ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 999: Line 999:
<br>
<br>


વિમલ-૩ [ઈ.૧૬૦૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૧૨ કડીની ‘નવપદમહિમાની સઝાય/શ્રીપાલની સઝાય’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલ-૩'''</span> [ઈ.૧૬૦૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૧૨ કડીની ‘નવપદમહિમાની સઝાય/શ્રીપાલની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સજઝાયામાળા(પં.). [કી.જો.]
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સજઝાયામાળા(પં.). {{Right|[કી.જો.]}}
<br>


વિમલકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિની પરંપરામાં વિમલતિલક-સાધુસુંદરના શિષ્ય. અભયદાનના વિષયને કેન્દ્રમાં રાખીને રચેલી ‘યશોધરચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, આસો સુદ ૧૦), ‘ચંદ્રદૂતકાવ્યો’ (ર.ઈ.૧૬૨૫), ‘પ્રતિક્રમણવિધિ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૪/સં. ૧૬૯૦, આસો વદ ૩૦) ‘જયતિહુઅણ-બાલાવબોધ’, ‘જીવવિચાર-બાલાવબોધ’, ‘વિચારષટત્રિંશિકા(દંડક)-બાલાવબોધ/દંડક-બાલાવબોધ’, ‘નવતત્ત્વ-બાલાવબોધ’, ‘પદવ્યવસ્થા’, ૧૩ કડીના ‘મહાવીરના ચંદ્રાવલા’, ‘ષષ્ટિશતક બલાવબોધ’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલકીર્તિ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિની પરંપરામાં વિમલતિલક-સાધુસુંદરના શિષ્ય. અભયદાનના વિષયને કેન્દ્રમાં રાખીને રચેલી ‘યશોધરચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, આસો સુદ ૧૦), ‘ચંદ્રદૂતકાવ્યો’ (ર.ઈ.૧૬૨૫), ‘પ્રતિક્રમણવિધિ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૪/સં. ૧૬૯૦, આસો વદ ૩૦) ‘જયતિહુઅણ-બાલાવબોધ’, ‘જીવવિચાર-બાલાવબોધ’, ‘વિચારષટત્રિંશિકા(દંડક)-બાલાવબોધ/દંડક-બાલાવબોધ’, ‘નવતત્ત્વ-બાલાવબોધ’, ‘પદવ્યવસ્થા’, ૧૩ કડીના ‘મહાવીરના ચંદ્રાવલા’, ‘ષષ્ટિશતક બલાવબોધ’ના કર્તા.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}
<br>


વિમલકીર્તિ(પંડિત)-૨ [     ] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘ઉપદેશમાલાપ્રકરણ’ પરના ટબાના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલકીર્તિ(પંડિત)-૨'''</span> [     ] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘ઉપદેશમાલાપ્રકરણ’ પરના ટબાના કર્તા.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’ અગરચંદ નાહટા;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’ અગરચંદ નાહટા;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}
<br>


વિમલચારિત્ર : તપગચ્છના જૈન સાધુ. ૫ કડીના ‘પાર્શ્વજિનસ્તવન’ના કર્તા. આ કર્તા કયા વિમલચારિત્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
<span style="color:#0000ff">'''વિમલચારિત્ર'''</span> : તપગચ્છના જૈન સાધુ. ૫ કડીના ‘પાર્શ્વજિનસ્તવન’ના કર્તા. આ કર્તા કયા વિમલચારિત્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસીચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસીચી. {{Right|[કી.જો.]}}
<br>


વિમલચારિત્ર-૧ [ઈ.૧૫૪૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સંઘચારિત્રના શિષ્ય. ૪૦૦ ગ્રંથાગ્રના ‘નવકાર-ચોપાઈ/નવકાર-રાસ/રાજસિંહ-રાસ’ (ર.ઈ.૧૫૪૮/સં. ૧૬૦૫, શ્રાવણ સુદ ૧, ગુરુવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલચારિત્ર-૧'''</span> [ઈ.૧૫૪૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સંઘચારિત્રના શિષ્ય. ૪૦૦ ગ્રંથાગ્રના ‘નવકાર-ચોપાઈ/નવકાર-રાસ/રાજસિંહ-રાસ’ (ર.ઈ.૧૫૪૮/સં. ૧૬૦૫, શ્રાવણ સુદ ૧, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[કી.જો.]}}
<br>


વિમલચારિત્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : નાગોરી વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચારિત્રના શિષ્ય. ‘અંજનાસુંદરી-ચારિત્ર/રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૩, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.) અને ઐતિહાસિક ‘રાયચંદ્રસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલચારિત્ર(ગણિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : નાગોરી વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચારિત્રના શિષ્ય. ‘અંજનાસુંદરી-ચારિત્ર/રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૩, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.) અને ઐતિહાસિક ‘રાયચંદ્રસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯)ના કર્તા.
કૃતિ : *ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા-.
કૃતિ : *ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા-.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[કી.જો.]}}
<br>


વિમળદીપ : જુઓ દીપવિમળ.
<span style="color:#0000ff">'''વિમળદીપ'''</span> : જુઓ દીપવિમળ.
<br>


વિમલધર્મશિષ્ય [ઈ.૧૪૬૪માં હયાત] : જૈન સાધુ. ૧૪ કડીની ‘મહાવીર-વિનતિ’ (ર.ઈ.૧૪૬૪/સં. ૧૫૨૦, જેઠ સુદ ૧૦) તથા ૧૮ કડીની ‘જીરાઉલી પાર્શ્વનાથ-વિનતિ’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલધર્મશિષ્ય'''</span> [ઈ.૧૪૬૪માં હયાત] : જૈન સાધુ. ૧૪ કડીની ‘મહાવીર-વિનતિ’ (ર.ઈ.૧૪૬૪/સં. ૧૫૨૦, જેઠ સુદ ૧૦) તથા ૧૮ કડીની ‘જીરાઉલી પાર્શ્વનાથ-વિનતિ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}
<br>


‘વિમલપ્રબંધ/રાસ’ [ર.ઈ.૧૫૧૨/સં. ૧૫૬૮, આસો સુદ-, રવિવાર] : તપગચ્છના જૈન સાધુ અને સમયરત્નશિષ્ય લાવણ્યસમયની ૯ ખંડ ને ૧૩૫૬ કડીની ચોપાઈ, દુહા, વસ્તુ, પવાડુ જેવા છંદો અને વિવિધ દેશીઓના ઢાળમાં નિબદ્ધ ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના સમયમાં થઈ ગયેલા વિમલ મંત્રીના સુકૃત્યોને આલેખી એમના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રૂપે ઉપસાવતી કૃતિ(મુ.) પ્રબંધ, રાસ અને ચરિત્ર ત્રણેનાં સ્વરૂપગત લક્ષણો ઓછેવત્તે અંશે પ્રગટ કરતી આ રચના વિમલ મંત્રીના જીવનની ઘટનાઓ અને એમના પરાક્રમપ્રસંગોને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન મળે એ રીતે નિરૂપતી હોઈ મુખ્યતયા ‘કાન્હડદેપ્રબંધ’ પછીની આ પ્રકારની સૌથી વિશેષ નોંધપાત્ર રચના બની રહે છે. જો કે અહીં દંતકથાઓ પર ઠીકઠીક આધાર રખાયો હોવાને લીધે અને સામાજિક ધાર્મિક પ્રસંગોનું નિરૂપણ વિશેષ થયું હોવાને લીધે વિમલ મંત્રીની પ્રશસ્તિ અને જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો કવિનો ઉદ્દેશ ઉપર તરી આવે છે.
<span style="color:#0000ff">'''‘વિમલપ્રબંધ/રાસ’'''</span> [ર.ઈ.૧૫૧૨/સં. ૧૫૬૮, આસો સુદ-, રવિવાર] : તપગચ્છના જૈન સાધુ અને સમયરત્નશિષ્ય લાવણ્યસમયની ૯ ખંડ ને ૧૩૫૬ કડીની ચોપાઈ, દુહા, વસ્તુ, પવાડુ જેવા છંદો અને વિવિધ દેશીઓના ઢાળમાં નિબદ્ધ ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના સમયમાં થઈ ગયેલા વિમલ મંત્રીના સુકૃત્યોને આલેખી એમના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રૂપે ઉપસાવતી કૃતિ(મુ.) પ્રબંધ, રાસ અને ચરિત્ર ત્રણેનાં સ્વરૂપગત લક્ષણો ઓછેવત્તે અંશે પ્રગટ કરતી આ રચના વિમલ મંત્રીના જીવનની ઘટનાઓ અને એમના પરાક્રમપ્રસંગોને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન મળે એ રીતે નિરૂપતી હોઈ મુખ્યતયા ‘કાન્હડદેપ્રબંધ’ પછીની આ પ્રકારની સૌથી વિશેષ નોંધપાત્ર રચના બની રહે છે. જો કે અહીં દંતકથાઓ પર ઠીકઠીક આધાર રખાયો હોવાને લીધે અને સામાજિક ધાર્મિક પ્રસંગોનું નિરૂપણ વિશેષ થયું હોવાને લીધે વિમલ મંત્રીની પ્રશસ્તિ અને જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો કવિનો ઉદ્દેશ ઉપર તરી આવે છે.
પ્રારંભના ૨ ખંડોમાં શ્રીમાલનગર અને શ્રીમાલવંશની સ્થાપના, ઓસવાળો અને પ્રાગ્વાટો, અઢાર વર્ણની વ્યવસ્થા, ૬ દર્શન, ૯૬ પ્રકારનાં પાખંડ વગેરેનો પરિચય આપી ત્રીજા ખંડમાં વીર નામે શ્રેષ્ઠીને ત્યાં વીરમતીની કુખે વિમલના જન્મની વાત કવિ કહે છે. પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી શ્રી સાથે વિમલનું લગ્ન, વિમલ વિરુદ્ધની કાનભંભેરણીથી ભોળવાઈને રાજા ભીમે એની હત્યા કરવા માટે કરેલા પ્રયત્ન, યુદ્ધોમાં વિમલે મેળવેલા વિજય, ભીમને હાથે જ પાછળથી વિમલનું થતું સંમાન, ગુરુએ આબુ પર્વત પર જૈન મંદિર બંધાવવા વિમલને આપેલો આદેશ-એ બધા પ્રસંગો બાકીના ખંડોમાં આલેખાયા છે. એમાં અંબા પાસે પુત્રપ્રાપ્તિને બદલે તીર્થરચનાનું વરદાન માગવાનો પ્રસંગ વિમલના ધર્મવીરચરિત્રને સૂચક રીતે ઉપસાવે છે.
પ્રારંભના ૨ ખંડોમાં શ્રીમાલનગર અને શ્રીમાલવંશની સ્થાપના, ઓસવાળો અને પ્રાગ્વાટો, અઢાર વર્ણની વ્યવસ્થા, ૬ દર્શન, ૯૬ પ્રકારનાં પાખંડ વગેરેનો પરિચય આપી ત્રીજા ખંડમાં વીર નામે શ્રેષ્ઠીને ત્યાં વીરમતીની કુખે વિમલના જન્મની વાત કવિ કહે છે. પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી શ્રી સાથે વિમલનું લગ્ન, વિમલ વિરુદ્ધની કાનભંભેરણીથી ભોળવાઈને રાજા ભીમે એની હત્યા કરવા માટે કરેલા પ્રયત્ન, યુદ્ધોમાં વિમલે મેળવેલા વિજય, ભીમને હાથે જ પાછળથી વિમલનું થતું સંમાન, ગુરુએ આબુ પર્વત પર જૈન મંદિર બંધાવવા વિમલને આપેલો આદેશ-એ બધા પ્રસંગો બાકીના ખંડોમાં આલેખાયા છે. એમાં અંબા પાસે પુત્રપ્રાપ્તિને બદલે તીર્થરચનાનું વરદાન માગવાનો પ્રસંગ વિમલના ધર્મવીરચરિત્રને સૂચક રીતે ઉપસાવે છે.
કળિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બેગમોનું ખડી બોલીમાં ટીખળ, ઓજસ્વી શૈલીવાળું યુદ્ધવર્ણન, વિજય પછીનો વિમલનો અલંકૃત શૈલીમાં વર્ણવાયેલો સત્કાર તથા સ્ત્રીપુરુષનાં સામુદ્રિક લક્ષણો, રાગરાગિણીઓ, સ્ત્રીપુરુષની કલાઓ, શુકન-અપશુકનની માન્યતાઓ વગેરેનાં વીગતસભર ચિત્રણો-આવા કેટલાક અંશો આ કૃતિને કવિની અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ધ્યાનાર્હ કૃતિ બનાવે છે. [કા.શા.]
કળિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બેગમોનું ખડી બોલીમાં ટીખળ, ઓજસ્વી શૈલીવાળું યુદ્ધવર્ણન, વિજય પછીનો વિમલનો અલંકૃત શૈલીમાં વર્ણવાયેલો સત્કાર તથા સ્ત્રીપુરુષનાં સામુદ્રિક લક્ષણો, રાગરાગિણીઓ, સ્ત્રીપુરુષની કલાઓ, શુકન-અપશુકનની માન્યતાઓ વગેરેનાં વીગતસભર ચિત્રણો-આવા કેટલાક અંશો આ કૃતિને કવિની અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ધ્યાનાર્હ કૃતિ બનાવે છે.{{Right|[કા.શા.]}}
<br>


વિમલપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છની પિપ્પલશાખાના જૈન સાધુ. ૨૯૪ કડીની ‘વલકલચીરી-રાસ’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘થાવચ્ચાકુમાર-ભાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, કારતક સુદ ૮) એ કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલપ્રભ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છની પિપ્પલશાખાના જૈન સાધુ. ૨૯૪ કડીની ‘વલકલચીરી-રાસ’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘થાવચ્ચાકુમાર-ભાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, કારતક સુદ ૮) એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય ભંડારોંમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંન્નક સાહિત્ય’, વિજયયતીન્દ્રસૂરિજી;  ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય ભંડારોંમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંન્નક સાહિત્ય’, વિજયયતીન્દ્રસૂરિજી;  ૨. ડિકૅટલૉગભાવિ. {{Right|[કી.જો.]}}
<br>


વિમલરત્ન [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિની પરંપરામાં વિજયકીર્તિના શિષ્ય. ‘વીરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૬/સં. ૧૭૦૨, પોષ સુદ ૧૦), ૯ કડીના ‘જિનરત્નસૂરિનિર્વાણ-ગીત’(મુ.) અને ૮ કડીના ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલરત્ન'''</span> [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિની પરંપરામાં વિજયકીર્તિના શિષ્ય. ‘વીરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૬/સં. ૧૭૦૨, પોષ સુદ ૧૦), ૯ કડીના ‘જિનરત્નસૂરિનિર્વાણ-ગીત’(મુ.) અને ૮ કડીના ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંચય (+સં.).
કૃતિ : ઐજૈકાસંચય (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}
<br>


વિમલરંગ(મુનિ)શિષ્ય [ઈ.૧૫૭૨માં હયાત] : જૈન સાધુ. ૧૪૧ કડીના, વિવિધ રાગ તથા દેશીઓનો નિર્દેશ કરતા અને જિનચંદ્રસૂરિનો મહિમા ગાતા ઐતિહાસિક કથાવસ્તુવાળા ‘અકબરપ્રતિબોધ-રાસ/શ્રી યુગપ્રધાન જિનચંદ્રસૂરીશ્વર-રાસ’ (ર.ઈ.૧૫૭૨/સં. ૧૬૨૮, જેઠ વદ ૧૩-; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલરંગ(મુનિ)શિષ્ય'''</span> [ઈ.૧૫૭૨માં હયાત] : જૈન સાધુ. ૧૪૧ કડીના, વિવિધ રાગ તથા દેશીઓનો નિર્દેશ કરતા અને જિનચંદ્રસૂરિનો મહિમા ગાતા ઐતિહાસિક કથાવસ્તુવાળા ‘અકબરપ્રતિબોધ-રાસ/શ્રી યુગપ્રધાન જિનચંદ્રસૂરીશ્વર-રાસ’ (ર.ઈ.૧૫૭૨/સં. ૧૬૨૮, જેઠ વદ ૧૩-; મુ.)ના કર્તા.
કૃતિ : રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૦૧૬ (+સં.). [કી.જો.]
કૃતિ : રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૦૧૬ (+સં.). {{Right|[કી.જો.]}}
<br>


વિમલવિજય-૧ [ઈ.૧૬૯૩ પછી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયપ્રભ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ના શિષ્ય તરીકે તેઓ નોંધાયા છે, પરંતુ વિજયપ્રભના સીધા શિષ્ય તેઓ હોય એવી સંભાવના ઓછી છે, એટલે તેઓ ઈ.૧૬૯૩ પછી થયા હોવાનું કહી શકાય. તેઓ વિમલવિજય-૨ પણ કદાચ હોઈ શકે. ૫૫ કડીનું ‘અષ્ટાપદ સમેતશિખર-સ્તવન’ (લે. સં. ૧૮મું શતક અનુ.) તથા ૪ ઢાલ અને ૩૭/૩૮ કડીની ‘વિજયપ્રભસૂરિ-નિર્વાણ’ (મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલવિજય-૧'''</span> [ઈ.૧૬૯૩ પછી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયપ્રભ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ના શિષ્ય તરીકે તેઓ નોંધાયા છે, પરંતુ વિજયપ્રભના સીધા શિષ્ય તેઓ હોય એવી સંભાવના ઓછી છે, એટલે તેઓ ઈ.૧૬૯૩ પછી થયા હોવાનું કહી શકાય. તેઓ વિમલવિજય-૨ પણ કદાચ હોઈ શકે. ૫૫ કડીનું ‘અષ્ટાપદ સમેતશિખર-સ્તવન’ (લે. સં. ૧૮મું શતક અનુ.) તથા ૪ ઢાલ અને ૩૭/૩૮ કડીની ‘વિજયપ્રભસૂરિ-નિર્વાણ’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈઐકાસંચય.
કૃતિ : જૈઐકાસંચય.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[કી.જો.]}}
<br>


વિમલવિજય-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. ૪૨ કડીના ’.નેમિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલવિજય-૨'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. ૪૨ કડીના ’.નેમિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}
<br>


વિમલવિનય [ઈ.૧૫૯૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણશેખરની પરંપરામાં નયરંગના શિષ્ય. ૭૨ કડીના ‘અનાથીસંધિ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, ફાગણ સુદ ૩), ૪ ઢાલ અને ૬૬ કડીના ‘અરહન્નક-રાસ’ તથા કેટલાંક સ્તવનોના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલવિનય'''</span> [ઈ.૧૫૯૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણશેખરની પરંપરામાં નયરંગના શિષ્ય. ૭૨ કડીના ‘અનાથીસંધિ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, ફાગણ સુદ ૩), ૪ ઢાલ અને ૬૬ કડીના ‘અરહન્નક-રાસ’ તથા કેટલાંક સ્તવનોના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). {{Right|[કી.જો.]}}
<br>


વિમલ(વાચક)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૨ કડીના ‘(નાડુલાઇમંડન) નેમિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિમલ(વાચક)શિષ્ય'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૨ કડીના ‘(નાડુલાઇમંડન) નેમિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}
<br>


વિમલહર્ષ : આ નામે ૫ કડીનું ‘સીમંધરજિન-ગીત’ (લે. ઈ.૧૫૩૮) અને ‘શત્રુંજય-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી) મળે છે. તેમના કર્તા કયા વિમલહર્ષ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
<span style="color:#0000ff">'''વિમલહર્ષ'''</span> : આ નામે ૫ કડીનું ‘સીમંધરજિન-ગીત’ (લે. ઈ.૧૫૩૮) અને ‘શત્રુંજય-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી) મળે છે. તેમના કર્તા કયા વિમલહર્ષ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૨. [કી.જો.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૨. {{Right|[કી.જો.]}}
<br>


