ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શકુન્તલા અને દુર્વાસા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શકુન્તલા અને દુર્વાસા

કનૈયાલાલ મુનશી

શકુન્તલા અને દુર્વાસા (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) ડૉ. વિશ્વનાથને પરણેલી નાયિકા ગરીબ સસરાની અવહેલના કરે છે અને પુત્રને માંદગીથી તેમ જ પતિને બદચલનથી ગુમાવે છે. નાયિકાને શકુન્તલાને મળેલા શાપનું સ્મરણ થાય છે અને વૃદ્ધ સસરાનો આદર કરે છે. નાયિકાની ચેતનામાંથી પ્રસરેલી આ વાર્તામાં અભિજ્ઞાન શાકુન્તલની સમાન્તરતા મુખ્ય બની છે.
ચં.