ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસાગર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માનસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં જિતસાગરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્ર અને ૫૨ ઢાળની ‘વિક્રમસેનકુમાર-ચોપાઈ/વિક્રમાદિત્યસુત વિક્રમસેન-ચોપાઈ’(ર.ઈ.૧૬૬૮/સં.૧૭૨૪, કારતક-), ‘સુરપતિ-ચોપાઈ’(ર.ઈ.૧૬૭૩), ૭ ઢાળની ‘અષાઢભૂતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪/૧૬૮૦), ૨૫ કડીની ચોપાઈબદ્ધ ‘આર્દ્રકુમારઋષિ-સઝાય’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧, માગશર-; મુ.), ૯ ઢાળની ‘કાન્હડ કઠિયારા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૯૦; મુ.) તથા ૧૬ ઢાળની ‘સિંહલકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં.૧૭૪૮, ફાગણ સુદ ૫) તથા ૬૭ કડીનું ‘સુભદ્રાસતીચોઢાલિયું’ (ર.ઈ.૧૭૦૩)ના કર્તા. કૃતિ : ૧. કાન્હડ કઠિયારાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૯૯;  ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩-‘મુનિશ્રી માનસાગરજી વિરચિત ‘સિંહલકુમાર ચોપાઈ’નો પરિચય’, કાંતિસાગરજી;  ૪. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]