ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૩) કાવ્યલક્ષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(૨૩) કાવ્યલક્ષણ : (પૃ.૧૮૩)

કાવ્યના સ્વરૂપને એક કરતાં વધુ દૃષ્ટિકોણથી જોવાના પ્રયત્ન લેખે નીચેની વ્યાખ્યાઓ નોંધપાત્ર છે. કવિવર ટાગોરે ‘to give a rhythmic expression to life on a colourful background of imagination’ એમ કહી કવિતાનું વર્ણન કર્યું છે. શ્રી મણિલાલ ન. દ્વિવેદીની વ્યાખ્યામાં કાવ્યશાસ્ત્રના ભિન્ન ભિન્ન સિદ્ધાંતોનો સમન્વય કરવાની વૃત્તિ દેખાય છે : ‘કાવ્યનું કાવ્યત્વ ધ્વનિ, ભાવ, અલંકાર, શબ્દૌચિત્ય તથા અવલોકન દ્વારા મનોહર બોધમાં રહ્યું છે.’[1] પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉપાદાન, અસર અને કવિવ્યાપાર એ ત્રણે દૃષ્ટિએ કાવ્યસ્વરૂપને અવલોકે છે ; ‘ઈષ્ટ અને સમગ્ર રીતે ઉપલબ્ધિ અને પ્રેરણા બનેલા અર્થનું સંપૂર્ણ સંવહન અથવા પ્રતિપાદન કરતી લયાન્વિત વાણી તે કવિતા. એવા પ્રતિપાદનમાં તદાકારતા દ્વારા થતી અનુભાવનાનો નિસ્યંદ અવસ્થિતિ. એ પ્રતિપાદનની સર્જક પ્રતિભા એટલે ઉત્કટ વેદનશાલિતવ; વસ્તુઓ વચ્ચે અપૂર્વ સંબંધ જોવાની ઉદાર અને સૂક્ષ્મ પ્રજ્ઞા, અસાધારણ કૌશલથી लीलया इव તે દાખવવાની વૃત્તિ.’૨[2]


  1. ૧. ‘સુદર્શન ગદ્યાવલિ’ : પૃ.૯૩૭
  2. ૨. ‘પરિશીલન’ : પૃ.૧૩૪