ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગવિજ્ય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં અમૃતવિજ્યના શિષ્ય. ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ફાગણ સુદ ૫, શુક્રવારે ભરૂચમાં થયેલી પાર્શ્વનાથની પ્રતિષ્ઠાની વિધિ વર્ણવતું ૧૯ ઢાળનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૩; મુ.), ૭ ઢાળ અને ૭૬ કડીનું ‘મહાવીર સ્વામીનું સત્તાવીસ ભવનું સ્તવન’ (ર.ઈ.૧૭૯૮;મુ.), ૧૮ ઢાળ અને ૩૫૦ ગ્રંથાગ્રવાળો ‘પાર્શ્વનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, આસો વદ ૧૩; મુ.), હિન્દીની અસરવાળું ૫ કડીનું ‘ગોડી પાર્શ્વનાથ(ગોડીજી)ની આરતી’, ૩ કડીનું ‘રાજુલનું ગીત’, હિન્દી-ગુજરાતી મિશ્રમાં ૪ કડીનું ‘સુમતિનાથજિન-સ્તવન’(મુ.), ૭/૯ કડીની ‘વિજ્યજિનેન્દ્ર-સૂરિ-ગહૂંલી/ભાસ/સઝાય’, ચારથી ૧૧ કડીનાં પાર્શ્વનાથ, ધર્મનાથ અને નેમનાથનાં સ્તવનો(મુ.) અને ચારથી ૭ કડીના કુંથુજિન, નેમિજિન અને શાંતિજિનનાં સ્તવનો, ‘સદયવચ્છ સાવલિંગાનો રાસ’ (લે.ઈ.૧૮૦૩) અને નેમરાજુલની ૪-૪ કડીની હિન્દીમાં ૨ હોરી (મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં ‘આધ્યાત્મિક પદસંગ્રહ’ની અંદર અમૃતને નામે મુકાયેલાં પદ આ રંગવિજ્યનાં છે. કૃતિ : ૧. ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ : ૧; ૩ જૈકાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ; ૫. પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દીપાલી કલ્પસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯; ૬. રત્નસાર : ૨; ૭. શંસ્તવનાવલી;  ૮. જૈન સત્યપ્રકાશ, માર્ચથી મે ૧૯૪૨-‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકરૂપરંપરા;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]