શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 462: Line 462:
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪૨)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪૨)}}
</poem>
</poem>
{{Poem2Open}}
અસહ્ય ભીંસ અને ગૂંગળામણ ‘રસ્તો ક્યાં છે?’ કાવ્યમાં અનન્ય કલ્પનો સાથે આમ પ્રગટ થાય છે —
{{Poem2Close}}
<poem>
‘બ્હાર નીકળવું મારે,
રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછાં પીંછાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
નભમાં બારી ક્યાં છે?’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪)
*
</poem>
{{Poem2Open}}
આ કવિને એમના વિદેશ-પ્રવાસોય ફળદાયી નીવડ્યા છે. એમનાં પ્રવાસ-કાવ્યોમાં જે તે દેશનો પ્રકૃતિ-સંસ્કૃતિસંદર્ભો સાથેનો એક ચહેરો પ્રત્યક્ષ થાય છે ને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે, ‘સ્વાતંત્ર્યદેવીને દર્શતાં…’, ‘હું કંઈ એકલો નથી’, ‘વિક્ટોરિયા લેક જોતાં’ તથા ‘નિગ્રો’ જેવાં વિલક્ષણ પ્રવાસકાવ્યો આપણને આ કવિ પાસેથી સાંપડ્યાં છે. ‘વિશ્વકોશ’ માટેનું સુંદર ગીત પણ આ કવિ પાસેથી મળ્યું છે. ક્યારેક ટીવી સિરિયલ માટે પણ આ કવિએ ગીતો લખ્યાં છે.
પુષ્ટિભક્તિના કથા-કીર્તનવાળા વાતાવરણમાં ઉછેર તથા પ્રકૃતિએ એમને કવિતાની ગળથૂથી પાઈ. ‘કુમાર’ની ‘બુધસભા’ તથા સઘન અભ્યાસ થકી એમનામાં ભારતીય તેમજ પાશ્ચાત્ય કાવ્યપરંપરાના સંસ્કાર સીંચાયા. તો ‘રે મઠ’ના મિત્રો દ્વારા આધુનિકતા અને પ્રયોગશીલતાની દિક્ષા ઊઘડી. આધુનિકતાના બંધિયાર ઓરડામાં તેઓ પુરાઈ ન રહ્યા, પણ ‘ગગન ખોલતી’ બધીયે બારીઓ ઉઘાડતા ગયા. એમની કવિતાએ કશી આભડછેટ રાખ્યા બિના બધીયે દિશાઓમાંથી પોષણ મેળવ્યું છે. એમની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં — વિકસતાં ગયાં છે. આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. પરંપરા અને આધુનિકતા, કલ્પનો અને રૂપકો, તર્ક, વિચાર અને પ્રતીકો, લયનો ઉજાસ અને શબ્દનું સત, ચંદુડિયો અને ચંદ્રકાન્ત શેઠ… બધુંયે એમના કાવ્યમાં ઓગળતું જાય છે ને નવાં પરિમાણો સિદ્ધ થતાં જાય છે. એમનું સર્જન ઊંડે અને ઊંચે, પેલે પાર ભણીની ગતિ સાધે છે. શબ્દના અને સત્યના સાધક એવા કવિશ્રી ચંદ્રકાન્ત શેઠને વંદન.
{{Right|-યોગેશ જોષી}}
{{Poem2Close}}
26,604

edits