મનોહર ત્રિવેદીનાં કાવ્યો: Difference between revisions

()
()
Line 804: Line 804:
દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો...  
દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો...  
એક રે ભરોસો મારા રામનો...
એક રે ભરોસો મારા રામનો...
</poem>
== વસંતગીત ==
<poem>
{{Space}}પાંદડીઓ લીલીછમ ભાળીને
કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને
::::પોતામાં કેમ અરે, કૂણું કૂણું સળવળતું
:::::કાલ હતાં સુક્કાં સૌ પાન
::::આસપાસ કાન જરી માંડ્યા તો
::::સંભળાતાં પંખીના કંઠેથી ગાન
જંગલ તો વિમાસે : સોળે શણગાર કર્યા કોણે આ ભોળકુડી ડાળીને?
::::ઝાકળના આસવમાં એવું કશુંક છે કે
:::::તરણાંનાં ઘેન નથી ઊતર્યાં
::::ટેકરીના ઢાળ વળ્યા ખીણમાં ને
::::પડછાયા બીડમહીં દૂર દૂર વિસ્તર્યા
હરખાઈ હરખાઈ હરણાંઓ કૂદે છે પુચ્છ અને શિંગડાં ઉછાળીને
::::આછી સવાર જેવી મઘમઘતી હમણાંથી
::::::ઠેર ઠેર વગડે બપ્પોર
::::સાંજને ત્યાં ઊતરતી જોઈ એવું થાય :
:::::આમાં રૂપ કોનું મ્હોરે છે ઓર?
::વાયરાએ તીરખીને લાડ કર્યાં એવાં કે જીજાજી હેત કરે સાળીને
કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને
{{Space}}પાંદડીઓ લીલીછમ ભાળીને
</poem>
</poem>
26,604

edits