બાળ કાવ્ય સંપદા/જઈને કોઈ કે'જો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જઈને કોઈ કે’જો

લેખક : નિરંજન સરકાર
(મૂળ નામ : શ્રીકાંત શાહ)
(1936)

ઓલી વાદળીને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત વરસ્યાં કરે. (૨)

ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
સંદેશો જઈને કોઈ કે’જો, કે
દિન-રાત મલક્યાં કરે. (૨)

વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મોરલાને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત ગેહક્યાં કરે. (૨)

ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
મોજાંને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)

અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
તારલાને જઈને કોઈ કે’જો કે
રોજ રોજ ચમક્યાં કરે. (૨)