કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/કૈં ના જાણીએ

Revision as of 15:23, 1 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૪. કૈં ના જાણીએ

કોણે રે કહ્યું ને કોણે સાંભળ્યું
કોણે દીઠો રે ઉજાસ?
કોની રે આંગળીઓને ટેરવે
બેલી બેઠો રે અંધાર?
અમને પૂછો તો કૈં ના જાણીએ.
અમારું આકાશ રે ઓછું પડતું
વાદળ આવે ઊડી જાય,
કોના રે રુદિયામાં આખું જગ માતું
કોનો સમય સરકી જાય?
અમને પૂછો તો કૈં ના જાણીએ.
૧૯૬૮

(તમસા, પૃ. ૧૧૨)