‘વિરાટપર્વ’-૧ [ર.ઈ.૧૫૪૫/સં. માગશર સુદ ૧૦, સોમવાર] : વીકાસૂત નાકરરચિત, ૧૫ રાગનો વિનિયોગ થયાનું જણાવતી ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ(મુ.) એમાં વ્યક્ત થતી કવિની પ્રૌઢિ ને પકવતાને કારણે સવિશેષ નોંધપાત્ર બને છે.
<span style="color:#0000ff">'''‘વિરાટપર્વ’-૧'''</span> [ર.ઈ.૧૫૪૫/સં. માગશર સુદ ૧૦, સોમવાર] : વીકાસૂત નાકરરચિત, ૧૫ રાગનો વિનિયોગ થયાનું જણાવતી ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ(મુ.) એમાં વ્યક્ત થતી કવિની પ્રૌઢિ ને પકવતાને કારણે સવિશેષ નોંધપાત્ર બને છે.
પૂર્વકથાને વણી લેવાની પોતાની લાક્ષણિક પદ્ધતિને અનુસરી કવિ અહીં પહેલાં ૨૧ કડવાંમાં મહાભારતના આદિપર્વ, સભાપર્વ અને આરણ્યકપર્વનું વૃત્તાંત સંક્ષેપમાં વર્ણવે છે અને બાકીનાં કડવાંઓમાં વિરાટપર્વના વૃત્તાન્તનું વર્ણન કરે છે. ક્વચિત્ પ્રસંગોનો ક્રમફેર થાય છે ને ઘણી વાર પ્રસંગનું વીગતફેર કે વિસ્તારથી વર્ણન થાય છે, તે સિવાય સામાન્ય રીતે મૂળ મહાભારતકથાનું અહીં અનુસરણ થયું છે. જીમૂતપ્રસંગમાં કવિ પાંડવોની શોધનું પ્રયોજન જોડે છે ને કીચકપ્રસંગને ઉપકારક રીતે એની કેટલીક વીગતો રચે છે એમાં કવિની કથાનિર્માણની શક્તિ દેખાય છે. પાંડવો વિરાટનગરમાં પ્રવેશે છે તે વેળા ગોપાલકોનો પ્રસંગ કવિ યોજે છે, તેમાં ગ્રીક નાટકના કૉરસના જેવું રચનાવિધાન નીપજી આવ્યું છે.
પૂર્વકથાને વણી લેવાની પોતાની લાક્ષણિક પદ્ધતિને અનુસરી કવિ અહીં પહેલાં ૨૧ કડવાંમાં મહાભારતના આદિપર્વ, સભાપર્વ અને આરણ્યકપર્વનું વૃત્તાંત સંક્ષેપમાં વર્ણવે છે અને બાકીનાં કડવાંઓમાં વિરાટપર્વના વૃત્તાન્તનું વર્ણન કરે છે. ક્વચિત્ પ્રસંગોનો ક્રમફેર થાય છે ને ઘણી વાર પ્રસંગનું વીગતફેર કે વિસ્તારથી વર્ણન થાય છે, તે સિવાય સામાન્ય રીતે મૂળ મહાભારતકથાનું અહીં અનુસરણ થયું છે. જીમૂતપ્રસંગમાં કવિ પાંડવોની શોધનું પ્રયોજન જોડે છે ને કીચકપ્રસંગને ઉપકારક રીતે એની કેટલીક વીગતો રચે છે એમાં કવિની કથાનિર્માણની શક્તિ દેખાય છે. પાંડવો વિરાટનગરમાં પ્રવેશે છે તે વેળા ગોપાલકોનો પ્રસંગ કવિ યોજે છે, તેમાં ગ્રીક નાટકના કૉરસના જેવું રચનાવિધાન નીપજી આવ્યું છે.
એ સિવાય પ્રસંગનિરૂપણોમાં જે નવી રેખાઓ છે તે માનવસ્વભાવના ચિત્રણ કે રસપ્રદતાના ધોરણથી આવેલી છે. જેમ કે, કવિ દ્રૌપદીને કીચકને જોવાની ઉત્કંઠા બતાવતી વર્ણવે છે એમાં સામાન્ય સ્ત્રીસ્વભાવનો પ્રક્ષેપ થયો છે. માનવભાવનો આવો પ્રક્ષેપ કેટલીક વાર સમુચિત ને રસાત્મક હોય છે તો કોઈ વાર પૌરાણિક પાત્રના ગૌરવને ખંડિત કરનારો પણ બને છે. યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને દ્રૌપદી વિશે ચિંતા કરે એમાં એમના હૃદયની ઉષ્મા પ્રગટ થાય છે, પરંતુ બૃહદશ્વ ઋષિ પાસે એ ભાઈઓ વિશે ફરિયાદ કરે એ એમના પાત્રને શોભાસ્પદ બનતું નથી. પરંતુ માનવભાવોના આવા આલેખનની વારંવાર તક લઈને નાકરે મહાભારતકથાને વધારે લોકભોગ્ય બનાવી છે. લોકભોગ્યતાના થોડા પુટ સાથે પાત્રોનાં સ્વભાવલક્ષણો મૂર્ત કરવાની સારી ફાવટ એમણે બતાવી છે.
એ સિવાય પ્રસંગનિરૂપણોમાં જે નવી રેખાઓ છે તે માનવસ્વભાવના ચિત્રણ કે રસપ્રદતાના ધોરણથી આવેલી છે. જેમ કે, કવિ દ્રૌપદીને કીચકને જોવાની ઉત્કંઠા બતાવતી વર્ણવે છે એમાં સામાન્ય સ્ત્રીસ્વભાવનો પ્રક્ષેપ થયો છે. માનવભાવનો આવો પ્રક્ષેપ કેટલીક વાર સમુચિત ને રસાત્મક હોય છે તો કોઈ વાર પૌરાણિક પાત્રના ગૌરવને ખંડિત કરનારો પણ બને છે. યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને દ્રૌપદી વિશે ચિંતા કરે એમાં એમના હૃદયની ઉષ્મા પ્રગટ થાય છે, પરંતુ બૃહદશ્વ ઋષિ પાસે એ ભાઈઓ વિશે ફરિયાદ કરે એ એમના પાત્રને શોભાસ્પદ બનતું નથી. પરંતુ માનવભાવોના આવા આલેખનની વારંવાર તક લઈને નાકરે મહાભારતકથાને વધારે લોકભોગ્ય બનાવી છે. લોકભોગ્યતાના થોડા પુટ સાથે પાત્રોનાં સ્વભાવલક્ષણો મૂર્ત કરવાની સારી ફાવટ એમણે બતાવી છે.
Line 1,059: Line 1,076:
સવૈયા-હરિગીતની વિવિધ દેશીઓ પ્રયોજતા નાકરે ડિંગળ જેવી ઓજસભરી પદાવલિમાં ચારણી છંદોરચના કરી છે, ને કવચિત્ પદપદ્ધતિના કડવાં પણ આપ્યાં છે.
સવૈયા-હરિગીતની વિવિધ દેશીઓ પ્રયોજતા નાકરે ડિંગળ જેવી ઓજસભરી પદાવલિમાં ચારણી છંદોરચના કરી છે, ને કવચિત્ પદપદ્ધતિના કડવાં પણ આપ્યાં છે.
કૃતિના રચનાસમયના નિર્દેશમાં પાઠાંતરો પ્રાપ્ત થાય  
કૃતિના રચનાસમયના નિર્દેશમાં પાઠાંતરો પ્રાપ્ત થાય  
છે, પરંતુ ઉપર નિર્દિષ્ટ રચનાસમય અધિકૃત જણાય છે. [ચિ.ત્રિ.]
છે, પરંતુ ઉપર નિર્દિષ્ટ રચનાસમય અધિકૃત જણાય છે.{{Right|[ચિ.ત્રિ.]}}
‘વિરાટપર્વ’-૨[ઈ.૧૪૨૨ પહેલાં] : દક્ષિણગોગ્રહ અને ઉત્તરગોગ્રહ એમ બે ખંડમાં વહેંચાયેલી ૧૮૩ કડીની જૈન કવિ શાલિસૂરિકૃત આ રચનાને (મુ.) કવિએ ‘કવિત’ સંજ્ઞાથી ઓળખાવી છે. જૈન કવિની હોવા છતાં જૈન મહાભારતની નહીં પરંતુ વ્યાસરચિત મહાભારતની કથાપરંપરાને અનુસરવાનું વલણ, કૃતિના પ્રારંભમાં સરસ્વતીની વંદના તથા માત્રામેળને બદલે સ્વાગતા-રથોદ્ધતા-વસંતતિલકા-માલિની જેવા અક્ષરમેળ છંદોનો ઉપયોગ આ કૃતિની જુદી તરી આવતી લાક્ષણિકતાઓ છે. કવિએ કાવ્યમાં રચનાસાલ આપી નથી, પરંતુ માણિક્યસુંદરના ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (ર.ઈ.૧૪૨૨)માં આ કાવ્યમાંથી ૨ કડીની એકએક પંક્તિ ઉદ્ધૃત કરવામાં આવી છે, એટલે આ કૃતિની રચના તે પૂર્વે થઈ હોવાનું કહી શકાય. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૫મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન પણ થયું છે.
<br>
મહાભારતના ‘વિરાટપર્વ’ના મુખ્ય કથાતંતુ કવિએ અહીં જાળવ્યા છે, અને અન્ય ગૌણ પ્રસંગો ને વીગત ટાળ્યાં છે. એટલે પહેલાં ખંડમાં દ્રૌપદીથી આકર્ષાયેલા કીચકનો અને પછી તેના ભાઈઓનો ભીમ વધ કરે છે એ તથા સુશર્મા અને વિરાટ રાજા વચ્ચે થયેલા યુદ્ધની કથાના પ્રસંગો આલેખાયા છે. બીજા ખંડમાં વિરાટપુત્ર ઉત્તરે અર્જુનની સહાયથી કૌરવો પર મેળવેલા વિજ્યની કથા છે. સમગ્ર આલેખનમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવાનો કવિનો ઉપક્રમ ઊપસી આવે છે. શબ્દ અને અર્થના અલંકારોનો આશ્રય લઈ યુદ્ધનાં ને અન્ય વર્ણનો તાદૃશ કરવાનો કવિએ પ્રયત્ન કર્યો છે તેમાં પરંપરાને અનુસરવાનું વલણ પ્રબળ છે. પરંતુ પ્રસંગનિરૂપણમાં અનેક જગ્યાએ વક્તવ્યને ધારદાર બનાવવા કવિએ વણી લીધેલી લોકોક્તિઓ કવિની શૈલીની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. જેમ કે, દ્રૌપદી પ્રત્યે આકર્ષાયેલા કીચકને ચેતવણી આપતાં સુદેષ્ણા કહે છે, “કિમઇ ન જાણિઉં ફલ નૈવ ખાજઈ અણજાણતું અંધ ઉબાડિ દાઝઈ.” [ભા.વૈ.]
<span style="color:#0000ff">'''‘વિરાટપર્વ’-૨'''</span>[ઈ.૧૪૨૨ પહેલાં] : દક્ષિણગોગ્રહ અને ઉત્તરગોગ્રહ એમ બે ખંડમાં વહેંચાયેલી ૧૮૩ કડીની જૈન કવિ શાલિસૂરિકૃત આ રચનાને (મુ.) કવિએ ‘કવિત’ સંજ્ઞાથી ઓળખાવી છે. જૈન કવિની હોવા છતાં જૈન મહાભારતની નહીં પરંતુ વ્યાસરચિત મહાભારતની કથાપરંપરાને અનુસરવાનું વલણ, કૃતિના પ્રારંભમાં સરસ્વતીની વંદના તથા માત્રામેળને બદલે સ્વાગતા-રથોદ્ધતા-વસંતતિલકા-માલિની જેવા અક્ષરમેળ છંદોનો ઉપયોગ આ કૃતિની જુદી તરી આવતી લાક્ષણિકતાઓ છે. કવિએ કાવ્યમાં રચનાસાલ આપી નથી, પરંતુ માણિક્યસુંદરના ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (ર.ઈ.૧૪૨૨)માં આ કાવ્યમાંથી ૨ કડીની એકએક પંક્તિ ઉદ્ધૃત કરવામાં આવી છે, એટલે આ કૃતિની રચના તે પૂર્વે થઈ હોવાનું કહી શકાય. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૫મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન પણ થયું છે.
મહાભારતના ‘વિરાટપર્વ’ના મુખ્ય કથાતંતુ કવિએ અહીં જાળવ્યા છે, અને અન્ય ગૌણ પ્રસંગો ને વીગત ટાળ્યાં છે. એટલે પહેલાં ખંડમાં દ્રૌપદીથી આકર્ષાયેલા કીચકનો અને પછી તેના ભાઈઓનો ભીમ વધ કરે છે એ તથા સુશર્મા અને વિરાટ રાજા વચ્ચે થયેલા યુદ્ધની કથાના પ્રસંગો આલેખાયા છે. બીજા ખંડમાં વિરાટપુત્ર ઉત્તરે અર્જુનની સહાયથી કૌરવો પર મેળવેલા વિજ્યની કથા છે. સમગ્ર આલેખનમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવાનો કવિનો ઉપક્રમ ઊપસી આવે છે. શબ્દ અને અર્થના અલંકારોનો આશ્રય લઈ યુદ્ધનાં ને અન્ય વર્ણનો તાદૃશ કરવાનો કવિએ પ્રયત્ન કર્યો છે તેમાં પરંપરાને અનુસરવાનું વલણ પ્રબળ છે. પરંતુ પ્રસંગનિરૂપણમાં અનેક જગ્યાએ વક્તવ્યને ધારદાર બનાવવા કવિએ વણી લીધેલી લોકોક્તિઓ કવિની શૈલીની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. જેમ કે, દ્રૌપદી પ્રત્યે આકર્ષાયેલા કીચકને ચેતવણી આપતાં સુદેષ્ણા કહે છે, “કિમઇ ન જાણિઉં ફલ નૈવ ખાજઈ અણજાણતું અંધ ઉબાડિ દાઝઈ.” {{Right|[ભા.વૈ.]}}
<br>


વિલ્હણ : જુઓ બિલ્હ.
<span style="color:#0000ff">'''વિલ્હણ'''</span> : જુઓ બિલ્હ.
<br>


વિલ્લ [      ] : અપભ્રંશની અસર ધરાવતા સુભાષિતોના કર્તા.
<span style="color:#0000ff">'''વિલ્લ'''</span> [      ] : અપભ્રંશની અસર ધરાવતા સુભાષિતોના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેક : આ નામે ૧૫ કડીનું ‘મહાવીરજીનું સ્તોત્ર’ (લે.ઈ.૧૮૫૪) મળે છે. તેના કર્તા કયા વિવેક છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિવેક'''</span> : આ નામે ૧૫ કડીનું ‘મહાવીરજીનું સ્તોત્ર’ (લે.ઈ.૧૮૫૪) મળે છે. તેના કર્તા કયા વિવેક છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકચંદ્ર : આ નામે ૧૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા વિવેકચંદ્ર છે તે સ્પષ્ટ થતું નથી.  
<span style="color:#0000ff">'''વિવેકચંદ્ર'''</span> : આ નામે ૧૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા વિવેકચંદ્ર છે તે સ્પષ્ટ થતું નથી.  
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકચંદ્ર-૧ [ઈ.૧૬૪૧માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં ગુણચંદ્રગણિના શિષ્ય. ૧૯ ઢાળ અને ૪૩૬ કડીના સુરપાળનો રાસ’ (ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, પોષ સુદ ૧૫)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિવેકચંદ્ર-૧'''</span> [ઈ.૧૬૪૧માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં ગુણચંદ્રગણિના શિષ્ય. ૧૯ ઢાળ અને ૪૩૬ કડીના સુરપાળનો રાસ’ (ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, પોષ સુદ ૧૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં વાચક ભાનુચંદ્રના શિષ્ય. દીક્ષા પહેલાં સગાભાઈ અને દીક્ષા પછી દેવચંદ્ર (અવ.ઈ.૧૬૪૦)ના ગુરુભાઈ.
<span style="color:#0000ff">'''વિવેકચંદ્ર-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં વાચક ભાનુચંદ્રના શિષ્ય. દીક્ષા પહેલાં સગાભાઈ અને દીક્ષા પછી દેવચંદ્ર (અવ.ઈ.૧૬૪૦)ના ગુરુભાઈ.
‘દેવચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૪૦ પછી), ૨૫/૨૭ કડીનો ‘જીવદયાનો છંદ/શિખામણનો સલોકો’(મુ.) અને ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા.
‘દેવચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૪૦ પછી), ૨૫/૨૭ કડીનો ‘જીવદયાનો છંદ/શિખામણનો સલોકો’(મુ.) અને ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકરત્ન [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યરત્નના શિષ્ય. ૬૪૬ કડીના ‘યશોધર-ચરિત્ર/રાસ’ (ર.ઈ.૧૫૧૭)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિવેકરત્ન'''</span> [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યરત્નના શિષ્ય. ૬૪૬ કડીના ‘યશોધર-ચરિત્ર/રાસ’ (ર.ઈ.૧૫૧૭)ના કર્તા.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
વિવેકવર્ધન [      ] : જૈન. ૩૬ કડીના ‘આદિદેવ-સ્તવન’ના કર્તા.
<br>
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]


વિવેકવિજ્ય : આ નામે ૪ કડીનું ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૯ કડીનું ‘મહાવીરજિન-સ્તોત્ર’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા વિવેકવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિવેકવર્ધન'''</span> [      ] : જૈન. ૩૬ કડીના ‘આદિદેવ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકવિજ્ય-૧ [ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. જ્ઞાનવિજ્યના શિષ્ય. ‘શાલિભદ્રધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, ચૈત્ર સુદ ૬)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિવેકવિજ્ય'''</span> : આ નામે ૪ કડીનું ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૯ કડીનું ‘મહાવીરજિન-સ્તોત્ર’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા વિવેકવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
 
<span style="color:#0000ff">'''વિવેકવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. જ્ઞાનવિજ્યના શિષ્ય. ‘શાલિભદ્રધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, ચૈત્ર સુદ ૬)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા.
સંદર્ભ : દેસુરાસમાળા.
<br>


