક જેની જગમાં દીસે જુગતાઈ.—રમતાં.</poem>'''}} | અણનીપજી ને અમૂલક જેની જગમાં દીસે જુગતાઈ.—રમતાં.</poem>'''}} | ||
{{ | {{Poem2Open}} | ||
કૃત્રિમ વસ્તુમાં નવાઈ શી? અકૃત્રિમ કુદરતી વસ્તુ એ જ વિરલ. છેવટે રામ નમતું આપે છે, ને શિકાર કરવા જાય છે ને, ‘હે લક્ષ્મણ!’-ની ધા સાંભળતાં સીતા લક્ષ્મણને જવાનું કહે છે, અને તે ના પાડતાં તેને ખરાબમાં ખરાબ મહેણાં મારે છે, વગેરેમાં કાવ્ય પાછું નીચે ઊતરી જાય છે. પણ આખા કાવ્યમાં કવયિત્રીએ સીતાના મનનું સુંદર ચિત્ર આપેલું છે. | |||
આ પ્રકારના મધ્યકાલીન સાહિત્યનો સમગ્ર રીતે વિચાર કરતાં જણાય છે કે આપણા કવિઓએ એક તરફથી મૂળ પુરાણ વસ્તુઓને લોકભોગ્ય અને લોકપ્રિય કરવા તેની ઉન્નતતા ઓછી કરીને વસ્તુને પ્રાકૃત બનાવી છે, અને બીજી તરફ તેમાં દિવ્યતા આરોપવા અમાનુષ ચમત્કારો વધાર્યા છે. આપણા પ્રાચીન મહાન ગ્રંથોમાં મનુષ્યપાત્રોને માનવઉન્નતિ દ્વારા તેમાં દેવત્વ આરોપ્યું છે, ત્યારે આપણા ગુજરાતી કવિઓએ ચમત્કારોથી દેવત્વ આરોપી એ પાત્રોનું માનવત્વ ઓછું આછું અને ઝાંખું કર્યું છે. | આ પ્રકારના મધ્યકાલીન સાહિત્યનો સમગ્ર રીતે વિચાર કરતાં જણાય છે કે આપણા કવિઓએ એક તરફથી મૂળ પુરાણ વસ્તુઓને લોકભોગ્ય અને લોકપ્રિય કરવા તેની ઉન્નતતા ઓછી કરીને વસ્તુને પ્રાકૃત બનાવી છે, અને બીજી તરફ તેમાં દિવ્યતા આરોપવા અમાનુષ ચમત્કારો વધાર્યા છે. આપણા પ્રાચીન મહાન ગ્રંથોમાં મનુષ્યપાત્રોને માનવઉન્નતિ દ્વારા તેમાં દેવત્વ આરોપ્યું છે, ત્યારે આપણા ગુજરાતી કવિઓએ ચમત્કારોથી દેવત્વ આરોપી એ પાત્રોનું માનવત્વ ઓછું આછું અને ઝાંખું કર્યું છે. | ||
અર્વાચીન યુગમાં પ્રાચીનનો વધારે સારો અભ્યાસ થતાં, અને દુનિયાના બીજા દેશોનાં કાવ્યોથી કાવ્યોનો આદર શુદ્ધતર થતાં, મૂળ પુરાણોની ભવ્યતા તરફ નવીન કાવ્યે પ્રયત્નો કર્યા છે. અર્વાચીન યુગમાં પણ મહાભારત ભાગવતની અપેક્ષાએ રામાયણનું વસ્તુ અને પાત્રો કાવ્યનાં વિષયભૂત બનેલાં છે, પણ તેમાં સર્વત્ર તેની મૂળ ઉન્નતિ સાચવવાનો અને તેમાં વધારે ઊંડા ઊતરી તેનો અર્વાચીન દૃષ્ટિએ અર્થ સમજવાનો પ્રયત્ન છે. અર્વાચીન યુગમાં શ્રી બોટાદકરે લક્ષ્મણપત્ની ઊર્મિલા, વનવાસનો આગ્રહ ન કરતાં લક્ષ્મણને રામ સાથે જવાની સંમતિ આપે છે, અને એ રીતે અદૃશ્ય ઉગ્ર તપ તપે છે, તેની કદર કરી છે. શ્રી નાનાલાલે વિશ્વગીતામાં રાવણે કરેલ સીતાહરણનું દૃશ્ય મૂક્યું છે, અને બીજા પણ રામાયણના ઉલ્લેખો યોગ્ય રીતે થયેલા મળી આવે છે. | અર્વાચીન યુગમાં પ્રાચીનનો વધારે સારો અભ્યાસ થતાં, અને દુનિયાના બીજા દેશોનાં કાવ્યોથી કાવ્યોનો આદર શુદ્ધતર થતાં, મૂળ પુરાણોની ભવ્યતા તરફ નવીન કાવ્યે પ્રયત્નો કર્યા છે. અર્વાચીન યુગમાં પણ મહાભારત ભાગવતની અપેક્ષાએ રામાયણનું વસ્તુ અને પાત્રો કાવ્યનાં વિષયભૂત બનેલાં છે, પણ તેમાં સર્વત્ર તેની મૂળ ઉન્નતિ સાચવવાનો અને તેમાં વધારે ઊંડા ઊતરી તેનો અર્વાચીન દૃષ્ટિએ અર્થ સમજવાનો પ્રયત્ન છે. અર્વાચીન યુગમાં શ્રી બોટાદકરે લક્ષ્મણપત્ની ઊર્મિલા, વનવાસનો આગ્રહ ન કરતાં લક્ષ્મણને રામ સાથે જવાની સંમતિ આપે છે, અને એ રીતે અદૃશ્ય ઉગ્ર તપ તપે છે, તેની કદર કરી છે. શ્રી નાનાલાલે વિશ્વગીતામાં રાવણે કરેલ સીતાહરણનું દૃશ્ય મૂક્યું છે, અને બીજા પણ રામાયણના ઉલ્લેખો યોગ્ય રીતે થયેલા મળી આવે છે. | ||
પણ ભલે રામાયણના વસ્તુનાં કાવ્યો ગુજરાતમાં ઓછાં હોય પણ રામાયણનો ગુજરાતના જીવનમાં સમગ્ર વ્યાપ ઓછો નથી. હિંદુ ધર્મશાસ્ત્રોએ પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ પરણવાની છૂટ આપી છે, છતાં હિંદુ સમાજે વ્યવહારમાં અને આદર્શમાં પણ એકપત્નીવ્રત રાખેલું છે. ખરું તો રામચરિતનાં ત્રણ મુખ્ય લક્ષણો – એક વચન, એક પત્ની અને એક બાણ, એ સર્વકાળની માનવસંસ્કૃતિએ ધ્યાનમાં રાખવા યોગ્ય મહાન ધ્યેય છે. એક વચન એ સમગ્ર માનવવ્યવહારશુદ્ધિનો સિદ્ધાંત છે; એક પત્ની એ માનવના રસિક જીવનનો આદર્શ છે; અને એક બાણ એ કાર્યસાધક એટલે કૌશલમુક્ત અતુલિત બલનું પ્રતીક છે. આ ઉપરાંત રામને પ્રજાએ આદર્શ રાજા ગણેલા છે, રામરાજ્ય એટલે ન્યાયયુક્ત આદર્શ રાજ. મહાત્માજીએ હિંદની અરધી ભણેલ પ્રજાને રામરાજ્યના સંદેશાથી જાગ્રત કરી – એમ હજી રામની ભાવના હિંદના તેમ જ ગુજરાતના સમગ્ર વ્યવહારમાં અને તેથી સાહિત્યમાં પણ એક જીવંત સંસ્કાર છે. | પણ ભલે રામાયણના વસ્તુનાં કાવ્યો ગુજરાતમાં ઓછાં હોય પણ રામાયણનો ગુજરાતના જીવનમાં સમગ્ર વ્યાપ ઓછો નથી. હિંદુ ધર્મશાસ્ત્રોએ પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ પરણવાની છૂટ આપી છે, છતાં હિંદુ સમાજે વ્યવહારમાં અને આદર્શમાં પણ એકપત્નીવ્રત રાખેલું છે. ખરું તો રામચરિતનાં ત્રણ મુખ્ય લક્ષણો – એક વચન, એક પત્ની અને એક બાણ, એ સર્વકાળની માનવસંસ્કૃતિએ ધ્યાનમાં રાખવા યોગ્ય મહાન ધ્યેય છે. એક વચન એ સમગ્ર માનવવ્યવહારશુદ્ધિનો સિદ્ધાંત છે; એક પત્ની એ માનવના રસિક જીવનનો આદર્શ છે; અને એક બાણ એ કાર્યસાધક એટલે કૌશલમુક્ત અતુલિત બલનું પ્રતીક છે. આ ઉપરાંત રામને પ્રજાએ આદર્શ રાજા ગણેલા છે, રામરાજ્ય એટલે ન્યાયયુક્ત આદર્શ રાજ. મહાત્માજીએ હિંદની અરધી ભણેલ પ્રજાને રામરાજ્યના સંદેશાથી જાગ્રત કરી – એમ હજી રામની ભાવના હિંદના તેમ જ ગુજરાતના સમગ્ર વ્યવહારમાં અને તેથી સાહિત્યમાં પણ એક જીવંત સંસ્કાર છે. | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
‘ગ્રંથાગાર’ ત્રૈમાસિક, વર્ષ ૪ અંક ૧, માર્ચ ૧૯૬૭<br> | ‘ગ્રંથાગાર’ ત્રૈમાસિક, વર્ષ ૪ અંક ૧, માર્ચ ૧૯૬૭<br> | ||