32,226
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
'''આમુખ''' | '''આમુખ''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે ત્યાં સાક્ષરયુગની કાવ્યવિવેચનામાં ‘વૃત્તિમય ભાવાભાસ’૧ (Pathetic Fallacy)ના પ્રશ્ને ઠીક ઠીક ધ્યાન રોક્યું જણાય છે. મૂળ એ પ્રશ્નની ચર્ચાવિચારણા આરંભનાર તો રમણભાઈ નીલકંઠ જ હતા. તેમણે ઈ.સ. ૧૮૯૭માં, તે સમયના આપણા એક જાણીતા કવિ ભીમરાવ ભોળાનાથની એક મહત્ત્વાકાંક્ષી દીર્ઘ રચના ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’૨ રૂપે એક લેખ લખ્યો, તેમાં તેમણે પ્રથમ વાર એ કૃતિમાંના એક વર્ણનાત્મક કાવ્યખંડને અનુલક્ષીને “વૃત્તિમય ભાવાભાસ’ના દોષની ચર્ચા કરી. પ્રસ્તુત ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ કવિતામાં કયા સંજોગોમાં સંભવે એ વિશે વિચારણા કરતાં રમણભાઈએ કેટલીક સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. એમાંની તત્ત્વવિચારણામાંના વિવાદાસ્પદ મુદ્દાઓને અનુલક્ષીને તે સમયના આપણા પ્રખર વિદ્વાનોમાંના મણિલાલ નભુભાઈ દ્વિવેદી૩ અને આચાર્ય આનંદશંકર ધ્રુવ૪ – એ બંનેએ ચર્ચા ચલાવી. તેમાંયે આચાર્ય આનંદશંકરે તો રમણભાઈના ‘અવતરણ’માંની પ્રસ્તુત ચર્ચામાંથી કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઉપસ્થિત કરી તેનો વિસ્તૃત અને વ્યવસ્થિત ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો. આ બંને વિદ્વાનોની આ પ્રકારની ટીકાટિપ્પણીના પ્રત્યુત્તર રૂપે રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ નામે અત્યંત વિસ્તારી લેખ પ્રગટ કર્યો૫ તો, આચાર્ય આનંદશંકરે પોતાના બીજા એક લેખ ‘કવિતા સંબંધી થોડાક | આપણે ત્યાં સાક્ષરયુગની કાવ્યવિવેચનામાં ‘વૃત્તિમય ભાવાભાસ’૧<ref>૧. રસ્કિનના મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ Pathetic Fallacy માટે રમણભાઈએ વૃત્તિમય ભાવાભાસ એવો શબ્દપ્રયોગ કર્યો. નરસિંહરાવે એ માટે ‘અસત્ય ભાવારોપણ’ એવો શબ્દપ્રયોગ આગળ ધર્યો, રમણભાઈનો વૃત્તિમય ભાવાભાસ પ્રયોગ તેમને સમાધાનકારક લાગ્યો નથી. એ માટે તેમણે કેટલીક ચર્ચા કરી છે. આપણે નરસિંહરાવની પ્રસ્તુત વિષયની વિચારણા કરતાં, (પ્રકરણ ૧૨માં) તેની નોંધ લઈશું. અહીં એ પણ નોંધવું જોઈએ કે આપણા બીજા વિદ્વાન ડોલરરાય માંકડે Pathetic Fallacy માટે ઊર્મિજન્ય ભાવાભાસ પ્રયોગ કર્યો છે.</ref> (Pathetic Fallacy)ના પ્રશ્ને ઠીક ઠીક ધ્યાન રોક્યું જણાય છે. મૂળ એ પ્રશ્નની ચર્ચાવિચારણા આરંભનાર તો રમણભાઈ નીલકંઠ જ હતા. તેમણે ઈ.સ. ૧૮૯૭માં, તે સમયના આપણા એક જાણીતા કવિ ભીમરાવ ભોળાનાથની એક મહત્ત્વાકાંક્ષી દીર્ઘ રચના ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’૨<ref>૨. ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ૨ માં આ ‘અવતરણ’ ગ્રંથસ્થ થયું છે. તેમાં પૃ. ૧૮૯-૧૮૨ પર ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા મળે છે. (‘કવિતા અને સાહિત્ય’, વૉ. ૨ જું ગુજરા વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ; આવૃત્તિ રજી : ૧૯૨૭)</ref> રૂપે એક લેખ લખ્યો, તેમાં તેમણે પ્રથમ વાર એ કૃતિમાંના એક વર્ણનાત્મક કાવ્યખંડને અનુલક્ષીને “વૃત્તિમય ભાવાભાસ’ના દોષની ચર્ચા કરી. પ્રસ્તુત ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ કવિતામાં કયા સંજોગોમાં સંભવે એ વિશે વિચારણા કરતાં રમણભાઈએ કેટલીક સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. એમાંની તત્ત્વવિચારણામાંના વિવાદાસ્પદ મુદ્દાઓને અનુલક્ષીને તે સમયના આપણા પ્રખર વિદ્વાનોમાંના મણિલાલ નભુભાઈ દ્વિવેદી૩<ref>૩. ઈ. સ. ૧૮૯૮માં જુલાઈના ‘સુદર્શન’માં મણિલાલે ‘પૃથુરાજરાસા’નું અવલોકન કરેલું. તેમાં રમણભાઈના ‘અવતરણ’માંના મુદ્દાઓની ચર્ચા મળે છે. (‘સુદર્શનગદ્યાવલિ’માં પૃ. ૯૮૩ પર આ લખાણ ગ્રંથસ્થ થયું છે.)</ref> અને આચાર્ય આનંદશંકર ધ્રુવ૪<ref>૪. ઈ.સ. ૧૮૯૯માં જુલાઈના ‘સુદર્શન’માં આચાર્ય આનંદશંકર ધ્રુવે “પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી ઉદ્ભવતી એક ચર્ચા”નામે લેખ લખેલો. અત્યારે ‘કાવ્યતત્ત્વવિચાર’ ગ્રંથમાં એ ઉપલબ્ધ છે. (‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૦ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ઈ.સ. ૧૯૪૭)</ref> – એ બંનેએ ચર્ચા ચલાવી. તેમાંયે આચાર્ય આનંદશંકરે તો રમણભાઈના ‘અવતરણ’માંની પ્રસ્તુત ચર્ચામાંથી કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઉપસ્થિત કરી તેનો વિસ્તૃત અને વ્યવસ્થિત ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો. આ બંને વિદ્વાનોની આ પ્રકારની ટીકાટિપ્પણીના પ્રત્યુત્તર રૂપે રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ નામે અત્યંત વિસ્તારી લેખ પ્રગટ કર્યો૫<ref>૫. ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ૧માં (પૃ. ૧૮૬-૨૪૦ પર) ગ્રંથસ્થ લેખ. (‘કવિતા અને સાહિત્ય’ : ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદ : આવૃત્તિ બીજીનું પુનર્મુદ્રણ : ઈ.સ. ૧૯૬૨)</ref> તો, આચાર્ય આનંદશંકરે પોતાના બીજા એક લેખ ‘કવિતા સંબંધી થોડાક વિચાર’૬<ref>૬. આ લેખ ‘કાવ્યતત્ત્વવિચાર’(ઉપર નિર્દિષ્ટ આવૃત્તિ)માં ગ્રંથસ્થ થયો છે. એમાં પૃ. ૧૪૪-૧૪૯ પરની ચર્ચા.</ref>માં ફરીથી રમણભાઈની વિચારણાની આલોચના કરી. આમ આ પ્રશ્ન વિશે વાદવિવાદ વિકસતો ગયો. આ ગાળામાં જ આ વિદ્વાનોની પ્રસ્તુત ચર્ચાવિચારણાથી પ્રેરાઈને નરસિંહરાવે પણ ‘અસત્ય ભાવારોપણ’૭<ref>૭. ‘મનોમુકુર’ - ભા. ૧માં ગ્રંથસ્થ લેખઃ પૃ. ૨૦૧-૨૫૦ (‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ. આવૃત્તિ ૧લી. ઈ.સ. ૧૯૨૪)</ref> એ નામે સ્વતંત્ર લેખ પ્રગટ કર્યો, એ પછી અત્યારના આપણા જાણીતા વિદ્વાનોમાં ડોલરરાય માંકડ૮<ref>૮. ‘કાવ્યવિવેચન’માં ગ્રંથસ્થ લેખ : ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ (‘કાવ્યવિવેચન’ ચારુતર પ્રકાશન : વલ્લભવિદ્યાનગર : ઈ.સ. ૧૯૪૯)</ref> અને પ્રા. મનસુખલાલ ઝવેરીએ૯<ref>૯. ‘પર્યેપણા’માં ગ્રંથસ્થ લેખઃ ‘વૃત્તિમય ભાવાભાસ’(‘પર્યેપણા’ વોરા ઍન્ડ કંપની ૧૯૫૩ – પ્રથમ આવૃત્તિ)</ref> પણ આ જ વિષય પર સ્વતંત્ર ચિંતન કર્યું છે. આમ, આપણી કાવ્યવિવેચનામાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન ઠીક ઠીક ચર્ચાતો રહ્યો છે. | ||
રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા મૂળ તો ગઈ સદીના પ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક અને કલામીમાંસક જહોન રસ્કિનની આ વિષયની વિચારણાથી પ્રેરાયેલી છે એ વિશે આપણે ૬ઠ્ઠા પ્રકરણમાં રમણભાઈના કાવ્યસિદ્ધાંતની ચર્ચાવિચારણા કરતાં નોંધ્યું.૧૦ એ પ્રકરણમાં આપણે એમ પણ અવલોકન કર્યું કે પ્રસ્તુત ‘વૃત્તિમય ભાવાભાસ’ના પ્રશ્નની ચર્ચા વિકસાવતાં રમણભાઈને પોતાના ‘અંતઃક્ષોભ’ના સિદ્ધાંતને થોડો મઠારવાનો પ્રસંગ પણ આવેલો.૧૧ અહીં આપણે એ મુદ્દા વિશે પુનરાવર્તન ન કરતાં, ‘વૃત્તિમય ભાવાભાસ’ને લગતા અન્ય મહત્ત્વના મુદ્દાઓનો જ સીધો સ્પર્શ કરીશું. અલબત્ત, અહીં એટલું નોંધવું જોઈએ કે રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણાને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાને તેમના કાવ્યસિદ્ધાંતની આવશ્યક તેટલી ભૂમિકાનો સંદર્ભ રજૂ કરીશું. | રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા મૂળ તો ગઈ સદીના પ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક અને કલામીમાંસક જહોન રસ્કિનની આ વિષયની વિચારણાથી પ્રેરાયેલી છે એ વિશે આપણે ૬ઠ્ઠા પ્રકરણમાં રમણભાઈના કાવ્યસિદ્ધાંતની ચર્ચાવિચારણા કરતાં નોંધ્યું.૧૦<ref>૧૦. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ. ૪૦-૫૦</ref> એ પ્રકરણમાં આપણે એમ પણ અવલોકન કર્યું કે પ્રસ્તુત ‘વૃત્તિમય ભાવાભાસ’ના પ્રશ્નની ચર્ચા વિકસાવતાં રમણભાઈને પોતાના ‘અંતઃક્ષોભ’ના સિદ્ધાંતને થોડો મઠારવાનો પ્રસંગ પણ આવેલો.૧૧<ref>૧૧. એજન પૃ. ૪૦-૫૦</ref> અહીં આપણે એ મુદ્દા વિશે પુનરાવર્તન ન કરતાં, ‘વૃત્તિમય ભાવાભાસ’ને લગતા અન્ય મહત્ત્વના મુદ્દાઓનો જ સીધો સ્પર્શ કરીશું. અલબત્ત, અહીં એટલું નોંધવું જોઈએ કે રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણાને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાને તેમના કાવ્યસિદ્ધાંતની આવશ્યક તેટલી ભૂમિકાનો સંદર્ભ રજૂ કરીશું. | ||
પ્રથમ તો, રસ્કિનની Pathetic Fallacy વિષયક ચર્ચાને અનુલક્ષીને એક વાત ફરીથી નોંધવી જોઈએ કે તેની એ વિષયની ચર્ચા એ યુગની અંગ્રેજી કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને થયેલી છે.૧૨ એ સમયના વર્ડ્ઝવર્થ, શેલી જેવા મહાન પ્રતિભાસંપન્ન કવિઓએ પોતાની પ્રેરણાનુભૂતિને કવિતામાં અભિવ્યક્ત કરવાના પ્રયત્નો કર્યા હતા અને ઘણુંખરું સફળતાથી કર્યા હતા. પણ એ ગાળાના અન્ય કેટલાક કવિઓની રચનાઓમાં પ્રેરણાનુભૂતિની ઊણપ વરતાતી હતી. | પ્રથમ તો, રસ્કિનની Pathetic Fallacy વિષયક ચર્ચાને અનુલક્ષીને એક વાત ફરીથી નોંધવી જોઈએ કે તેની એ વિષયની ચર્ચા એ યુગની અંગ્રેજી કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને થયેલી છે.૧૨<ref>૧૨. એજન પૃ. ૪૦-૫૦</ref> એ સમયના વર્ડ્ઝવર્થ, શેલી જેવા મહાન પ્રતિભાસંપન્ન કવિઓએ પોતાની પ્રેરણાનુભૂતિને કવિતામાં અભિવ્યક્ત કરવાના પ્રયત્નો કર્યા હતા અને ઘણુંખરું સફળતાથી કર્યા હતા. પણ એ ગાળાના અન્ય કેટલાક કવિઓની રચનાઓમાં પ્રેરણાનુભૂતિની ઊણપ વરતાતી હતી. | ||
તેમની રચનાઓમાં, પ્રકૃતિનાં તત્ત્વો સજીવ હોય એ રીતે, તેનું કલ્પનાત્મક નિરૂપણ થયું હતું. પણ તેમાં અનુભૂતિની સચ્ચાઈનો રણકો ઊઠતો નહોતો. પ્રકૃતિના પદાર્થોમાં ચૈતન્યભાવનું નિરૂપણ જાણે કે આરોપિત હોય તેમ અસત્ય લાગતું, તેમાં પ્રતીતિજન્ય સચ્ચાઈનો અનુભવ નહોતો થતો. આ પ્રકારની કૃતિઓને અનુલક્ષીને રસ્કિને Pathetic Fallacyની ચર્ચાવિચારણા કરી. એ ખરું કે પાશ્ચાત્ય કાવ્યવિવેચનામાં આ વિષયને એટલું અસાધારણ મહત્ત્વ મળ્યું જણાતું નથી : તેમ વર્તમાન કલામીમાંસામાં તેનું એટલું તાત્ત્વિક મૂલ્ય હોય એમ પણ જણાતું નથી. | તેમની રચનાઓમાં, પ્રકૃતિનાં તત્ત્વો સજીવ હોય એ રીતે, તેનું કલ્પનાત્મક નિરૂપણ થયું હતું. પણ તેમાં અનુભૂતિની સચ્ચાઈનો રણકો ઊઠતો નહોતો. પ્રકૃતિના પદાર્થોમાં ચૈતન્યભાવનું નિરૂપણ જાણે કે આરોપિત હોય તેમ અસત્ય લાગતું, તેમાં પ્રતીતિજન્ય સચ્ચાઈનો અનુભવ નહોતો થતો. આ પ્રકારની કૃતિઓને અનુલક્ષીને રસ્કિને Pathetic Fallacyની ચર્ચાવિચારણા કરી. એ ખરું કે પાશ્ચાત્ય કાવ્યવિવેચનામાં આ વિષયને એટલું અસાધારણ મહત્ત્વ મળ્યું જણાતું નથી : તેમ વર્તમાન કલામીમાંસામાં તેનું એટલું તાત્ત્વિક મૂલ્ય હોય એમ પણ જણાતું નથી. | ||
પરંતુ, આપણી કાવ્યવિવેચનામાં ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા દ્વારા આપણી કાવ્યચર્ચાનું એક મહત્ત્વનું પ્રકરણ ખુલ્લું થયું છે. આરંભમાં નોંધ્યું છે તેમ, રમણભાઈએ ‘પૃથુરાજરાસા’ના કેટલાક વર્ણનાત્મક શ્લોકોમાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ જોયો અને એ કાવ્યસંગ્રહના ‘અવતરણ’માં તેમણે એ મુદ્દાની ટૂંકી ચર્ચા કરી. એ ચર્ચાવિચારણામાં તેમણે પોતાની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, તેમાંથી જ મણિલાલ અને આચાર્ય આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાનોને વિવાદાસ્પદ મુદ્દાઓ મળી આવ્યા. રમણભાઈના ‘અવતરણ’ની વિચારણાની આલોચના કરતાં એ બંને વિદ્વાનોએ કવિની કલ્પનાશક્તિ કે તેની સર્જકપ્રતિભાનું સ્વરૂપ, કવિતા અને વિશ્વવાસ્તવનો સંબંધ, કવિતાનું સત્ય, કવિકલ્પના અને સત્ય આદિ કાવ્યતત્ત્વવિષયક અનેક મુદ્દાઓ છણ્યા, પરિણામે આપણી કાવ્યતત્ત્વચર્ચા ગહન અને વ્યાપક બની. | પરંતુ, આપણી કાવ્યવિવેચનામાં ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા દ્વારા આપણી કાવ્યચર્ચાનું એક મહત્ત્વનું પ્રકરણ ખુલ્લું થયું છે. આરંભમાં નોંધ્યું છે તેમ, રમણભાઈએ ‘પૃથુરાજરાસા’ના કેટલાક વર્ણનાત્મક શ્લોકોમાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ જોયો અને એ કાવ્યસંગ્રહના ‘અવતરણ’માં તેમણે એ મુદ્દાની ટૂંકી ચર્ચા કરી. એ ચર્ચાવિચારણામાં તેમણે પોતાની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, તેમાંથી જ મણિલાલ અને આચાર્ય આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાનોને વિવાદાસ્પદ મુદ્દાઓ મળી આવ્યા. રમણભાઈના ‘અવતરણ’ની વિચારણાની આલોચના કરતાં એ બંને વિદ્વાનોએ કવિની કલ્પનાશક્તિ કે તેની સર્જકપ્રતિભાનું સ્વરૂપ, કવિતા અને વિશ્વવાસ્તવનો સંબંધ, કવિતાનું સત્ય, કવિકલ્પના અને સત્ય આદિ કાવ્યતત્ત્વવિષયક અનેક મુદ્દાઓ છણ્યા, પરિણામે આપણી કાવ્યતત્ત્વચર્ચા ગહન અને વ્યાપક બની. | ||
વળી, રમણભાઈની પોતાની કાવ્યતત્ત્વવિચારણાને અનુલક્ષીને વિચારતાં એમ જણાય છે કે ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા કરતાં તેમની કાવ્યચર્ચાનું ક્ષેત્ર વિસ્તર્યું, એટલું જ નહિ, તેમની કાવ્યચર્ચામાં એક નવો અભિગમ પ્રગટ્યો. આપણે આગળ ૬ઠ્ઠા પ્રકરણમાં ચર્ચા કરતાં જોયું હતું કે, રમણભાઈએ ‘કવિતા’ નિબંધની સિદ્ધાંતચર્ચામાં, પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓ, ખાસ કરીને વર્ડ્ઝવર્થ અને શેલીની કાવ્યભાવનાનો પુરસ્કાર કરી, ‘અંતઃક્ષોભ’નો સિદ્ધાંત પ્રતિષ્ઠિત કર્યો હતો. આ ‘અંતઃક્ષોભ’નું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેમણે એમ કહ્યું હતું કે કવિનો ‘અંતઃક્ષોભ’ લાગણીનો આવેગ માત્ર નથી. એ ક્ષણે કવિચિત્તમાં જીવનનાં રહસ્યો કે સત્યનાં તત્ત્વોની પ્રત્યક્ષવત્ પ્રતીતિ થાય છે. કવિના ‘અંતઃક્ષોભ’ને તેમણે એક પ્રસંગે તો બાહ્ય વિશ્વના પદાર્થો કે તેમાંની ઘટનાઓ જોડે સાંકળવાનો ય પ્રયત્ન કર્યો છે.૧૩ આપણે માટે મહત્ત્વનો મુદ્દો એ છે કે એ આરંભકાલીન કાવ્યચર્ચામાં તેમણે કવિતાને બાહ્ય પ્રકૃતિ (કે વિશ્વ)ના ભૌતિક સત્ય જોડે સાંકળવાનો પ્રયત્ન કર્યો નહોતો. કવિતા દ્વારા બાહ્ય પ્રકૃતિના ભૌતિક સત્યનું આકલન થઈ શકે અથવા કવિના ‘અંતઃક્ષોભ’માં બાહ્ય વિશ્વના વસ્તુલક્ષી સત્યનું અનુસંધાન હોય એ ખ્યાલ તેમાં સ્થાન પામ્યો નહોતો. અહીં ‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણામાં, રસ્કિનને અનુસરતાં, કવિતાને બાહ્ય પ્રકૃતિના ભૌતિક સત્ય જોડે સાંકળવાનો પ્રસંગ આવ્યો. રમણભાઈએ આ વિષયની ચર્ચા વિકસાવતાં એવી ભૂમિકા પ્રતિષ્ઠિત કરી કે કવિને ‘અંતઃક્ષોભ’ની ક્ષણે બાહ્ય પ્રકૃતિના વસ્તુલક્ષી સત્યની ઉપલબ્ધિ થાય છે. આમ તેમની કાવ્યચર્ચામાં, કવિતા અને બાહ્ય પ્રકૃતિના સત્યનો પ્રશ્ન કેન્દ્રમાં આવ્યો. આટલી પ્રાસ્તાવિક ચર્ચા પછી હવે આપણે ‘વૃત્તિમય ભાવાભાસ’ના અન્ય મહત્ત્વના મુદ્દાઓનું અવલોકન આરંભીશું. એ માટે રમણભાઈની (‘પૃથરાજરાસા’ના) ‘અવતરણ’ની ચર્ચાની તાત્ત્વિક ભૂમિકાથી શરૂઆત કરીશું. | વળી, રમણભાઈની પોતાની કાવ્યતત્ત્વવિચારણાને અનુલક્ષીને વિચારતાં એમ જણાય છે કે ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા કરતાં તેમની કાવ્યચર્ચાનું ક્ષેત્ર વિસ્તર્યું, એટલું જ નહિ, તેમની કાવ્યચર્ચામાં એક નવો અભિગમ પ્રગટ્યો. આપણે આગળ ૬ઠ્ઠા પ્રકરણમાં ચર્ચા કરતાં જોયું હતું કે, રમણભાઈએ ‘કવિતા’ નિબંધની સિદ્ધાંતચર્ચામાં, પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓ, ખાસ કરીને વર્ડ્ઝવર્થ અને શેલીની કાવ્યભાવનાનો પુરસ્કાર કરી, ‘અંતઃક્ષોભ’નો સિદ્ધાંત પ્રતિષ્ઠિત કર્યો હતો. આ ‘અંતઃક્ષોભ’નું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેમણે એમ કહ્યું હતું કે કવિનો ‘અંતઃક્ષોભ’ લાગણીનો આવેગ માત્ર નથી. એ ક્ષણે કવિચિત્તમાં જીવનનાં રહસ્યો કે સત્યનાં તત્ત્વોની પ્રત્યક્ષવત્ પ્રતીતિ થાય છે. કવિના ‘અંતઃક્ષોભ’ને તેમણે એક પ્રસંગે તો બાહ્ય વિશ્વના પદાર્થો કે તેમાંની ઘટનાઓ જોડે સાંકળવાનો ય પ્રયત્ન કર્યો છે.૧૩<ref>૧૩. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ ૪૦-૫૦</ref> આપણે માટે મહત્ત્વનો મુદ્દો એ છે કે એ આરંભકાલીન કાવ્યચર્ચામાં તેમણે કવિતાને બાહ્ય પ્રકૃતિ (કે વિશ્વ)ના ભૌતિક સત્ય જોડે સાંકળવાનો પ્રયત્ન કર્યો નહોતો. કવિતા દ્વારા બાહ્ય પ્રકૃતિના ભૌતિક સત્યનું આકલન થઈ શકે અથવા કવિના ‘અંતઃક્ષોભ’માં બાહ્ય વિશ્વના વસ્તુલક્ષી સત્યનું અનુસંધાન હોય એ ખ્યાલ તેમાં સ્થાન પામ્યો નહોતો. અહીં ‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણામાં, રસ્કિનને અનુસરતાં, કવિતાને બાહ્ય પ્રકૃતિના ભૌતિક સત્ય જોડે સાંકળવાનો પ્રસંગ આવ્યો. રમણભાઈએ આ વિષયની ચર્ચા વિકસાવતાં એવી ભૂમિકા પ્રતિષ્ઠિત કરી કે કવિને ‘અંતઃક્ષોભ’ની ક્ષણે બાહ્ય પ્રકૃતિના વસ્તુલક્ષી સત્યની ઉપલબ્ધિ થાય છે. આમ તેમની કાવ્યચર્ચામાં, કવિતા અને બાહ્ય પ્રકૃતિના સત્યનો પ્રશ્ન કેન્દ્રમાં આવ્યો. આટલી પ્રાસ્તાવિક ચર્ચા પછી હવે આપણે ‘વૃત્તિમય ભાવાભાસ’ના અન્ય મહત્ત્વના મુદ્દાઓનું અવલોકન આરંભીશું. એ માટે રમણભાઈની (‘પૃથરાજરાસા’ના) ‘અવતરણ’ની ચર્ચાની તાત્ત્વિક ભૂમિકાથી શરૂઆત કરીશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માં રમણભાઈની''' | '''‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માં રમણભાઈની''' | ||