વિવેકવિજ્ય-૨ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વીરવિજ્યના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢાલના ‘મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિવેકવિજ્ય-૨'''</span> [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વીરવિજ્યના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢાલના ‘મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકવિજ્ય-૩ [ઈ.૧૭૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં ચતુરવિજ્યના શિષ્ય. ‘રિપુમર્દન-રાસ’ અને ‘અર્બુદાચલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, જેઠ વદ ૫)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિવેકવિજ્ય-૩'''</span> [ઈ.૧૭૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં ચતુરવિજ્યના શિષ્ય. ‘રિપુમર્દન-રાસ’ અને ‘અર્બુદાચલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, જેઠ વદ ૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકવિજ્ય-૪ [ઈ.૧૮૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં ડુંગરવિજ્યના શિષ્ય. ૧૧ ઢાલના ‘નવતત્ત્વનું સ્તવન’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં વિવેકસુંદરને નામે નોંધાયેલી ‘નવતત્ત્વવિચારગર્ભિત-આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૧૬) કૃતિ અને પ્રસ્તુત રચના એક હોવા સંભવ છે.
<span style="color:#0000ff">'''વિવેકવિજ્ય-૪'''</span> [ઈ.૧૮૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં ડુંગરવિજ્યના શિષ્ય. ૧૧ ઢાલના ‘નવતત્ત્વનું સ્તવન’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં વિવેકસુંદરને નામે નોંધાયેલી ‘નવતત્ત્વવિચારગર્ભિત-આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૧૬) કૃતિ અને પ્રસ્તુત રચના એક હોવા સંભવ છે.
કૃતિ : ૧. કસસ્તવન : ૨. ચૈસ્તસંગ્રહ : ૩.
કૃતિ : ૧. કસસ્તવન : ૨. ચૈસ્તસંગ્રહ : ૩.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકસિદ્ધિ [      ] : સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગતી’(મુ.)નાં કર્તા. ગીતમાં ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ.૧૬૨૩માં હયાત લલિતકીર્તિ જો એક હોય તો આ કવયિત્રીને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ પછીના સમયમાં મૂકી શકાય.
<span style="color:#0000ff">'''વિવેકસિદ્ધિ'''</span> [      ] : સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગતી’(મુ.)નાં કર્તા. ગીતમાં ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ.૧૬૨૩માં હયાત લલિતકીર્તિ જો એક હોય તો આ કવયિત્રીને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ પછીના સમયમાં મૂકી શકાય.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકહર્ષ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં હર્ષાનંદગણિના શિષ્ય. વિદ્વાન અને પ્રતાપી. ઈ.૧૬૧૧નો તેમનો પ્રતિમાલેખ મળે છે. તેમણે કચ્છના રાજા ભારમલ્લને (ઈ.૧૫૮૬-ઈ.૧૬૩૨) પ્રતિબોધ્યા હતા. ૧૦૧ કડીના ‘હીરવિજ્યસૂરિ(નિર્વાણ)-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૫૯૬; મુ.), ૨૪ કડીના ‘ઋષભ નેમિનાથ-સ્તવન’, ‘ક્ષુધા-પિપાસા-શીત-ઊષ્ણની સઝાય’ અને ૭ પ્રકરણના ‘પરબ્રહ્મ-પ્રકાશ’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિવેકહર્ષ-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં હર્ષાનંદગણિના શિષ્ય. વિદ્વાન અને પ્રતાપી. ઈ.૧૬૧૧નો તેમનો પ્રતિમાલેખ મળે છે. તેમણે કચ્છના રાજા ભારમલ્લને (ઈ.૧૫૮૬-ઈ.૧૬૩૨) પ્રતિબોધ્યા હતા. ૧૦૧ કડીના ‘હીરવિજ્યસૂરિ(નિર્વાણ)-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૫૯૬; મુ.), ૨૪ કડીના ‘ઋષભ નેમિનાથ-સ્તવન’, ‘ક્ષુધા-પિપાસા-શીત-ઊષ્ણની સઝાય’ અને ૭ પ્રકરણના ‘પરબ્રહ્મ-પ્રકાશ’ના કર્તા.
કૃતિ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હીરવિજ્યસૂરિ(નિર્વાણ) રાસ’, સં. મો. દ. દેશાઈ (+સં.).
કૃતિ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હીરવિજ્યસૂરિ(નિર્વાણ) રાસ’, સં. મો. દ. દેશાઈ (+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકહર્ષ(પંડિત)-૨ [      ] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસુંદરના શિષ્ય. ૨૯ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ એ આ જ કૃતિ ભૂલથી વિનયસુંદરકૃત ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિ-સ્વાયાય’ને નામે પણ નોંધી છે.  
<span style="color:#0000ff">'''વિવેકહર્ષ(પંડિત)-૨'''</span> [      ] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસુંદરના શિષ્ય. ૨૯ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ એ આ જ કૃતિ ભૂલથી વિનયસુંદરકૃત ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિ-સ્વાયાય’ને નામે પણ નોંધી છે.  
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિવેકહંસ(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૪ સુધીમાં] : ‘ઉપાસક દશાંગ-બાલાવ બોધ’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિવેકહંસ(ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૫૫૪ સુધીમાં] : ‘ઉપાસક દશાંગ-બાલાવ બોધ’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિશાલરાજ : જુઓ સુધાભૂષણશિષ્ય.
<span style="color:#0000ff">'''વિશાલરાજ'''</span> : જુઓ સુધાભૂષણશિષ્ય.
<br>


વિશાલસાગર [      ] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિશાલસાગર'''</span> [      ] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ-૧, પ્ર. ખીમજી ભીમસિંહ માણક, ઈ.૧૮૯૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ-૧, પ્ર. ખીમજી ભીમસિંહ માણક, ઈ.૧૮૯૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિશાલસુંદરશિષ્ય [      ] : તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘ગૈતમ-ભાસ’, ૭ કડીની ‘નાગૌર-ચૈત્યપરિપાટી’ (મુ.), ૧૩ કડીનું ‘બંભણવાડા મહાવીર-સ્તોત્ર’(મુ.), ૬૪ કડીનું ‘સપ્તતિશતજિનનામગ્રહ-સ્તોત્ર/સત્તરિસયજિન-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી) તથા ૧૩ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’-એ ‘સત્તરિસયજિન-સ્તવન’ વિશાલસુંદરને નામે નોંધી છે, પણ એ ભૂલ છે.  
<span style="color:#0000ff">'''વિશાલસુંદરશિષ્ય'''</span> [      ] : તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘ગૈતમ-ભાસ’, ૭ કડીની ‘નાગૌર-ચૈત્યપરિપાટી’ (મુ.), ૧૩ કડીનું ‘બંભણવાડા મહાવીર-સ્તોત્ર’(મુ.), ૬૪ કડીનું ‘સપ્તતિશતજિનનામગ્રહ-સ્તોત્ર/સત્તરિસયજિન-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી) તથા ૧૩ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’-એ ‘સત્તરિસયજિન-સ્તવન’ વિશાલસુંદરને નામે નોંધી છે, પણ એ ભૂલ છે.  
કૃતિ : ૧. ઐસમાલા : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૩-‘શ્રી વિશાલસુંદરશિષ્ય વિરચિત ‘શ્રી બંભણવાડા મહાવીર-સ્તોત્ર’, સં. જયંતવિજ્યજી; ૩. એજન, જાન્યુ. ૧૯૪૭-‘નાગોર ચૈત્યપરિપાટી’, સં. અગરચંદ નાહટા.
કૃતિ : ૧. ઐસમાલા : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૩-‘શ્રી વિશાલસુંદરશિષ્ય વિરચિત ‘શ્રી બંભણવાડા મહાવીર-સ્તોત્ર’, સં. જયંતવિજ્યજી; ૩. એજન, જાન્યુ. ૧૯૪૭-‘નાગોર ચૈત્યપરિપાટી’, સં. અગરચંદ નાહટા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}
<br>


વિશાલસોમશિષ્ય [      ] : તપગચ્છના જૈન સાધુ. ૧૫ કડીની ‘મૌન એકાદશી-સઝાય’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિશાલસોમશિષ્ય'''</span> [      ] : તપગચ્છના જૈન સાધુ. ૧૫ કડીની ‘મૌન એકાદશી-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : મોસસંગ્રહ. [કી.જો.]
કૃતિ : મોસસંગ્રહ. {{Right|[કી.જો.]}}
<br>


વિશુદ્ધવિમલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. વીરવિમલના શિષ્ય. ૫ ઢાળ અને ૪૨ કડીના ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪/૨૫; મુ.), ‘વીસ વિહરમાનજિન-સ્તવન/વીસી’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૦, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.), ૧૫ કડીની ‘આત્મહિતશિક્ષા/ચેતનને શિખામણ/જીવને ઉપદેશની સઝાય’(મુ.), ૧૪ કડીની ‘આત્મશિખામણ/વાણિયાની સઝાય’(મુ.), અગિયાર ગણધર, વૈરાગ્ય, સમકિત વગેરે પર સઝાયો (કેટલીક મુ.), પાર્શ્વનાથ, જિનપૂજાવિધિ વગેરે વિશે સ્તવનો-સ્તુતિઓ (કેટલાંક મુ.) વગેરે કૃતિઓની રચના તેમણે કરી છે.
<span style="color:#0000ff">'''વિશુદ્ધવિમલ'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. વીરવિમલના શિષ્ય. ૫ ઢાળ અને ૪૨ કડીના ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪/૨૫; મુ.), ‘વીસ વિહરમાનજિન-સ્તવન/વીસી’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૦, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.), ૧૫ કડીની ‘આત્મહિતશિક્ષા/ચેતનને શિખામણ/જીવને ઉપદેશની સઝાય’(મુ.), ૧૪ કડીની ‘આત્મશિખામણ/વાણિયાની સઝાય’(મુ.), અગિયાર ગણધર, વૈરાગ્ય, સમકિત વગેરે પર સઝાયો (કેટલીક મુ.), પાર્શ્વનાથ, જિનપૂજાવિધિ વગેરે વિશે સ્તવનો-સ્તુતિઓ (કેટલાંક મુ.) વગેરે કૃતિઓની રચના તેમણે કરી છે.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. સંઘવી શિવલાલ ઝ. સં. ૧૯૭૨; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; મોસસંગ્રહ; ૭. વીશીયો તથા વિવિધ પ્રકારની પૂજાઓ, પ્ર. માસ્તર ઉમેદચંદ, ઈ.૧૯૨૫; ૮. સજઝાયમાલા (શ્રા) : ૧.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. સંઘવી શિવલાલ ઝ. સં. ૧૯૭૨; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; મોસસંગ્રહ; ૭. વીશીયો તથા વિવિધ પ્રકારની પૂજાઓ, પ્ર. માસ્તર ઉમેદચંદ, ઈ.૧૯૨૫; ૮. સજઝાયમાલા (શ્રા) : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[પા.માં.]}}
<br>


વિશુદ્ધાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમની ‘વેદસ્તુતિ’માં ‘દશમસ્કંધ’ના ૮૯મા અધ્યાયનું ગદ્યમાં ભાષાંતર છે.
<span style="color:#0000ff">'''વિશુદ્ધાનંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમની ‘વેદસ્તુતિ’માં ‘દશમસ્કંધ’ના ૮૯મા અધ્યાયનું ગદ્યમાં ભાષાંતર છે.
સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિશ્વનાથ : આ નામે ૪૩/૫૩ કડીનો ‘અંબાનો ગરબો’(મુ.), ૧૭ કડીનો ‘શારદા માતાનો ગરબો’(મુ.), ૪૧ કડીનો ‘ભસ્મકંકણનો ગરબો’ (મુ.) એ ગરબાઓ તથા જ્ઞાનવૈરાગ્યનું ૮ કડીનું ભજન(મુ.) મળે છે. તેમના કર્તા કયા વિશ્વનાથ છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી. માતાના ગરબાના રચયિતા વિશ્વનાથ કદાચ એક જ કવિ હોઈ શકે.
<span style="color:#0000ff">'''વિશ્વનાથ'''</span> : આ નામે ૪૩/૫૩ કડીનો ‘અંબાનો ગરબો’(મુ.), ૧૭ કડીનો ‘શારદા માતાનો ગરબો’(મુ.), ૪૧ કડીનો ‘ભસ્મકંકણનો ગરબો’ (મુ.) એ ગરબાઓ તથા જ્ઞાનવૈરાગ્યનું ૮ કડીનું ભજન(મુ.) મળે છે. તેમના કર્તા કયા વિશ્વનાથ છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી. માતાના ગરબાના રચયિતા વિશ્વનાથ કદાચ એક જ કવિ હોઈ શકે.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. [કા.શા.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.{{Right|[કા.શા.]}}
<br>


