આલ્બેર કૅમ્યૂ/3: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
કૅમ્યૂ એના ભાવકોમાં પણ આ પ્રકારની અસંગતિની, પાયામાં રહેલા વિચ્છેદની, ન ટાળી શકાય એવી પરસ્પરવિરોધિતાની સ્પષ્ટ સંવિત્તિ ઉપજાવી આપવાનું ઇચ્છે છે. એની નવલકથાનું આલેખન પણ એ આ હેતુને અનુકૂળ થઈ પડે એવી રીતે જ કરે છે. આપણે એક ઓરડામાં બેઠાં હોઈએ, એ ઓરડાની વચ્ચે કાચની પારદર્શી દીવાલ હોય તો એ દીવાલની બીજી બાજુની વ્યક્તિઓ શું કરે છે તે જોઈ શકીએ પણ એઓ શું બોલે છે તે સાંભળી નહીં શકીએ. આથી તેમનાં બધાં કાર્યોને વેરવિખેર રૂપે જ જોઈએ, એમાંથી કશા હેતુપુર:સરના વર્તનની સ્પષ્ટ છાપ ઉપસાવી ન શકીએ. કૅમ્યૂની નવલસૃષ્ટિની રચના આને મળતી છે. પેલી સ્પષ્ટ ને વિશદ સંવિત્તિ તે આપણી ને જગત વચ્ચેની પારદર્શી દીવાલ છે. એ બધું જ સ્પષ્ટ કરી આપે છે પણ એને જ કારણે આપણને ક્યાંય એકતા કે સંગતિ જણાતી નથી. શ્રદ્ધેય એવું જીવનદર્શન કે લક્ષ્યની સ્થાપના એથી કરીને અશક્ય બને છે.
કૅમ્યૂ એના ભાવકોમાં પણ આ પ્રકારની અસંગતિની, પાયામાં રહેલા વિચ્છેદની, ન ટાળી શકાય એવી પરસ્પરવિરોધિતાની સ્પષ્ટ સંવિત્તિ ઉપજાવી આપવાનું ઇચ્છે છે. એની નવલકથાનું આલેખન પણ એ આ હેતુને અનુકૂળ થઈ પડે એવી રીતે જ કરે છે. આપણે એક ઓરડામાં બેઠાં હોઈએ, એ ઓરડાની વચ્ચે કાચની પારદર્શી દીવાલ હોય તો એ દીવાલની બીજી બાજુની વ્યક્તિઓ શું કરે છે તે જોઈ શકીએ પણ એઓ શું બોલે છે તે સાંભળી નહીં શકીએ. આથી તેમનાં બધાં કાર્યોને વેરવિખેર રૂપે જ જોઈએ, એમાંથી કશા હેતુપુર:સરના વર્તનની સ્પષ્ટ છાપ ઉપસાવી ન શકીએ. કૅમ્યૂની નવલસૃષ્ટિની રચના આને મળતી છે. પેલી સ્પષ્ટ ને વિશદ સંવિત્તિ તે આપણી ને જગત વચ્ચેની પારદર્શી દીવાલ છે. એ બધું જ સ્પષ્ટ કરી આપે છે પણ એને જ કારણે આપણને ક્યાંય એકતા કે સંગતિ જણાતી નથી. શ્રદ્ધેય એવું જીવનદર્શન કે લક્ષ્યની સ્થાપના એથી કરીને અશક્ય બને છે.