'''‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણા''' | '''‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણા''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અર્વાચીન ગુજરાતી કવિતામાં મહાકાવ્ય રચવાની દિશામાં જે કેટલાક પ્રયત્નો થયા તેમાં ભીમરાવની એક દીર્ઘ કૃતિ ‘પૃથુરાજરાસા’ ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એના કવિએ એમાં આપણા દેશના મધ્યકાલીન ઇતિહાસમાંથી પ્રસિદ્ધ રજપૂત રાજવી પૃથુરાજ અને તેની પત્ની સંયુક્તાના રોમાંચક જીવનવૃત્તાંતનું મહાકાવ્યની પરિપાટીએ નિરૂપણ કરવાનો પ્રયાસ કર્યો છે. કથાના અંતભાગમાં પૃથુરાજના મૃત્યુની કરુણ ઘટના આલેખાઈ છે તેના વર્ણનના શ્લોકોમાં રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ જોયો છે. આ વિશે રમણભાઈની વિચારણાનો સંદર્ભ આ પ્રમાણે છે :૧૪ | અર્વાચીન ગુજરાતી કવિતામાં મહાકાવ્ય રચવાની દિશામાં જે કેટલાક પ્રયત્નો થયા તેમાં ભીમરાવની એક દીર્ઘ કૃતિ ‘પૃથુરાજરાસા’ ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એના કવિએ એમાં આપણા દેશના મધ્યકાલીન ઇતિહાસમાંથી પ્રસિદ્ધ રજપૂત રાજવી પૃથુરાજ અને તેની પત્ની સંયુક્તાના રોમાંચક જીવનવૃત્તાંતનું મહાકાવ્યની પરિપાટીએ નિરૂપણ કરવાનો પ્રયાસ કર્યો છે. કથાના અંતભાગમાં પૃથુરાજના મૃત્યુની કરુણ ઘટના આલેખાઈ છે તેના વર્ણનના શ્લોકોમાં રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ જોયો છે. આ વિશે રમણભાઈની વિચારણાનો સંદર્ભ આ પ્રમાણે છે :૧૪<ref>૧૪. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ જું : પૃ. ૧૭૯-૧૮૧ (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, આવૃત્તિ બીજી, ઈ.સ. ૧૯૨૭)</ref> | ||
“પૃથુરાજના નાશની કારમી દુઃખવાર્તા સાંભળી તેની રાણી સંયુક્તા વિહ્વલ થઈ અસહ્ય વેદનાથી પીડાતી મુક્ત કંઠે રુદન કરવા લાગી, તે જોઈ દાસીજન તથા પુરવાસીઓ પણ રુદન કરવા લાગ્યાં, | “પૃથુરાજના નાશની કારમી દુઃખવાર્તા સાંભળી તેની રાણી સંયુક્તા વિહ્વલ થઈ અસહ્ય વેદનાથી પીડાતી મુક્ત કંઠે રુદન કરવા લાગી, તે જોઈ દાસીજન તથા પુરવાસીઓ પણ રુદન કરવા લાગ્યાં, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 30: | Line 30: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>“કરીને પરદો પયોદનો”. | {{Block center|'''<poem>“કરીને પરદો પયોદનો”. | ||
“મુખ ઢાંકી રવિ ગુપ્ત તે રહ્યો.”૧૫</poem>'''}} | “મુખ ઢાંકી રવિ ગુપ્ત તે રહ્યો.”૧૫<ref>૧૫. એજન પૃ. ૧૭૯</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– આ કાવ્યકડીઓ સહિત અન્ય કડીઓમાંના વર્ણનને અનુલક્ષીને ચર્ચા કરતાં રમણભાઈ કહે છે : | – આ કાવ્યકડીઓ સહિત અન્ય કડીઓમાંના વર્ણનને અનુલક્ષીને ચર્ચા કરતાં રમણભાઈ કહે છે : | ||
“ચારે દિશાએ વાદળનાં જૂથ ફરી વળ્યાં, સૃષ્ટિ બહુ રોઈ વારિથી,’ ગર્જના અને વીજળીનો ભારે ઉત્પાત થયો, પ્રત્યેક દિશામાં પવન ક્ષણે ક્ષણે નિશ્વાસ મૂકી પ્રમત્ત થઈ વહેવા લાગ્યો, ‘ઉદધિ ઊલટ્યો તરંગથી’, ‘ઊલટી સરિતા વહી બધી’ : ‘નગ દાખે ઝરી ખેદ આપણો’ અને એ રીતે સર્વ પ્રકૃતિમાં શોક પ્રવર્તી રહ્યો. હવે, ખરી વાત એ છે કે વાસ્તવિક રીતે આવું કંઈ પણ બન્યું નહોતું અને પ્રકૃતિમાં કંઈ પણ શોક પ્રસર્યો નહોતો. મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન જડ પ્રકૃતિને થવું અશક્ય છે અને મનુષ્યોના સુખદુઃખને સમયે પ્રકૃતિને કંઈ પણ સમભાવ (sympathy) થઈ શકતો નથી. ત્યારે, સત્યના આવા એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના કરવામાં અકવિત્વ નથી? પ્રકૃતિમાં બનતા અને .દેખાતા બનાવોથી મનુષ્યોને જે વિવિધ લાગણીઓ થાય છે તેના વર્ણનમાં આ દૂષણ નથી કેમકે વાસ્તવિક રીતે થતી લાગણીઓ તેમાં દર્શાવવામાં આવે છે. વળી, શોકગ્રસ્ત મનુષ્યને પ્રકૃતિના બનાવોમાં પોતાના દુઃખની છાપ જણાય, હર્ષપૂર્ણને સર્વત્ર ઉલ્લાસ જણાય છે. એ વૃત્તિમાં પણ એ દૂષણ છતાં તે ક્ષન્તવ્ય છે. કારણ કે ચિત્તક્ષોભને સમયે એવી વૃત્તિ વાસ્તવિક રીતે થવાનો સંભવ છે અને તેટલો અંશ કવિત્વને અનુકૂળ છે. પ્રકૃતિના શોક અને સમભાવનાનું ઉપરનું વર્ણન કવિએ વિહ્વલ થયેલી સંયુક્તાની વાણીમાં મૂક્યું હોત તો આ રીતે તેનો બચાવ થઈ શકત પરંતુ જ્યારે કવિ પોતે પોતાની તરફથી વર્ણવે છે કે એ બનાવો તે તમયે પ્રકૃતિમાં બન્યા ત્યારે તો આ કલ્પનાને Pathetic Fallacy (વૃત્તિમય ભાવાભાસ) કહેવો પડશે. અર્થાત્ અમુક સમયે માનવવ્યક્તિની જે અમુક વૃત્તિ હોય તે પ્રકૃતિમાં પણ દૃશ્યમાન થતી માની લેવાની ભૂલ આવા વિચારમાં રહેલી છે.” 16 | “ચારે દિશાએ વાદળનાં જૂથ ફરી વળ્યાં, સૃષ્ટિ બહુ રોઈ વારિથી,’ ગર્જના અને વીજળીનો ભારે ઉત્પાત થયો, પ્રત્યેક દિશામાં પવન ક્ષણે ક્ષણે નિશ્વાસ મૂકી પ્રમત્ત થઈ વહેવા લાગ્યો, ‘ઉદધિ ઊલટ્યો તરંગથી’, ‘ઊલટી સરિતા વહી બધી’ : ‘નગ દાખે ઝરી ખેદ આપણો’ અને એ રીતે સર્વ પ્રકૃતિમાં શોક પ્રવર્તી રહ્યો. હવે, ખરી વાત એ છે કે વાસ્તવિક રીતે આવું કંઈ પણ બન્યું નહોતું અને પ્રકૃતિમાં કંઈ પણ શોક પ્રસર્યો નહોતો. મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન જડ પ્રકૃતિને થવું અશક્ય છે અને મનુષ્યોના સુખદુઃખને સમયે પ્રકૃતિને કંઈ પણ સમભાવ (sympathy) થઈ શકતો નથી. ત્યારે, સત્યના આવા એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના કરવામાં અકવિત્વ નથી? પ્રકૃતિમાં બનતા અને .દેખાતા બનાવોથી મનુષ્યોને જે વિવિધ લાગણીઓ થાય છે તેના વર્ણનમાં આ દૂષણ નથી કેમકે વાસ્તવિક રીતે થતી લાગણીઓ તેમાં દર્શાવવામાં આવે છે. વળી, શોકગ્રસ્ત મનુષ્યને પ્રકૃતિના બનાવોમાં પોતાના દુઃખની છાપ જણાય, હર્ષપૂર્ણને સર્વત્ર ઉલ્લાસ જણાય છે. એ વૃત્તિમાં પણ એ દૂષણ છતાં તે ક્ષન્તવ્ય છે. કારણ કે ચિત્તક્ષોભને સમયે એવી વૃત્તિ વાસ્તવિક રીતે થવાનો સંભવ છે અને તેટલો અંશ કવિત્વને અનુકૂળ છે. પ્રકૃતિના શોક અને સમભાવનાનું ઉપરનું વર્ણન કવિએ વિહ્વલ થયેલી સંયુક્તાની વાણીમાં મૂક્યું હોત તો આ રીતે તેનો બચાવ થઈ શકત પરંતુ જ્યારે કવિ પોતે પોતાની તરફથી વર્ણવે છે કે એ બનાવો તે તમયે પ્રકૃતિમાં બન્યા ત્યારે તો આ કલ્પનાને Pathetic Fallacy (વૃત્તિમય ભાવાભાસ) કહેવો પડશે. અર્થાત્ અમુક સમયે માનવવ્યક્તિની જે અમુક વૃત્તિ હોય તે પ્રકૃતિમાં પણ દૃશ્યમાન થતી માની લેવાની ભૂલ આવા વિચારમાં રહેલી છે.” 16<ref>૧૬. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. રજું : (આવૃત્તિ - આગળ નિર્દિષ્ટ ) પૃ. ૧૮૦</ref> | ||
વળી, પ્રસ્તુત વિચારણાની વધુ તાત્ત્વિક માંડણી કરતાં રમણભાઈ કહે છે : | વળી, પ્રસ્તુત વિચારણાની વધુ તાત્ત્વિક માંડણી કરતાં રમણભાઈ કહે છે : | ||
“પ્રકૃતિના બનાવો અને મનુષ્યના મનની લાગણીઓનો સંબંધ કવિતામાં કરવામાં એ બનાવો તેમ જ લાગણીઓના બે પ્રકાર લક્ષમાં રાખવા યોગ્ય છે. આકસ્મિક અને શાશ્વત. ધરતીકંપ, ઘનગર્જન, પ્રચંડ વાત ઇત્યાદિ પ્રકૃતિના બનાવો આકસ્મિક છે. અને તેમને મનુષ્યોના શોક, ક્રોધ ઇત્યાદિ આકસ્મિક લાગણીઓના ઉદ્ભવ સાથે કંઈ જ સંબંધ નથી. મનુષ્યોમાં એવી લાગણીઓના પ્રસંગ થાય ત્યારે પ્રકૃતિમાં એવા બનાવો બને એ સત્યવિરુદ્ધ છે અને કવિતામાં એવી કલ્પના કરવી એ દોષ છે. પરંતુ સૌન્દર્ય, ગાંભીર્ય, આનન્ત્ય, આનંદ ઇત્યાદિ ભાવનાઓ શાશ્વત છે. મનુષ્યના આત્મામાં એ ભાવનાઓ સ્વભાવથી શાશ્વત છે, તેમ જ પ્રકૃતિમાં પણ પુષ્પમાંથી સૌન્દર્ય, પર્વતમાંથી ગાંભીર્ય, આકાશમાંથી આનન્ત્ય, પક્ષીના કૂજનમાંથી આનંદ ઇત્યાદિ ભાવનાઓ પ્રાદુર્ભૂત થતી મળી આવે છે અને મનુષ્યને એ દર્શન થાય છે તે ‘વૃત્તિમય ભાવાભાસ’થી નહિ પણ, પ્રકૃતિ અને મનુષ્ય બંનેના કર્તાએ એ ભાવનાઓ ઉભયમાં મૂકેલી હોવાથી અને પ્રકૃતિમાંથી થતું એ ભાવનાઓનું દર્શન મનુષ્યની ભાવનાઓને પુષ્ટ કરે તેનો હેતુ હોવાથી આ પ્રકારે પ્રકૃતિના બનાવોનો મનુષ્યની ભાવનાઓ સાથે સંબંધ થાય છે. આ સંબંધ જોઈ પ્રકૃતિ સાથે ચિત્તને એકરૂપ કરવામાં અકવિત્વ નથી, પણ, વર્ડ્ઝવર્થ સરખાઓએ દર્શાવ્યું છે તેવું ઉચ્ચ સત્યાનુસારી વિરલ કવિત્વ છે.”૧૭ | “પ્રકૃતિના બનાવો અને મનુષ્યના મનની લાગણીઓનો સંબંધ કવિતામાં કરવામાં એ બનાવો તેમ જ લાગણીઓના બે પ્રકાર લક્ષમાં રાખવા યોગ્ય છે. આકસ્મિક અને શાશ્વત. ધરતીકંપ, ઘનગર્જન, પ્રચંડ વાત ઇત્યાદિ પ્રકૃતિના બનાવો આકસ્મિક છે. અને તેમને મનુષ્યોના શોક, ક્રોધ ઇત્યાદિ આકસ્મિક લાગણીઓના ઉદ્ભવ સાથે કંઈ જ સંબંધ નથી. મનુષ્યોમાં એવી લાગણીઓના પ્રસંગ થાય ત્યારે પ્રકૃતિમાં એવા બનાવો બને એ સત્યવિરુદ્ધ છે અને કવિતામાં એવી કલ્પના કરવી એ દોષ છે. પરંતુ સૌન્દર્ય, ગાંભીર્ય, આનન્ત્ય, આનંદ ઇત્યાદિ ભાવનાઓ શાશ્વત છે. મનુષ્યના આત્મામાં એ ભાવનાઓ સ્વભાવથી શાશ્વત છે, તેમ જ પ્રકૃતિમાં પણ પુષ્પમાંથી સૌન્દર્ય, પર્વતમાંથી ગાંભીર્ય, આકાશમાંથી આનન્ત્ય, પક્ષીના કૂજનમાંથી આનંદ ઇત્યાદિ ભાવનાઓ પ્રાદુર્ભૂત થતી મળી આવે છે અને મનુષ્યને એ દર્શન થાય છે તે ‘વૃત્તિમય ભાવાભાસ’થી નહિ પણ, પ્રકૃતિ અને મનુષ્ય બંનેના કર્તાએ એ ભાવનાઓ ઉભયમાં મૂકેલી હોવાથી અને પ્રકૃતિમાંથી થતું એ ભાવનાઓનું દર્શન મનુષ્યની ભાવનાઓને પુષ્ટ કરે તેનો હેતુ હોવાથી આ પ્રકારે પ્રકૃતિના બનાવોનો મનુષ્યની ભાવનાઓ સાથે સંબંધ થાય છે. આ સંબંધ જોઈ પ્રકૃતિ સાથે ચિત્તને એકરૂપ કરવામાં અકવિત્વ નથી, પણ, વર્ડ્ઝવર્થ સરખાઓએ દર્શાવ્યું છે તેવું ઉચ્ચ સત્યાનુસારી વિરલ કવિત્વ છે.”૧૭<ref>૧૭. ‘કવિતા અને સાહિત્ય’ : પૃ. ૧૮૦–૧૮૧ (આવૃત્તિ – આગળ નિર્દિષ્ટ)</ref> | ||
હવે આપણે રમણભાઈની ઉપરોક્ત વિચારણાના મુદ્દાઓની સમીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું. | હવે આપણે રમણભાઈની ઉપરોક્ત વિચારણાના મુદ્દાઓની સમીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું. | ||
(અ) ‘પૃથુરાજરાસા’માં તેના કવિએ એવું વર્ણન કર્યું છે કે પૃથુરાજના મૃત્યુની ક્ષણે સંયુક્તાએ હૃદયફાટ આક્રંદ કર્યું અને સમસ્ત પ્રકૃતિએ તેના શોકમાં સમભાવ દાખવ્યો. આ વિગતને અનુલક્ષીને ટીકા કરતાં રમણભાઈએ એક મુદ્દો એ રજૂ કર્યો છે કે પૃથુરાજના મૃત્યુ સમયે વાસ્તવિક રીતે આવું કંઈ પણ બન્યું નહોતું, અને પ્રકૃતિમાં કાંઈ પણ શોક પ્રસર્યો નહોતો. અહીં રમણભાઈએ કવિતાના વિશ્વની એક ઘટનાને ઇતિહાસના તથ્યાતથ્ય જોડે સરખાવી જોવાનો પ્રયત્ન કર્યો જણાય છે. પરંતુ એ અભિગમ બરાબર જણાતો નથી. કવિતા માટે કોઈ કવિ ઇતિહાસમાંથી વસ્તુસામગ્રી ઉપાડે એમ બને. પણ એ પછી તો જોવાનું એ રહે કે એ કવિએ તેમાંથી આગવું કાવ્યજગત નિર્માણ કર્યું છે કે નહિ. પ્રતિભાસંપન્ન કવિ તો પોતાના ભાવોચ્છ્વાસ દ્વારા આગવું કાવ્યવિશ્વ રચે છે. જેને આગવું ઋત હોય, જેને આગવો વાસ્તવ હોય. એવી કૃતિમાં સંભવાસંભવનો આગવો નિયમ હોય છે. કવિતાની સૃષ્ટિને વિશે મમ્મટાચાર્ય કહે છે તેમ,૧૮ તે ‘નિયતિકૃતનિયમરહિતા૧૯ અનન્યપરતન્ત્ર૨૦ હોય છે. અર્થાત્, કાવ્યવિશ્વની ઘટનામાં જે કાંઈ બને છે તે તેના સર્જકની પ્રતિભાના બળે પ્રતીતિકર બન્યું છે કે નહિ તે જ મુખ્ય પ્રશ્ન છે. તેવા કાવ્યવિશ્વની ઘટનાને વ્યવહારજગતના (અનુભવજગતના) કોઈ તથ્ય જોડે સરખાવવું એ બરાબર નથી.૨૦અ | (અ) ‘પૃથુરાજરાસા’માં તેના કવિએ એવું વર્ણન કર્યું છે કે પૃથુરાજના મૃત્યુની ક્ષણે સંયુક્તાએ હૃદયફાટ આક્રંદ કર્યું અને સમસ્ત પ્રકૃતિએ તેના શોકમાં સમભાવ દાખવ્યો. આ વિગતને અનુલક્ષીને ટીકા કરતાં રમણભાઈએ એક મુદ્દો એ રજૂ કર્યો છે કે પૃથુરાજના મૃત્યુ સમયે વાસ્તવિક રીતે આવું કંઈ પણ બન્યું નહોતું, અને પ્રકૃતિમાં કાંઈ પણ શોક પ્રસર્યો નહોતો. અહીં રમણભાઈએ કવિતાના વિશ્વની એક ઘટનાને ઇતિહાસના તથ્યાતથ્ય જોડે સરખાવી જોવાનો પ્રયત્ન કર્યો જણાય છે. પરંતુ એ અભિગમ બરાબર જણાતો નથી. કવિતા માટે કોઈ કવિ ઇતિહાસમાંથી વસ્તુસામગ્રી ઉપાડે એમ બને. પણ એ પછી તો જોવાનું એ રહે કે એ કવિએ તેમાંથી આગવું કાવ્યજગત નિર્માણ કર્યું છે કે નહિ. પ્રતિભાસંપન્ન કવિ તો પોતાના ભાવોચ્છ્વાસ દ્વારા આગવું કાવ્યવિશ્વ રચે છે. જેને આગવું ઋત હોય, જેને આગવો વાસ્તવ હોય. એવી કૃતિમાં સંભવાસંભવનો આગવો નિયમ હોય છે. કવિતાની સૃષ્ટિને વિશે મમ્મટાચાર્ય કહે છે તેમ,૧૮<ref>૧૮. Kavyaprakash : Bhandarkar Oriental Research Institute Poona, VII Edn. pp-૨.</ref> તે ‘નિયતિકૃતનિયમરહિતા૧૯<ref>૧૯. ‘નિયતિકૃત નિયમરહિતાં’ વિષે ‘બાલબોધિ’ની ટીકામાં આ પ્રમાણે વ્યાખ્યા છે : ‘નિયમ્યન્તે સૌરભાદયો ધર્મા અનયેતી વ્યુત્પત્ત્યા નિયતિરસાધારણો ધર્મઃ પદ્મત્વાદિરૂપસ્તત્કૃતો નિયમશ્ચ યત્ર સૌરભવિશેષાદેઃ ઇતિ વ્યાપ્તિસ્તદ્રહિતામ્ | કાન્તામુખેડપિ કવિપ્રતિભાનિર્મિતસૌરભવિશેષાદેઃ સત્ત્વાદિતિ ભાવઃ | યદ્વા નિયતિ દૈવાપરપર્યાયમદષ્ટમ આમુષ્મિક સ્વર્ગાદિજનમ.... તત્કૃતો નિયમશ્ચ સ્વર્ગાદિયોગ્ય શરીરાન્તરોત્પાદન દ્વારેવ સ્વર્ગોપધાયક્ત્વરૂપ | ibid. p.p. ૨.</ref> અનન્યપરતન્ત્ર૨૦<ref>૨૦. ‘બાલબોધિની’ ટીકા :<br> | ||
‘અનન્યપરતન્ત્રામ : અન્ય ભારતી ભિન્નસ્ય (સમવાચ્ય સમવાયિ નિમિત્તરૂપ કારણસ્ય) પરતન્ત્રા, અધીના ન ભવતી તામ || ibid p.p – ૧૩૫</ref> હોય છે. અર્થાત્, કાવ્યવિશ્વની ઘટનામાં જે કાંઈ બને છે તે તેના સર્જકની પ્રતિભાના બળે પ્રતીતિકર બન્યું છે કે નહિ તે જ મુખ્ય પ્રશ્ન છે. તેવા કાવ્યવિશ્વની ઘટનાને વ્યવહારજગતના (અનુભવજગતના) કોઈ તથ્ય જોડે સરખાવવું એ બરાબર નથી.૨૦અ<ref>૨૦અ. સરખાવો મમ્મટનું કથન :- ‘કવિના પ્રતિભામાત્રેણ વહિરસત્રપિ નિર્મિત. કવિનિબદ્ધેન વક્ત્રેતિ....’| ibid P.P-૩</ref> | |||
(બ) રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા કરતાં જે ટૂંકી તાત્ત્વિક ભૂમિકા રજૂ કરી છે તેમાં મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે પ્રકૃતિ જડ છે. માનવીમાં દેખાતા બુદ્ધિ, લાગણી આદિ ચૈતન્યવ્યાપારો પ્રકૃતિના પદાર્થોમાં હોતા નથી એટલે કોઈ માનવીના હર્ષશોકની ક્ષણે પ્રકૃતિના કોઈ પદાર્થો ‘સમભાવ’ની લાગણી દર્શાવે એમ કલ્પના કરવી બરાબર નથી. પ્રકૃતિને ‘સમભાવ’ની લાગણી દર્શાવતી નિરૂપવામાં ‘સત્યના એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના સંભવે છે.’ અને એમાંથી ‘અકવિત્વ’ જ જન્મે છે. | (બ) રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા કરતાં જે ટૂંકી તાત્ત્વિક ભૂમિકા રજૂ કરી છે તેમાં મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે પ્રકૃતિ જડ છે. માનવીમાં દેખાતા બુદ્ધિ, લાગણી આદિ ચૈતન્યવ્યાપારો પ્રકૃતિના પદાર્થોમાં હોતા નથી એટલે કોઈ માનવીના હર્ષશોકની ક્ષણે પ્રકૃતિના કોઈ પદાર્થો ‘સમભાવ’ની લાગણી દર્શાવે એમ કલ્પના કરવી બરાબર નથી. પ્રકૃતિને ‘સમભાવ’ની લાગણી દર્શાવતી નિરૂપવામાં ‘સત્યના એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના સંભવે છે.’ અને એમાંથી ‘અકવિત્વ’ જ જન્મે છે. | ||