વિશ્વનાથ-૧ [ઈ.૧૬૫૨માં હયાત] : આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. અવટંક જાની. ‘મોસાળા-ચરિત્ર’ની રચના તેમણે પાટણમાં કરી છે અને એમનાં બીજાં ૨ કાવ્યોની હસ્તપ્રત પણ પાટણમાંથી મળી છે, એટલે તેઓ પાટણ કે પાટણની આસપાસના કોઈ ગામના વતની હોય એવી સંભાવના છે. એમનાં કાવ્યોમાં અનુભવાતાં ઉત્કટ ગોપીભાવ અને કૃષ્ણપ્રીતિને કારણે તથા ૬ કડીનું ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૭૪૪; મુ.) જો એમની રચના હોય તો તેઓ પુષ્ટિમાર્ગીય કવિ હોવાની પણ શક્યતા છે.  
<span style="color:#0000ff">'''વિશ્વનાથ-૧'''</span> [ઈ.૧૬૫૨માં હયાત] : આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. અવટંક જાની. ‘મોસાળા-ચરિત્ર’ની રચના તેમણે પાટણમાં કરી છે અને એમનાં બીજાં ૨ કાવ્યોની હસ્તપ્રત પણ પાટણમાંથી મળી છે, એટલે તેઓ પાટણ કે પાટણની આસપાસના કોઈ ગામના વતની હોય એવી સંભાવના છે. એમનાં કાવ્યોમાં અનુભવાતાં ઉત્કટ ગોપીભાવ અને કૃષ્ણપ્રીતિને કારણે તથા ૬ કડીનું ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૭૪૪; મુ.) જો એમની રચના હોય તો તેઓ પુષ્ટિમાર્ગીય કવિ હોવાની પણ શક્યતા છે.  
ભાલણ પછી પોતાની ભાષાને ‘ગુજર ભાષા’ તરીકે ઉલ્લેખનાર વિશ્વનાથ જાની પ્રેમલક્ષણા ભક્તિની ધારાના મહત્ત્વના કવિ છે.
ભાલણ પછી પોતાની ભાષાને ‘ગુજર ભાષા’ તરીકે ઉલ્લેખનાર વિશ્વનાથ જાની પ્રેમલક્ષણા ભક્તિની ધારાના મહત્ત્વના કવિ છે.
વિવિધ રાગના નિર્દેશવાળું ૨૩ કડવાંનું ‘સગાળ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨; મુ.) અન્નદાનનો મહિમા સમજાવવાના હેતુથી રચાયેલું સાધારણ કોટિનું આખ્યાન છે, તો પણ કુંવર ચેલૈયાને ખાંડતી માતાના વાત્સલ્યપૂર્ણ ઉદ્ગારોમાં કવિની ભાવનિરૂપણની શક્તિનો અનુભવ થાય છે. એને મુકાબલે ભક્તની અચળ ઈશ્વરશ્રદ્ધા ને ભક્તિનો મહિમા કરતું નરસિંહજીવનના મામેરાના પ્રસંગને વિષય બનાવી રચાયેલું ૧૮/૨૧ કડવાંનું ‘મોસાળાચરિત્ર’(ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) વધારે ધ્યાનાર્હ કૃતિ છે. એમાં જોવા મળતાં પ્રસંગબીજ પોતાના ‘કુંવરબાઈનું મામેરું’માં પ્રેમાનંદે વધારે રસાવહ બનાવી ખીલવ્યાં છે એ રીતે પ્રેમાનંદની પુરોગામી કૃતિ તરીકે એનું મૂલ્ય છે, પરંતુ એ સિવાય કથા-વિકાસ, ચરિત્રચિત્રણ કે પ્રસંગનિરૂપણની દૃષ્ટિએ આ વિષયની અન્ય કૃતિઓ કરતાં એ વધારે કાવ્યગુણવાળી છે.
વિવિધ રાગના નિર્દેશવાળું ૨૩ કડવાંનું ‘સગાળ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨; મુ.) અન્નદાનનો મહિમા સમજાવવાના હેતુથી રચાયેલું સાધારણ કોટિનું આખ્યાન છે, તો પણ કુંવર ચેલૈયાને ખાંડતી માતાના વાત્સલ્યપૂર્ણ ઉદ્ગારોમાં કવિની ભાવનિરૂપણની શક્તિનો અનુભવ થાય છે. એને મુકાબલે ભક્તની અચળ ઈશ્વરશ્રદ્ધા ને ભક્તિનો મહિમા કરતું નરસિંહજીવનના મામેરાના પ્રસંગને વિષય બનાવી રચાયેલું ૧૮/૨૧ કડવાંનું ‘મોસાળાચરિત્ર’(ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) વધારે ધ્યાનાર્હ કૃતિ છે. એમાં જોવા મળતાં પ્રસંગબીજ પોતાના ‘કુંવરબાઈનું મામેરું’માં પ્રેમાનંદે વધારે રસાવહ બનાવી ખીલવ્યાં છે એ રીતે પ્રેમાનંદની પુરોગામી કૃતિ તરીકે એનું મૂલ્ય છે, પરંતુ એ સિવાય કથા-વિકાસ, ચરિત્રચિત્રણ કે પ્રસંગનિરૂપણની દૃષ્ટિએ આ વિષયની અન્ય કૃતિઓ કરતાં એ વધારે કાવ્યગુણવાળી છે.
Line 1,147: Line 1,192:
કૃતિ : ૧. ચતુરચાલીસી, સં. મહેન્દ્ર અ. દવે, ઈ.૧૯૮૬(+સં.); ૨. પ્રેમપચીસી, સં. જિતેન્દ્ર દવે અને મહેન્દ્ર દવે, ઈ.૧૯૭૨ (+સં.); ૩. મોસાળા-ચરિત્ર, સં. મહેન્દ્ર અ. દવે, ઈ.૧૯૮૭(+સં.);  ૪. ભ્રમરગીતા (+સં.); ૫. બૃકાદોહન : ૮ (+સં.); ૬. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.); ૭. સગુકાવ્ય (+સં.).
કૃતિ : ૧. ચતુરચાલીસી, સં. મહેન્દ્ર અ. દવે, ઈ.૧૯૮૬(+સં.); ૨. પ્રેમપચીસી, સં. જિતેન્દ્ર દવે અને મહેન્દ્ર દવે, ઈ.૧૯૭૨ (+સં.); ૩. મોસાળા-ચરિત્ર, સં. મહેન્દ્ર અ. દવે, ઈ.૧૯૮૭(+સં.);  ૪. ભ્રમરગીતા (+સં.); ૫. બૃકાદોહન : ૮ (+સં.); ૬. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.); ૭. સગુકાવ્ય (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુલિટરેચર; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. પ્રાકકૃતિઓ; ૮. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૭-‘મામેરું : વિશ્વાનાથ જાનીનું અને પ્રેમાનંદનું-એક તુલના’, મહેન્દ્ર  
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુલિટરેચર; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. પ્રાકકૃતિઓ; ૮. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૭-‘મામેરું : વિશ્વાનાથ જાનીનું અને પ્રેમાનંદનું-એક તુલના’, મહેન્દ્ર  
દવે;  ૧૦. ગૂહાયાદી; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. ફાહનામાવલિ : ૨. [જ.કો.]
દવે;  ૧૦. ગૂહાયાદી; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. ફાહનામાવલિ : ૨. {{Right|[જ.કો.]}}
<br>


વિશ્વનાથ-૨ [ઈ.૧૬૭૬ કે ઈ.૧૭૦૬માં હયાત] : ૮ સર્ગના ગેયકાવ્ય ‘રસિકરાજ/રાધાકૃષ્ણવિનોદ’ (ર.ઈ.૧૬૭૬ કે ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, જેઠ સુદ ૨, ગુરુવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિશ્વનાથ-૨'''</span> [ઈ.૧૬૭૬ કે ઈ.૧૭૦૬માં હયાત] : ૮ સર્ગના ગેયકાવ્ય ‘રસિકરાજ/રાધાકૃષ્ણવિનોદ’ (ર.ઈ.૧૬૭૬ કે ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, જેઠ સુદ ૨, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી.{{Right|[કા.શા.]}}
<br>


વિશ્વનાથ-૩ [      ] : વિવિધ રાગની દેશીઓમાં રચાયેલી ૪ ખંડ ને ૩૯૯ કડી સુધી ખંડિત રૂપે મળતી ‘ગનીમની લડાઈનો પવાડો’(મુ.)ના કર્તા. આ કાવ્યમાં ગનીમ(મરાઠાઓ. દુશ્મન-લૂંટારા એ અર્થમાં વ્યાપક આ શબ્દ મુસલમાનકાળ દરમ્યાન પ્રજાજીવનમાં મરાઠાઓ માટે સાંકેતિક અર્થમાં વપરાતો હતો) અને ગુજરાતના મુસલમાન સરદારો વચ્ચે નર્મદાકિનારે આવેલા બાબાપ્યારા પાસે થયેલા યુદ્ધના પ્રસંગને એમાં આલેખવામાં આવ્યો છે. મરાઠાઓ અને મુસલમાની સૈન્ય વચ્ચે ઈ.૧૭૦૫/૦૬માં બાબાપ્યારા પાસે યુદ્ધ થયેલું એવા ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. આ કાવ્ય એ પ્રસંગને અનુલક્ષીને છે એટલે તેની રચના ત્યારપછી થઈ હશે.
<span style="color:#0000ff">'''વિશ્વનાથ-૩'''</span> [      ] : વિવિધ રાગની દેશીઓમાં રચાયેલી ૪ ખંડ ને ૩૯૯ કડી સુધી ખંડિત રૂપે મળતી ‘ગનીમની લડાઈનો પવાડો’(મુ.)ના કર્તા. આ કાવ્યમાં ગનીમ(મરાઠાઓ. દુશ્મન-લૂંટારા એ અર્થમાં વ્યાપક આ શબ્દ મુસલમાનકાળ દરમ્યાન પ્રજાજીવનમાં મરાઠાઓ માટે સાંકેતિક અર્થમાં વપરાતો હતો) અને ગુજરાતના મુસલમાન સરદારો વચ્ચે નર્મદાકિનારે આવેલા બાબાપ્યારા પાસે થયેલા યુદ્ધના પ્રસંગને એમાં આલેખવામાં આવ્યો છે. મરાઠાઓ અને મુસલમાની સૈન્ય વચ્ચે ઈ.૧૭૦૫/૦૬માં બાબાપ્યારા પાસે યુદ્ધ થયેલું એવા ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. આ કાવ્ય એ પ્રસંગને અનુલક્ષીને છે એટલે તેની રચના ત્યારપછી થઈ હશે.
કાવ્યત્વની દૃષ્ટિએ નહીં, પણ ઐતિહાસિક દૃષ્ટિએ આ કાવ્ય મહત્ત્વનું છે. મરાઠાઓની યુદ્ધરીતિ, હારેલા મુસલમાની સૈન્યના નાસભાગ કરતા સૈનિકોની હાલત ઇત્યાદિના આલેખનને લીધે એમાનું યુદ્ધવર્ણન વાસ્તવિક ને મધ્યકાલીન કવિતામાં થતાં પરંપરાનુસારી યુદ્ધવર્ણનો કરતાં જુદું પડે છે. યુદ્ધવર્ણન સિવાય મરાઠાઓએ ગુજરાતનાં શહેરો ને ગામોમાં ચલાવેલી લૂંટફાટ, એમના આગમનના સમાચારથી અમદાવાદની પ્રજામાં ફેલાયેલો આતંક એનું પણ કવિએ વીગતે આલેખન કર્યુ છે, જે કૃતિને વિશિષ્ટ ઐતિહાસિક મૂલ્યવાળી બનાવે છે. ચોથા ખંડમાં મરાઠાઓના સંતાપથી બચાવવા કવિ અંબા માતાને સહાય રૂપ થવા પ્રાર્થના કરે છે.
કાવ્યત્વની દૃષ્ટિએ નહીં, પણ ઐતિહાસિક દૃષ્ટિએ આ કાવ્ય મહત્ત્વનું છે. મરાઠાઓની યુદ્ધરીતિ, હારેલા મુસલમાની સૈન્યના નાસભાગ કરતા સૈનિકોની હાલત ઇત્યાદિના આલેખનને લીધે એમાનું યુદ્ધવર્ણન વાસ્તવિક ને મધ્યકાલીન કવિતામાં થતાં પરંપરાનુસારી યુદ્ધવર્ણનો કરતાં જુદું પડે છે. યુદ્ધવર્ણન સિવાય મરાઠાઓએ ગુજરાતનાં શહેરો ને ગામોમાં ચલાવેલી લૂંટફાટ, એમના આગમનના સમાચારથી અમદાવાદની પ્રજામાં ફેલાયેલો આતંક એનું પણ કવિએ વીગતે આલેખન કર્યુ છે, જે કૃતિને વિશિષ્ટ ઐતિહાસિક મૂલ્યવાળી બનાવે છે. ચોથા ખંડમાં મરાઠાઓના સંતાપથી બચાવવા કવિ અંબા માતાને સહાય રૂપ થવા પ્રાર્થના કરે છે.
કૃતિ : કવિ વિશ્વનાથકૃત ગનીમની લડાઈનો પવાડો, સં. મંજુલાલ ર. મજમુદાર તથા ગણેશ કૃષ્ણ ગોખલે, ઈ.૧૯૬૫.
કૃતિ : કવિ વિશ્વનાથકૃત ગનીમની લડાઈનો પવાડો, સં. મંજુલાલ ર. મજમુદાર તથા ગણેશ કૃષ્ણ ગોખલે, ઈ.૧૯૬૫.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ફાત્રૈમાસિક, ઓક્ટો.-ડિસે. ૧૯૬૬-‘ગનીમનો પવાડો : કર્તૃત્વ’, મહેન્દ્ર અ. દવે;  ૩. ગૂહાયાદી. [કા.શા.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ફાત્રૈમાસિક, ઓક્ટો.-ડિસે. ૧૯૬૬-‘ગનીમનો પવાડો : કર્તૃત્વ’, મહેન્દ્ર અ. દવે;  ૩. ગૂહાયાદી. {{Right|[કા.શા.]}}
<br>


વિશ્વનાથ-૪ [      ] : વડનગરા નાગર બ્રહ્મણ. માંદા પડેલા કૃષ્ણને સાજો કરવા માટે જસોદા અને ગોપીઓ અંબામાતાને પ્રાર્થના કરે છે એનું નિરૂપણ કરતો ૫૩ કડીનો ‘ગરબો’(મુ.), ‘ઉમિયાનો ગરબો’ તથા ‘રંગીલા કાનુડાનો ગરબો’ એ કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''વિશ્વનાથ-૪'''</span> [      ] : વડનગરા નાગર બ્રહ્મણ. માંદા પડેલા કૃષ્ણને સાજો કરવા માટે જસોદા અને ગોપીઓ અંબામાતાને પ્રાર્થના કરે છે એનું નિરૂપણ કરતો ૫૩ કડીનો ‘ગરબો’(મુ.), ‘ઉમિયાનો ગરબો’ તથા ‘રંગીલા કાનુડાનો ગરબો’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. {{Right|[કા.શા.]}}
<br>


વિષ્ણુ(?) [      ] : વડોદરાના વતની. ‘મામેરું’ (લે.ઈ.૧૮૦૬ લગભગ)ના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’ તેમને ઈ.૧૮મી સદીમાં હયાત હોવાનું માને છે.
<span style="color:#0000ff">'''વિષ્ણુ(?)'''</span> [      ] : વડોદરાના વતની. ‘મામેરું’ (લે.ઈ.૧૮૦૬ લગભગ)ના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’ તેમને ઈ.૧૮મી સદીમાં હયાત હોવાનું માને છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.{{Right|[ચ.શે.]}}
<br>


