ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભૈયાદાદા
Revision as of 14:10, 24 September 2025 by Shnehrashmi (talk | contribs)
ભૈયાદાદા
‘ધૂમકેતુ’
ભૈયાદાદા (‘ધૂમકેતુ’; ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે રેલવે-અધિકારી વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની પોતાની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા એ ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે. યંત્રયુગીન સંસ્કૃતિમાં ભાવનાનું કોઈ મૂલ્ય નથી – એવો વાર્તાનો મુખ્ય સૂર છે.
ચં.