રમણભાઈની પ્રકૃતિવિષયક દૃષ્ટિ તેમની કેટલીક પ્રાર્થનાસમાજી વિચારણાના પ્રકાશમાં વિશેષ સ્પષ્ટ થાય એમ લાગે છે. ‘પ્રકૃતિ પર પુરુષોત્તમ’ નામે એક લેખમાં તેઓ કહે છે : “મનુષ્યના શરીરમાં જીવનવ્યાપાર કેવી સૂક્ષ્મ, સંકુલ અને વિવિધ ઘટનાથી થાય છે તેનો વિચાર કરીશું : વનસ્પતિઓના જીવન માટે કેવી યથોચિત ભૂમિ, ક્ષાર, પાણી, હવા વગેરે અનેક જાતની અનુકૂલતા આવી રહેલી છે તેનો વિચાર કરીશું, આવી આવી ગોઠવણો ધ્યાનમાં લઈશું, તો એ જ અનુમાન થશે કે સ્નાયુ, અસ્થિ, શોણિત, માટી, પાણી, વાયુ વગેરેમાં અમુક હેતુ સફળ કરવા એકઠાં થઈ વર્તવાની બુદ્ધિ નથી, માટે તેમને એકઠાં થઈ પ્રવૃત્તિમાં મૂકનાર જ્ઞાનવાન યોજનાર હોવો જોઈએ. સૃષ્ટિના નિયમો, શક્તિઓ કે બળો પૃથક્ છતાં જાતે જ એ યોજનાનું કાર્ય કરી શકે નહિ. એ સર્વે નિયમો, શક્તિઓ અને બળો અંતવાળાં છે, જ્ઞાનરહિત છે. મનુષ્યને અનેક રીતે અનન્તતાનું ભાન થાય છે. મનુષ્ય જ્ઞાનવાન છે. મનુષ્ય કાંઈ યોજનાઓ કરી શકે છે, છતાં એવી ભાવના અને એવા જ્ઞાનવાળો મનુષ્ય વિશ્વની યોજના કરવા કે પૂરેપૂરી સમજવા કેવળ અસમર્થ છે, તે જાતે ઉત્પન્ન થઈ શકતો નથી અને સ્વબલથી જીવન ચલાવી શકતો નથી. તો અંતતામાં આવી રહેલી બુદ્ધિરહિત જડ પ્રકૃતિ સ્વયંભૂ હોય, પોતાની કર્મી પોતે હોય, પોતે યોજના કરનારી હોય, એ વિચાર જ મનુષ્યનું અંતઃકરણનું ગ્રહણ કરવા ના પાડે છે.૨૧ અહીં રમણભાઈનું મુખ્ય વક્તવ્ય એ રહ્યુ છે કે જડ પ્રકૃતિ સ્વયં કોઈ બુદ્ધિવ્યાપાર ધરાવતી નથી. તેમ તે કોઈ રીતે સંચલન કરી શકતી નથી. એ લેખમાં જ તેઓ અન્યત્ર એમ કહે છે. “ઈશ્વર પ્રકૃતિથી પર છે, એમ કહેવાનો અર્થ એ છે કે તે સૃષ્ટિનો કર્તા છે. પણ સૃષ્ટિમાં અન્તર્ભૂત નથી, સૃષ્ટિમાં સમાયેલો નથી. સ્રષ્ટા સૃષ્ટિથી ભિન્ન છે. ઈશ્વર સૃષ્ટિમાં સમાયેલા હોય તો ઉત્પત્તિ, નાશ, અસ્વયંભૂત્વ, પરાધીનત્વ વગેરે સૃષ્ટિના ગુણ ઈશ્વરને લાગુ થાય. પણ ઈશ્વર સૃષ્ટિનો કર્તા છે. તેથી સૃષ્ટિના એ ગુણો ઈશ્વરમાં હોય જ નહિ, સૃષ્ટિ તો સૃજેલી છે માટે ઉત્પત્યાદિ એ ગુણો તેના થયા છે. સૃજનાર તે ગુણોથી ભિન્ન છે. વળી સૃષ્ટિમાં જે ચૈતન્ય છે તે જડના સંયોગવાળું, અલ્પજ્ઞાનવાળું અને અલ્પશક્તિવાળું છે. ઈશ્વર શુદ્ધચૈતન્યરૂપ છે, સર્વજ્ઞ છે. સર્વશક્તિમાન છે અને તેથી સૃષ્ટિથી ભિન્ન છે.”૨૨ રમણભાઈની આ વિચારણા પણ એટલી જ ધ્યાનપાત્ર છે. આ સૃષ્ટિ ઈશ્વરે સર્જી છે, એ છતાં તે એ સૃષ્ટિથી ભિન્ન છે, અલિપ્ત છે. વળી તેની શુદ્ધચૈતન્યરૂપતાની તુલનામાં આ પ્રકૃતિનું ચૈતન્ય જડના સંયોગવાળું, અલ્પજ્ઞાનવાળું અને અલ્પશક્તિવાળું છે. રમણભાઈની પ્રસ્તુત ચર્ચા બારીક અવલોકન માગે છે. તેઓ એક પક્ષે આ પ્રકૃતિને (કે સૃષ્ટિને) જડ લેખવે છે, તો બીજે પક્ષે તેમાંના ચૈતન્યનો સ્વીકાર પણ કરે છે. જોકે ઈશ્વર એ એવી ‘ચૈતન્ય’યુક્ત સૃષ્ટિથી ભિન્ન છે. રમણભાઈએ પોતાના બીજા એક લેખ “ધર્મ, જડ પ્રકૃતિ અને સામાન્ય જીવન”માં રજૂ કરેલો એક ખ્યાલ પણ અહીં નિર્દેશવો ઘટે. તેઓ એમાં એમ કહે છે : “જગતની જડ વસ્તુઓમાંનાં રૂપ નિત્ય એનાં એ રહેતાં નથી, પણ જે વેળા જે હોય છે તે વાસ્તવિક હોય છે. તે સર્વ ઈશ્વરની સૃષ્ટિ હોય છે, ઈશ્વરની શક્તિથી તે સર્વ ઉત્પન્ન થાય છે, ચાલે છે, વધે છે, ઈશ્વરના નિયમ પ્રમાણે તે સર્વ પોતાના ધર્મ ધારણ કરે છે, તે સર્વમાં ઈશ્વર નિરંતર જાગ્રત દેખાય છે. સર્વમાં ઈશ્વરનો મહિમા દેખાય છે. તે સર્વ ઈશ્વરની લીલાથી વ્યાપ્ત છે.... આ રીતે, સર્વ જગત, જગતની નહાની-મહોટી દરેક વસ્તુ ઈશ્વરના જ્ઞાન માટે, ઈશ્વરની લીલા જોઈ ઈશ્વરને ઓળખવા માટે અત્યંત ઉપયોગી છે.”૨૩ અહીં રમણભાઈનું વક્તવ્ય એ જણાય છે કે ઈશ્વરની રચેલી આ સૃષ્ટિમાં ઈશ્વરનો નિવાસ ન હોવા છતાં એ સૃષ્ટિ દ્વારા જ તેનો મહિમા પ્રગટ થાય છેઃ એ રીતે સૃષ્ટિની રચના મિથ્યા નથી, સહેતુક વાસ્તવિક્તા છે. | રમણભાઈની પ્રકૃતિવિષયક દૃષ્ટિ તેમની કેટલીક પ્રાર્થનાસમાજી વિચારણાના પ્રકાશમાં વિશેષ સ્પષ્ટ થાય એમ લાગે છે. ‘પ્રકૃતિ પર પુરુષોત્તમ’ નામે એક લેખમાં તેઓ કહે છે : “મનુષ્યના શરીરમાં જીવનવ્યાપાર કેવી સૂક્ષ્મ, સંકુલ અને વિવિધ ઘટનાથી થાય છે તેનો વિચાર કરીશું : વનસ્પતિઓના જીવન માટે કેવી યથોચિત ભૂમિ, ક્ષાર, પાણી, હવા વગેરે અનેક જાતની અનુકૂલતા આવી રહેલી છે તેનો વિચાર કરીશું, આવી આવી ગોઠવણો ધ્યાનમાં લઈશું, તો એ જ અનુમાન થશે કે સ્નાયુ, અસ્થિ, શોણિત, માટી, પાણી, વાયુ વગેરેમાં અમુક હેતુ સફળ કરવા એકઠાં થઈ વર્તવાની બુદ્ધિ નથી, માટે તેમને એકઠાં થઈ પ્રવૃત્તિમાં મૂકનાર જ્ઞાનવાન યોજનાર હોવો જોઈએ. સૃષ્ટિના નિયમો, શક્તિઓ કે બળો પૃથક્ છતાં જાતે જ એ યોજનાનું કાર્ય કરી શકે નહિ. એ સર્વે નિયમો, શક્તિઓ અને બળો અંતવાળાં છે, જ્ઞાનરહિત છે. મનુષ્યને અનેક રીતે અનન્તતાનું ભાન થાય છે. મનુષ્ય જ્ઞાનવાન છે. મનુષ્ય કાંઈ યોજનાઓ કરી શકે છે, છતાં એવી ભાવના અને એવા જ્ઞાનવાળો મનુષ્ય વિશ્વની યોજના કરવા કે પૂરેપૂરી સમજવા કેવળ અસમર્થ છે, તે જાતે ઉત્પન્ન થઈ શકતો નથી અને સ્વબલથી જીવન ચલાવી શકતો નથી. તો અંતતામાં આવી રહેલી બુદ્ધિરહિત જડ પ્રકૃતિ સ્વયંભૂ હોય, પોતાની કર્મી પોતે હોય, પોતે યોજના કરનારી હોય, એ વિચાર જ મનુષ્યનું અંતઃકરણનું ગ્રહણ કરવા ના પાડે છે.૨૧<ref>૨૧. ‘ધર્મ અને સમાજ’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ. સ. ૧૯૩૨ : પૃ. ૧૫૪</ref> અહીં રમણભાઈનું મુખ્ય વક્તવ્ય એ રહ્યુ છે કે જડ પ્રકૃતિ સ્વયં કોઈ બુદ્ધિવ્યાપાર ધરાવતી નથી. તેમ તે કોઈ રીતે સંચલન કરી શકતી નથી. એ લેખમાં જ તેઓ અન્યત્ર એમ કહે છે. “ઈશ્વર પ્રકૃતિથી પર છે, એમ કહેવાનો અર્થ એ છે કે તે સૃષ્ટિનો કર્તા છે. પણ સૃષ્ટિમાં અન્તર્ભૂત નથી, સૃષ્ટિમાં સમાયેલો નથી. સ્રષ્ટા સૃષ્ટિથી ભિન્ન છે. ઈશ્વર સૃષ્ટિમાં સમાયેલા હોય તો ઉત્પત્તિ, નાશ, અસ્વયંભૂત્વ, પરાધીનત્વ વગેરે સૃષ્ટિના ગુણ ઈશ્વરને લાગુ થાય. પણ ઈશ્વર સૃષ્ટિનો કર્તા છે. તેથી સૃષ્ટિના એ ગુણો ઈશ્વરમાં હોય જ નહિ, સૃષ્ટિ તો સૃજેલી છે માટે ઉત્પત્યાદિ એ ગુણો તેના થયા છે. સૃજનાર તે ગુણોથી ભિન્ન છે. વળી સૃષ્ટિમાં જે ચૈતન્ય છે તે જડના સંયોગવાળું, અલ્પજ્ઞાનવાળું અને અલ્પશક્તિવાળું છે. ઈશ્વર શુદ્ધચૈતન્યરૂપ છે, સર્વજ્ઞ છે. સર્વશક્તિમાન છે અને તેથી સૃષ્ટિથી ભિન્ન છે.”૨૨<ref>૨૨. એજન, પૃ. ૧૫૭</ref> રમણભાઈની આ વિચારણા પણ એટલી જ ધ્યાનપાત્ર છે. આ સૃષ્ટિ ઈશ્વરે સર્જી છે, એ છતાં તે એ સૃષ્ટિથી ભિન્ન છે, અલિપ્ત છે. વળી તેની શુદ્ધચૈતન્યરૂપતાની તુલનામાં આ પ્રકૃતિનું ચૈતન્ય જડના સંયોગવાળું, અલ્પજ્ઞાનવાળું અને અલ્પશક્તિવાળું છે. રમણભાઈની પ્રસ્તુત ચર્ચા બારીક અવલોકન માગે છે. તેઓ એક પક્ષે આ પ્રકૃતિને (કે સૃષ્ટિને) જડ લેખવે છે, તો બીજે પક્ષે તેમાંના ચૈતન્યનો સ્વીકાર પણ કરે છે. જોકે ઈશ્વર એ એવી ‘ચૈતન્ય’યુક્ત સૃષ્ટિથી ભિન્ન છે. રમણભાઈએ પોતાના બીજા એક લેખ “ધર્મ, જડ પ્રકૃતિ અને સામાન્ય જીવન”માં રજૂ કરેલો એક ખ્યાલ પણ અહીં નિર્દેશવો ઘટે. તેઓ એમાં એમ કહે છે : “જગતની જડ વસ્તુઓમાંનાં રૂપ નિત્ય એનાં એ રહેતાં નથી, પણ જે વેળા જે હોય છે તે વાસ્તવિક હોય છે. તે સર્વ ઈશ્વરની સૃષ્ટિ હોય છે, ઈશ્વરની શક્તિથી તે સર્વ ઉત્પન્ન થાય છે, ચાલે છે, વધે છે, ઈશ્વરના નિયમ પ્રમાણે તે સર્વ પોતાના ધર્મ ધારણ કરે છે, તે સર્વમાં ઈશ્વર નિરંતર જાગ્રત દેખાય છે. સર્વમાં ઈશ્વરનો મહિમા દેખાય છે. તે સર્વ ઈશ્વરની લીલાથી વ્યાપ્ત છે.... આ રીતે, સર્વ જગત, જગતની નહાની-મહોટી દરેક વસ્તુ ઈશ્વરના જ્ઞાન માટે, ઈશ્વરની લીલા જોઈ ઈશ્વરને ઓળખવા માટે અત્યંત ઉપયોગી છે.”૨૩<ref>૨૩. ધર્મ અને સમાજ : પુસ્તક : ૨ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : આવૃત્તિ પહેલી : સન. ૧૯૩૫ : પૃ. ૧૫૯</ref> અહીં રમણભાઈનું વક્તવ્ય એ જણાય છે કે ઈશ્વરની રચેલી આ સૃષ્ટિમાં ઈશ્વરનો નિવાસ ન હોવા છતાં એ સૃષ્ટિ દ્વારા જ તેનો મહિમા પ્રગટ થાય છેઃ એ રીતે સૃષ્ટિની રચના મિથ્યા નથી, સહેતુક વાસ્તવિક્તા છે. | ||
ઉપર ટાંકેલી રમણભાઈની વિચારણાઓને અવલોકતાં એમ જણાય છે કે તેઓ માનવેતર પ્રકૃતિને માનવથી ઊતરતી કોટીની ગણે છે. પ્રકૃતિમાં કોઈ બુદ્ધિ કે લાગણીનો વ્યાપાર જ સંભવતો નથી. એટલે કોઈ કવિ પ્રકૃતિને માનવીના સુખદુઃખમાં સમભાવ દર્શાવતી નિરૂપે ત્યારે તેમાં અસત્ય જ રહેલું છે. કવિતામાં આ પ્રકારના નિરૂપણથી ’વૃત્તિમય ભાવાભાસ’નો દોષ જન્મે છે. અહીં એમ નોંધવું જોઈએ કે પ્રકૃતિના સ્વરૂપ વિશે રમણભાઈની પ્રસ્તુત વિચારણા જ મણિલાલ અને ખાસ કરીને આચાર્ય આનંદશંકરના આક્રમણનું ક્ષેત્ર બની છે. એ વિશે આગળ યથાસ્થાને ચર્ચા કરીશું. | ઉપર ટાંકેલી રમણભાઈની વિચારણાઓને અવલોકતાં એમ જણાય છે કે તેઓ માનવેતર પ્રકૃતિને માનવથી ઊતરતી કોટીની ગણે છે. પ્રકૃતિમાં કોઈ બુદ્ધિ કે લાગણીનો વ્યાપાર જ સંભવતો નથી. એટલે કોઈ કવિ પ્રકૃતિને માનવીના સુખદુઃખમાં સમભાવ દર્શાવતી નિરૂપે ત્યારે તેમાં અસત્ય જ રહેલું છે. કવિતામાં આ પ્રકારના નિરૂપણથી ’વૃત્તિમય ભાવાભાસ’નો દોષ જન્મે છે. અહીં એમ નોંધવું જોઈએ કે પ્રકૃતિના સ્વરૂપ વિશે રમણભાઈની પ્રસ્તુત વિચારણા જ મણિલાલ અને ખાસ કરીને આચાર્ય આનંદશંકરના આક્રમણનું ક્ષેત્ર બની છે. એ વિશે આગળ યથાસ્થાને ચર્ચા કરીશું. | ||
(ક) વૃત્તિમય ભાવાભાસનો દોષ ક્યારે સંભવે અને ક્યારે ન સંભવે તેની ચોખવટ કરતાં રમણભાઈએ એમ કહ્યું છે કે, “પ્રકૃતિમાં બનતા અને દેખાતા બનાવોથી જો માનવીને જુદી જુદી લાગણીઓ થતી હોવાનું નિરૂપાયું હોય તો તેવા વર્ણનમાં આ પ્રકારના ભાવાભાસનો દોષ સંભવતો નથી. કેમ કે એવા વર્ણનમાં પ્રકૃતિ તો માત્ર ઉદાસીન હોવાનું નિરૂપાયું હેાય છે. વળી, શોકગ્રસ્ત માનવીને પ્રકૃતિના બનાવોમાં પોતાના દુઃખની છાપ જણાય અથવા કોઈ હર્ષઘેલા માનવીને સૃષ્ટિમાં સર્વત્ર ઉલ્લાસ વ્યાપી વળ્યો જણાય તો એ પ્રકારની માનવવૃત્તિના નિરૂપણમાં દોષ છતાં તે ક્ષન્તવ્ય છે. રમણભાઈ કહે છે કે આ સંજોગોમાં એવી વૃત્તિ વાસ્તવિક રીતે થવાનો સંભવ છે. અને તેટલે અંશે કવિત્વને અનુકૂલ છે. તેમણે ‘પૃથુરાજ-રાસા’ના દોષયુક્ત વર્ણનને અનુલક્ષીને એવું વિવરણ કર્યું છે કે પ્રકૃતિના શોક અને સમભાવનું ઉપરનું વર્ણન કવિએ વિહ્વળ થયેલી સંયુક્તાની વાણીમાં મૂક્યું હોત તો આ રીતે તેનો બચાવ થઈ શકત. પરંતુ જ્યારે કવિ પોતે પોતાની તરફથી વર્ણવે છે કે એ બનાવો તે સમયે પ્રકૃતિમાં બન્યા ત્યારે તો આ કલ્પનાને Pathetic Fallacy (– વૃત્તિમય ભાવાભાસ ) કહેવો પડશે. રમણભાઈની પ્રસ્તુત દલીલ પરથી એમ ફલિત થાય છે કે કોઈ કવિગત પાત્ર લાગણીના આવેશમાં પ્રકૃતિને લાગણીશીલ કલ્પે તો તે ક્ષન્તવ્ય છે પણ કવિએ પોતે પ્રકૃતિનું એવું નિરૂપણ કરવું જોઈએ નહિ. | (ક) વૃત્તિમય ભાવાભાસનો દોષ ક્યારે સંભવે અને ક્યારે ન સંભવે તેની ચોખવટ કરતાં રમણભાઈએ એમ કહ્યું છે કે, “પ્રકૃતિમાં બનતા અને દેખાતા બનાવોથી જો માનવીને જુદી જુદી લાગણીઓ થતી હોવાનું નિરૂપાયું હોય તો તેવા વર્ણનમાં આ પ્રકારના ભાવાભાસનો દોષ સંભવતો નથી. કેમ કે એવા વર્ણનમાં પ્રકૃતિ તો માત્ર ઉદાસીન હોવાનું નિરૂપાયું હેાય છે. વળી, શોકગ્રસ્ત માનવીને પ્રકૃતિના બનાવોમાં પોતાના દુઃખની છાપ જણાય અથવા કોઈ હર્ષઘેલા માનવીને સૃષ્ટિમાં સર્વત્ર ઉલ્લાસ વ્યાપી વળ્યો જણાય તો એ પ્રકારની માનવવૃત્તિના નિરૂપણમાં દોષ છતાં તે ક્ષન્તવ્ય છે. રમણભાઈ કહે છે કે આ સંજોગોમાં એવી વૃત્તિ વાસ્તવિક રીતે થવાનો સંભવ છે. અને તેટલે અંશે કવિત્વને અનુકૂલ છે. તેમણે ‘પૃથુરાજ-રાસા’ના દોષયુક્ત વર્ણનને અનુલક્ષીને એવું વિવરણ કર્યું છે કે પ્રકૃતિના શોક અને સમભાવનું ઉપરનું વર્ણન કવિએ વિહ્વળ થયેલી સંયુક્તાની વાણીમાં મૂક્યું હોત તો આ રીતે તેનો બચાવ થઈ શકત. પરંતુ જ્યારે કવિ પોતે પોતાની તરફથી વર્ણવે છે કે એ બનાવો તે સમયે પ્રકૃતિમાં બન્યા ત્યારે તો આ કલ્પનાને Pathetic Fallacy (– વૃત્તિમય ભાવાભાસ ) કહેવો પડશે. રમણભાઈની પ્રસ્તુત દલીલ પરથી એમ ફલિત થાય છે કે કોઈ કવિગત પાત્ર લાગણીના આવેશમાં પ્રકૃતિને લાગણીશીલ કલ્પે તો તે ક્ષન્તવ્ય છે પણ કવિએ પોતે પ્રકૃતિનું એવું નિરૂપણ કરવું જોઈએ નહિ. | ||
(ડ) રમણભાઈએ પ્રકૃતિ અને માનવજીવન વિશે રજૂ કરેલો બીજો એક મુદ્દોય ધ્યાનપાત્ર છે. તેઓ એમ કહે છે કે પ્રકૃતિમાં ધરતીકંપ, ઘનગર્જન, પ્રચંડ વાત ઇત્યાદિ ઘટનાઓ ‘આકસ્મિક’ છે. જ્યારે તેમાંની ‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય’, ‘આનન્ત્ય’, ‘આનંદ’ આદિ ‘ભાવનાઓ’, ‘શાશ્વત’ છે. એ જ રીતે, માનવીની શોક, હર્ષ, ક્રોધ ઇત્યાદિ લાગણીઓ ‘આકસ્મિક’ છે.૨૪ જ્યારે ‘સૌંદર્ય’ ‘ગાંભીર્ય’ આદિ ‘ભાવનાઓ’ તો ‘શાશ્વત’ છે.- મનુષ્યઆત્મામાં તે રહેલી છે. પ્રકૃતિમાં પ્રગટતી ‘શાશ્વત ભાવનાઓ’ અને માનવ આત્માની ’શાશ્વત ભાવનાઓ’ તત્ત્વતઃ અભિન્ન હોય એમ અહીં અભિપ્રેત જણાય છે. | (ડ) રમણભાઈએ પ્રકૃતિ અને માનવજીવન વિશે રજૂ કરેલો બીજો એક મુદ્દોય ધ્યાનપાત્ર છે. તેઓ એમ કહે છે કે પ્રકૃતિમાં ધરતીકંપ, ઘનગર્જન, પ્રચંડ વાત ઇત્યાદિ ઘટનાઓ ‘આકસ્મિક’ છે. જ્યારે તેમાંની ‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય’, ‘આનન્ત્ય’, ‘આનંદ’ આદિ ‘ભાવનાઓ’, ‘શાશ્વત’ છે. એ જ રીતે, માનવીની શોક, હર્ષ, ક્રોધ ઇત્યાદિ લાગણીઓ ‘આકસ્મિક’ છે.૨૪<ref>૨૪. સંસ્કૃત આલંકારિકાઓએ શોક, હર્ષ, ક્રોધ, આદિને માનવીના ‘સ્થાયીભાવ’ ગણ્યા છે તે મુદ્દો અહીં ઉલ્લેખપાત્ર છે. ભરતે પોતાના નાટ્યશાસ્ત્રમાં રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય એ આઠને ‘સ્થાયીભાવ’ લેખવ્યા છે. ભરતમુનિની પછીના ચિંતકોમાં અભિનવગુપ્ત, હેમચન્દ્ર, મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ આદિ આચાર્યોએ ‘સ્થાયીભાવ’ના સ્વરૂપની જે ચર્ચા કરી છે તેનો નિષ્કર્ષ રજૂ કરતાં ડૉ. મનોહર કાળે પોતાના સંશોધનગ્રંથ “આધુનિક હિન્દી મરાઠી મેં કાવ્યશાસ્ત્રીય અધ્યયન”માં કહે છે (પૃ.૨૯-૨૭) :<br> | ||
(અ) ‘સ્થાયીભાવ’ જન્મજાત હોય છે. માનવચિત્તમાં તે વાસના-સંસ્કારરૂપે પડ્યા હોય છે.<br> | |||
(બ) ‘સ્થાયીભાવ’ એ સ્થિર ભાવ છે. અન્ય વિરોધી લાગતા ભાવોથી તે તિરોધાન પામતો નથી.<br> | |||
(ક) ‘સ્થાયીભાવ’ અન્ય ભાવોને પોતાની અંતર્ગત આત્મસાત્ કરે છે.<br> | |||
(ડ) ‘સ્થાયીભાવ’ વ્યાપક હોય છે. સમસ્ત કૃતિ કે પ્રબંધમાં તે સ્થિર સ્વરૂપે વ્યાપી રહે છે.<br> | |||
(ઇ) ‘સ્થાયીભાવ’ જ રસત્વને પ્રાપ્ત કરે છે.<br> | |||
{{gap}}આમ, સંસ્કૃત આચાર્યોએ શોક, હર્ષ આદિ ભાવને ‘સ્થાયી’ ગણ્યા છે. રમણભાઈએ તેને ‘આકસ્મિક’ લેખવ્યા છે. કદાચ, માનવઆત્માની ‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય’ આદિ ‘ભાવનાઓ’ની તુલનામાં તે ‘આકસ્મિક’ છે એ ખ્યાલ તેમાં અભિપ્રેત હોય, પ્રકૃતિમાં ધરતીકંપ, ઝંઝાવાત એ ‘આકસ્મિક’ છે એ કથન, અલબત્ત, સરળતાથી સ્વીકારાય તેમ છે. માનવીની શોક, હર્ષાદિ લાગણીઓ એ રીતે, અણધારી આકસ્મિક ઘટનાઓ નથી. રમણભાઈનું વક્તવ્ય કદાચ એટલું જ છે કે ‘શાશ્વત ભાવના’ઓની તુલનામાં જ તે ‘આકસ્મિક’ છે.</ref> જ્યારે ‘સૌંદર્ય’ ‘ગાંભીર્ય’ આદિ ‘ભાવનાઓ’ તો ‘શાશ્વત’ છે.- મનુષ્યઆત્મામાં તે રહેલી છે. પ્રકૃતિમાં પ્રગટતી ‘શાશ્વત ભાવનાઓ’ અને માનવ આત્માની ’શાશ્વત ભાવનાઓ’ તત્ત્વતઃ અભિન્ન હોય એમ અહીં અભિપ્રેત જણાય છે. | |||
રમણભાઈ એમ કહે છે કે પ્રકૃતિમાંની ધરતીકંપ, ઘનગર્જન આદિ ‘આકસ્મિક’ ઘટનાઓને માનવીની શોક, હર્ષ, ક્રોધ, આદિ ‘આકસ્મિક’ લાગણીઓ જોડે કંઈ જ સંબંધ નથી. એટલે માનવીની અમુક લાગણીઓના ઉદ્ભવની ક્ષણે પ્રકૃતિની અમુક અમુક ઘટના સંભવે એવો કોઈ નિયમ નથી. એટલે જ કવિ માનવહૃદયના શોકનું નિરૂપણ કરતાં, આકાશ વાદળોથી ઘેરાયેલું હોય કે સૂર્ય શોકગ્રસ્ત બની મોં છુપાવતો હોય, એ પ્રકારની કલ્પનાથી કવિત્વ જન્મતું નથી. (રમણભાઈની આ ચર્ચા પણ કાવ્યવિશ્વને બદલે કાવ્યેતર વિશ્વને અનુલક્ષે છે.) | રમણભાઈ એમ કહે છે કે પ્રકૃતિમાંની ધરતીકંપ, ઘનગર્જન આદિ ‘આકસ્મિક’ ઘટનાઓને માનવીની શોક, હર્ષ, ક્રોધ, આદિ ‘આકસ્મિક’ લાગણીઓ જોડે કંઈ જ સંબંધ નથી. એટલે માનવીની અમુક લાગણીઓના ઉદ્ભવની ક્ષણે પ્રકૃતિની અમુક અમુક ઘટના સંભવે એવો કોઈ નિયમ નથી. એટલે જ કવિ માનવહૃદયના શોકનું નિરૂપણ કરતાં, આકાશ વાદળોથી ઘેરાયેલું હોય કે સૂર્ય શોકગ્રસ્ત બની મોં છુપાવતો હોય, એ પ્રકારની કલ્પનાથી કવિત્વ જન્મતું નથી. (રમણભાઈની આ ચર્ચા પણ કાવ્યવિશ્વને બદલે કાવ્યેતર વિશ્વને અનુલક્ષે છે.) | ||
