ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભયતિલક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અભયતિલક [ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૨૩૫માં દીક્ષા, ઈ.૧૨૬૩માં ઉપાધ્યાયપદ. અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ૨૧ કડીના ‘મહાવીર-રાસ/વીર-રાસ’ (મુ.)ના કર્તા. આ કાવ્ય ઈ.૧૨૫૧/૧૨૬૧માં જિનેશ્વરસૂરિએ ભીમપલ્લીના મંડલિકવિહારમાં વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એના મહોત્સવને વર્ણવે છે એ તે અરસાની જ રચના જણાય છે. આ કવિએ સંસ્કૃતમાં ‘દ્વયાશ્રયકાવ્ય-વૃત્તિ’ પર ટીકા (૨. ઈ.૧૨૫૬), ‘ન્યાયાલંકારટિપ્પન’ અને ‘વાદસ્થલ’ એ કૃતિઓ પણ રચી છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં); ૨. પ્રાગુકાસંચય (+સં); ૩. જૈનયુગ, કાર્તિક અને માગશર ૧૯૮૩ - ‘વીરરાસ’, સં. લાલચંદ્ર ભ. ગાંધી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]