બાબુ સુથારની કવિતા/જેમ જળાશયમાં
જેમ જળાશયમાં એમ સફરજનમાં ટમટમી રહ્યા છે તારા હું ઝંપલાવું છું સફરજનમાં. જેમ ઝંપલાવતો હતો ઉમરા1[1] પરથી સાત માથોડું ઊંડા ધરામાં તેમ એ તારા લેવા પણ, હું જળની સપાટી પર જ એક કરોળિયાના થૂંકમાં અટવાઈ ગયો. હું જોડણીદોષયુક્ત શબ્દોની વચ્ચે ગૂંચવાઈ ગયો હું એ જળની સપાટીને તોડીને અંદર જવા પ્રયાસો કરી રહ્યો હતો ત્યાં જ કોઈકે મને પૂછ્યું : - શું કરે છે તું? - હું સપાટી તોડું છું જળની, - શા માટે? - મારે તારા જોઈએ છે. - શું કરીશ તું એ તારાઓનું? - કવિતા લખીશ એના અજવાળાથી - શા માટે? - ઈશ્વરે સર્જેલા જગતમાં રહી ગયેલા દોષોને સુધારવા [2] - માણસને ફરી એક વાર માણસના મોઢામોઢ મૂકવા. - ઈશ્વરની શોધમાં ચાલી ચાલીને લંગડી થઈ ગયેલી કીડીઓના પગે પાટા બાંધવા એ આગળ કંઈ પૂછે તે પહેલાં જ હું બોલ્યો : હું જે મૂંગા છે તેમના વતી બોલીશ હું કાચંડા પાટલાઘો ગરોળીઓની પીડાઓનાં ગીત ગાઈશ હું ધૂળની ડમરીઓનો ઇતિહાસ લખીશ. હું પહેલા વરસાદની સુગંધના બારમાસા રચીશ. હું આ પૃથ્વીને અર્થ વાન બનાવીશ[3]
હું પ્રેમીઓની ભાષાને મારી માટીની ભાષા બનાવીશ[4](‘નદીચાલીસા’ માંથી)
પછી એ માણસ ચાલ્યો ગયોઃ
તથાસ્થુ કહીને
એક નદીની શોધમાં નીકળેલો
હું
સફરજનના તળિયે તો
પહોંચી ગયો છું હવે.
મારા હાથથી
પેલા તારા
મારી આંગળીથી
મારા નખ
જટેલા જ
વેગળા છે
હું હમણાં જ તારા લઈને બહાર આવ્યો સમજો.
(‘નદીચાલીસા’ માંથી)