આગળ એક ચર્ચામાં આપણે જોયું કે, પ્રકૃતિમાંના પદાર્થો ઈશ્વરનો મહિમા સૂચવે છે એમ રમણભાઈ માને છે. પ્રકૃતિમાંની ‘શાશ્વત ભાવનાઓ’—‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય’ આદિ દ્વારા પરમ ઈશ્વરનો સંકેત પ્રકટ થાય છે. રમણભાઈએ ઈશ્વરને પ્રકૃતિથી ભિન્ન લેખવ્યા છતાં પ્રકૃતિમાંની ભાવનાઓ દ્વારા એ ઈશ્વરની લીલાની પ્રતીતિ થાય છે એ ખ્યાલ ભારપૂર્વક પ્રતિષ્ઠા કરવા ચાહ્યો છે. એક બાજુ પ્રકૃતિને જડરૂપ લેખવ્યા પછી તેઓ તેમાંના ‘ચૈતન્ય’ને ‘જડના સંયોગવાળું, અલ્પજ્ઞાનવાળું અને અલ્પશક્તિવાળું’ ય લેખવે છે. અને એ પ્રકૃતિમાં જ ‘સૌંદર્ય’ ‘ગાંભીર્ય’ આદિ ‘શાશ્વત ભાવનાઓ’નો પ્રાદુર્ભાવ થતો સ્વીકાર કરે છે. તેમની દાર્શનિક વિચારણામાં રહેલી નિર્બળતા વેદાંત દૃષ્ટિવાળા આચાર્ય આનંદશંકર સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે રમણભાઈની આ તાત્ત્વિક ભૂમિકાનો મૂળથી જ વિરોધ કર્યો છે. | આગળ એક ચર્ચામાં આપણે જોયું કે, પ્રકૃતિમાંના પદાર્થો ઈશ્વરનો મહિમા સૂચવે છે એમ રમણભાઈ માને છે. પ્રકૃતિમાંની ‘શાશ્વત ભાવનાઓ’—‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય’ આદિ દ્વારા પરમ ઈશ્વરનો સંકેત પ્રકટ થાય છે. રમણભાઈએ ઈશ્વરને પ્રકૃતિથી ભિન્ન લેખવ્યા છતાં પ્રકૃતિમાંની ભાવનાઓ દ્વારા એ ઈશ્વરની લીલાની પ્રતીતિ થાય છે એ ખ્યાલ ભારપૂર્વક પ્રતિષ્ઠા કરવા ચાહ્યો છે. એક બાજુ પ્રકૃતિને જડરૂપ લેખવ્યા પછી તેઓ તેમાંના ‘ચૈતન્ય’ને ‘જડના સંયોગવાળું, અલ્પજ્ઞાનવાળું અને અલ્પશક્તિવાળું’ ય લેખવે છે. અને એ પ્રકૃતિમાં જ ‘સૌંદર્ય’ ‘ગાંભીર્ય’ આદિ ‘શાશ્વત ભાવનાઓ’નો પ્રાદુર્ભાવ થતો સ્વીકાર કરે છે. તેમની દાર્શનિક વિચારણામાં રહેલી નિર્બળતા વેદાંત દૃષ્ટિવાળા આચાર્ય આનંદશંકર સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે રમણભાઈની આ તાત્ત્વિક ભૂમિકાનો મૂળથી જ વિરોધ કર્યો છે. | ||
(ડ) રમણભાઈએ પોતાના વૃત્તિમય ભાવાભાસના મુદ્દા વિશે સ્પષ્ટતા કરતાં એમ નોંધ્યું છે : “પ્રકૃતિના જે બનાવો હંમેશાં નિયત પ્રકારે બન્યા જાય છે તેમાં મનુષ્યોના જીવનમાં બનતી વિવિધ આકસ્મિક સ્થિતિઓ પ્રમાણે મનુષ્યોની તે તે કાળની વૃત્તિનો આરોપ કરવો એમાં પણ ઉપર જેવી જ ભૂલ છે. અસ્તકાળે સૂર્યનું બિમ્બ નિત્ય લાલ થાય છે, વાદળાંમાંથી નિયમ પ્રમાણે વરસાદ પડ્યો જાય છે. વૃક્ષો ઉપરથી પુષ્પો સદૈવ ખરે છે તે છતાં, કોઈ વેળા અમુક મનુષ્યોને વિપત્તિ કે અન્યાયનો પ્રસંગ આવ્યો હોય ત્યારે તે કારણને લીધે સૂર્ય સમભાવથી લાલ થયો છે એવી કલ્પના કરવી અથવા શોકનો પ્રસંગ હોય ત્યારે વરસાદને કે ખરતાં ફૂલને પ્રકૃતિનાં આંસુ કહેવાં અને હર્ષનો પ્રસંગ હોય ત્યારે ધન્યવાદનો ઉપહાર કહેવાં, એ આ પ્રમાણે કવિત્વહીન ભ્રાન્તિ જ છે. મનુષ્યની લાગણીઓનો સંબંધ કંઈ પણ લીધા વિના પ્રકૃતિના બનાવોને જુદા જુદા વખતે જુદી જુદી ઉપમાઓ, રૂપકો, ઉત્પ્રેક્ષાઓ, વગેરે અલંકારથી જુદા જુદા પ્રકારનું કલ્પિત સામ્ય આપવું એમાં આ દોષ નથી, કારણ કે અમુક ઉપમેયને નિત્ય અમુક ઉપમાન સાથે જ સરખાવાય એવો કોઈ નિયમ નથી અને એવો નિયમ કવિતત્વની હાનિ જ કરે.”૨૫ રમણભાઈની આ ચર્ચા જોતાં જણાશે કે તેઓ અમુક સંજોગોમાં ઉપમા, રૂપક આદિ અલંકારોના રચનાવ્યાપારનો સ્વીકાર કરે છે, પરંતુ પ્રકૃતિમાં લાગણીનું આરોપણ થાય એ સ્થિતિ તેમને સ્વીકાર્ય નથી. | (ડ) રમણભાઈએ પોતાના વૃત્તિમય ભાવાભાસના મુદ્દા વિશે સ્પષ્ટતા કરતાં એમ નોંધ્યું છે : “પ્રકૃતિના જે બનાવો હંમેશાં નિયત પ્રકારે બન્યા જાય છે તેમાં મનુષ્યોના જીવનમાં બનતી વિવિધ આકસ્મિક સ્થિતિઓ પ્રમાણે મનુષ્યોની તે તે કાળની વૃત્તિનો આરોપ કરવો એમાં પણ ઉપર જેવી જ ભૂલ છે. અસ્તકાળે સૂર્યનું બિમ્બ નિત્ય લાલ થાય છે, વાદળાંમાંથી નિયમ પ્રમાણે વરસાદ પડ્યો જાય છે. વૃક્ષો ઉપરથી પુષ્પો સદૈવ ખરે છે તે છતાં, કોઈ વેળા અમુક મનુષ્યોને વિપત્તિ કે અન્યાયનો પ્રસંગ આવ્યો હોય ત્યારે તે કારણને લીધે સૂર્ય સમભાવથી લાલ થયો છે એવી કલ્પના કરવી અથવા શોકનો પ્રસંગ હોય ત્યારે વરસાદને કે ખરતાં ફૂલને પ્રકૃતિનાં આંસુ કહેવાં અને હર્ષનો પ્રસંગ હોય ત્યારે ધન્યવાદનો ઉપહાર કહેવાં, એ આ પ્રમાણે કવિત્વહીન ભ્રાન્તિ જ છે. મનુષ્યની લાગણીઓનો સંબંધ કંઈ પણ લીધા વિના પ્રકૃતિના બનાવોને જુદા જુદા વખતે જુદી જુદી ઉપમાઓ, રૂપકો, ઉત્પ્રેક્ષાઓ, વગેરે અલંકારથી જુદા જુદા પ્રકારનું કલ્પિત સામ્ય આપવું એમાં આ દોષ નથી, કારણ કે અમુક ઉપમેયને નિત્ય અમુક ઉપમાન સાથે જ સરખાવાય એવો કોઈ નિયમ નથી અને એવો નિયમ કવિતત્વની હાનિ જ કરે.”૨૫<ref>૨૫. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ : પૃ. ૧૮૧ -૧૮૨</ref> રમણભાઈની આ ચર્ચા જોતાં જણાશે કે તેઓ અમુક સંજોગોમાં ઉપમા, રૂપક આદિ અલંકારોના રચનાવ્યાપારનો સ્વીકાર કરે છે, પરંતુ પ્રકૃતિમાં લાગણીનું આરોપણ થાય એ સ્થિતિ તેમને સ્વીકાર્ય નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''રમણભાઈ નીલકંઠનો લેખ – ‘વૃત્તિમય ભાવાભાસ’ :''' | '''રમણભાઈ નીલકંઠનો લેખ – ‘વૃત્તિમય ભાવાભાસ’ :''' | ||
| Line 51: | Line 58: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આરંભમાં નોંધ્યું છે તેમ, રમણભાઈની ’અવતરણ’ની વિચારણા-માંથી મુદ્દાઓ ઉપસ્થિત કરીને મણિલાલ અને આચાર્ય આનંદશંકરે તેની આલોચના કરી. (આપણે આગળ ઉપર એ બંને વિદ્વાનોની વિચારણા અવલોકીશું) એ વિદ્વાનોની ટીકાઓના પ્રત્યુત્તર રૂપે રમણભાઈએ ’વૃત્તિમય ભાવાભાસ’ નામે અત્યંત વિસ્તૃત લેખ પ્રકટ કર્યો. એ લેખની માંડણીમાં રમણભાઈએ રસ્કિનના મૂળ નિબંધ ‘Of Pathetic Fallacy’માંથી ઘણાંબધા મહત્ત્વના વિચારોનો અનુવાદ કર્યો. એ પછી મણિલાલ અને આચાર્ય આનંદશંકરની દલીલોનો રદિયો આપ્યો. રસ્કિનની વિચારણાને આધારભૂમિ લેખે સ્થાપી તેમણે પોતાની સમગ્ર ચર્ચા વિકસાવી છે. એ સમગ્ર વાદમાં તેમના કેટલાક ખ્યાલો પુનરાવર્તન પામ્યા છે તો કેટલાક વિચારો મઠારાયા પણ છે. વળી, રસ્કિનની વિચારણામાંથી કેટલાક અંશો આગળ પ્રકરણ ૬ઠ્ઠામાં નિર્દેશાયા છે. એટલે આપણો પ્રયત્ન શક્ય તેટલું પુનરાવર્તન ટાળવાનો હશે. | આરંભમાં નોંધ્યું છે તેમ, રમણભાઈની ’અવતરણ’ની વિચારણા-માંથી મુદ્દાઓ ઉપસ્થિત કરીને મણિલાલ અને આચાર્ય આનંદશંકરે તેની આલોચના કરી. (આપણે આગળ ઉપર એ બંને વિદ્વાનોની વિચારણા અવલોકીશું) એ વિદ્વાનોની ટીકાઓના પ્રત્યુત્તર રૂપે રમણભાઈએ ’વૃત્તિમય ભાવાભાસ’ નામે અત્યંત વિસ્તૃત લેખ પ્રકટ કર્યો. એ લેખની માંડણીમાં રમણભાઈએ રસ્કિનના મૂળ નિબંધ ‘Of Pathetic Fallacy’માંથી ઘણાંબધા મહત્ત્વના વિચારોનો અનુવાદ કર્યો. એ પછી મણિલાલ અને આચાર્ય આનંદશંકરની દલીલોનો રદિયો આપ્યો. રસ્કિનની વિચારણાને આધારભૂમિ લેખે સ્થાપી તેમણે પોતાની સમગ્ર ચર્ચા વિકસાવી છે. એ સમગ્ર વાદમાં તેમના કેટલાક ખ્યાલો પુનરાવર્તન પામ્યા છે તો કેટલાક વિચારો મઠારાયા પણ છે. વળી, રસ્કિનની વિચારણામાંથી કેટલાક અંશો આગળ પ્રકરણ ૬ઠ્ઠામાં નિર્દેશાયા છે. એટલે આપણો પ્રયત્ન શક્ય તેટલું પુનરાવર્તન ટાળવાનો હશે. | ||
રસ્કિને પોતાના નિબંધ ‘Of Pathetic Fallacy’ના આરંભમાં જ્ઞેય પદાર્થો અને જ્ઞાનની પ્રક્રિયા વિષે ટૂંકી અછડતી વિચારણા કરી છે તે તેમના ‘વૃત્તિમય ભાવાભાસ’ના ખ્યાલને સમજવાને થોડી ભૂમિકા પૂરી પાડે છે. તે એમ માને છે કે વ્યક્તિથી નિરપેક્ષ આ વસ્તુજગતને પોતીકી સત્તા હોય છે.૨૬ માનવ આ જગતમાં હોય કે ન હોય તો પણ આ વસ્તુજગતને આગવું સ્વરૂપ હોય છે. કવિનું કાર્ય આ વસ્તુજગતનું ભૌતિક સત્ય નિરૂપવાનું છે.૨૭ જો કે આ પ્રકારે કવિતામાં (વસ્તુલક્ષી) ભૌતિક સત્યનો આગ્રહ રાખવા છતાં રસ્કિને એમ પણ સ્વીકાર્યું છે કે કવિતાની સૃષ્ટિ તત્ત્વતઃ અસત્ય હોય છે અને તે જેમ વધુ અસત્ય તેમ તે વધુ રસપ્રદ હોય છે.૨૮ | રસ્કિને પોતાના નિબંધ ‘Of Pathetic Fallacy’ના આરંભમાં જ્ઞેય પદાર્થો અને જ્ઞાનની પ્રક્રિયા વિષે ટૂંકી અછડતી વિચારણા કરી છે તે તેમના ‘વૃત્તિમય ભાવાભાસ’ના ખ્યાલને સમજવાને થોડી ભૂમિકા પૂરી પાડે છે. તે એમ માને છે કે વ્યક્તિથી નિરપેક્ષ આ વસ્તુજગતને પોતીકી સત્તા હોય છે.૨૬<ref>૨૬. ભૂરાં બ્લૂબેલ ફૂલોનું દૃષ્ટાંત આપી રસ્કિને પોતાના મુદ્દાની સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છી. આ વિશે ચર્ચા કરતાં તે વ્યક્તિનિરપેક્ષ વસ્તુજગતની સત્તાનો સ્વીકાર કરે છે. તેનો સંદર્ભ આ પ્રમાણે છે : “Not to get rid of all these ambiguities and troublesome words at once, be it absevered that the word ‘blue’ does not mean the sensation caused by a gentian on the human eye; but it means the power of producing that sensation; and this power is always there, in the things, whether we are there to experience it or not, and would remain there though there were not left a man on the face of the earth.”<br> | ||
રસ્કિન એમ કહે છે કે કવિતામાં આ પ્રકારનું અસત્ય બે રીતે સંભવે છે.૨૯ (અ) સ્વૈચ્છિક તરંગો (Wilful Fancy) દ્વારા ઉત્પન્ન કરેલી ભ્રામકતા, આભાસ કે અસત્ય, આ પ્રકારના નિરૂપણમાં તે સત્યસ્વરૂપ લેખે માની લેવાશે એવી કોઈ અપેક્ષા પણ હોતી નથી. (બ) કવિચિત્તમાં ઉત્કટ લાગણી કે અંતઃક્ષોભ જન્મે તે ક્ષણે કવિચિત્ત લાગણીમૂઢ બને છે. અને એ સંજોગોમાં તેને વસ્તુજગતના યથાર્થ સ્વરૂપનું દર્શન થતું નથી. આ બીજા પ્રકારની સ્થિતિમાં કવિની રચનામાં વૃત્તિમય ભાવાભાસનો દોષ જન્મે છે. રસ્કિન એમ પણ કહે છે કે આવી ઉત્કટ લાગણીની ક્ષણોમાં જો કવિચિત્તમાં વિવેકબુદ્ધિનો ઉત્કર્ષ થાય અને લાગણીના તત્ત્વ પર અંકુશ મેળવે તો તે ક્ષણે વસ્તુજગતનું યથાર્થ દર્શન શક્ય બને. | {{right|English Critical Essays : XIX Cent : pp. ૩૭૯}}</ref> માનવ આ જગતમાં હોય કે ન હોય તો પણ આ વસ્તુજગતને આગવું સ્વરૂપ હોય છે. કવિનું કાર્ય આ વસ્તુજગતનું ભૌતિક સત્ય નિરૂપવાનું છે.૨૭<ref>૨૭. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૪૭ અને ૫૧</ref> જો કે આ પ્રકારે કવિતામાં (વસ્તુલક્ષી) ભૌતિક સત્યનો આગ્રહ રાખવા છતાં રસ્કિને એમ પણ સ્વીકાર્યું છે કે કવિતાની સૃષ્ટિ તત્ત્વતઃ અસત્ય હોય છે અને તે જેમ વધુ અસત્ય તેમ તે વધુ રસપ્રદ હોય છે.૨૮<ref>૨૮. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૫૦</ref> | ||
કવિતામાંના વૃત્તિમય ભાવાભાસ (Pathetic Fallacy)ના દોષનું સ્વરૂપ સ્પષ્ટ કરવાને રસ્કિને કોઈ એક અંગ્રેજી કવિતાની પંક્તિઓ ટાંકી તે વિશે ટૂંકું વિવરણ કર્યું છે. (રમણભાઈએ પણ પોતાની ચર્ચામાં એ કવિતાની પંક્તિના અનુવાદ સમેત એ વિવરણ રજૂ કર્યું છે.) રસ્કિનની ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષ વિશેની સમજણ એમાંથી સ્પષ્ટ થતી જણાશે. એ પંક્તિઓ આ પ્રમાણે છે :૩૦ | રસ્કિન એમ કહે છે કે કવિતામાં આ પ્રકારનું અસત્ય બે રીતે સંભવે છે.૨૯<ref>૨૯. “This fallacy is of two principal kinds : (૧) the fallacy of wilful fancy which involves no real expectation that it will be believed, or else, (૨) it is a fallacy caused by an excited state of the feelings, making us, for the time, more of less irrational. Of the cheating of the fancy we shall have to speak presently; but in this chapter, I want to examine the nature of the other error, that which the mind admits when affected strongly by emotion.” | ||
English Critical Essays : XIX Cent. pp. ૩૮૧.</ref> (અ) સ્વૈચ્છિક તરંગો (Wilful Fancy) દ્વારા ઉત્પન્ન કરેલી ભ્રામકતા, આભાસ કે અસત્ય, આ પ્રકારના નિરૂપણમાં તે સત્યસ્વરૂપ લેખે માની લેવાશે એવી કોઈ અપેક્ષા પણ હોતી નથી. (બ) કવિચિત્તમાં ઉત્કટ લાગણી કે અંતઃક્ષોભ જન્મે તે ક્ષણે કવિચિત્ત લાગણીમૂઢ બને છે. અને એ સંજોગોમાં તેને વસ્તુજગતના યથાર્થ સ્વરૂપનું દર્શન થતું નથી. આ બીજા પ્રકારની સ્થિતિમાં કવિની રચનામાં વૃત્તિમય ભાવાભાસનો દોષ જન્મે છે. રસ્કિન એમ પણ કહે છે કે આવી ઉત્કટ લાગણીની ક્ષણોમાં જો કવિચિત્તમાં વિવેકબુદ્ધિનો ઉત્કર્ષ થાય અને લાગણીના તત્ત્વ પર અંકુશ મેળવે તો તે ક્ષણે વસ્તુજગતનું યથાર્થ દર્શન શક્ય બને. | |||
કવિતામાંના વૃત્તિમય ભાવાભાસ (Pathetic Fallacy)ના દોષનું સ્વરૂપ સ્પષ્ટ કરવાને રસ્કિને કોઈ એક અંગ્રેજી કવિતાની પંક્તિઓ ટાંકી તે વિશે ટૂંકું વિવરણ કર્યું છે. (રમણભાઈએ પણ પોતાની ચર્ચામાં એ કવિતાની પંક્તિના અનુવાદ સમેત એ વિવરણ રજૂ કર્યું છે.) રસ્કિનની ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષ વિશેની સમજણ એમાંથી સ્પષ્ટ થતી જણાશે. એ પંક્તિઓ આ પ્રમાણે છે :૩૦<ref>૩૦. રમણભાઈએ રજૂ કરેલો આ કડીઓનો ગદ્યાનુવાદ અને તેનું વિવરણ નીચે પ્રમાણે છે :<br> | |||
{{gap}}“મોજાંનાં ઊછળતાં ફીણની પાર તે સ્ત્રીને તેઓ હોડીમાં લઈ ગયા – નિર્દય, પેટે ઘસાઈને ચાલતા ફીણની પાર લઈ ગયા.” | |||
{{gap}}“ફીણ નિર્દય નથી હોતું અને પેટે ઘસાઈને ચાલતું નથી, જીવતા પ્રાણીનાં આ લક્ષણોનો આરોપ ફીણ ઉપર જે ચિત્તાવસ્થામાં થાય છે તેમાં ખેદને લીધે વિવેકશક્તિ શિથિલ થયેલી હોય છે. બધી ઉગ્ર લાગણીઓથી આવું જ પરિણામ થાય છે. બાહ્ય વસ્તુઓથી આપણી ઇન્દ્રિયો ઉપર થતી અસરમાં ઉગ્ર લાગણીઓ અયથાર્થતા (ખોટા અનુભવ) ઉત્પન્ન કરે છે, અને તેને સામાન્ય રીતે હું (pathetic fallacy) ’વૃત્તિમય ભાવાભાસ’ કહું છું.” – ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૯૦</ref> | |||
They rowed her in across the rolling foam – the crue, crawling foam. | They rowed her in across the rolling foam – the crue, crawling foam. | ||
રસ્કિનના મતે, ફીણ નિર્દય નથી હોતું તેમ તે પેટે ઘસાઈને ચાલતું નથી હોતું એટલે એ પ્રકારનું નિરૂપણ ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ ઉત્પન્ન કરે છે. તે કહે છે કે સામાન્યતઃ પ્રાણીઓમાં જે પ્રકારનો ચેતનાવ્યાપાર જોવા મળે છે તેવા ચેતનાવ્યાપારનું અહીં આરોપણ કર્યું છે અને તે કવિની સંભ્રમિત ચિત્તદશામાંથી સંભવ્યું છે. દરેક ઉત્કટ લાગણીની પળોમાં, આ પ્રકારે મૂઢતા જન્મે છે. કવિચિત્તને, આથી જ, વસ્તુજગતના પદાર્થોના ખરા સ્વરૂપનું દર્શન શક્ય નથી. રસ્કિનની આ વિચારણા ખૂબ જ ધ્યાનપાત્ર છે. ફીણમાં આરોપાયેલો ચૈતન્યવ્યાપાર એ ‘વૃત્તિમય’ ભાવાભાસ’નો દોષ છે કેમકે એમાં કવિચિત્તની લાગણી કે વૃત્તિ દ્વારા વસ્તુના ખરા સ્વરૂપ ઉપર આરોપણ થયું છે. અહીં વસ્તુજગતના ભૌતિક સત્ય માટેનો રસ્કિનનો આગ્રહ સ્પષ્ટ વરતાઈ આવે છે, એ રીતે કવિતામાં વસ્તુજગતના યથાર્થ ભૌતિક કોટિના સત્યની તે અપેક્ષા રાખે છે.૩૧ | રસ્કિનના મતે, ફીણ નિર્દય નથી હોતું તેમ તે પેટે ઘસાઈને ચાલતું નથી હોતું એટલે એ પ્રકારનું નિરૂપણ ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ ઉત્પન્ન કરે છે. તે કહે છે કે સામાન્યતઃ પ્રાણીઓમાં જે પ્રકારનો ચેતનાવ્યાપાર જોવા મળે છે તેવા ચેતનાવ્યાપારનું અહીં આરોપણ કર્યું છે અને તે કવિની સંભ્રમિત ચિત્તદશામાંથી સંભવ્યું છે. દરેક ઉત્કટ લાગણીની પળોમાં, આ પ્રકારે મૂઢતા જન્મે છે. કવિચિત્તને, આથી જ, વસ્તુજગતના પદાર્થોના ખરા સ્વરૂપનું દર્શન શક્ય નથી. રસ્કિનની આ વિચારણા ખૂબ જ ધ્યાનપાત્ર છે. ફીણમાં આરોપાયેલો ચૈતન્યવ્યાપાર એ ‘વૃત્તિમય’ ભાવાભાસ’નો દોષ છે કેમકે એમાં કવિચિત્તની લાગણી કે વૃત્તિ દ્વારા વસ્તુના ખરા સ્વરૂપ ઉપર આરોપણ થયું છે. અહીં વસ્તુજગતના ભૌતિક સત્ય માટેનો રસ્કિનનો આગ્રહ સ્પષ્ટ વરતાઈ આવે છે, એ રીતે કવિતામાં વસ્તુજગતના યથાર્થ ભૌતિક કોટિના સત્યની તે અપેક્ષા રાખે છે.૩૧<ref>૩૧. પ્રકરણ ૬ની ચર્ચા, પૃ. ૨૪૫–૨૫૮</ref> | ||
