વિદ્યા વિનાશને માર્ગે/વદામિ

From Ekatra Wiki
Revision as of 23:22, 9 February 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| વદામિ | }} {{Poem2Open}} હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વચિન્તક હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વદામિ

હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વચિન્તક હોવાનો દાવો કરતો નથી. શિક્ષણ, મારી દૃષ્ટિએ, એક કળા છે. પ્રત્યક્ષ અનુભવ જો કોઈ પ્રામાણ્ય હોય તો તે આ લખાણની પાછળ છે. વિદ્યાપીઠોના તન્ત્રમાં પ્રવર્તતી ગેરરીતિનો ભોગ બનનાર તરીકે પણ મને આ લખવાનો અધિકાર છે. આ મારું દૃષ્ટિબિન્દુ છે, એમાં ક્ષતિ સમ્ભવે તે સ્વીકારું છું. મારો આશય, આ નિમિત્તે, આપણા જીવનના એક મહત્ત્વના અંગ વિશે, ઊહાપોહ શરૂ થાય એ જ છે. છૂટા લેખો રૂપે આ બધું લખાયું હોવાને કારણે વિચારોનું પુનરાવર્તન પણ થયું હશે. એ બદલ ક્ષમા યાચું છું.

સુરેશ જોષી