ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરસિંધુર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમરસિંધુર[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જયસારના શિષ્ય. ‘નવાણુંપ્રકારીપૂજા’(ર. ઈ.૧૮૩૨/સં. ૧૮૮૮, વૈશાખ સુદ ૧૩), ‘પ્રદેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ ૬), ‘સોલસ્વપ્ન-ચોઢાળિયાં’, ૬૫ કડીનું ‘કુશલસૂરિસ્થાનનામ ગર્ભિત-સ્તવન’ તેમ જ લે. ઈ.૧૮૩૨ની સ્વલિખિત પોથીમાં મળતી શતાધિક રચનાઓ − જેમાં ૧૦ કડીના ‘(બમ્બઈમંડન) ચિંતામણિ-પ્રતિષ્ઠા-સ્તવન’(મુ.), જેસલમેરના પટવાઓના સંઘની તીર્થમાલા (અપૂર્ણ), ચિંતામણિ પાર્શ્વનાથનાં સ્તવનો તથા પદોનો સમાવેશ થાય છે − તેના કર્તા. અમરસિંધુર ઈ.૧૮૨૧માં મુંબઈ ગયા પછી તેમની પ્રેરણાથી ઈ.૧૮૨૯માં મુંબઈના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરની સ્થાપના તથા પ્રતિષ્ઠા થયાની માહિતી મળે છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૩ - ‘બમ્બઈમંડન શ્રી ચિંતામણિપ્રતિષ્ઠા-સ્તવન’, સં. અગરચંદ નાહટા (+સં). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]