આમ છતાં કવિતાની સૃષ્ટિમાં કવિની લાગણી કે તેના ઊર્મિતત્ત્વનો રસ્કિને સર્વથા નિષેધ કર્યો નથી.૩૨ તે માને છે કે મહાન કવિની રચનાઓમાં લાગણીનું ઉદાત્ત સ્વરૂપ જોવા મળે છે. તેઓ ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષમાં નથી પડતા. સામાન્ય કોટિના કવિઓ જ ઊર્મિલ હોય છે અને તેઓ પોતાની સંમુખ રહેલા વસ્તુજગતને યથાર્થ સ્વરૂપમાં ઓળખવાને અને તેનું આકલન કરવાને સમર્થ નથી હોતા. મહાન કવિઓમાં તો કાવ્યાનુભાવની ક્ષણે લાગણી અને બુદ્ધિ એ બન્નેનો ઉત્કર્ષ થાય છે.૩૩ સર્જનની આવી ઉત્કૃષ્ટ ક્ષણનું બયાન આપતાં રસ્કિન કહે છે : | આમ છતાં કવિતાની સૃષ્ટિમાં કવિની લાગણી કે તેના ઊર્મિતત્ત્વનો રસ્કિને સર્વથા નિષેધ કર્યો નથી.૩૨<ref>૩૨. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૪૫–૨૫૮</ref> તે માને છે કે મહાન કવિની રચનાઓમાં લાગણીનું ઉદાત્ત સ્વરૂપ જોવા મળે છે. તેઓ ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષમાં નથી પડતા. સામાન્ય કોટિના કવિઓ જ ઊર્મિલ હોય છે અને તેઓ પોતાની સંમુખ રહેલા વસ્તુજગતને યથાર્થ સ્વરૂપમાં ઓળખવાને અને તેનું આકલન કરવાને સમર્થ નથી હોતા. મહાન કવિઓમાં તો કાવ્યાનુભાવની ક્ષણે લાગણી અને બુદ્ધિ એ બન્નેનો ઉત્કર્ષ થાય છે.૩૩<ref>૩૩. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૪૫–૨૫૮</ref> સર્જનની આવી ઉત્કૃષ્ટ ક્ષણનું બયાન આપતાં રસ્કિન કહે છે : | ||
“The high creative poet might even be thought, to a great extent, impassive (as shallow people think Dante Stern), receiving indeed all feelings to the full, but having a great centre of reflection and knowledge in which he stands serene, and watches the feeling as it were from far off.”૩૪ | “The high creative poet might even be thought, to a great extent, impassive (as shallow people think Dante Stern), receiving indeed all feelings to the full, but having a great centre of reflection and knowledge in which he stands serene, and watches the feeling as it were from far off.”૩૪<ref>૩૪. English Critical Essays XIX Cent. ૩૮૭</ref> | ||
કાવ્યાનુભવની ઉત્કૃષ્ટ ક્ષણને અનુલક્ષીને પ્રસ્તુત કરેલા રસ્કિનના આ વિચારો ધ્યાનપાત્ર છે. રસ્કિન એમ કહે છે કે આવી કાવ્યાનુભવની ક્ષણોમાં કવિચિત્તમાં બુદ્ધિ અને લાગણીઓનો સૌથી વધુ પ્રબળ ઉન્મેષ પ્રગટ્યો હોય છે.૩૫ પરંતુ કવિ પોતાની લાગણીમાં મૂઢ બનતો નથી. તે તો સ્થિર પ્રજ્ઞાની નિર્મળ ભૂમિમાં ઊભો ઊભો ઊર્મિનું અવલોકન કરતો હોય છે.૩૬ રસ્કિનની આ વિચારણા રોમેન્ટિકોની કાવ્યભાવનાથી એક મહત્ત્વની બાબતમાં તાત્ત્વિક ભેદ દાખવે છે. આપણે આગળ ઉપર ચર્ચા કરતાં નોંધ્યું છે કે વર્ડ્ઝવર્થ, શેલી, બ્લેક આદિ રોમેન્ટિક કવિઓએ કવિતારચના માટે પોતાની રહસ્યાનુભૂતિ કે પ્રેરણાનુભૂતિ પર આધાર રાખ્યો હતો.૩૭ તેમને માટે રહસ્યાનુભૂતિ (કે પ્રેરણાનુભૂતિ) એ અખિલ કવિસંવિત્તિનો જ ઉન્મેષ છે. આ પ્રકારની અનુભૂતિનો બીજરૂપ વ્યાપાર વિશિષ્ટ કલ્પના છે. તેમાં લાગણી અને બુદ્ધિના વ્યાપારનું દ્વૈત અભિમત નથી. રોમાન્ટિકોને એ રહસ્યાનુભવ એના સ્વયંપૂર્ણ, અર્થપૂર્ણ, અખિલ સ્વરૂપમાં અપેક્ષિત છે. પ્રેરણાની ક્ષણના અનુભવને સમગ્રતયા આકલન કરવામાં તેમની સિદ્ધિ છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ પોતાના કાવ્યાનુભવની ક્ષણે બુદ્ધિ કે ઊર્મિ જેવા દ્વૈતવ્યાપારનો સ્વીકાર કરતા નથી તેમ બુદ્ધિના નિયંત્રણ દ્વારા ઊર્મિને રોકવાનો તેમનો કોઈ એવો આગ્રહ નથી. અલબત્ત, રસ્કિન પણ પ્રેરણાની ક્ષણને પ્રોજ્જ્વલ દશાની ગણે છે૩૮ પણ તેની સમગ્ર ચર્ચાવિચારણામાં લાગણી – બુદ્ધિના દ્વૈતનું નિરૂપણ જ પ્રધાન જણાય છે. રસ્કિનની Pathetic Fallacyની ચર્ચામાં મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે કવિની મહત્તા આ વસ્તુજગતના ભૌતિક સત્યનું નિરૂપણ કરવામાં રહી છે. રસ્કિનની આ વિચારણા વિવાદમુક્ત નથી. તેણે કવિતા દ્વારા વિશ્વના વસ્તુલક્ષી સત્યનો આગ્રહ રાખ્યો છે, પરંતુ કવિતાનું તો આગવું વિશ્વ હોય છે અને તેને આગવું સત્ય હોય છે એ ખ્યાલ તેમાં અવગણાયો જણાય છે. ક્રાન્તદ્રષ્ટા કવિની સૃષ્ટિ વસ્તુજગતના ભૌતિક સત્યમાં બંધાઈ જતી નથી. એનો અર્થ એ થયો કે કવિનો અભિગમ વૈજ્ઞાનિકના કરતાં આગવો છે,૩૯ તેમ તેનું કરણ પણ આગવું છે. વૈજ્ઞાનિકો વ્યક્તિનિરપેક્ષ એવા સત્યની દિશામાં—ભૌતિક સત્યની દિશામાં—આગળ વધે છે, તો કવિ પોતાની પ્રતિભાના બળે એક વધુ સત્ય વિશ્વનું નિર્માણ કરે છે. બીજી રીતે કહીએ તો, કવિતા એ માત્ર ભૌતિક સત્યની ઉપલબ્ધિનો જ વ્યાપાર નથી, એ તો સૌંદર્યમંડિત સૃષ્ટિ છે અને તેની નિર્મિતિમાં કવિનો વિશેષ પ્રગટ થાય છે.૪૦ રસ્કિને વિશ્વવાસ્તવના ભૌતિક સત્ય માટે આગ્રહ રાખ્યો. પણ કવિની સૃષ્ટિમાં તો કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ પ્રગટે છે અને બાહ્ય જગતના પદાર્થો નૂતન રૂપ ધારણ કરે છે એ હકીકતની અવગણના થવા પામી છે. | કાવ્યાનુભવની ઉત્કૃષ્ટ ક્ષણને અનુલક્ષીને પ્રસ્તુત કરેલા રસ્કિનના આ વિચારો ધ્યાનપાત્ર છે. રસ્કિન એમ કહે છે કે આવી કાવ્યાનુભવની ક્ષણોમાં કવિચિત્તમાં બુદ્ધિ અને લાગણીઓનો સૌથી વધુ પ્રબળ ઉન્મેષ પ્રગટ્યો હોય છે.૩૫<ref>૩૫. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પ૨-૫૩</ref> પરંતુ કવિ પોતાની લાગણીમાં મૂઢ બનતો નથી. તે તો સ્થિર પ્રજ્ઞાની નિર્મળ ભૂમિમાં ઊભો ઊભો ઊર્મિનું અવલોકન કરતો હોય છે.૩૬<ref>૩૬. જુઓ આ પ્રકરણની પૃ. પરની પાદટીપ.</ref> રસ્કિનની આ વિચારણા રોમેન્ટિકોની કાવ્યભાવનાથી એક મહત્ત્વની બાબતમાં તાત્ત્વિક ભેદ દાખવે છે. આપણે આગળ ઉપર ચર્ચા કરતાં નોંધ્યું છે કે વર્ડ્ઝવર્થ, શેલી, બ્લેક આદિ રોમેન્ટિક કવિઓએ કવિતારચના માટે પોતાની રહસ્યાનુભૂતિ કે પ્રેરણાનુભૂતિ પર આધાર રાખ્યો હતો.૩૭<ref>૩૭. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૨૬–૨૨૭</ref> તેમને માટે રહસ્યાનુભૂતિ (કે પ્રેરણાનુભૂતિ) એ અખિલ કવિસંવિત્તિનો જ ઉન્મેષ છે. આ પ્રકારની અનુભૂતિનો બીજરૂપ વ્યાપાર વિશિષ્ટ કલ્પના છે. તેમાં લાગણી અને બુદ્ધિના વ્યાપારનું દ્વૈત અભિમત નથી. રોમાન્ટિકોને એ રહસ્યાનુભવ એના સ્વયંપૂર્ણ, અર્થપૂર્ણ, અખિલ સ્વરૂપમાં અપેક્ષિત છે. પ્રેરણાની ક્ષણના અનુભવને સમગ્રતયા આકલન કરવામાં તેમની સિદ્ધિ છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ પોતાના કાવ્યાનુભવની ક્ષણે બુદ્ધિ કે ઊર્મિ જેવા દ્વૈતવ્યાપારનો સ્વીકાર કરતા નથી તેમ બુદ્ધિના નિયંત્રણ દ્વારા ઊર્મિને રોકવાનો તેમનો કોઈ એવો આગ્રહ નથી. અલબત્ત, રસ્કિન પણ પ્રેરણાની ક્ષણને પ્રોજ્જ્વલ દશાની ગણે છે૩૮<ref>૩૮. “But it is still a grandeur condition when the intellect also rises, till it is strong enough to assert its rule against, or together with the utmost efforts of the passions; and the whole man stands in an iron glow, white not, perhaps but still strong, and in no wise evaporating even if he melts, losing none of his weight.”<br> | ||
રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ના લેખમાં, પ્રથમ રસ્કિનના વિચારો ટાંકી, પછીથી તેનું વિસ્તૃત વિવરણ રજૂ કર્યું છે. આ લેખમાં તેમણે પોતાની ભૂમિકા ફરીથી સ્પષ્ટ કરી છે : “પ્રબળ ચિત્તક્ષોભથી અસ્વસ્થ અને વિવશ થઈ જઈ તથા મનોરાગ ઉપર વિવેકશક્તિનો છેવટનો કાબૂ જાળવી રાખવાને અસમર્થ થઈ પડી જે કવિ પ્રકૃતિમાંના પદાર્થો ઉપર મનુષ્યહૃદયના ભાવનું આરોપણ કરે છે, તે વૃત્તિમય ભાવાભાસની ભૂલમાં પડે છે. પોતાની વૃત્તિના પ્રબળથી તે એટલો અંજાઈ જાય છે કે જ્યાં તેવો ભાવ છે નહિ અને હોઈ શકે તેમ નથી ત્યાં તેવો ભાવ ચાલી રહેલો તે માની લે છે. આ મનોબળની ખામી છે અને તેટલે અંશે દૂષણ છે. કવિ પોતે આ ભૂલ ન કરે પણ પોતાના કોઈ પાત્ર પાસે કરાવે અને તે પાત્ર એ ભૂલ કરે એવું હોય તો જનસ્વભાવના ખરા ચિત્ર તરીકે એ વર્ણન દોષથી મુક્ત છે, પણ તે પાત્રના મનની નિર્બળતા એ સ્થિતિમાં છે જ. મનની અસ્વસ્થતા તથા વિવશતાને લીધે આવો ભાવાભાસ થયો ન હોય અને માત્ર કવિતામાં ચાલતા સંપ્રદાય ખાતર અથવા અમુક જાતનું ચિત્ર ઊભું કરવા ખાતર કવિ સ્વસ્થ મને આવા ભાવાભાસ જોડી કહાડે તથા પ્રકૃતિના પદાર્થો ઉપર મનુષ્યચિત્તના ભાવનું આરોપણ કરે (અથવા પોતાના પાત્ર પાસે એવી કૃતિ કરાવે) ત્યાં આ કેવળ દંભ જ છે, ત્યાં એવા આભાસનો કંઈ બચાવ જ થઈ શકે તેમ નથી અને રસ્કિન એવા લેખકને છેક અધમ કહે છે.”૪૧ | {{right|English Critical Essays XIX Cent. Ed. Jone : ૧૯૧૬ pp. ૩૮૫.}}<br></ref> પણ તેની સમગ્ર ચર્ચાવિચારણામાં લાગણી – બુદ્ધિના દ્વૈતનું નિરૂપણ જ પ્રધાન જણાય છે. રસ્કિનની Pathetic Fallacyની ચર્ચામાં મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે કવિની મહત્તા આ વસ્તુજગતના ભૌતિક સત્યનું નિરૂપણ કરવામાં રહી છે. રસ્કિનની આ વિચારણા વિવાદમુક્ત નથી. તેણે કવિતા દ્વારા વિશ્વના વસ્તુલક્ષી સત્યનો આગ્રહ રાખ્યો છે, પરંતુ કવિતાનું તો આગવું વિશ્વ હોય છે અને તેને આગવું સત્ય હોય છે એ ખ્યાલ તેમાં અવગણાયો જણાય છે. ક્રાન્તદ્રષ્ટા કવિની સૃષ્ટિ વસ્તુજગતના ભૌતિક સત્યમાં બંધાઈ જતી નથી. એનો અર્થ એ થયો કે કવિનો અભિગમ વૈજ્ઞાનિકના કરતાં આગવો છે,૩૯<ref>૩૯. જુઓ પ્રકરણ રની ચર્ચા - પૃ. ૧૦૮-૧૦૯</ref> તેમ તેનું કરણ પણ આગવું છે. વૈજ્ઞાનિકો વ્યક્તિનિરપેક્ષ એવા સત્યની દિશામાં—ભૌતિક સત્યની દિશામાં—આગળ વધે છે, તો કવિ પોતાની પ્રતિભાના બળે એક વધુ સત્ય વિશ્વનું નિર્માણ કરે છે. બીજી રીતે કહીએ તો, કવિતા એ માત્ર ભૌતિક સત્યની ઉપલબ્ધિનો જ વ્યાપાર નથી, એ તો સૌંદર્યમંડિત સૃષ્ટિ છે અને તેની નિર્મિતિમાં કવિનો વિશેષ પ્રગટ થાય છે.૪૦<ref>૪૦. કવિસૃષ્ટિની વિશિષ્ટતાને અનુલક્ષી ઉમાશંકર જોશી કહે છે : “કુન્તક કહે છે તેમ પ્રતિભાયાં તત્કાલોલ્લિખિતેન કેનચિત્ પરિસ્પન્દેન પરિસ્ફુરન્ત પદાર્થાઃ પ્રકૃતપ્રસ્તાવસમુચિતેન કેનચિદ્ ઉત્કર્ષેણ વા સમાચ્છાદિતસ્વભાવાઃ સન્તો વિવક્ષાવિધેયત્વેનાભિધેયતાપદવીમ અવતરન્તઃ તથાવિધવિશેષપ્રતિપાદન સમર્થેન અભિધાનેન અભિધીયમાનાઃ ચેતનચમત્કારિતામ્ આપદ્યન્તે || અર્થાત્ સર્જક કવિની પ્રતિભામાં ઊઠેલા કોઈક પરિસ્પન્દને લીધે બાહ્ય જગતના પદાર્થોનું પોતાનું સ્વરૂપ ઢંકાઈ જાય છે. તેઓ બહાર છે તેવાને તેવા કવિસૃષ્ટિમાં રહેવા પામતા નથી. કવિ જગતના વિષયોનું વિશેષભાવે ગ્રહણ કરે છે એ કવિની સાધનાના ઉપર નિર્દેશેલા પ્રથમ સોપાન ઉપર આ શબ્દોથી પ્રકાશ પડે છે.”<br> | ||
{{right|‘કવિની સાધના’ – વોરા એન્ડ પબ્લિશર્સ, મુંબઈ, આવૃત્તિ પહેલી, ૧૯૬૧, પૃ. ૧૬–૧૭}}<br></ref> રસ્કિને વિશ્વવાસ્તવના ભૌતિક સત્ય માટે આગ્રહ રાખ્યો. પણ કવિની સૃષ્ટિમાં તો કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ પ્રગટે છે અને બાહ્ય જગતના પદાર્થો નૂતન રૂપ ધારણ કરે છે એ હકીકતની અવગણના થવા પામી છે. | |||
રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ના લેખમાં, પ્રથમ રસ્કિનના વિચારો ટાંકી, પછીથી તેનું વિસ્તૃત વિવરણ રજૂ કર્યું છે. આ લેખમાં તેમણે પોતાની ભૂમિકા ફરીથી સ્પષ્ટ કરી છે : “પ્રબળ ચિત્તક્ષોભથી અસ્વસ્થ અને વિવશ થઈ જઈ તથા મનોરાગ ઉપર વિવેકશક્તિનો છેવટનો કાબૂ જાળવી રાખવાને અસમર્થ થઈ પડી જે કવિ પ્રકૃતિમાંના પદાર્થો ઉપર મનુષ્યહૃદયના ભાવનું આરોપણ કરે છે, તે વૃત્તિમય ભાવાભાસની ભૂલમાં પડે છે. પોતાની વૃત્તિના પ્રબળથી તે એટલો અંજાઈ જાય છે કે જ્યાં તેવો ભાવ છે નહિ અને હોઈ શકે તેમ નથી ત્યાં તેવો ભાવ ચાલી રહેલો તે માની લે છે. આ મનોબળની ખામી છે અને તેટલે અંશે દૂષણ છે. કવિ પોતે આ ભૂલ ન કરે પણ પોતાના કોઈ પાત્ર પાસે કરાવે અને તે પાત્ર એ ભૂલ કરે એવું હોય તો જનસ્વભાવના ખરા ચિત્ર તરીકે એ વર્ણન દોષથી મુક્ત છે, પણ તે પાત્રના મનની નિર્બળતા એ સ્થિતિમાં છે જ. મનની અસ્વસ્થતા તથા વિવશતાને લીધે આવો ભાવાભાસ થયો ન હોય અને માત્ર કવિતામાં ચાલતા સંપ્રદાય ખાતર અથવા અમુક જાતનું ચિત્ર ઊભું કરવા ખાતર કવિ સ્વસ્થ મને આવા ભાવાભાસ જોડી કહાડે તથા પ્રકૃતિના પદાર્થો ઉપર મનુષ્યચિત્તના ભાવનું આરોપણ કરે (અથવા પોતાના પાત્ર પાસે એવી કૃતિ કરાવે) ત્યાં આ કેવળ દંભ જ છે, ત્યાં એવા આભાસનો કંઈ બચાવ જ થઈ શકે તેમ નથી અને રસ્કિન એવા લેખકને છેક અધમ કહે છે.”૪૧<ref>૪૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૧૯૬</ref> | |||
આ અવતરણમાં રમણભાઈએ જે વિચારણા રજૂ કરી છે તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે : | આ અવતરણમાં રમણભાઈએ જે વિચારણા રજૂ કરી છે તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે : | ||
(અ) પ્રબળ ચિત્તક્ષોભની ક્ષણે કવિચિત્ત લાગણીમૂઢ બને છે ત્યારે ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ સંભવે છે. તેમની આ વિચારણા રસ્કિનને બરાબર અનુસરે છે. | (અ) પ્રબળ ચિત્તક્ષોભની ક્ષણે કવિચિત્ત લાગણીમૂઢ બને છે ત્યારે ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ સંભવે છે. તેમની આ વિચારણા રસ્કિનને બરાબર અનુસરે છે. | ||
| Line 68: | Line 81: | ||
'''પ્રશ્ન વિશે મણિલાલની ટીકા : અને રમણભાઈનો પ્રતિવાદ''' | '''પ્રશ્ન વિશે મણિલાલની ટીકા : અને રમણભાઈનો પ્રતિવાદ''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈ. સ. ૧૮૯૮માં મણિલાલે ‘સુદર્શન’ના અંકમાં ‘પૃથુરાજરાસા’નું અવલોકન કર્યું તેમાં એ કાવ્યગ્રંથના ‘અવતરણ’માંની રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાની ટીકા કરી.૪૨ રમણભાઈની મૂળ ચર્ચા તો એ કાવ્યગ્રંથના અમુક વર્ણનાત્મક ખંડને અનુલક્ષીને જન્મેલી એ આપણે જોયું.૪૩ પરંતુ રમણભાઈએ તેની તાત્ત્વિક માંડણી કરતાં પ્રકૃતિનું સ્વરૂપ અને કવિકલ્પનાને લગતી જે અછડતી વિચારણા રજૂ કરી તેમાંથી મણિલાલે મહત્ત્વના મુદ્દાઓની ટૂંકી પણ માર્મિક સમીક્ષા કરી. મણિલાલની વિચારણામાં ભાવાભાસના દોષની ચર્ચા નિમિત્તે સર્જકપ્રતિભાના સ્વરૂપનો પ્રશ્ન કેન્દ્રમાં આવ્યો અને એ રીતે તેમની કાવ્યચર્ચામાં એક વ્યાપક પ્રશ્નનો સ્પર્શ થયો. આપણે પ્રથમ મણિલાલના વિચારો નોંધીશું : | ઈ. સ. ૧૮૯૮માં મણિલાલે ‘સુદર્શન’ના અંકમાં ‘પૃથુરાજરાસા’નું અવલોકન કર્યું તેમાં એ કાવ્યગ્રંથના ‘અવતરણ’માંની રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાની ટીકા કરી.૪૨<ref>૪૨. ‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લખાણ પૃઃ ૯૮૩–૮૬ (‘સુદર્શન-ગદ્યાવલિ’ પ્ર. હિંમતલાલ પંડ્યા, પ્રાણશંકર જોશી પ્રથમાવૃત્તિ : અમદાવાદ : ઈ.સ. ૧૯૦૯</ref> રમણભાઈની મૂળ ચર્ચા તો એ કાવ્યગ્રંથના અમુક વર્ણનાત્મક ખંડને અનુલક્ષીને જન્મેલી એ આપણે જોયું.૪૩<ref>૪૩. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯–૧૫૩</ref> પરંતુ રમણભાઈએ તેની તાત્ત્વિક માંડણી કરતાં પ્રકૃતિનું સ્વરૂપ અને કવિકલ્પનાને લગતી જે અછડતી વિચારણા રજૂ કરી તેમાંથી મણિલાલે મહત્ત્વના મુદ્દાઓની ટૂંકી પણ માર્મિક સમીક્ષા કરી. મણિલાલની વિચારણામાં ભાવાભાસના દોષની ચર્ચા નિમિત્તે સર્જકપ્રતિભાના સ્વરૂપનો પ્રશ્ન કેન્દ્રમાં આવ્યો અને એ રીતે તેમની કાવ્યચર્ચામાં એક વ્યાપક પ્રશ્નનો સ્પર્શ થયો. આપણે પ્રથમ મણિલાલના વિચારો નોંધીશું : | ||
(૧) મણિલાલે રમણભાઈની વિચારણામાં પ્રકૃતિના સ્વરૂપ અંગે જે ખ્યાલો પ્રગટ થયા હતા, તેની સૈદ્ધાંતિક ભૂમિકાને જ પડકારી છે. રમણભાઈએ એમ કહેલું કે પ્રકૃતિ જડ છે અને “મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન” એ જડ પ્રકૃતિને થવું શક્ય નથી.૪૪ રમણભાઈએ એમ પણ કહેલું કે મનુષ્યોના સુખદુઃખને સમયે પ્રકૃતિમાં માનવ પ્રત્યે કોઈ પ્રકારનો સમભાવ સંભવી શકતો નથી.૪૫ એટલે આ પ્રકારના કાવ્યવર્ણનમાં ‘સત્યના એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના કરવામાં અકવિત્વ જ પ્રગટે૪૬ એમ તેઓ માને છે. | (૧) મણિલાલે રમણભાઈની વિચારણામાં પ્રકૃતિના સ્વરૂપ અંગે જે ખ્યાલો પ્રગટ થયા હતા, તેની સૈદ્ધાંતિક ભૂમિકાને જ પડકારી છે. રમણભાઈએ એમ કહેલું કે પ્રકૃતિ જડ છે અને “મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન” એ જડ પ્રકૃતિને થવું શક્ય નથી.૪૪<ref>૪૪. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯–૧૫૩</ref> રમણભાઈએ એમ પણ કહેલું કે મનુષ્યોના સુખદુઃખને સમયે પ્રકૃતિમાં માનવ પ્રત્યે કોઈ પ્રકારનો સમભાવ સંભવી શકતો નથી.૪૫<ref>૪૫. એજન પૃ. ૧૪૯–૧૫૩</ref> એટલે આ પ્રકારના કાવ્યવર્ણનમાં ‘સત્યના એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના કરવામાં અકવિત્વ જ પ્રગટે૪૬<ref>૪૬. એજન પૃ. ૧૪૯-૧૫૩</ref> એમ તેઓ માને છે. | ||
