ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુસુંદર ગણિ પંડિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાધુસુંદર(ગણિ)(પંડિત) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પંરપરામાં સાધુકીર્તિના શિષ્ય. વ્યાકરણના વિદ્વાન. ૭ કડીના ‘નગરકોટમંડનશ્રી આદીશ્વર-ગીત’(મુ.) એ ગુજરાતી ઉપરાંત ‘ઉક્તિરત્નાકર’ (ર.ઈ.૧૬૧૪-૧૮ દરમ્યાન), ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ (ર.ઈ.૧૬૨૭), ‘શબ્દરત્નાકર/શબ્દપ્રભેદ નામમાલા’ તથા ‘ધાતુરત્નાકર’ સ્વોપજ્ઞટીકા ‘ક્રિયાકલ્પલતા’ સાથે-એ સંસ્કૃત કૃતિઓના કર્તા. ‘ઉક્તિરત્નાકર’ તે સમયના ગુજરાતી શબ્દોના મૂળ અર્થને સમજવા માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૫-‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧, ૨. ગુસારસ્વતો; ૩, જૈસાઇતિહાસ; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]