આ પરિસ્થિતિને જરા વધુ વિગતે તપાસીએ : છૂટક હકીકતોને કે ઘટનાઓને જોવી ને સમજવી સહેલી છે. પણ એને અતિક્રમીને રહેલા કશાક અર્થને પામવાની મનુષ્યને ઝંખના થાય છે. મનુષ્ય અને એની બુદ્ધિશક્તિ આજે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તો એને એવા કશા અર્થની પ્રાપ્તિ થઈ શકવાની નથી; ને છતાં હકીકતો પરથી કુદાવીને એવા અર્થ સુધી પહોંચાડવાના પ્રયત્નો ઇતિહાસમાં ઘણા થયેલા છે. મનુષ્ય સમાધાન શોધી લેવા તરફ વળે છે ને એ રીતે જેના પર પોતાનો વિશિષ્ટ અધિકાર છે તેવી અસંગતિની વિશદ સંવિત્તિને એ જતી કરે છે. મનુષ્યના જીવનમાં આવતું આ સૌથી મોટું પ્રલોભન છે. ઘણાં ‘ર્મો ને ફિલસૂફીઓમાં આ પ્રલોભનને મનુષ્ય વશ થયેલો દેખાય છે. આ પૈકી કૅમ્યૂ ક્યિર્કેગાર્દ, સાર્ત્રના અસ્તિત્વવાદ તથા હૂસેર્લની ફિનોમિનોલોજીનો ખાસ ઉલ્લેખ કરે છે. ક્યિર્કેગાર્દે બે અન્તિમો વચ્ચેના વિચ્છેદને ઉત્કટતાથી અનુભવે છે પણ એ વિચ્છેદના ભાનને માટે જવાબદાર બુદ્ધિના ત્યાગને એ મોટું સ્વાર્પણ લેખે છે. એના જીવનદર્શનમાં despair અનિવાર્ય છે ને એ જ પાપ છે કારણ કે જે ઈશ્વરથી વિચ્છેદ કરાવે તે પાપ; પણ કૅમ્યૂ તો કહે છે કે આ અસંગતિની સ્થિતિ તો ઈશ્વર વિનાનું પાપ છે – પણ પછી એને ‘પાપ’ કહેવાનો કાંઈ અર્થ છે ખરો? અસ્તિત્વવાદ પણ વિચારને નકારીને જ વિચારને અતિક્રમી જવાનું આત્મઘાતક વલણ અખત્યાર કરે છે. ફિનોમિનોલોજી આ વિશ્વને સમજાવવાનો પ્રયત્ન માથે લેતી નથી, એ તો વાસ્તવિક અનુભવનું વર્ણન માત્ર આપી છૂટે છે. જગતમાં કોઈ એક માત્ર એવું સત્ય નથી જેના વડે બધું સમજી લઈ શકાય; જગતમાં સત્યો છે. અહીં સુધી કૅમ્યૂને વાંધો નથી. પણ હૂસેર્લ કાળના પરિમાણની બહારના, જેને સમયના સાતત્યના આધારની જરૂર નથી એવા ેંસ્સ્ેંન્ચ્ેંની કલ્પના કરે છે. કૅમ્યૂને મન આ પણ આગળ કહેલા વિચ્છેદને ઠેકી જવાને મારેલો કૂદકો જ છે. બધી જ અનુભૂતિઓ, હકીકતો કે ઘટનાઓ એકસરખી સાર્થક કે નિરર્થક છે; એમાં ઉચ્ચતાનું તારતમ્ય સ્થાપવાનું ધોરણ ક્યાંથી ઊભું કરવું? ને એમ કરવાનું પ્રયોજન પણ શું? આપણી ચેતના જે હકીકત કે અનુભૂતિ કે ઘટના પર સ્થિર થાય છે તેને અજવાળે છે પણ એ બધીને કશાક સૂત્રમાં ગૂંથી લઈને કશા જ્ઞેય પદાર્થને ઉપજાવવાનું ને એને એ રૂપે તપાસવાનું કામ એનું નથી. પૃથક્ ખણ્ડોને સાં‘વાને માટેના કશા સિદ્ધાન્તને વચમાં લાવ્યા વિના, અનુભૂતિના જુદા જુદા ખણ્ડોને વર્ણવવાનો ને એ રીતે જાણવાનો પણ અનોખો આનન્દ છે પણ જો કોઈ આને માટે કોઈ બૌદ્ધિક ભૂમિકા ખડી કરવાની જફામાં પડે ને એ રીતે જ્ઞેય પદાર્થના ‘તત્ત્વ’ની ભાળ કાઢ્યાનો દાવો કરે તો તે કૅમ્યૂને મંજૂર નથી. આપણું મન એકતાને ઝંખે છે પણ આપણી સામે તો ખણ્ડખણ્ડમાં વહેંચાયેલું જગત છે. આ અસંગતિને સ્વીકાર્યે જ છૂટકો.