મણિલાલે રમણભાઈની પ્રસ્તુત વિચારણાને ટૂંકમાં પૂર્વપક્ષ લેખે સ્થાપી તેની આલોચના કરતાં કહ્યું : | મણિલાલે રમણભાઈની પ્રસ્તુત વિચારણાને ટૂંકમાં પૂર્વપક્ષ લેખે સ્થાપી તેની આલોચના કરતાં કહ્યું : | ||
“ત્યારે પ્રકૃતિના માન્ય થયેલા સત્ય કરતાં અધિક એવું કંઈ પણ કહેવું તે સત્યથી વિરુદ્ધ છે અને સત્યવિરોધી વાર્તાનો આશ્રય કરી કાવ્યરચના કરવી તે વાસ્તવિક નથી એમ રા. રમણભાઈના કહેવાનું તાત્પર્ય સમજાય છે. આ પ્રકારે જોતાં તો અદ્ભુત રસને રસમાં ગણવો કે નહિ એ શંકા ભરેલું થઈ પડે, એટલું જ નહિ પણ પદાર્થ માત્રના નિગૂઢ સત્યને અને સૂક્ષ્મ સ્વરૂપને પણ જોવાની શક્તિ ધરાવનાર કવિને પણ પ્રકૃતિને, જે સત્ય આપણને સ્વરૂપે મનાયાં હોય તેટલી જ મર્યાદામાં નિયંત્રિત કરી રાખી, તેના કવિત્વ ઉપર અંકુશ મૂકવાનો પ્રસંગ આવી પડે. પ્રકૃતિનાં સત્ય માત્ર સર્વ કાલે જણાયેલાં હોતાં નથી, અત્યારે આટલા વિદ્યાવૃદ્ધિના સમયમાં પણ પ્રકૃતિના સર્વ રીતે આપણે ધણી છીએ એવું કહી શકાતું નથી, ત્યાં પ્રકૃતિનાં સત્યોને વળગી રહેવાની કવિને ભલામણ કરવી કેટલે અંશે વાસ્તવિક એટલે કવિત્વને પોષક ગણાશે તે વિચારવાનું છે.”૪૭ મણિલાલે પોતાની આ દલીલના સમર્થનમાં કવિ કાલિદાસના અભિજ્ઞાન શાંકુતલના ચોથા અંકમાંથી એક શ્લોક ટાંક્યો છે. એ સંદર્ભ આ પ્રમાણે છે :૪૮ | “ત્યારે પ્રકૃતિના માન્ય થયેલા સત્ય કરતાં અધિક એવું કંઈ પણ કહેવું તે સત્યથી વિરુદ્ધ છે અને સત્યવિરોધી વાર્તાનો આશ્રય કરી કાવ્યરચના કરવી તે વાસ્તવિક નથી એમ રા. રમણભાઈના કહેવાનું તાત્પર્ય સમજાય છે. આ પ્રકારે જોતાં તો અદ્ભુત રસને રસમાં ગણવો કે નહિ એ શંકા ભરેલું થઈ પડે, એટલું જ નહિ પણ પદાર્થ માત્રના નિગૂઢ સત્યને અને સૂક્ષ્મ સ્વરૂપને પણ જોવાની શક્તિ ધરાવનાર કવિને પણ પ્રકૃતિને, જે સત્ય આપણને સ્વરૂપે મનાયાં હોય તેટલી જ મર્યાદામાં નિયંત્રિત કરી રાખી, તેના કવિત્વ ઉપર અંકુશ મૂકવાનો પ્રસંગ આવી પડે. પ્રકૃતિનાં સત્ય માત્ર સર્વ કાલે જણાયેલાં હોતાં નથી, અત્યારે આટલા વિદ્યાવૃદ્ધિના સમયમાં પણ પ્રકૃતિના સર્વ રીતે આપણે ધણી છીએ એવું કહી શકાતું નથી, ત્યાં પ્રકૃતિનાં સત્યોને વળગી રહેવાની કવિને ભલામણ કરવી કેટલે અંશે વાસ્તવિક એટલે કવિત્વને પોષક ગણાશે તે વિચારવાનું છે.”૪૭<ref>૪૭. ‘સુદર્શન ગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ ૯૮૬</ref> મણિલાલે પોતાની આ દલીલના સમર્થનમાં કવિ કાલિદાસના અભિજ્ઞાન શાંકુતલના ચોથા અંકમાંથી એક શ્લોક ટાંક્યો છે. એ સંદર્ભ આ પ્રમાણે છે :૪૮<ref>૪૮. ‘સુદર્શન ગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ ૯૮૬</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>“શકુંતલા કણ્વનો આશ્રમ છોડીને જાય છે તે પ્રસંગે | {{Block center|'''<poem>“શકુંતલા કણ્વનો આશ્રમ છોડીને જાય છે તે પ્રસંગે | ||
| Line 77: | Line 90: | ||
પીળાં પર્ણ ખરંતી લતા ઢાળતી શું આંસુડાં વનમાં.”</poem>'''}} | પીળાં પર્ણ ખરંતી લતા ઢાળતી શું આંસુડાં વનમાં.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– એવું વર્ણન આપેલું છે, જેને સર્ગ ૧૦ના શ્લોક ૨૦માંની ટીકામાં રા. નૃરસિંહરાવ લખે છે કે “શાકુન્તલ નાટકમાં પણ હાવી રમણીય અને સુરચિયુક્ત કલ્પના છે.” ઉત્તરાર્ધમાં શું એમ ઉત્પ્રેક્ષા બાંધેલી છે તેવી પ્રકૃતિના સત્ય વિરુદ્ધ આમાં કાંઈ નથી એમ કહેવાનો અવકાશ ન ધારવો, કેમકે એવી ઉત્પ્રેક્ષાની કલ્પના તો અન્ય સ્થાને, અનુક્ત છતાં પણ કરી શકાય. અવલોકનકારને જ્યાં કાવ્યત્વ લાગતું નથી, ત્યાં ટીકાકારને રમણીયત્વ લાગે છે. આમ એકના એક આ રાસાના લેખમાં જ બે વિદ્વાનો વચ્ચે આ વિષયે મતભેદ છે : તો તે વિષે સ્વાભાવિક રીતે ચર્ચા કરવાનો બહુ અવકાશ છે.”૪૯ | – એવું વર્ણન આપેલું છે, જેને સર્ગ ૧૦ના શ્લોક ૨૦માંની ટીકામાં રા. નૃરસિંહરાવ લખે છે કે “શાકુન્તલ નાટકમાં પણ હાવી રમણીય અને સુરચિયુક્ત કલ્પના છે.” ઉત્તરાર્ધમાં શું એમ ઉત્પ્રેક્ષા બાંધેલી છે તેવી પ્રકૃતિના સત્ય વિરુદ્ધ આમાં કાંઈ નથી એમ કહેવાનો અવકાશ ન ધારવો, કેમકે એવી ઉત્પ્રેક્ષાની કલ્પના તો અન્ય સ્થાને, અનુક્ત છતાં પણ કરી શકાય. અવલોકનકારને જ્યાં કાવ્યત્વ લાગતું નથી, ત્યાં ટીકાકારને રમણીયત્વ લાગે છે. આમ એકના એક આ રાસાના લેખમાં જ બે વિદ્વાનો વચ્ચે આ વિષયે મતભેદ છે : તો તે વિષે સ્વાભાવિક રીતે ચર્ચા કરવાનો બહુ અવકાશ છે.”૪૯<ref>૪૯. એજન, પૃ. ૧૪૯–૧૫૩</ref> | ||
(૨) મણિલાલે પોતાની સંક્ષિપ્ત વિચારણાનું સમાપન કરતાં એક દાર્શનિક વિચાર રજૂ કર્યો છે, તે પણ અત્યંત નોંધપાત્ર છે : “પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્ય લાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઈ જવાનું ભય રહે છે, અને કાવ્યપદ્ધતિ જ નવી કરવી પડે એવું લાગે છે. કાવ્યનું રચનાર જ મનુષ્ય છે. એટલે તે પોતાના ભાવનો આરોપ કર્યા વિના પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસ અનુભવે નહિ તો અન્ય માર્ગે કાવ્યત્વ સિદ્ધ કરવું એમાં બહુ રમણીયત્વ રહે કે નહિ તે શંકારૂપ છે.”૫૦ | (૨) મણિલાલે પોતાની સંક્ષિપ્ત વિચારણાનું સમાપન કરતાં એક દાર્શનિક વિચાર રજૂ કર્યો છે, તે પણ અત્યંત નોંધપાત્ર છે : “પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્ય લાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઈ જવાનું ભય રહે છે, અને કાવ્યપદ્ધતિ જ નવી કરવી પડે એવું લાગે છે. કાવ્યનું રચનાર જ મનુષ્ય છે. એટલે તે પોતાના ભાવનો આરોપ કર્યા વિના પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસ અનુભવે નહિ તો અન્ય માર્ગે કાવ્યત્વ સિદ્ધ કરવું એમાં બહુ રમણીયત્વ રહે કે નહિ તે શંકારૂપ છે.”૫૦<ref>૫૦. એજન પૃ. ૯૮૬</ref> | ||
મણિલાલની ચર્ચાવિચારણા ’વૃત્તિમય ભાવાભાસ’ના દોષવિચારની સાંકડી સીમાને અતિક્રમી કવિપ્રતિભાનો વ્યાપક ખ્યાલ સ્પર્શે છે તે સ્પષ્ટ જણાશે. એમાં તેમની વેદાંતદર્શનની ભૂમિકા અનુસ્યૂત રહેલી છે. આ દેખાતા વિશ્વનાં અનંત લીલામય રૂપોનો સ્વીકાર છતાં અંતિમ સાક્ષાત્કારમાં તો પરમ ચૈતન્યની એક માત્ર સત્તા જ રહે છે.૫૧ એ સાક્ષાત્કારની ક્ષણોમાં જડચેતન-પ્રકૃતિ પુરુષનું અદ્વૈત જ અનુભવમાં આવે છે. આ પ્રકારની દાર્શનિક શ્રદ્ધા ધરાવનાર મણિલાલ જડ પ્રકૃતિની સર્વથા અલગ સત્તા સ્વીકારે નહિ એ સ્પષ્ટ છે. તેમની ઉપરોક્ત વિચારણાનું તાત્પર્ય એ જણાય છે કે કાવ્યનો ઊગમ જ કવિની ચેતના છે.૫૨ એ કવિચેતના જ કાવ્યાનુભવની ક્ષણે વિસ્તરીને સમગ્ર વિશ્વના પદાર્થોને રસયુક્ત બનાવી દે છે. જડ પ્રકૃતિના પદાર્થોના નિગૂઢ સત્ત્વ અને સૂક્ષ્મ સ્વરૂપને જોવાની કવિની દૃષ્ટિ ક્રાન્તદર્શી છે. કવિ, પ્રકૃતિના પદાર્થોમાં ભાવનું આરોપણ કરે છે એમ કહેવા કરતાં, કવિની ચેતના સ્વ- ભાવથી જ વિશ્વના પદાર્થોનું આકલન કરે છે૫૩ એમ કહેવું વધુ સયુક્તિક જણાય છે. | મણિલાલની ચર્ચાવિચારણા ’વૃત્તિમય ભાવાભાસ’ના દોષવિચારની સાંકડી સીમાને અતિક્રમી કવિપ્રતિભાનો વ્યાપક ખ્યાલ સ્પર્શે છે તે સ્પષ્ટ જણાશે. એમાં તેમની વેદાંતદર્શનની ભૂમિકા અનુસ્યૂત રહેલી છે. આ દેખાતા વિશ્વનાં અનંત લીલામય રૂપોનો સ્વીકાર છતાં અંતિમ સાક્ષાત્કારમાં તો પરમ ચૈતન્યની એક માત્ર સત્તા જ રહે છે.૫૧ એ સાક્ષાત્કારની ક્ષણોમાં જડચેતન-પ્રકૃતિ પુરુષનું અદ્વૈત જ અનુભવમાં આવે છે. આ પ્રકારની દાર્શનિક શ્રદ્ધા ધરાવનાર મણિલાલ જડ પ્રકૃતિની સર્વથા અલગ સત્તા સ્વીકારે નહિ એ સ્પષ્ટ છે. તેમની ઉપરોક્ત વિચારણાનું તાત્પર્ય એ જણાય છે કે કાવ્યનો ઊગમ જ કવિની ચેતના છે.૫૨ એ કવિચેતના જ કાવ્યાનુભવની ક્ષણે વિસ્તરીને સમગ્ર વિશ્વના પદાર્થોને રસયુક્ત બનાવી દે છે. જડ પ્રકૃતિના પદાર્થોના નિગૂઢ સત્ત્વ અને સૂક્ષ્મ સ્વરૂપને જોવાની કવિની દૃષ્ટિ ક્રાન્તદર્શી છે. કવિ, પ્રકૃતિના પદાર્થોમાં ભાવનું આરોપણ કરે છે એમ કહેવા કરતાં, કવિની ચેતના સ્વ- ભાવથી જ વિશ્વના પદાર્થોનું આકલન કરે છે૫૩ એમ કહેવું વધુ સયુક્તિક જણાય છે. | ||
મણિલાલે એમ કહ્યું છે કે પ્રકૃતિની જડતા સ્વીકારી લેવામાં તો કવિની પ્રતિભાને બંધન ઊભું થાય છે. સામાન્ય અનુભવમાં આવતું જગત તો ઘણું જ સીમિત અને અસત્યરૂપ હોવા સંભવ છે. પ્રકૃતિનાં આજ સુધી ઉપલબ્ધ થયેલાં સત્યો પણ કદાચ છીછરાં અને અધૂરાં છે. કવિની પ્રતિભા જ એ વિશ્વવાસ્તવના અગોચર પ્રાંતનાં રહસ્યો સહજ વિઘુલ્લેખાના ઝબકારમાં ઉપલબ્ધ કરી લે છે.૫૪ અને નવાં નવાં રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે, આ રીતે વિચારતાં જણાશે કે જ્યાં રમણભાઈ કવિને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોની સીમામાં બાંધી લેવા ચાહે છે ત્યાં મણિલાલ તેને અજ્ઞાતમાં સ્વતંત્ર રીતે વિહરવાને અવકાશ આપે.છે. મણિલાલની દૃષ્ટિમાં નિત્યનૂતન એવા વિશ્વની ગૂઢ રહસ્યમયતાને તાગવાની અપેક્ષા છે. કવિની પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા એ વસ્તુજગતનો નિત્યનૂતન ઉન્મેષ પામી તેનું વધુ પૂર્ણ સત્ય ઉપલબ્ધ કરવાની એ અપેક્ષા છે. | મણિલાલે એમ કહ્યું છે કે પ્રકૃતિની જડતા સ્વીકારી લેવામાં તો કવિની પ્રતિભાને બંધન ઊભું થાય છે. સામાન્ય અનુભવમાં આવતું જગત તો ઘણું જ સીમિત અને અસત્યરૂપ હોવા સંભવ છે. પ્રકૃતિનાં આજ સુધી ઉપલબ્ધ થયેલાં સત્યો પણ કદાચ છીછરાં અને અધૂરાં છે. કવિની પ્રતિભા જ એ વિશ્વવાસ્તવના અગોચર પ્રાંતનાં રહસ્યો સહજ વિઘુલ્લેખાના ઝબકારમાં ઉપલબ્ધ કરી લે છે.૫૪ અને નવાં નવાં રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે, આ રીતે વિચારતાં જણાશે કે જ્યાં રમણભાઈ કવિને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોની સીમામાં બાંધી લેવા ચાહે છે ત્યાં મણિલાલ તેને અજ્ઞાતમાં સ્વતંત્ર રીતે વિહરવાને અવકાશ આપે.છે. મણિલાલની દૃષ્ટિમાં નિત્યનૂતન એવા વિશ્વની ગૂઢ રહસ્યમયતાને તાગવાની અપેક્ષા છે. કવિની પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા એ વસ્તુજગતનો નિત્યનૂતન ઉન્મેષ પામી તેનું વધુ પૂર્ણ સત્ય ઉપલબ્ધ કરવાની એ અપેક્ષા છે. | ||
| Line 162: | Line 175: | ||
'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||
૧. રસ્કિનના મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ Pathetic Fallacy માટે રમણભાઈએ વૃત્તિમય ભાવાભાસ એવો શબ્દપ્રયોગ કર્યો. નરસિંહરાવે એ માટે ‘અસત્ય ભાવારોપણ’ એવો શબ્દપ્રયોગ આગળ ધર્યો, રમણભાઈનો વૃત્તિમય ભાવાભાસ પ્રયોગ તેમને સમાધાનકારક લાગ્યો નથી. એ માટે તેમણે કેટલીક ચર્ચા કરી છે. આપણે નરસિંહરાવની પ્રસ્તુત વિષયની વિચારણા કરતાં, (પ્રકરણ ૧૨માં) તેની નોંધ લઈશું. અહીં એ પણ નોંધવું જોઈએ કે આપણા બીજા વિદ્વાન ડોલરરાય માંકડે Pathetic Fallacy માટે ઊર્મિજન્ય ભાવાભાસ પ્રયોગ કર્યો છે. | <ref>૧. રસ્કિનના મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ Pathetic Fallacy માટે રમણભાઈએ વૃત્તિમય ભાવાભાસ એવો શબ્દપ્રયોગ કર્યો. નરસિંહરાવે એ માટે ‘અસત્ય ભાવારોપણ’ એવો શબ્દપ્રયોગ આગળ ધર્યો, રમણભાઈનો વૃત્તિમય ભાવાભાસ પ્રયોગ તેમને સમાધાનકારક લાગ્યો નથી. એ માટે તેમણે કેટલીક ચર્ચા કરી છે. આપણે નરસિંહરાવની પ્રસ્તુત વિષયની વિચારણા કરતાં, (પ્રકરણ ૧૨માં) તેની નોંધ લઈશું. અહીં એ પણ નોંધવું જોઈએ કે આપણા બીજા વિદ્વાન ડોલરરાય માંકડે Pathetic Fallacy માટે ઊર્મિજન્ય ભાવાભાસ પ્રયોગ કર્યો છે.</ref> | ||
૨. ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ૨ માં આ ‘અવતરણ’ ગ્રંથસ્થ થયું છે. તેમાં પૃ. ૧૮૯-૧૮૨ પર ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા મળે છે. (‘કવિતા અને સાહિત્ય’, વૉ. ૨ જું ગુજરા વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ; આવૃત્તિ રજી : ૧૯૨૭) | <ref>૨. ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ૨ માં આ ‘અવતરણ’ ગ્રંથસ્થ થયું છે. તેમાં પૃ. ૧૮૯-૧૮૨ પર ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા મળે છે. (‘કવિતા અને સાહિત્ય’, વૉ. ૨ જું ગુજરા વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ; આવૃત્તિ રજી : ૧૯૨૭)</ref> | ||
૩. ઈ. સ. ૧૮૯૮માં જુલાઈના ‘સુદર્શન’માં મણિલાલે ‘પૃથુરાજરાસા’નું અવલોકન કરેલું. તેમાં રમણભાઈના ‘અવતરણ’માંના મુદ્દાઓની ચર્ચા મળે છે. (‘સુદર્શનગદ્યાવલિ’માં પૃ. ૯૮૩ પર આ લખાણ ગ્રંથસ્થ થયું છે.) | <ref>૩. ઈ. સ. ૧૮૯૮માં જુલાઈના ‘સુદર્શન’માં મણિલાલે ‘પૃથુરાજરાસા’નું અવલોકન કરેલું. તેમાં રમણભાઈના ‘અવતરણ’માંના મુદ્દાઓની ચર્ચા મળે છે. (‘સુદર્શનગદ્યાવલિ’માં પૃ. ૯૮૩ પર આ લખાણ ગ્રંથસ્થ થયું છે.)</ref> | ||
૪. ઈ.સ. ૧૮૯૯માં જુલાઈના ‘સુદર્શન’માં આચાર્ય આનંદશંકર ધ્રુવે “પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી ઉદ્ભવતી એક ચર્ચા”નામે લેખ લખેલો. અત્યારે ‘કાવ્યતત્ત્વવિચાર’ ગ્રંથમાં એ ઉપલબ્ધ છે. (‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૦ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ઈ.સ. ૧૯૪૭) | <ref>૪. ઈ.સ. ૧૮૯૯માં જુલાઈના ‘સુદર્શન’માં આચાર્ય આનંદશંકર ધ્રુવે “પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી ઉદ્ભવતી એક ચર્ચા”નામે લેખ લખેલો. અત્યારે ‘કાવ્યતત્ત્વવિચાર’ ગ્રંથમાં એ ઉપલબ્ધ છે. (‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૦ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ઈ.સ. ૧૯૪૭)</ref> | ||
૫. ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ૧માં (પૃ. ૧૮૬-૨૪૦ પર) ગ્રંથસ્થ લેખ. (‘કવિતા અને સાહિત્ય’ : ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદ : આવૃત્તિ બીજીનું પુનર્મુદ્રણ : ઈ.સ. ૧૯૬૨) | <ref>૫. ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ૧માં (પૃ. ૧૮૬-૨૪૦ પર) ગ્રંથસ્થ લેખ. (‘કવિતા અને સાહિત્ય’ : ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદ : આવૃત્તિ બીજીનું પુનર્મુદ્રણ : ઈ.સ. ૧૯૬૨)</ref> | ||
૬. આ લેખ ‘કાવ્યતત્ત્વવિચાર’(ઉપર નિર્દિષ્ટ આવૃત્તિ)માં ગ્રંથસ્થ થયો છે. એમાં પૃ. ૧૪૪-૧૪૯ પરની ચર્ચા. | <ref>૬. આ લેખ ‘કાવ્યતત્ત્વવિચાર’(ઉપર નિર્દિષ્ટ આવૃત્તિ)માં ગ્રંથસ્થ થયો છે. એમાં પૃ. ૧૪૪-૧૪૯ પરની ચર્ચા.</ref> | ||
૭. ‘મનોમુકુર’ - ભા. ૧માં ગ્રંથસ્થ લેખઃ પૃ. ૨૦૧-૨૫૦ (‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ. આવૃત્તિ ૧લી. ઈ.સ. ૧૯૨૪) | <ref>૭. ‘મનોમુકુર’ - ભા. ૧માં ગ્રંથસ્થ લેખઃ પૃ. ૨૦૧-૨૫૦ (‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ. આવૃત્તિ ૧લી. ઈ.સ. ૧૯૨૪)</ref> | ||
૮. ‘કાવ્યવિવેચન’માં ગ્રંથસ્થ લેખ : ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ (‘કાવ્યવિવેચન’ ચારુતર પ્રકાશન : વલ્લભવિદ્યાનગર : ઈ.સ. ૧૯૪૯) | <ref>૮. ‘કાવ્યવિવેચન’માં ગ્રંથસ્થ લેખ : ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ (‘કાવ્યવિવેચન’ ચારુતર પ્રકાશન : વલ્લભવિદ્યાનગર : ઈ.સ. ૧૯૪૯)</ref> | ||
૯. ‘પર્યેપણા’માં ગ્રંથસ્થ લેખઃ ‘વૃત્તિમય ભાવાભાસ’(‘પર્યેપણા’ વોરા ઍન્ડ કંપની ૧૯૫૩ – પ્રથમ આવૃત્તિ) | <ref>૯. ‘પર્યેપણા’માં ગ્રંથસ્થ લેખઃ ‘વૃત્તિમય ભાવાભાસ’(‘પર્યેપણા’ વોરા ઍન્ડ કંપની ૧૯૫૩ – પ્રથમ આવૃત્તિ)</ref> | ||
૧૦. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ. ૪૦-૫૦ | <ref>૧૦. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ. ૪૦-૫૦</ref> | ||
