ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુવિજ્ય : આ નામે ‘ગહૂંલી’, ‘ધન્યાનગર-સઝાય’, ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ૨૭ કડીની ‘વલ્કલચીરી-પ્રસન્નચંદ્રઋષિ-સઝાય’, ૩૪ કડીની ‘સાધુધર્માધિકાર-સઝાય’, ૯ કડીની ‘મુહપતિ-સઝાય’ નામની રચનાઓ મળે છે. એમના કર્તા કયા મેરુવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]