ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીતળદાસ

From Ekatra Wiki
Revision as of 04:43, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શીતળદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. લાલદાસજીના શિષ્ય. સદ્ગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની સદ્ગુરુ તરીકેની શક્તિનો મહિમા કરતાં, પાંચથી ૮ કડીનાં પદો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. રવિભાણ સંપ્રદાયની વાણી : ૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. [શ્ર.ત્રિ.]