વિષ્ણુજી [ઈ.૧૭૬૪ સુધીમાં] : રામકથાના પ્રસંગો વર્ણવતા ‘રામકથાનો કક્કો’ (લે.સં.૧૭૬૪)ના કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
<span style="color:#0000ff">'''વિષ્ણુજી'''</span> [ઈ.૧૭૬૪ સુધીમાં] : રામકથાના પ્રસંગો વર્ણવતા ‘રામકથાનો કક્કો’ (લે.સં.૧૭૬૪)ના કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. {{Right|[ચ.શે.]}}
<br>


વિષ્ણુદાસ : આ નામે ‘એકાદશીમાહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮) તથા કૃષ્ણભક્તિ ને જ્ઞાનવૈરાગ્યનાં ૫ પદ(મુ.) ગુજરાતી અને હિન્દીમાં મળે છે તેમના કર્તા કયા વિષ્ણુદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
<span style="color:#0000ff">'''વિષ્ણુદાસ'''</span> : આ નામે ‘એકાદશીમાહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮) તથા કૃષ્ણભક્તિ ને જ્ઞાનવૈરાગ્યનાં ૫ પદ(મુ.) ગુજરાતી અને હિન્દીમાં મળે છે તેમના કર્તા કયા વિષ્ણુદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. નકાદોહન : ૨. પરિચિત પદસંગ્રહ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૪૬; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભજનસાગર : ૨.  
કૃતિ : ૧. નકાદોહન : ૨. પરિચિત પદસંગ્રહ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૪૬; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભજનસાગર : ૨.  
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. લીંહસૂચી : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. લીંહસૂચી : ૧. {{Right|[ચ.શે.]}}
<br>


વિષ્ણુદાસ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકવિ. ખંભાતના નાગર બ્રાહ્મણ. પોતાની જુદીજુદી કૃતિઓમાં હરિભટ્ટ, ભૂધર વ્યાસ અને વિશ્વનાથ વ્યાસનો એમણે ગુરુઓ તરીકે ઉલ્લેખ કર્યો છે એના પરથી લાગે છે કે આ પુરાણીઓએ એમને કૃતિઓની રચનામાં સહાય કરી હોય. એમની કૃતિઓ ઈ.૧૫૭૮ થી ઈ.૧૬૧૨ સુધીનાં રચનાવર્ષ બતાવે છે, એટલે ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધ ને ઈ.૧૭મી સદીના પૂર્વાર્ધ વચ્ચે તેઓ હયાત હતા એમ કહી શકાય.  
<span style="color:#0000ff">'''વિષ્ણુદાસ-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકવિ. ખંભાતના નાગર બ્રાહ્મણ. પોતાની જુદીજુદી કૃતિઓમાં હરિભટ્ટ, ભૂધર વ્યાસ અને વિશ્વનાથ વ્યાસનો એમણે ગુરુઓ તરીકે ઉલ્લેખ કર્યો છે એના પરથી લાગે છે કે આ પુરાણીઓએ એમને કૃતિઓની રચનામાં સહાય કરી હોય. એમની કૃતિઓ ઈ.૧૫૭૮ થી ઈ.૧૬૧૨ સુધીનાં રચનાવર્ષ બતાવે છે, એટલે ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધ ને ઈ.૧૭મી સદીના પૂર્વાર્ધ વચ્ચે તેઓ હયાત હતા એમ કહી શકાય.  
નાકર અને પ્રેમાનંદ વચ્ચે કડી રૂપ આ આખ્યાનકવિએ પૌરાણિક કથાઓને વફાદારીપૂર્વક અનુસરતી અનેક કૃતિઓ રચી છે. વીર કે કરુણ રસના આલેખનમાં કે ક્યારેક પ્રસંગવર્ણનમાં એમની કવિત્વ શક્તિનો ઝબકાર વરતાય છે, પરંતુ વિશેષત: મૂળ કથાને સંક્ષેપમાં સરળ રીતે કહી જવામાં એમણે સંતોષ માન્યો છે.  
નાકર અને પ્રેમાનંદ વચ્ચે કડી રૂપ આ આખ્યાનકવિએ પૌરાણિક કથાઓને વફાદારીપૂર્વક અનુસરતી અનેક કૃતિઓ રચી છે. વીર કે કરુણ રસના આલેખનમાં કે ક્યારેક પ્રસંગવર્ણનમાં એમની કવિત્વ શક્તિનો ઝબકાર વરતાય છે, પરંતુ વિશેષત: મૂળ કથાને સંક્ષેપમાં સરળ રીતે કહી જવામાં એમણે સંતોષ માન્યો છે.  
એમનાં વિપુલ સર્જનમાં મહાભારત અને રામાયણની મોટા-ભાગની કથાને વલણ, ઢાળ ને ઊથલાવાળા કડવાંબદ્ધ આખ્યાનસ્વરૂપમાં ઉતારવાનો એમનો પ્રયાસ સૌથી વિશેષ ધ્યાનપાત્ર છે. મહાભારતનાં ૧૫ પર્વોને તેમણે ગુજરાતીમાં ઉતાર્યા છે. કવિને નામે ૨ ‘સભાપર્વ’(મુ.) મળે છે-૨૦ કડવાંવાળું ને ૩૬ કડવાંવાંળું. તેમાં ૩૬ કડવાંવાળું ‘સભાપર્વ’ (ર.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, આસો વદ ૩, રવિવાર; મુ.) આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં કવિની અધિકૃત કૃતિ લાગે છે. ૨૦ કડવાંવાંળું ‘સભાપર્વ’કવિના સમકાલીન ને ખંભાતમાં જ રહેતા શિવદાસનું કે અન્યનું હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. ૨૫ કડવાંના ‘ઉદ્યોગપર્વ’(મુ.)માં કવિએ મૂળના વિદુરનીતિ ને સનત્સુજાતીય આખ્યાન જેવા જટિલ ચર્ચાવાળા ભાગોને કાઢી નાખી કે ઇન્દ્ર-શચિના આખ્યાનને માત્ર સૂચન રૂપે મૂકી મૂળ કથાનકનો ઠીકઠીક સંક્ષેપ કરી નાક્યો છે. ૧૪ કડવાંનું ‘ગદાપર્વ’(મુ.), ૯ કડવાંનું ‘પ્રસ્થાનપર્વ’(મુ.), ૩૮ કડવાંનું ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, જેઠ સુદ ૪, શનિવાર; મુ.), ૧૫ કડવાંનું ‘શલ્યપર્વ’(મુ.), ૨૫ કડવાંનું ‘ભીષ્મપર્વ’ (અંશત: મુ.), ૨૦ કડવાંનું ‘સ્ત્રીપર્વ’ (૨૦ મું કડવું મુ.), ૯૨ કડવાનું ‘આરણ્યકપર્વ’ (ર.ઈ.૧૫૯૧-જેમાંથી ‘નળાખ્યાન’ વાળા ભાગનાં ૭ કડવાં મુ.), ‘વિરાટપર્વ’, ‘દ્રોણપર્વ’, ‘આદિપર્વ’, ૧૫ કડવાંનું ‘સૌપ્તિકપર્વ’, ૧૦ કડવાંનું ‘મૌશલ/મૂશળપર્વ’ અને ૭ કડવાંનું ‘સ્વર્ગારોહણીપર્વ’ એ બીજા મૂળ કથાને સાર રૂપે આપતાં પર્વો છે.  
એમનાં વિપુલ સર્જનમાં મહાભારત અને રામાયણની મોટા-ભાગની કથાને વલણ, ઢાળ ને ઊથલાવાળા કડવાંબદ્ધ આખ્યાનસ્વરૂપમાં ઉતારવાનો એમનો પ્રયાસ સૌથી વિશેષ ધ્યાનપાત્ર છે. મહાભારતનાં ૧૫ પર્વોને તેમણે ગુજરાતીમાં ઉતાર્યા છે. કવિને નામે ૨ ‘સભાપર્વ’(મુ.) મળે છે-૨૦ કડવાંવાળું ને ૩૬ કડવાંવાંળું. તેમાં ૩૬ કડવાંવાળું ‘સભાપર્વ’ (ર.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, આસો વદ ૩, રવિવાર; મુ.) આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં કવિની અધિકૃત કૃતિ લાગે છે. ૨૦ કડવાંવાંળું ‘સભાપર્વ’કવિના સમકાલીન ને ખંભાતમાં જ રહેતા શિવદાસનું કે અન્યનું હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. ૨૫ કડવાંના ‘ઉદ્યોગપર્વ’(મુ.)માં કવિએ મૂળના વિદુરનીતિ ને સનત્સુજાતીય આખ્યાન જેવા જટિલ ચર્ચાવાળા ભાગોને કાઢી નાખી કે ઇન્દ્ર-શચિના આખ્યાનને માત્ર સૂચન રૂપે મૂકી મૂળ કથાનકનો ઠીકઠીક સંક્ષેપ કરી નાક્યો છે. ૧૪ કડવાંનું ‘ગદાપર્વ’(મુ.), ૯ કડવાંનું ‘પ્રસ્થાનપર્વ’(મુ.), ૩૮ કડવાંનું ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, જેઠ સુદ ૪, શનિવાર; મુ.), ૧૫ કડવાંનું ‘શલ્યપર્વ’(મુ.), ૨૫ કડવાંનું ‘ભીષ્મપર્વ’ (અંશત: મુ.), ૨૦ કડવાંનું ‘સ્ત્રીપર્વ’ (૨૦ મું કડવું મુ.), ૯૨ કડવાનું ‘આરણ્યકપર્વ’ (ર.ઈ.૧૫૯૧-જેમાંથી ‘નળાખ્યાન’ વાળા ભાગનાં ૭ કડવાં મુ.), ‘વિરાટપર્વ’, ‘દ્રોણપર્વ’, ‘આદિપર્વ’, ૧૫ કડવાંનું ‘સૌપ્તિકપર્વ’, ૧૦ કડવાંનું ‘મૌશલ/મૂશળપર્વ’ અને ૭ કડવાંનું ‘સ્વર્ગારોહણીપર્વ’ એ બીજા મૂળ કથાને સાર રૂપે આપતાં પર્વો છે.  
Line 1,180: Line 1,232:
‘રુકિમણીહરણ’, ‘નાસિકેતાખ્યાન’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ અને ‘લૂણનાથ-આખ્યાન’-એ કૃતિઓને હસ્તપ્રતોનો ટેકો છે, પણ ‘કવિચરિત’ એમને કવિની શ્રદ્ધેય કૃતિઓ ગણતું નથી.
‘રુકિમણીહરણ’, ‘નાસિકેતાખ્યાન’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ અને ‘લૂણનાથ-આખ્યાન’-એ કૃતિઓને હસ્તપ્રતોનો ટેકો છે, પણ ‘કવિચરિત’ એમને કવિની શ્રદ્ધેય કૃતિઓ ગણતું નથી.
કૃતિ : ૧. કવિ વિષ્ણુદાસકૃત સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૧;  ૨. ઓખાહરણ : પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં, સં. ગજેન્દ્રશંકર લા. પંડ્યા, ઈ.૧૯૪૬; ૩. જાલંધર આખ્યાન : વિષ્ણુદસ, ભાલણ અને શિવદાસકૃત, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૩૨(+સં.); ૪. કાદોહન : ૨; ૫. પ્રાકાસુધા : ૩; ૬. બૃકાદોહન : ૮ (+સં.):; ૭. મહાભારત : ૧, ૩, ૪, ૫, ૭;  ૮. અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક, સપ્ટે. ૧૮૮૫થી ઑગ. ૧૮૮૬ - ‘ભીષ્મપર્વ’, ૯. પ્રાકાત્રૈમાસિક, વ. ૭, અં. ૩, ઈ.૧૮૯૧ (સં.); ૧૦. એજન, વ. ૮, અં. ૪, ઈ.૧૮૯૨-‘બભ્રુવહન-આખ્યાન’, ૧૧. બુદ્ધિપ્રકાશ, જૂન-નવે. ૧૯૦૨ - ‘રુકમાંગદ-આખ્યાન’ અને ‘શલ્યપર્વ’, ૧૨. એજન, એપ્રિલ, જૂન, ઑક્ટો. ૧૯૦૩ - ‘અનુશાલ્વનું આખ્યાન’; ૧૩ એજન, જુલાઈ-ઑગ. ૧૯૦૪-‘ચંડીનું આખ્યાન’.
કૃતિ : ૧. કવિ વિષ્ણુદાસકૃત સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૧;  ૨. ઓખાહરણ : પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં, સં. ગજેન્દ્રશંકર લા. પંડ્યા, ઈ.૧૯૪૬; ૩. જાલંધર આખ્યાન : વિષ્ણુદસ, ભાલણ અને શિવદાસકૃત, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૩૨(+સં.); ૪. કાદોહન : ૨; ૫. પ્રાકાસુધા : ૩; ૬. બૃકાદોહન : ૮ (+સં.):; ૭. મહાભારત : ૧, ૩, ૪, ૫, ૭;  ૮. અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક, સપ્ટે. ૧૮૮૫થી ઑગ. ૧૮૮૬ - ‘ભીષ્મપર્વ’, ૯. પ્રાકાત્રૈમાસિક, વ. ૭, અં. ૩, ઈ.૧૮૯૧ (સં.); ૧૦. એજન, વ. ૮, અં. ૪, ઈ.૧૮૯૨-‘બભ્રુવહન-આખ્યાન’, ૧૧. બુદ્ધિપ્રકાશ, જૂન-નવે. ૧૯૦૨ - ‘રુકમાંગદ-આખ્યાન’ અને ‘શલ્યપર્વ’, ૧૨. એજન, એપ્રિલ, જૂન, ઑક્ટો. ૧૯૦૩ - ‘અનુશાલ્વનું આખ્યાન’; ૧૩ એજન, જુલાઈ-ઑગ. ૧૯૦૪-‘ચંડીનું આખ્યાન’.
સંદર્ભ : ૧. વિષ્ણુદાસ, ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૦;  ૨. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ ઈ.૧૯૭૪; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વતો; ૬. નર્મગદ્ય, સં. મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ.૧૮૯૧ (પાંચમી આ.); ૭. મગુઆખ્યાન;  ૮. સ્વાધ્યાય, નવે. ૧૯૮૨ - ‘વિષ્ણુદાસરચિત રામાયણ’, દેવદત્ત જોશી; ૯. એજન, ઓક્ટો. ૧૯૮૪-‘કેટલાક મદ્યકાલીન ગુજરાતી ગદ્યરામાયણો’, દેવદત્ત જોશી;  ૧૦. આલિસ્ટઑઇ : ૨; ૧૧. ગૂહાયાદી; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. ફાહનામાવલિ : ૧, ૨; ૧૫. ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. વિષ્ણુદાસ, ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૦;  ૨. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ ઈ.૧૯૭૪; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વતો; ૬. નર્મગદ્ય, સં. મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ.૧૮૯૧ (પાંચમી આ.); ૭. મગુઆખ્યાન;  ૮. સ્વાધ્યાય, નવે. ૧૯૮૨ - ‘વિષ્ણુદાસરચિત રામાયણ’, દેવદત્ત જોશી; ૯. એજન, ઓક્ટો. ૧૯૮૪-‘કેટલાક મદ્યકાલીન ગુજરાતી ગદ્યરામાયણો’, દેવદત્ત જોશી;  ૧૦. આલિસ્ટઑઇ : ૨; ૧૧. ગૂહાયાદી; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. ફાહનામાવલિ : ૧, ૨; ૧૫. ફૉહનામાવલિ.{{Right|[ચ.શે.]}}
<br>