૧૧. એજન પૃ. ૪૦-૫૦ | <ref>૧૧. એજન પૃ. ૪૦-૫૦</ref> | ||
૧૨. એજન પૃ. ૪૦-૫૦ | <ref>૧૨. એજન પૃ. ૪૦-૫૦</ref> | ||
૧૩. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ ૪૦-૫૦ | <ref>૧૩. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ ૪૦-૫૦</ref> | ||
૧૪. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ જું : પૃ. ૧૭૯-૧૮૧ (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, આવૃત્તિ બીજી, ઈ.સ. ૧૯૨૭) | <ref>૧૪. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ જું : પૃ. ૧૭૯-૧૮૧ (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, આવૃત્તિ બીજી, ઈ.સ. ૧૯૨૭)</ref> | ||
૧૫. એજન પૃ. ૧૭૯ | <ref>૧૫. એજન પૃ. ૧૭૯</ref> | ||
૧૬. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. રજું : (આવૃત્તિ - આગળ નિર્દિષ્ટ ) પૃ. ૧૮૦ | <ref>૧૬. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. રજું : (આવૃત્તિ - આગળ નિર્દિષ્ટ ) પૃ. ૧૮૦</ref> | ||
૧૭. ‘કવિતા અને સાહિત્ય’ : પૃ. ૧૮૦–૧૮૧ (આવૃત્તિ – આગળ નિર્દિષ્ટ) | <ref>૧૭. ‘કવિતા અને સાહિત્ય’ : પૃ. ૧૮૦–૧૮૧ (આવૃત્તિ – આગળ નિર્દિષ્ટ)</ref> | ||
૧૮. Kavyaprakash : Bhandarkar Oriental Research Institute Poona, VII Edn. pp-૨. | <ref>૧૮. Kavyaprakash : Bhandarkar Oriental Research Institute Poona, VII Edn. pp-૨.</ref> | ||
૧૯. ‘નિયતિકૃત નિયમરહિતાં’ વિષે ‘બાલબોધિ’ની ટીકામાં આ પ્રમાણે વ્યાખ્યા છે : ‘નિયમ્યન્તે સૌરભાદયો ધર્મા અનયેતી વ્યુત્પત્ત્યા નિયતિરસાધારણો ધર્મઃ પદ્મત્વાદિરૂપસ્તત્કૃતો નિયમશ્ચ યત્ર સૌરભવિશેષાદેઃ ઇતિ વ્યાપ્તિસ્તદ્રહિતામ્ | કાન્તામુખેડપિ કવિપ્રતિભાનિર્મિતસૌરભવિશેષાદેઃ સત્ત્વાદિતિ ભાવઃ | યદ્વા નિયતિ દૈવાપરપર્યાયમદષ્ટમ આમુષ્મિક સ્વર્ગાદિજનમ.... તત્કૃતો નિયમશ્ચ સ્વર્ગાદિયોગ્ય શરીરાન્તરોત્પાદન દ્વારેવ સ્વર્ગોપધાયક્ત્વરૂપ | ibid. p.p. ૨. | <ref>૧૯. ‘નિયતિકૃત નિયમરહિતાં’ વિષે ‘બાલબોધિ’ની ટીકામાં આ પ્રમાણે વ્યાખ્યા છે : ‘નિયમ્યન્તે સૌરભાદયો ધર્મા અનયેતી વ્યુત્પત્ત્યા નિયતિરસાધારણો ધર્મઃ પદ્મત્વાદિરૂપસ્તત્કૃતો નિયમશ્ચ યત્ર સૌરભવિશેષાદેઃ ઇતિ વ્યાપ્તિસ્તદ્રહિતામ્ | કાન્તામુખેડપિ કવિપ્રતિભાનિર્મિતસૌરભવિશેષાદેઃ સત્ત્વાદિતિ ભાવઃ | યદ્વા નિયતિ દૈવાપરપર્યાયમદષ્ટમ આમુષ્મિક સ્વર્ગાદિજનમ.... તત્કૃતો નિયમશ્ચ સ્વર્ગાદિયોગ્ય શરીરાન્તરોત્પાદન દ્વારેવ સ્વર્ગોપધાયક્ત્વરૂપ | ibid. p.p. ૨.</ref> | ||
૨૦. ‘બાલબોધિની’ ટીકા : | <ref>૨૦. ‘બાલબોધિની’ ટીકા : | ||
‘અનન્યપરતન્ત્રામ : અન્ય ભારતી ભિન્નસ્ય (સમવાચ્ય સમવાયિ નિમિત્તરૂપ કારણસ્ય) પરતન્ત્રા, અધીના ન ભવતી તામ || ibid p.p – ૧૩૫ | ‘અનન્યપરતન્ત્રામ : અન્ય ભારતી ભિન્નસ્ય (સમવાચ્ય સમવાયિ નિમિત્તરૂપ કારણસ્ય) પરતન્ત્રા, અધીના ન ભવતી તામ || ibid p.p – ૧૩૫</ref> | ||
૨૦અ. સરખાવો મમ્મટનું કથન :- ‘કવિના પ્રતિભામાત્રેણ વહિરસત્રપિ નિર્મિત. કવિનિબદ્ધેન વક્ત્રેતિ....’| ibid P.P-૩ | <ref>૨૦અ. સરખાવો મમ્મટનું કથન :- ‘કવિના પ્રતિભામાત્રેણ વહિરસત્રપિ નિર્મિત. કવિનિબદ્ધેન વક્ત્રેતિ....’| ibid P.P-૩</ref> | ||
૨૧. ‘ધર્મ અને સમાજ’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ. સ. ૧૯૩૨ : પૃ. ૧૫૪ | <ref>૨૧. ‘ધર્મ અને સમાજ’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ. સ. ૧૯૩૨ : પૃ. ૧૫૪</ref> | ||
૨૨. એજન, પૃ. ૧૫૭ | <ref>૨૨. એજન, પૃ. ૧૫૭</ref> | ||
૨૩. ધર્મ અને સમાજ : પુસ્તક : ૨ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : આવૃત્તિ પહેલી : સન. ૧૯૩૫ : પૃ. ૧૫૯ | <ref>૨૩. ધર્મ અને સમાજ : પુસ્તક : ૨ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : આવૃત્તિ પહેલી : સન. ૧૯૩૫ : પૃ. ૧૫૯</ref> | ||
૨૪. સંસ્કૃત આલંકારિકાઓએ શોક, હર્ષ, ક્રોધ, આદિને માનવીના ‘સ્થાયીભાવ’ ગણ્યા છે તે મુદ્દો અહીં ઉલ્લેખપાત્ર છે. ભરતે પોતાના નાટ્યશાસ્ત્રમાં રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય એ આઠને ‘સ્થાયીભાવ’ લેખવ્યા છે. ભરતમુનિની પછીના ચિંતકોમાં અભિનવગુપ્ત, હેમચન્દ્ર, મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ આદિ આચાર્યોએ ‘સ્થાયીભાવ’ના સ્વરૂપની જે ચર્ચા કરી છે તેનો નિષ્કર્ષ રજૂ કરતાં ડૉ. મનોહર કાળે પોતાના સંશોધનગ્રંથ “આધુનિક હિન્દી મરાઠી મેં કાવ્યશાસ્ત્રીય અધ્યયન”માં કહે છે (પૃ.૨૯-૨૭) : | <ref>૨૪. સંસ્કૃત આલંકારિકાઓએ શોક, હર્ષ, ક્રોધ, આદિને માનવીના ‘સ્થાયીભાવ’ ગણ્યા છે તે મુદ્દો અહીં ઉલ્લેખપાત્ર છે. ભરતે પોતાના નાટ્યશાસ્ત્રમાં રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય એ આઠને ‘સ્થાયીભાવ’ લેખવ્યા છે. ભરતમુનિની પછીના ચિંતકોમાં અભિનવગુપ્ત, હેમચન્દ્ર, મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ આદિ આચાર્યોએ ‘સ્થાયીભાવ’ના સ્વરૂપની જે ચર્ચા કરી છે તેનો નિષ્કર્ષ રજૂ કરતાં ડૉ. મનોહર કાળે પોતાના સંશોધનગ્રંથ “આધુનિક હિન્દી મરાઠી મેં કાવ્યશાસ્ત્રીય અધ્યયન”માં કહે છે (પૃ.૨૯-૨૭) : | ||
(અ) ‘સ્થાયીભાવ’ જન્મજાત હોય છે. માનવચિત્તમાં તે વાસના-સંસ્કારરૂપે પડ્યા હોય છે. | (અ) ‘સ્થાયીભાવ’ જન્મજાત હોય છે. માનવચિત્તમાં તે વાસના-સંસ્કારરૂપે પડ્યા હોય છે. | ||
(બ) ‘સ્થાયીભાવ’ એ સ્થિર ભાવ છે. અન્ય વિરોધી લાગતા ભાવોથી તે તિરોધાન પામતો નથી. | (બ) ‘સ્થાયીભાવ’ એ સ્થિર ભાવ છે. અન્ય વિરોધી લાગતા ભાવોથી તે તિરોધાન પામતો નથી. | ||
| Line 193: | Line 206: | ||
(ડ) ‘સ્થાયીભાવ’ વ્યાપક હોય છે. સમસ્ત કૃતિ કે પ્રબંધમાં તે સ્થિર સ્વરૂપે વ્યાપી રહે છે. | (ડ) ‘સ્થાયીભાવ’ વ્યાપક હોય છે. સમસ્ત કૃતિ કે પ્રબંધમાં તે સ્થિર સ્વરૂપે વ્યાપી રહે છે. | ||
(ઇ) ‘સ્થાયીભાવ’ જ રસત્વને પ્રાપ્ત કરે છે. | (ઇ) ‘સ્થાયીભાવ’ જ રસત્વને પ્રાપ્ત કરે છે. | ||
આમ, સંસ્કૃત આચાર્યોએ શોક, હર્ષ આદિ ભાવને ‘સ્થાયી’ ગણ્યા છે. રમણભાઈએ તેને ‘આકસ્મિક’ લેખવ્યા છે. કદાચ, માનવઆત્માની ‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય’ આદિ ‘ભાવનાઓ’ની તુલનામાં તે ‘આકસ્મિક’ છે એ ખ્યાલ તેમાં અભિપ્રેત હોય, પ્રકૃતિમાં ધરતીકંપ, ઝંઝાવાત એ ‘આકસ્મિક’ છે એ કથન, અલબત્ત, સરળતાથી સ્વીકારાય તેમ છે. માનવીની શોક, હર્ષાદિ લાગણીઓ એ રીતે, અણધારી આકસ્મિક ઘટનાઓ નથી. રમણભાઈનું વક્તવ્ય કદાચ એટલું જ છે કે ‘શાશ્વત ભાવના’ઓની તુલનામાં જ તે ‘આકસ્મિક’ છે. | આમ, સંસ્કૃત આચાર્યોએ શોક, હર્ષ આદિ ભાવને ‘સ્થાયી’ ગણ્યા છે. રમણભાઈએ તેને ‘આકસ્મિક’ લેખવ્યા છે. કદાચ, માનવઆત્માની ‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય’ આદિ ‘ભાવનાઓ’ની તુલનામાં તે ‘આકસ્મિક’ છે એ ખ્યાલ તેમાં અભિપ્રેત હોય, પ્રકૃતિમાં ધરતીકંપ, ઝંઝાવાત એ ‘આકસ્મિક’ છે એ કથન, અલબત્ત, સરળતાથી સ્વીકારાય તેમ છે. માનવીની શોક, હર્ષાદિ લાગણીઓ એ રીતે, અણધારી આકસ્મિક ઘટનાઓ નથી. રમણભાઈનું વક્તવ્ય કદાચ એટલું જ છે કે ‘શાશ્વત ભાવના’ઓની તુલનામાં જ તે ‘આકસ્મિક’ છે.</ref> | ||
૨૫. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ : પૃ. ૧૮૧ -૧૮૨ | <ref>૨૫. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ : પૃ. ૧૮૧ -૧૮૨</ref> | ||
૨૬. ભૂરાં બ્લૂબેલ ફૂલોનું દૃષ્ટાંત આપી રસ્કિને પોતાના મુદ્દાની સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છી. આ વિશે ચર્ચા કરતાં તે વ્યક્તિનિરપેક્ષ વસ્તુજગતની સત્તાનો સ્વીકાર કરે છે. તેનો સંદર્ભ આ પ્રમાણે છે : “Not to get rid of all these ambiguities and troublesome words at once, be it absevered that the word ‘blue’ does not mean the sensation caused by a gentian on the human eye; but it means the power of producing that sensation; and this power is always there, in the things, whether we are there to experience it or not, and would remain there though there were not left a man on the face of the earth.” | <ref>૨૬. ભૂરાં બ્લૂબેલ ફૂલોનું દૃષ્ટાંત આપી રસ્કિને પોતાના મુદ્દાની સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છી. આ વિશે ચર્ચા કરતાં તે વ્યક્તિનિરપેક્ષ વસ્તુજગતની સત્તાનો સ્વીકાર કરે છે. તેનો સંદર્ભ આ પ્રમાણે છે : “Not to get rid of all these ambiguities and troublesome words at once, be it absevered that the word ‘blue’ does not mean the sensation caused by a gentian on the human eye; but it means the power of producing that sensation; and this power is always there, in the things, whether we are there to experience it or not, and would remain there though there were not left a man on the face of the earth.” | ||
English Critical Essays : XIX Cent : pp. ૩૭૯ | English Critical Essays : XIX Cent : pp. ૩૭૯</ref> | ||
૨૭. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૪૭ અને ૫૧ | <ref>૨૭. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૪૭ અને ૫૧</ref> | ||
૨૮. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૫૦ | <ref>૨૮. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૫૦</ref> | ||
૨૯. “This fallacy is of two principal kinds : (૧) the fallacy of wilful fancy which involves no real expectation that it will be believed, or else, (૨) it is a fallacy caused by an excited state of the feelings, making us, for the time, more of less irrational. Of the cheating of the fancy we shall have to speak presently; but in this chapter, I want to examine the nature of the other error, that which the mind admits when affected strongly by emotion.” | <ref>૨૯. “This fallacy is of two principal kinds : (૧) the fallacy of wilful fancy which involves no real expectation that it will be believed, or else, (૨) it is a fallacy caused by an excited state of the feelings, making us, for the time, more of less irrational. Of the cheating of the fancy we shall have to speak presently; but in this chapter, I want to examine the nature of the other error, that which the mind admits when affected strongly by emotion.” | ||
English Critical Essays : XIX Cent. pp. ૩૮૧. | English Critical Essays : XIX Cent. pp. ૩૮૧.</ref> | ||
૩૦. રમણભાઈએ રજૂ કરેલો આ કડીઓનો ગદ્યાનુવાદ અને તેનું વિવરણ નીચે પ્રમાણે છે : | <ref>૩૦. રમણભાઈએ રજૂ કરેલો આ કડીઓનો ગદ્યાનુવાદ અને તેનું વિવરણ નીચે પ્રમાણે છે : | ||
“મોજાંનાં ઊછળતાં ફીણની પાર તે સ્ત્રીને તેઓ હોડીમાં લઈ ગયા – નિર્દય, પેટે ઘસાઈને ચાલતા ફીણની પાર લઈ ગયા.” | “મોજાંનાં ઊછળતાં ફીણની પાર તે સ્ત્રીને તેઓ હોડીમાં લઈ ગયા – નિર્દય, પેટે ઘસાઈને ચાલતા ફીણની પાર લઈ ગયા.” | ||
“ફીણ નિર્દય નથી હોતું અને પેટે ઘસાઈને ચાલતું નથી, જીવતા પ્રાણીનાં આ લક્ષણોનો આરોપ ફીણ ઉપર જે ચિત્તાવસ્થામાં થાય છે તેમાં ખેદને લીધે વિવેકશક્તિ શિથિલ થયેલી હોય છે. બધી ઉગ્ર લાગણીઓથી આવું જ પરિણામ થાય છે. બાહ્ય વસ્તુઓથી આપણી ઇન્દ્રિયો ઉપર થતી અસરમાં ઉગ્ર લાગણીઓ અયથાર્થતા (ખોટા અનુભવ) ઉત્પન્ન કરે છે, અને તેને સામાન્ય રીતે હું (pathetic fallacy) ’વૃત્તિમય ભાવાભાસ’ કહું છું.” – ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૯૦ | “ફીણ નિર્દય નથી હોતું અને પેટે ઘસાઈને ચાલતું નથી, જીવતા પ્રાણીનાં આ લક્ષણોનો આરોપ ફીણ ઉપર જે ચિત્તાવસ્થામાં થાય છે તેમાં ખેદને લીધે વિવેકશક્તિ શિથિલ થયેલી હોય છે. બધી ઉગ્ર લાગણીઓથી આવું જ પરિણામ થાય છે. બાહ્ય વસ્તુઓથી આપણી ઇન્દ્રિયો ઉપર થતી અસરમાં ઉગ્ર લાગણીઓ અયથાર્થતા (ખોટા અનુભવ) ઉત્પન્ન કરે છે, અને તેને સામાન્ય રીતે હું (pathetic fallacy) ’વૃત્તિમય ભાવાભાસ’ કહું છું.” – ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૯૦</ref> | ||
૩૧. પ્રકરણ ૬ની ચર્ચા, પૃ. ૨૪૫–૨૫૮ | <ref>૩૧. પ્રકરણ ૬ની ચર્ચા, પૃ. ૨૪૫–૨૫૮</ref> | ||
૩૨. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૪૫–૨૫૮ | <ref>૩૨. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૪૫–૨૫૮</ref> | ||
૩૩. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૪૫–૨૫૮ | <ref>૩૩. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૪૫–૨૫૮</ref> | ||
૩૪. English Critical Essays XIX Cent. ૩૮૭ | <ref>૩૪. English Critical Essays XIX Cent. ૩૮૭</ref> | ||
૩૫. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પ૨-૫૩ | <ref>૩૫. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પ૨-૫૩</ref> | ||
૩૬. જુઓ આ પ્રકરણની પૃ. પરની પાદટીપ. | <ref>૩૬. જુઓ આ પ્રકરણની પૃ. પરની પાદટીપ.</ref> | ||
૩૭. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૨૬–૨૨૭ | <ref>૩૭. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૨૬–૨૨૭</ref> | ||
૩૮. “But it is still a grandeur condition when the intellect also rises, till it is strong enough to assert its rule against, or together with the utmost efforts of the passions; and the whole man stands in an iron glow, white not, perhaps but still strong, and in no wise evaporating even if he melts, losing none of his weight.” | <ref>૩૮. “But it is still a grandeur condition when the intellect also rises, till it is strong enough to assert its rule against, or together with the utmost efforts of the passions; and the whole man stands in an iron glow, white not, perhaps but still strong, and in no wise evaporating even if he melts, losing none of his weight.” | ||
English Critical Essays XIX Cent. Ed. Jone : ૧૯૧૬ pp. ૩૮૫. | English Critical Essays XIX Cent. Ed. Jone : ૧૯૧૬ pp. ૩૮૫.</ref> | ||
૩૯. જુઓ પ્રકરણ રની ચર્ચા - પૃ. ૧૦૮-૧૦૯ | <ref>૩૯. જુઓ પ્રકરણ રની ચર્ચા - પૃ. ૧૦૮-૧૦૯</ref> | ||
૪૦. કવિસૃષ્ટિની વિશિષ્ટતાને અનુલક્ષી ઉમાશંકર જોશી કહે છે : “કુન્તક કહે છે તેમ પ્રતિભાયાં તત્કાલોલ્લિખિતેન કેનચિત્ પરિસ્પન્દેન પરિસ્ફુરન્ત પદાર્થાઃ પ્રકૃતપ્રસ્તાવસમુચિતેન કેનચિદ્ ઉત્કર્ષેણ વા સમાચ્છાદિતસ્વભાવાઃ સન્તો વિવક્ષાવિધેયત્વેનાભિધેયતાપદવીમ અવતરન્તઃ તથાવિધવિશેષપ્રતિપાદન સમર્થેન અભિધાનેન અભિધીયમાનાઃ ચેતનચમત્કારિતામ્ આપદ્યન્તે || અર્થાત્ સર્જક કવિની પ્રતિભામાં ઊઠેલા કોઈક પરિસ્પન્દને લીધે બાહ્ય જગતના પદાર્થોનું પોતાનું સ્વરૂપ ઢંકાઈ જાય છે. તેઓ બહાર છે તેવાને તેવા કવિસૃષ્ટિમાં રહેવા પામતા નથી. કવિ જગતના વિષયોનું વિશેષભાવે ગ્રહણ કરે છે એ કવિની સાધનાના ઉપર નિર્દેશેલા પ્રથમ સોપાન ઉપર આ શબ્દોથી પ્રકાશ પડે છે.” | <ref>૪૦. કવિસૃષ્ટિની વિશિષ્ટતાને અનુલક્ષી ઉમાશંકર જોશી કહે છે : “કુન્તક કહે છે તેમ પ્રતિભાયાં તત્કાલોલ્લિખિતેન કેનચિત્ પરિસ્પન્દેન પરિસ્ફુરન્ત પદાર્થાઃ પ્રકૃતપ્રસ્તાવસમુચિતેન કેનચિદ્ ઉત્કર્ષેણ વા સમાચ્છાદિતસ્વભાવાઃ સન્તો વિવક્ષાવિધેયત્વેનાભિધેયતાપદવીમ અવતરન્તઃ તથાવિધવિશેષપ્રતિપાદન સમર્થેન અભિધાનેન અભિધીયમાનાઃ ચેતનચમત્કારિતામ્ આપદ્યન્તે || અર્થાત્ સર્જક કવિની પ્રતિભામાં ઊઠેલા કોઈક પરિસ્પન્દને લીધે બાહ્ય જગતના પદાર્થોનું પોતાનું સ્વરૂપ ઢંકાઈ જાય છે. તેઓ બહાર છે તેવાને તેવા કવિસૃષ્ટિમાં રહેવા પામતા નથી. કવિ જગતના વિષયોનું વિશેષભાવે ગ્રહણ કરે છે એ કવિની સાધનાના ઉપર નિર્દેશેલા પ્રથમ સોપાન ઉપર આ શબ્દોથી પ્રકાશ પડે છે.” | ||
