બાળ કાવ્ય સંપદા/જાગ ને જાદવ

From Ekatra Foundation
Revision as of 04:37, 10 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જાગ ને જાદવા

નરસિંહ મહેતા
(ઈ.સ. 15મી સદી)

જાગ ને, જાદવા કૃષ્ણ ગોવાળિયા !
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો તે ગોવાળિયો કોણ થાશે ? જાગને…

દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો,
કાળીનાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે ? જાગને....

જમુનાને તીરે ગોધન ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો, તારા ગુણ ગાઈ રીઝીએ
બૂડતાં બાંહડી કોણ સાહશે ?જાગને....