વિષ્ણુદાસ-૨ [ઈ.૧૮૦૦માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મ શાખાના સંત કવિ. તેઓ વસંતદાસ અને વૈષ્ણવદાસ એ નામથી પણ જાણીતા હતા. તેમના પિતાનું નામ રાઘવદાસ અને માતાનું નામ સુંદરબા હતું. રાઘવદાસ પછી તેઓ પુનિયાદની ગાદી પર આવ્યા હતા. ઈ.૧૮૦૦માં તેમના સમય દરમ્યાન મોટો ધર્મમેળો ભરાયો હતો. તેમણે ૭ કડવાંના ‘પદ્મનાભ-આખ્યાન’ની રચના કરી છે.
<span style="color:#0000ff">'''વિષ્ણુદાસ-૨'''</span> [ઈ.૧૮૦૦માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મ શાખાના સંત કવિ. તેઓ વસંતદાસ અને વૈષ્ણવદાસ એ નામથી પણ જાણીતા હતા. તેમના પિતાનું નામ રાઘવદાસ અને માતાનું નામ સુંદરબા હતું. રાઘવદાસ પછી તેઓ પુનિયાદની ગાદી પર આવ્યા હતા. ઈ.૧૮૦૦માં તેમના સમય દરમ્યાન મોટો ધર્મમેળો ભરાયો હતો. તેમણે ૭ કડવાંના ‘પદ્મનાભ-આખ્યાન’ની રચના કરી છે.
સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. [ચ.શે.]
સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. {{Right|[ચ.શે.]}}
<br>


વિષ્ણુદાસ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. આત્મજ્ઞાનનો બોધ આપતા ૩૩ કડીના ‘કક્કો’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિષ્ણુદાસ-૩'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. આત્મજ્ઞાનનો બોધ આપતા ૩૩ કડીના ‘કક્કો’(મુ.)ના કર્તા.
કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.).
કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.).
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચન્દ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [ચ.શે.]
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચન્દ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪.{{Right|[ચ.શે.]}}
<br>


વિસામણ(ભક્ત) [  ] : સિહોરના વતની. ૧ કડીના ‘વિસલનું ભજન’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિસામણ(ભક્ત)'''</span> [  ] : સિહોરના વતની. ૧ કડીના ‘વિસલનું ભજન’ના કર્તા.
સંદર્ભ : ફાહનામાવલિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ફાહનામાવલિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વીકો : વીકોને નામે ૧૬ કડીની ‘અઢારધાન્ય-વર્ણન’ (લે. સં. ૧૭મી સદી; મુ.) અને વીકો ખત્રીના નામે ૧૭૮ કડીની ‘શનિશ્ચરદેવની કથા’ (લે. સં. ૨૦મી સદી) - એ કૃતિઓ મળે છે. આ કયા વીકો તે સ્પષ્ટ થતું નથી.
<span style="color:#0000ff">'''વીકો'''</span> : વીકોને નામે ૧૬ કડીની ‘અઢારધાન્ય-વર્ણન’ (લે. સં. ૧૭મી સદી; મુ.) અને વીકો ખત્રીના નામે ૧૭૮ કડીની ‘શનિશ્ચરદેવની કથા’ (લે. સં. ૨૦મી સદી) - એ કૃતિઓ મળે છે. આ કયા વીકો તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ફાત્રૈમાસિક, ઓક્ટો.-માર્ચ, ૧૯૪૩-૪૪-‘વીકાકૃત અઢાર ધાન્ય-વર્ણન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
કૃતિ : ફાત્રૈમાસિક, ઓક્ટો.-માર્ચ, ૧૯૪૩-૪૪-‘વીકાકૃત અઢાર ધાન્ય-વર્ણન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વીકો-૧ [  ] : લોંકાગચ્છના જૈન સાધુ હોવાની સંભાવના. લોંકાશાહને વિષય બનાવીને રચાયેલી ‘અસૂત્રનિરાકરણ-બત્રીશી’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વીકો-૧'''</span> [  ] : લોંકાગચ્છના જૈન સાધુ હોવાની સંભાવના. લોંકાશાહને વિષય બનાવીને રચાયેલી ‘અસૂત્રનિરાકરણ-બત્રીશી’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈનયુગ, ભાદરવા-કારતક ૧૯૮૫-૮૬-વીકાકૃત ‘અસૂત્ર નિરાકરણ-બત્રીસી.’ [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈનયુગ, ભાદરવા-કારતક ૧૯૮૫-૮૬-વીકાકૃત ‘અસૂત્ર નિરાકરણ-બત્રીસી.’ {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


‘વીકો સીસોદિયાનો વેશ’ : કોઈ કર્તા-નામછાપ વગરનો ચિતોડગઢના રજપુત સરદાર વીકાનો વીર, હાસ્ય ને પ્રણયના અંશવાળો આ ભવાઈ-વેશ(મુ.) વહેલી સવારે ભજવાતા વેશોમાં ખૂબ જાણીતો છે. ૪ ખંડમાં વહેંચાઈ જતા ને જુદીજુદી વાચના રૂપે મળતા આ વેશની પહેલા ૩ ખંડની ભાષા પર મારવાડી બોલીની ઘણી અસર છે. રત્નાવળાના મુખે ગવાયેલાં ચોથા ખંડનાં પદો મારવાડીની અસરથી મુક્ત છે.
<span style="color:#0000ff">'''‘વીકો સીસોદિયાનો વેશ’'''</span> : કોઈ કર્તા-નામછાપ વગરનો ચિતોડગઢના રજપુત સરદાર વીકાનો વીર, હાસ્ય ને પ્રણયના અંશવાળો આ ભવાઈ-વેશ(મુ.) વહેલી સવારે ભજવાતા વેશોમાં ખૂબ જાણીતો છે. ૪ ખંડમાં વહેંચાઈ જતા ને જુદીજુદી વાચના રૂપે મળતા આ વેશની પહેલા ૩ ખંડની ભાષા પર મારવાડી બોલીની ઘણી અસર છે. રત્નાવળાના મુખે ગવાયેલાં ચોથા ખંડનાં પદો મારવાડીની અસરથી મુક્ત છે.
પહેલા ખંડમાં વીકો પોતે પૂછનારને ક્યાંથી આવ્યા એ જણાવી પહેલાં ગણપતિ, મહાદેવ, અંબિકા, ગોપાળજી, રામચંદ્રજી અને હનુમાનજીની સ્તુતિ તથા રાણા રાયસંગ, રામસંગ, જોરાવરસંગ, અમીરસીંગ, અજિતસિંહ ને સવાઈસિંહજીની પ્રશસ્તિ કરે છે. બીજા ખંડમાં વીકો પોતે સીસોદિયો અને એહડાઉજી એમ બે નામે કેમ ઓળખાયો તેની રમૂજી કથા કહે છે. પોતે સવાશેર ઉકાળેલું સીસું પીને હજમ કરી ગયો એટલે સીસોદિયો કહેવાયો, અને ચિતોડના રાણાને દિલ્હીના બાદશાહ સાથે યુદ્ધ થયું ત્યારે પોતે બાદશાહના હાથીને ગંડસ્થળમાં સાંગ મારી હઠાવ્યો અને એહડાઉજી કહેવાયો. ત્રીજા ખંડમાં મોતિયો માંગણ વીકા પાસે દાન માગવા આવે છે તે પ્રસંગ રમૂજી સંવાદ રૂપે આલેખાયો છે. ચોથા ખંડમાં વીકાની પત્ની રત્નાવળાનાં પોતાના પતિને સંબોધી રચાયેલાં પ્રેમનાં ગીતો છે. વીકાની શૂરવીરતા અને તેના પડછંદ દેહ પર વારી ગયેલી રત્નાવળા વીકાને રાજદરબારમાં પાછા ન જવા માટે અને પોતાની સાથે રહી શાંતિમય જીવન વિતાવવા વિનવે છે એવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રત્નાવળાના છલકાતા પ્રેમની અભિવ્યક્તિ અહીં અસરકારક બની છે.
પહેલા ખંડમાં વીકો પોતે પૂછનારને ક્યાંથી આવ્યા એ જણાવી પહેલાં ગણપતિ, મહાદેવ, અંબિકા, ગોપાળજી, રામચંદ્રજી અને હનુમાનજીની સ્તુતિ તથા રાણા રાયસંગ, રામસંગ, જોરાવરસંગ, અમીરસીંગ, અજિતસિંહ ને સવાઈસિંહજીની પ્રશસ્તિ કરે છે. બીજા ખંડમાં વીકો પોતે સીસોદિયો અને એહડાઉજી એમ બે નામે કેમ ઓળખાયો તેની રમૂજી કથા કહે છે. પોતે સવાશેર ઉકાળેલું સીસું પીને હજમ કરી ગયો એટલે સીસોદિયો કહેવાયો, અને ચિતોડના રાણાને દિલ્હીના બાદશાહ સાથે યુદ્ધ થયું ત્યારે પોતે બાદશાહના હાથીને ગંડસ્થળમાં સાંગ મારી હઠાવ્યો અને એહડાઉજી કહેવાયો. ત્રીજા ખંડમાં મોતિયો માંગણ વીકા પાસે દાન માગવા આવે છે તે પ્રસંગ રમૂજી સંવાદ રૂપે આલેખાયો છે. ચોથા ખંડમાં વીકાની પત્ની રત્નાવળાનાં પોતાના પતિને સંબોધી રચાયેલાં પ્રેમનાં ગીતો છે. વીકાની શૂરવીરતા અને તેના પડછંદ દેહ પર વારી ગયેલી રત્નાવળા વીકાને રાજદરબારમાં પાછા ન જવા માટે અને પોતાની સાથે રહી શાંતિમય જીવન વિતાવવા વિનવે છે એવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રત્નાવળાના છલકાતા પ્રેમની અભિવ્યક્તિ અહીં અસરકારક બની છે.
કૃતિ : ૧. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨(અં.); ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪; ૩. ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુક્લ, ઈ.-; ૪. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૫. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી, ઈ.-. [જ.ગા.]
કૃતિ : ૧. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨(અં.); ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪; ૩. ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુક્લ, ઈ.-; ૪. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૫. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી, ઈ.-. {{Right|[જ.ગા.]}}
<br>


વીર/વીર(મુનિ) : વીરને નામે ૭ કડીની ‘લોભનિવારકની સઝાય’ (મુ.), ૫૪ કડીની ‘ગહૂંલી’(મુ.), ૭ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાય’(મુ.) તથા વીરમુનિને નામે ૪ કડીનું ‘નેમરાજુલ-ગીત’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વીર છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી.
<span style="color:#0000ff">'''વીર/વીર(મુનિ)'''</span> : વીરને નામે ૭ કડીની ‘લોભનિવારકની સઝાય’ (મુ.), ૫૪ કડીની ‘ગહૂંલી’(મુ.), ૭ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાય’(મુ.) તથા વીરમુનિને નામે ૪ કડીનું ‘નેમરાજુલ-ગીત’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વીર છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી.
કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સજ્ઝાયમાલા(જા):૧-૨.
કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સજ્ઝાયમાલા(જા):૧-૨.
સંદર્ભ: મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ: મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


