કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૨. ’એક ફૂલખરણી’માંથી

Revision as of 01:20, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૨. ’એક ફૂલખરણી’માંથી

સૂર્યોદયમાં સાવજ ઊભી
પડછાયો નીરખી ભાવેઃ
“એક ઊંટિયું ખાવા જોશે,
ઓડકાર નહિ તો ના’વે?”
મધ્યાહ્ને પડછાયો જોતાંઃ
“શિયાળવું એ તો ચાલે !”

૨૭-૬-’૩૩


અંધારાએ પીંજી નાખી
સંધ્યાની સોનેરી પાંખ;
કૂમળું પીછું એક પડ્યું, તે
બીજ કલાની તીરછી આંખ !



૧૮-૭-’૩૪
(કોડિયાં, પૃ. ૧૭૬-૧૭૭)