અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /પ્રભુનું નામ લઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
મને `શયદા' મળી રહેશે વિસામો,
મને `શયદા' મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.<br>
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.<br>
{{Right|(ગુલઝારે શાયર-૧, પૃ. ૧૨-૧૩)}}
{{Right|(ગુલઝારે શાયરી-૧, પૃ. ૧૨-૧૩)}}
</poem>
</poem>



Latest revision as of 15:31, 25 July 2022

પ્રભુનું નામ લઈ

`શયદા'

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;
હું સમજ્યો એમ — આકાશે ચડ્યો છું.

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.

તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જડ્યો છું.

ખુશી ને શોક, આશા ને નિરાશા;
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.

પરાજય પામનારા, પૂછવું છે —
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!

મને `શયદા' મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.

(ગુલઝારે શાયરી-૧, પૃ. ૧૨-૧૩)