ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલહર્ષ-કુશલહર્ષ કવિ-કુશલહર્ષ ગણિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કુશલહર્ષ/કુશલહર્ષ(કવિ)/કુશલહર્ષ(ગણિ) : કુશલહર્ષને નામે ૨૪ કડીની ‘(નાગપુરમંડન)આદિનાથ-સ્તવન’, ૪૪ કડીની ‘કર્મવિપાક-કર્મગ્રંથવિચારગર્ભિત-આદિજિન-સ્તવન’, ૧૬ કડીની ‘તપગચ્છ-પટ્ટાવલી-સઝાય’, ૧૦૧ કડીની ‘શત્રુંજયતીર્થ-સ્તવન’ વગેરે કેટલીક કૃતિઓ, કવિ કુશલહર્ષને નામે અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં ૫૦ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ તથા કુશલહર્ષગણિને નામે ૯૭ કડીની ‘ચરિત્રમનોરથમાલા’ (૨.ઈ.૧૫૩૪) તથા ૧૭ કડીની ‘બારભાવના-સઝાય’ એ કૃતિઓ નોંધાયેલી છે, તે કુશલહર્ષ-૧ની હોવાની શક્યતા છે પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]