ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રંગવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદની પરંપરામાં કૃષ્ણવિજ્યના શિષ્ય. ૧૦ કડીના ‘પ્રભાતી-સ્તવન’, ૬ કડીના ‘શંખેશ્વર પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨-સુદ ૭, સોમવાર; મુ.), ૪ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તુતિ’(મુ.), ૧૦ કડીનું ‘પ્રભાતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૭), ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૮૦૯), અનુક્રમે ૬ અને ૨૩ કડીનાં ૨ ‘નેમિજિન પંદરતિથિ-સ્તવનો/નેમિનાથજીની પંદર-તિથિ’ અને આદિનાથ, ચંદ્રપ્રભુ, પદ્મપ્રભુ અને મહાવીરને લગતાં ચારથી ૧૧ કડીનાં સ્તવનોના કર્તા. કૃષ્ણવિજ્યશિષ્યને નામે મળતા ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા પણ પ્રસ્તુત રંગવિજ્ય હોવાની શક્યતા છે. કૃતિ : શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]