ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અબ્દુલનબી

Revision as of 09:18, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અબ્દુલનબી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૦મા ઇમામ નિઝાર (ઈ.૧૫૮૫-ઈ.૧૬૨૮)ના સમકાલીન. સુરત પાસે કાકરખાડીમાં એમની મઝાર આવેલ છે. એમનાં ૯ અને ૧૦ કડીનાં ૨ ‘ગિનાન’ (મુ.)મળે છે. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. સંદર્ભ : નૂરમ મુવિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ; ઈ.૧૯૫૧. [પ્યા.કે.]