ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુવિજ્ય-૨[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં રંગવિજ્યગણિના શિષ્ય. ‘વસ્તુપાલતેજપાલનો રાસ’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, ચૈત્ર સુદ ૨, બુધવાર; મુ.), ૫૦૩ કડીનો ‘નવપદ-રાસ/શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, આસો સુદ ૧૦, ગુરુવાર) ૧૩૪૬ કડીનો ‘ઉત્તમકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૭૬) તથા *‘નર્મદાસુન્દરી-રાસ (ર.ઈ.૧૬૯૮; મુ.)ના કર્તા. કૃતિ : ૧. *નર્મદાસુંદરી રાસ,-; ૨. વસ્તુપાલ તેજપાલનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૯૦૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨;૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]