ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેરુવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. પંડિત જયવિજ્યના શિષ્ય. ૨૭/૩૯ કડીની ‘નવવાડ-સઝાય/સં.૧૭૦૨, શ્રાવણ-; મુ.), ચોપાઈબદ્ધ ૩૧ કડીની ‘પરદેશી રાજાના દસ પ્રશ્નોની સઝાય’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, અસાડ સુદ ૩; મુ.), ૧૫ કડીની ‘શ્રાવકના ૩૬ ગુણની સઝાય’ (ર.ઈ.૧૬૮૫; મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહીની સઝાય/ઇર્યાપથિકીમિથ્યાદુષ્કૃત્ય-સઝાય/મિચ્છામિદુક્કડ-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી રાજસ્થાનીગુજરાતીમિશ્ર ભાષામાં ‘નેમીશ્વર રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭) પણ મળે છે. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. મોસસંગ્રહ; ૬. સઝાયમાલા (પં.); ૭. સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, સં. ૧૯૨૧. સંદર્ભ : ૧. દેસ્તસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી; ૩. રાપુહસૂચી : ૪૨; ૪. લીંહસૂચી , ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]