ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયશીલ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિનયશીલ(મુનિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ગુણશીલના શિષ્ય. ૪૫ કડીના ‘સહસ્ત્રફણા-પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, માગશર સુદ ૬), ‘૨૪ જિનભાસ’, ‘નેમિ-બારમાસા’(મુ.), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ૧૦૪ કડીના ‘અર્બુદાચલઉત્પત્તિ ચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૬; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]