‘કવિની સાધના’ – વોરા એન્ડ પબ્લિશર્સ, મુંબઈ, આવૃત્તિ પહેલી, ૧૯૬૧, પૃ. ૧૬–૧૭ | ‘કવિની સાધના’ – વોરા એન્ડ પબ્લિશર્સ, મુંબઈ, આવૃત્તિ પહેલી, ૧૯૬૧, પૃ. ૧૬–૧૭</ref> | ||
૪૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૧૯૬ | <ref>૪૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૧૯૬</ref> | ||
૪૨. ‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લખાણ પૃઃ ૯૮૩–૮૬ (‘સુદર્શન-ગદ્યાવલિ’ પ્ર. હિંમતલાલ પંડ્યા, પ્રાણશંકર જોશી પ્રથમાવૃત્તિ : અમદાવાદ : ઈ.સ. ૧૯૦૯ | <ref>૪૨. ‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લખાણ પૃઃ ૯૮૩–૮૬ (‘સુદર્શન-ગદ્યાવલિ’ પ્ર. હિંમતલાલ પંડ્યા, પ્રાણશંકર જોશી પ્રથમાવૃત્તિ : અમદાવાદ : ઈ.સ. ૧૯૦૯</ref> | ||
૪૩. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯–૧૫૩ | <ref>૪૩. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯–૧૫૩</ref> | ||
૪૪. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯–૧૫૩ | <ref>૪૪. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯–૧૫૩</ref> | ||
૪૫. એજન પૃ. ૧૪૯–૧૫૩ | <ref>૪૫. એજન પૃ. ૧૪૯–૧૫૩</ref> | ||
૪૯. એજન, પૃ. ૧૪૯–૧૫૩ | |||
૪૭. ‘સુદર્શનગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૯૮૯ | ૪૬. એજન પૃ. ૧૪૯-૧૫૩ | ||
૪૮. ‘સુદર્શનગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૯૮૬ | ૪૭. ‘સુદર્શન ગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ ૯૮૬ | ||
૪૯. એજન પૃ. ૯૮૬ | ૪૮. ‘સુદર્શન ગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ ૯૮૬ | ||
૫૦. એજન પૃ. ૯૮૬ | |||
૫૧. ‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લેખોમાંના ‘અદ્વૈતજીવન’માં મણિલાલની અદ્વૈત વિશેની મૂળભૂત શ્રદ્ધા નિરૂપાયેલી છે : “અદ્વૈતમાં તો વિશ્વસ્વરૂપનો નિર્ણય કરાયેલો જ છે કે સત્રૂપ સર્વમયત્વમાં જે ભેદ જણાય છે તે એક કલ્પના માત્ર છે, અને તેની ઉપપત્તિ ગમે તે દ્વારા ગમે તે પ્રકારે કરવામાં આવતી હોય, તથાપિ પરમાર્થ સત્તાનો સ્વીકાર કરવામાં એ જ અદ્વૈતસિદ્ધાંતાનુસાર વિશ્વવિવેક માનવા બરાબર છે.” – પૃ. ૭૯ | |||
૫૨. સરખાવો આચાર્ય આનંદશંકરની વિચારણા : ‘કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું (પ્રકૃતિ જડ છે એ સિદ્ધાંતનું ) એને ભાન થવું અશક્ય છે અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસ સાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.” ‘કાવ્યતત્ત્વવિચાર’ : (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૭ : પૃ. ૧૩૬ (‘પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી એક ચર્ચા’- લેખમાંથી) | |||
૫૩. સરખાવો ઉમાશંકરની ચર્ચા : આ પ્રકરણમાંની ચર્ચા. પૃ. ૩૮૬ની પાદટીપ. | <ref>૪૯. એજન, પૃ. ૧૪૯–૧૫૩</ref> | ||
૫૪. જુઓ પ્રકરણ ૩ની પાદટીપ(૭૦)ની ચર્ચા પૃ. ૧૧૬ | <ref>૪૭. ‘સુદર્શનગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૯૮૯</ref> | ||
૫૫. મણિલાલની કાવ્યચર્ચામાં ‘રસ’નો સંપ્રત્યય ધ્યાનપાત્ર છે. ૧૪મા પ્રકરણમાં એ વિશે વિસ્તૃત વિચારણા કરવાનો ઉપક્રમ છે. અહીં તેમાંના એક મહત્ત્વના ખ્યાલનો નિર્દેશ કરીશું. “રસના અનુભવમાં અનુભવનાર કે અનુભવ એ વાત ભિન્ન સમજાય ત્યાં સુધી એ રસ થયો જ નથી. ત્યારે રસ પોતે જ જામતાની સાથે સ્વતઃ પ્રત્યક્ષતા ગૃહવા વળે છે.” (‘સુદર્શનગદ્યાવલિ’ આગળ નિર્દિષ્ટ આવૃત્તિ ‘સંગીત’ પૃ. ૯૭૬) અહીં તેઓ ‘રસ’ના લોકોત્તર સ્વરૂપનું વર્ણન કરે છે. ‘રસ’ એ જ્ઞાતા અને જ્ઞેયના અદ્વૈતમાં છે. એ ‘રસ’તત્ત્વનો અનુભવ સ્વતઃ પ્રત્યક્ષ પ્રતીતિમાં આવે છે. | <ref>૪૮. ‘સુદર્શનગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૯૮૬</ref> | ||
૫૬. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : આવૃત્તિ બીજીનું પુનર્મુદ્રણ : ઈ. સ. ૧૯૯૨ : પૃ. ૨૦૨ | <ref>૪૯. એજન પૃ. ૯૮૬</ref> | ||
૫૭. ‘કવિતા અને સાહિત્ય’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) ભા. ૧ : પૃ. ૨૦૩ | <ref>૫૦. એજન પૃ. ૯૮૬</ref> | ||
૫૮. ‘પૂર્વાલાપ’ : પ્ર. મુનિકુમાર ભટ્ટ : સં : રામનારાયણ પાઠક : ઈ. સ. ૧૯૪૮ની આવૃત્તિ : પૃ. ૧૦૪ | <ref>૫૧. ‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લેખોમાંના ‘અદ્વૈતજીવન’માં મણિલાલની અદ્વૈત વિશેની મૂળભૂત શ્રદ્ધા નિરૂપાયેલી છે : “અદ્વૈતમાં તો વિશ્વસ્વરૂપનો નિર્ણય કરાયેલો જ છે કે સત્રૂપ સર્વમયત્વમાં જે ભેદ જણાય છે તે એક કલ્પના માત્ર છે, અને તેની ઉપપત્તિ ગમે તે દ્વારા ગમે તે પ્રકારે કરવામાં આવતી હોય, તથાપિ પરમાર્થ સત્તાનો સ્વીકાર કરવામાં એ જ અદ્વૈતસિદ્ધાંતાનુસાર વિશ્વવિવેક માનવા બરાબર છે.” – પૃ. ૭૯</ref> | ||
૫૯. એજન : પૃ. ૧૨૦ | <ref>૫૨. સરખાવો આચાર્ય આનંદશંકરની વિચારણા : ‘કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું (પ્રકૃતિ જડ છે એ સિદ્ધાંતનું ) એને ભાન થવું અશક્ય છે અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસ સાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.” ‘કાવ્યતત્ત્વવિચાર’ : (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૭ : પૃ. ૧૩૬ (‘પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી એક ચર્ચા’- લેખમાંથી) </ref> | ||
૬૦. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૦૪ | <ref>૫૩. સરખાવો ઉમાશંકરની ચર્ચા : આ પ્રકરણમાંની ચર્ચા. પૃ. ૩૮૬ની પાદટીપ. </ref> | ||
૬૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : પૃ. ૨૦૬ | <ref>૫૪. જુઓ પ્રકરણ ૩ની પાદટીપ(૭૦)ની ચર્ચા પૃ. ૧૧૬</ref> | ||
૬૨. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૦૬ | <ref>૫૫. મણિલાલની કાવ્યચર્ચામાં ‘રસ’નો સંપ્રત્યય ધ્યાનપાત્ર છે. ૧૪મા પ્રકરણમાં એ વિશે વિસ્તૃત વિચારણા કરવાનો ઉપક્રમ છે. અહીં તેમાંના એક મહત્ત્વના ખ્યાલનો નિર્દેશ કરીશું. “રસના અનુભવમાં અનુભવનાર કે અનુભવ એ વાત ભિન્ન સમજાય ત્યાં સુધી એ રસ થયો જ નથી. ત્યારે રસ પોતે જ જામતાની સાથે સ્વતઃ પ્રત્યક્ષતા ગૃહવા વળે છે.” (‘સુદર્શનગદ્યાવલિ’ આગળ નિર્દિષ્ટ આવૃત્તિ ‘સંગીત’ પૃ. ૯૭૬) અહીં તેઓ ‘રસ’ના લોકોત્તર સ્વરૂપનું વર્ણન કરે છે. ‘રસ’ એ જ્ઞાતા અને જ્ઞેયના અદ્વૈતમાં છે. એ ‘રસ’તત્ત્વનો અનુભવ સ્વતઃ પ્રત્યક્ષ પ્રતીતિમાં આવે છે.</ref> | ||
૬૩. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૨૭૨-૨૭૩ | <ref>૫૬. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : આવૃત્તિ બીજીનું પુનર્મુદ્રણ : ઈ. સ. ૧૯૯૨ : પૃ. ૨૦૨</ref> | ||
૬૪. રમણભાઈએ ટાંકેલા શ્લોકોમાં પ્રથમ અને છેલ્લો : | <ref>૫૭. ‘કવિતા અને સાહિત્ય’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) ભા. ૧ : પૃ. ૨૦૩</ref> | ||
<ref>૫૮. ‘પૂર્વાલાપ’ : પ્ર. મુનિકુમાર ભટ્ટ : સં : રામનારાયણ પાઠક : ઈ. સ. ૧૯૪૮ની આવૃત્તિ : પૃ. ૧૦૪</ref> | |||
<ref>૫૯. એજન : પૃ. ૧૨૦</ref> | |||
<ref>૬૦. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૦૪</ref> | |||
<ref>૬૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : પૃ. ૨૦૬</ref> | |||
<ref>૬૨. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૦૬ </ref> | |||
<ref>૬૩. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૨૭૨-૨૭૩ </ref> | |||
<ref>૬૪. રમણભાઈએ ટાંકેલા શ્લોકોમાં પ્રથમ અને છેલ્લો : | |||
“તે જ પ્રિય પરિચિત પૂર્વ નિવાસ” | “તે જ પ્રિય પરિચિત પૂર્વ નિવાસ” | ||
“લહે દિલ કરુણામય ઉલ્લાસ” | “લહે દિલ કરુણામય ઉલ્લાસ” | ||
| Line 250: | Line 270: | ||
– તે જ પ્રિય.” | – તે જ પ્રિય.” | ||
(‘ઉત્તરરામચરિત’ : અંક -૨) | (‘ઉત્તરરામચરિત’ : અંક -૨) | ||
‘કવિતા અને સાહિત્ય’ ૧ : પૃ. ૨૦૭–૨૦૮ | ‘કવિતા અને સાહિત્ય’ ૧ : પૃ. ૨૦૭–૨૦૮</ref> | ||
૬૫. એજન પૃ. ૨૦૮ | <ref>૬૫. એજન પૃ. ૨૦૮</ref> | ||
૬૬. ‘કવિતા અને સાહિત્ય’ ગ્રંથ ૧ લો : પૃ. ૨૧૧ | <ref>૬૬. ‘કવિતા અને સાહિત્ય’ ગ્રંથ ૧ લો : પૃ. ૨૧૧</ref> | ||
૬૭. ‘Oxford Lectures on Poetry’ Macmillan and Co. Ltd. London ૧૯૬૨ : pp. ૧૨૭. | <ref>૬૭. ‘Oxford Lectures on Poetry’ Macmillan and Co. Ltd. London ૧૯૬૨ : pp. ૧૨૭.</ref> | ||
૬૮. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : પૃ. ૨૧૯ | <ref>૬૮. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : પૃ. ૨૧૯</ref> | ||
૬૮અ. જુઓ પાદટીપ ૪૦ (પૃ. ૧૬૪) આ પ્રકરણમાં | <ref>૬૮અ. જુઓ પાદટીપ ૪૦ (પૃ. ૧૬૪) આ પ્રકરણમાં</ref> | ||
૬૯. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૫૨-૧૫૮ | <ref>૬૯. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૫૨-૧૫૮</ref> | ||
૭૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૪૭ : પૃ. ૧૩૪ | <ref>૭૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૪૭ : પૃ. ૧૩૪</ref> | ||
૭૧. એજન, પૃ. ૧૩૪ | <ref>૭૧. એજન, પૃ. ૧૩૪ </ref> | ||
૭૨. એજન પૃ. ૧૩૪. | <ref>૭૨. એજન પૃ. ૧૩૪.</ref> | ||
૭૩. એજન પૃ. ૧૩૪ | <ref>૭૩. એજન પૃ. ૧૩૪</ref> | ||
૭૪. એજન પૃ. ૧૩૪ | <ref>૭૪. એજન પૃ. ૧૩૪</ref> | ||
૭૫. એજન પૃ. ૧૩૪ | <ref>૭૫. એજન પૃ. ૧૩૪</ref> | ||
૭૬. એજન પૃ. ૧૩૪ | <ref>૭૬. એજન પૃ. ૧૩૪</ref> | ||
૭૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૫ | <ref>૭૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૫</ref> | ||
૭૮. એજન : પૃ. ૧૩૫ | <ref>૭૮. એજન : પૃ. ૧૩૫</ref> | ||
૭૯. એજન : પૃ. ૧૩૫–૧૩૯ | <ref>૭૯. એજન : પૃ. ૧૩૫–૧૩૯</ref> | ||
૮૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૬ | <ref>૮૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૬</ref> | ||
૮૧. જુઓ મણિલાલની કાવ્ય-રસની ચર્ચા, પ્રકરણ ૯ પૃ. ૩૯૧–૪૨૧ | <ref>૮૧. જુઓ મણિલાલની કાવ્ય-રસની ચર્ચા, પ્રકરણ ૯ પૃ. ૩૯૧–૪૨૧</ref> | ||
૮૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૭ | <ref>૮૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૭ </ref> | ||
૮૩. એજન : પૃ. ૧૩૭ : નોંધ : નરસિંહરાવની ‘અસત્ય ભાવારોપણ’ની ચર્ચામાં શ્લોકના સંદર્ભમાં ચર્ચા મળે છે. જુઓ પ્રકરણ ૭ની ચર્ચા : પૃ. ૩૪૨ | <ref>૮૩. એજન : પૃ. ૧૩૭ : નોંધ : નરસિંહરાવની ‘અસત્ય ભાવારોપણ’ની ચર્ચામાં શ્લોકના સંદર્ભમાં ચર્ચા મળે છે. જુઓ પ્રકરણ ૭ની ચર્ચા : પૃ. ૩૪૨</ref> | ||
૮૪. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૭-૧૩૮ | <ref>૮૪. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૭-૧૩૮</ref> | ||
૮૪અ. જુઓ રમણભાઈની ‘અવતરણ’ની ચર્ચા આ પ્રકરણમાં પૃ. ૧૪૯ | <ref>૮૪અ. જુઓ રમણભાઈની ‘અવતરણ’ની ચર્ચા આ પ્રકરણમાં પૃ. ૧૪૯</ref> | ||
૮૫. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯ | <ref>૮૫. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯</ref> | ||
૮૬. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮ | <ref>૮૬. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮</ref> | ||
૮૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૯ | <ref>૮૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૯</ref> | ||
૮૮. એજન : પૃ. ૧૩૮ | <ref>૮૮. એજન : પૃ. ૧૩૮</ref> | ||
૮૯-૯૦. એજન : પૃ. ૧૩૯ | <ref>૮૯-૯૦. એજન : પૃ. ૧૩૯</ref> | ||
૯૧. એજન : પૃ. ૧૩૯ | <ref>૯૧. એજન : પૃ. ૧૩૯</ref> | ||
૯૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૯-૧૪૦ | <ref>૯૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૯-૧૪૦</ref> | ||
૯૩. એજન પૃ. ૧૩૪ | <ref>૯૩. એજન પૃ. ૧૩૪</ref> | ||
૯૪. એજન પૃ. ૧૩૪ | <ref>૯૪. એજન પૃ. ૧૩૪</ref> | ||
૯૫. ‘કવિતા અને સાહિત્ય’ : ભા. ૧ : પૃ. ૨૧૬ | <ref>૯૫. ‘કવિતા અને સાહિત્ય’ : ભા. ૧ : પૃ. ૨૧૬</ref> | ||
૯૬. એજન પૃ. ૨૧૯ | <ref>૯૬. એજન પૃ. ૨૧૯</ref> | ||
૯૭. એજન પૃ. ૨૧૭ | <ref>૯૭. એજન પૃ. ૨૧૭</ref> | ||
૯૮. એજન, પૃ. ૨૧૭ | <ref>૯૮. એજન, પૃ. ૨૧૭</ref> | ||
૯૯. કવિતા અને સાહિત્ય : વૉ. ૧ : પૃ. ૨૧૮ | <ref>૯૯. કવિતા અને સાહિત્ય : વૉ. ૧ : પૃ. ૨૧૮</ref> | ||
૧૦૦. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ. ૧૮૪ | <ref>૧૦૦. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ. ૧૮૪</ref> | ||
૧૦૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૧૯ | <ref>૧૦૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૧૯</ref> | ||
૧૦૨. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૨૦ | <ref>૧૦૨. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૨૦</ref> | ||
૧૦૩. એજન : પૃ. ૨૨૦ | <ref>૧૦૩. એજન : પૃ. ૨૨૦</ref> | ||
૧૦૪. એજન : પૃ. ૨૨૦-૨૨૧. “શકુંતલા માટે વનસ્પતિઓ પરથી ફૂલ લેવા જતાં વૃક્ષોમાંથી મૂલ્યવાન વસ્ત્રો તથા આભૂષણો નીકળી આવ્યાં એવું આ અંકમાં કથન છે અને તેમાં વૃત્તિમય ભાવાભાસનો દોષ છે જ, કારણ કે વૃક્ષો પર સમભાવનો આરોપ કરવાથી જ આ કલ્પના થઈ છે.” | <ref>૧૦૪. એજન : પૃ. ૨૨૦-૨૨૧. “શકુંતલા માટે વનસ્પતિઓ પરથી ફૂલ લેવા જતાં વૃક્ષોમાંથી મૂલ્યવાન વસ્ત્રો તથા આભૂષણો નીકળી આવ્યાં એવું આ અંકમાં કથન છે અને તેમાં વૃત્તિમય ભાવાભાસનો દોષ છે જ, કારણ કે વૃક્ષો પર સમભાવનો આરોપ કરવાથી જ આ કલ્પના થઈ છે.”</ref> | ||
૧૦૫. એજન : પૃ. ૨૨૩ | <ref>૧૦૫. એજન : પૃ. ૨૨૩ | ||
નોંધ :- ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં તમસા, મુરલા – આ નદીઓને સજીવ વ્યક્તિરૂપે કલ્પવામાં આવી છે. એ વિશે આચાર્ય આનંદશંકરે ઉલ્લેખ કરેલો, તેનો અહીં ઉત્તર છે. જુઓ આચાર્યશ્રીની ચર્ચા આ પ્રકરણમાં પૃ. ૧૮૪ | નોંધ :- ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં તમસા, મુરલા – આ નદીઓને સજીવ વ્યક્તિરૂપે કલ્પવામાં આવી છે. એ વિશે આચાર્ય આનંદશંકરે ઉલ્લેખ કરેલો, તેનો અહીં ઉત્તર છે. જુઓ આચાર્યશ્રીની ચર્ચા આ પ્રકરણમાં પૃ. ૧૮૪</ref> | ||
૧૦૬. ‘કવિતા અને સાહિત્ય’ : પૃ. ૨૨૩ | <ref>૧૦૬. ‘કવિતા અને સાહિત્ય’ : પૃ. ૨૨૩</ref> | ||
૧૦૭. એજન : પૃ. ૨૨૪ | <ref>૧૦૭. એજન : પૃ. ૨૨૪</ref> | ||
૧૦૮. એજન : પૃ. ૨૨૪ | <ref>૧૦૮. એજન : પૃ. ૨૨૪</ref> | ||
૧૦૯. એજન : પૃ. ૨૨૫ | <ref>૧૦૯. એજન : પૃ. ૨૨૫</ref> | ||
૧૧૦. એજન : પૃ. ૨૨૫ | <ref>૧૧૦. એજન : પૃ. ૨૨૫</ref> | ||
૧૧૧. એજન : પૃ. ૨૨૫ | <ref>૧૧૧. એજન : પૃ. ૨૨૫</ref> | ||
૧૧૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮-૧૩૯ | <ref>૧૧૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮-૧૩૯</ref> | ||
૧૧૩. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૩૨ | <ref>૧૧૩. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૩૨</ref> | ||
૧૧૪. એજન : પૃ. ૨૩૯ | <ref>૧૧૪. એજન : પૃ. ૨૩૯</ref> | ||
૧૧૫. એજન : પૃ. ૨૨૯ | <ref>૧૧૫. એજન : પૃ. ૨૨૯</ref> | ||
૧૧૬. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ ૪૦૭ | <ref>૧૧૬. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ ૪૦૭</ref> | ||
૧૧૭. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૩૭ | <ref>૧૧૭. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૩૭</ref> | ||
૧૧૮. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ. ૩૭૮-૩૮૦ | <ref>૧૧૮. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ. ૩૭૮-૩૮૦</ref> | ||
૧૧૯. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮ | <ref>૧૧૯. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮</ref> | ||
૧૨૦. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૧૯ | <ref>૧૨૦. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૧૯</ref> | ||