વીર(મુનિ)-૧ [ઈ.૧૭૫૬માં હયાત] : સવૈયાની દેશીમાં રચાયેલા ૩૭ કડીના ‘રાજિમતી-નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, વૈશાખ સુદ-, ગુરુવાર; મુ.)ના કર્તા. કારતકથી આરંભી આસો માસ સુધીના ૧૨ માસમાં રાજિમતીના વિરહને કવિએ ગાયો છે.
<span style="color:#0000ff">'''વીર(મુનિ)-૧'''</span> [ઈ.૧૭૫૬માં હયાત] : સવૈયાની દેશીમાં રચાયેલા ૩૭ કડીના ‘રાજિમતી-નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, વૈશાખ સુદ-, ગુરુવાર; મુ.)ના કર્તા. કારતકથી આરંભી આસો માસ સુધીના ૧૨ માસમાં રાજિમતીના વિરહને કવિએ ગાયો છે.
કવિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.).
કવિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}
<br>


વીરચંદ-૧ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન. ‘પંદરમીકલાવિદ્યા-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, શ્રાવણ વદ ૫)ના કર્તા.
<span style="color:#0000ff">'''વીરચંદ-૧'''</span> [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન. ‘પંદરમીકલાવિદ્યા-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, શ્રાવણ વદ ૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}
<br>


વીરચંદ(મુનિ-૨) [  ] : જૈન. નેમિનાથના વિવાહપ્રસંગનું વર્ણન કરતા ૧૦૪ કડીના ‘વીરવિલાસ-ફાગ’ના કર્તા. આ કૃતિ ઈ.૧૬-૧૭મી સદીની હોવાનું ઉલ્લેખાયું છે.
<span style="color:#0000ff">'''વીરચંદ(મુનિ-૨)'''</span> [  ] : જૈન. નેમિનાથના વિવાહપ્રસંગનું વર્ણન કરતા ૧૦૪ કડીના ‘વીરવિલાસ-ફાગ’ના કર્તા. આ કૃતિ ઈ.૧૬-૧૭મી સદીની હોવાનું ઉલ્લેખાયું છે.
સંદર્ભ - સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુ-કાવ્ય’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]
સંદર્ભ - સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુ-કાવ્ય’, અગરચંદ નાહટા. {{Right|[ર.ર.દ.]}}
<br>


વીરજી(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદસૂરિની પરંપરામાં દેવચંદ્ર(વણારસી)ના શિષ્ય. ૧૩ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-ગીત’ (ર.ઈ.૧૬૪૬) તથા વિવિધ રાગના નિર્દેશવાળા દુહાની દેશીના ૧૩ ઢાળમાં જુદાં જુદાં કર્મોના પરિણામનું વર્ણન કરતી ‘કર્મવિપાક/જંબૂપૃચ્છા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૨ મુ.) નામની રચનાઓના કર્તા.
<span style="color:#0000ff">'''વીરજી(મુનિ)-૧'''</span> [ઈ.૧૭મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદસૂરિની પરંપરામાં દેવચંદ્ર(વણારસી)ના શિષ્ય. ૧૩ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-ગીત’ (ર.ઈ.૧૬૪૬) તથા વિવિધ રાગના નિર્દેશવાળા દુહાની દેશીના ૧૩ ઢાળમાં જુદાં જુદાં કર્મોના પરિણામનું વર્ણન કરતી ‘કર્મવિપાક/જંબૂપૃચ્છા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૨ મુ.) નામની રચનાઓના કર્તા.
કૃતિ : કર્મવિપાક/જંબૂપૃચ્છારાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૦.
કૃતિ : કર્મવિપાક/જંબૂપૃચ્છારાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૦.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વીરજી-૨ [ઈ.૧૬૬૪માં હયાત] : આખ્યાનકવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. એમના ‘સુરેખાહરણ’ના અંતે ‘બરાણપોહોર મધે ભટ વીરજી નામ’ એવી પંક્તિ મળે છે, તેને આધારે તેઓ બુરહાનપુરના (મધ્યપ્રદેશ) વતની હોય એમ લાગે છે.
<span style="color:#0000ff">'''વીરજી-૨'''</span> [ઈ.૧૬૬૪માં હયાત] : આખ્યાનકવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. એમના ‘સુરેખાહરણ’ના અંતે ‘બરાણપોહોર મધે ભટ વીરજી નામ’ એવી પંક્તિ મળે છે, તેને આધારે તેઓ બુરહાનપુરના (મધ્યપ્રદેશ) વતની હોય એમ લાગે છે.
તેઓ પ્રેમાનંદશિષ્ય હતા, તેમણે શામળ સાથે સ્પર્ધા કરી હતી વગરે એમના જીવન વિશે ‘પ્રાચીન કાવ્યમાળા : ૮’માં આપેલી વીગતો શ્રદ્ધેય નથી.
તેઓ પ્રેમાનંદશિષ્ય હતા, તેમણે શામળ સાથે સ્પર્ધા કરી હતી વગરે એમના જીવન વિશે ‘પ્રાચીન કાવ્યમાળા : ૮’માં આપેલી વીગતો શ્રદ્ધેય નથી.
કવિને નામે ૪ કૃતિઓ મુદ્રિત સ્વરૂપે મળે છે, તેમાં અભિમન્યુએ બલરામપુત્રી સુરેખાનું હરણ કર્યું એ પ્રસંગને આલેખતું ૨૫ કડવાંનું ‘સુરેખાહરણ’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, વૈશાખ સુદ ૫, ગુરુવાર) કવિનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે.
કવિને નામે ૪ કૃતિઓ મુદ્રિત સ્વરૂપે મળે છે, તેમાં અભિમન્યુએ બલરામપુત્રી સુરેખાનું હરણ કર્યું એ પ્રસંગને આલેખતું ૨૫ કડવાંનું ‘સુરેખાહરણ’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, વૈશાખ સુદ ૫, ગુરુવાર) કવિનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે.
૨૨ કડવાંની ‘કામાવતીની કથા’, ૧૮ કડવાંની ‘બલિરાજાનું આખ્યાન’ તથા ‘દશાવતારની કથા’ એ ૩ કૃતિઓને હસ્તપ્રતનો આધાર નથી. આંતરિક પ્રમાણોને લક્ષમાં લેતાં પણ એ કૃતિઓ વીરજીકૃત હોવાની સંભાવના લાગતી નથી. અર્વાચીન સમયમાં આ કૃતિઓ વીરજીને નામે ચડાવી દેવાઈ હોય એમ લાગે છે. એ સિવાય ‘કાકરાજની કથા’ ને ‘વ્યાસકથા’ આ કવિએ રચી છે એમ નોંધાયું છે, પરંતુ એમનીય કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી.
૨૨ કડવાંની ‘કામાવતીની કથા’, ૧૮ કડવાંની ‘બલિરાજાનું આખ્યાન’ તથા ‘દશાવતારની કથા’ એ ૩ કૃતિઓને હસ્તપ્રતનો આધાર નથી. આંતરિક પ્રમાણોને લક્ષમાં લેતાં પણ એ કૃતિઓ વીરજીકૃત હોવાની સંભાવના લાગતી નથી. અર્વાચીન સમયમાં આ કૃતિઓ વીરજીને નામે ચડાવી દેવાઈ હોય એમ લાગે છે. એ સિવાય ‘કાકરાજની કથા’ ને ‘વ્યાસકથા’ આ કવિએ રચી છે એમ નોંધાયું છે, પરંતુ એમનીય કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી.
કૃતિ : ૧. પ્રાકામાળા : ૮ (+સં.);  ૨. પ્રાકાત્રૈમાસિક, અં. ૩, ઈ.૧૮૮૯-‘સુરેખાહરણ’.
કૃતિ : ૧. પ્રાકામાળા : ૮ (+સં.);  ૨. પ્રાકાત્રૈમાસિક, અં. ૩, ઈ.૧૮૮૯-‘સુરેખાહરણ’.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાકાર્યવહી, ઈ.૧૯૪૨-૪૩-‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક અને કાવ્યમાળા લેખનું પરિશિષ્ટ’, કે.કા.શાસ્ત્રી; ૩. ગુસામધ્ય; ૪. રામલાલ ચુ. મોદી લેખસંગ્રહ, સં. પુરુષાત્તમદાસ ભી. શાહ અને ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૩;  ૫. ગ્રંથ, એપ્રિલ ૧૯૭૬-‘વીરજીકૃત કામાવતી બનાવટ?’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફૉહનામાવલિ; ૧૧. રાપુહસૂચી : ૪૨; ૧૨. રાહસૂચી : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાકાર્યવહી, ઈ.૧૯૪૨-૪૩-‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક અને કાવ્યમાળા લેખનું પરિશિષ્ટ’, કે.કા.શાસ્ત્રી; ૩. ગુસામધ્ય; ૪. રામલાલ ચુ. મોદી લેખસંગ્રહ, સં. પુરુષાત્તમદાસ ભી. શાહ અને ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૩;  ૫. ગ્રંથ, એપ્રિલ ૧૯૭૬-‘વીરજીકૃત કામાવતી બનાવટ?’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફૉહનામાવલિ; ૧૧. રાપુહસૂચી : ૪૨; ૧૨. રાહસૂચી : ૧. {{Right|[ચ.શે.]}}
<br>


વીરજી-૩[      ] : સંભવત: લોંકાગચ્છીય જૈન. ૭ કડીના ‘નેમિનાથ-સ્તવન/રાજિમતી-સઝાય’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વીરજી-૩'''</span>[      ] : સંભવત: લોંકાગચ્છીય જૈન. ૭ કડીના ‘નેમિનાથ-સ્તવન/રાજિમતી-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. [ર.ર.દ.]
કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. {{Right|[ર.ર.દ.]}}
<br>


વીરપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૩૯માં હયાત] : જૈન સાધુ. ‘જંબૂસ્વામિનું વિવાહલું’ (ર..૧૪૩૯)ના કર્તા.
<span style="color:#0000ff">'''વીરપ્રભ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૪૩૯માં હયાત] : જૈન સાધુ. ‘જંબૂસ્વામિનું વિવાહલું’ (ર..૧૪૩૯)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[કી.જો.]}}
<br>


વીરબાઈ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગનાં વૈષ્ણવ કવયિત્રી. ગોકુલેશ પ્રભુનાં ભક્ત. દક્ષિણમાં આવેલા બાગલાણ પ્રાંતના ધાયતા ગામનાં વતની. પતિનું નામ વિશ્રામભાઈ.ઈ.૧૬૨૯માં તે ગોકુલમાં નિવાસ અર્થે આવ્યાં ત્યારે તેમની વય ૪૫ વર્ષની હોવાનું અનુમાન થયું છે. તેમનો જન્મ ઈ.૧૫૮૪/સં.૧૬૪૦, વૈશાખ સુદ ત્રીજના રોજ થયો હતો એમ મનાય છે. ઈ.૧૬૪૧ પછી થોડા સમયમાં અવસાન. તેમની પાસેથી કેટલાંક પદો મળે છે.
<span style="color:#0000ff">'''વીરબાઈ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગનાં વૈષ્ણવ કવયિત્રી. ગોકુલેશ પ્રભુનાં ભક્ત. દક્ષિણમાં આવેલા બાગલાણ પ્રાંતના ધાયતા ગામનાં વતની. પતિનું નામ વિશ્રામભાઈ.ઈ.૧૬૨૯માં તે ગોકુલમાં નિવાસ અર્થે આવ્યાં ત્યારે તેમની વય ૪૫ વર્ષની હોવાનું અનુમાન થયું છે. તેમનો જન્મ ઈ.૧૫૮૪/સં.૧૬૪૦, વૈશાખ સુદ ત્રીજના રોજ થયો હતો એમ મનાય છે. ઈ.૧૬૪૧ પછી થોડા સમયમાં અવસાન. તેમની પાસેથી કેટલાંક પદો મળે છે.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૧-‘ભક્ત કવયિત્રી વીરબાઈ’, ચિમનલાલ વૈદ્ય. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૧-‘ભક્ત કવયિત્રી વીરબાઈ’, ચિમનલાલ વૈદ્ય.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વીરમસાગર [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫/સં.૧૭૫૧, કારતક વદ ૧૧)ના કર્તા.
<span style="color:#0000ff">'''વીરમસાગર'''</span> [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫/સં.૧૭૫૧, કારતક વદ ૧૧)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [ર.ર.દ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા.{{Right|[ર.ર.દ.]}}
<br>


વીરવિજ્ય : આ નામે ’નેમરાજુલ-ચોપાઈ’, ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રબારમાસ’ તથા ‘વીસવિહરમાનજિન-વીસી’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેમના કર્તા કયા વીરવિજ્ય છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
<span style="color:#0000ff">'''વીરવિજ્ય'''</span> : આ નામે ’નેમરાજુલ-ચોપાઈ’, ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રબારમાસ’ તથા ‘વીસવિહરમાનજિન-વીસી’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેમના કર્તા કયા વીરવિજ્ય છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}


વીરવિજય-૧ [ઈ.૧૫૯૭માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા.
વીરવિજય-૧ [ઈ.૧૫૯૭માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા.
18,450

edits