કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૬. અવતારી નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૬. અવતારી નથી


છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?
દિલ વિનાની કોઈ પણ મહેફિલ મને પ્યારી નથી.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ —
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી!

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ —
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.

પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર —
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

જ્યારે જ્યારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં —
શૂન્ય દોડે છે વહારે, જોકે અવતારી નથી.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૦)