આ પરિસ્થિતિને જરા વધુ વિગતે તપાસીએ : છૂટક હકીકતોને કે ઘટનાઓને જોવી ને સમજવી સહેલી છે. પણ એને અતિક્રમીને રહેલા કશાક અર્થને પામવાની મનુષ્યને ઝંખના થાય છે. મનુષ્ય અને એની બુદ્ધિશક્તિ આજે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તો એને એવા કશા અર્થની પ્રાપ્તિ થઈ શકવાની નથી; ને છતાં હકીકતો પરથી કુદાવીને એવા અર્થ સુધી પહોંચાડવાના પ્રયત્નો ઇતિહાસમાં ઘણા થયેલા છે. મનુષ્ય સમાધાન શોધી લેવા તરફ વળે છે ને એ રીતે જેના પર પોતાનો વિશિષ્ટ અધિકાર છે તેવી અસંગતિની વિશદ સંવિત્તિને એ જતી કરે છે. મનુષ્યના જીવનમાં આવતું આ સૌથી મોટું પ્રલોભન છે. ઘણાં ‘ર્મો ને ફિલસૂફીઓમાં આ પ્રલોભનને મનુષ્ય વશ થયેલો દેખાય છે. આ પૈકી કૅમ્યૂ ક્યિર્કેગાર્દ, સાર્ત્રના અસ્તિત્વવાદ તથા હૂસેર્લની ફિનોમિનોલોજીનો ખાસ ઉલ્લેખ કરે છે. ક્યિર્કેગાર્દે બે અન્તિમો વચ્ચેના વિચ્છેદને ઉત્કટતાથી અનુભવે છે પણ એ વિચ્છેદના ભાનને માટે જવાબદાર બુદ્ધિના ત્યાગને એ મોટું સ્વાર્પણ લેખે છે. એના જીવનદર્શનમાં despair અનિવાર્ય છે ને એ જ પાપ છે કારણ કે જે ઈશ્વરથી વિચ્છેદ કરાવે તે પાપ; પણ કૅમ્યૂ તો કહે છે કે આ અસંગતિની સ્થિતિ તો ઈશ્વર વિનાનું પાપ છે – પણ પછી એને ‘પાપ’ કહેવાનો કાંઈ અર્થ છે ખરો? અસ્તિત્વવાદ પણ વિચારને નકારીને જ વિચારને અતિક્રમી જવાનું આત્મઘાતક વલણ અખત્યાર કરે છે. ફિનોમિનોલોજી આ વિશ્વને સમજાવવાનો પ્રયત્ન માથે લેતી નથી, એ તો વાસ્તવિક અનુભવનું વર્ણન માત્ર આપી છૂટે છે. જગતમાં કોઈ એક માત્ર એવું સત્ય નથી જેના વડે બધું સમજી લઈ શકાય; જગતમાં સત્યો છે. અહીં સુધી કૅમ્યૂને વાંધો નથી. પણ હૂસેર્લ કાળના પરિમાણની બહારના, જેને સમયના સાતત્યના આધારની જરૂર નથી એવા ેંસ્સ્ેંન્ચ્ેંની કલ્પના કરે છે. કૅમ્યૂને મન આ પણ આગળ કહેલા વિચ્છેદને ઠેકી જવાને મારેલો કૂદકો જ છે. બધી જ અનુભૂતિઓ, હકીકતો કે ઘટનાઓ એકસરખી સાર્થક કે નિરર્થક છે; એમાં ઉચ્ચતાનું તારતમ્ય સ્થાપવાનું ધોરણ ક્યાંથી ઊભું કરવું? ને એમ કરવાનું પ્રયોજન પણ શું? આપણી ચેતના જે હકીકત કે અનુભૂતિ કે ઘટના પર સ્થિર થાય છે તેને અજવાળે છે પણ એ બધીને કશાક સૂત્રમાં ગૂંથી લઈને કશા જ્ઞેય પદાર્થને ઉપજાવવાનું ને એને એ રૂપે તપાસવાનું કામ એનું નથી. પૃથક્ ખણ્ડોને સાં‘વાને માટેના કશા સિદ્ધાન્તને વચમાં લાવ્યા વિના, અનુભૂતિના જુદા જુદા ખણ્ડોને વર્ણવવાનો ને એ રીતે જાણવાનો પણ અનોખો આનન્દ છે પણ જો કોઈ આને માટે કોઈ બૌદ્ધિક ભૂમિકા ખડી કરવાની જફામાં પડે ને એ રીતે જ્ઞેય પદાર્થના ‘તત્ત્વ’ની ભાળ કાઢ્યાનો દાવો કરે તો તે કૅમ્યૂને મંજૂર નથી. આપણું મન એકતાને ઝંખે છે પણ આપણી સામે તો ખણ્ડખણ્ડમાં વહેંચાયેલું જગત છે. આ અસંગતિને સ્વીકાર્યે જ છૂટકો.
આવા જગતમાં હું જે નિશ્ચિતપણે જાણી શકું છું, જેને હું નકારી શકું એમ નથી, જેને હું અવગણી કે ઉવેખી શકું એમ નથી તેનું મારે મન મહત્ત્વ છે. આ જગતનો એને અતિક્રમી જતો એવો કોઈ અર્થ હોય તો તેની મને ખબર નથી; ને એ વિશે હું આજની પરિસ્થિતિમાં તો કશુ જાણી શકું એમ નથી તે પણ નક્કી છે. તો એ પરિસ્થિતિ, મારા એ પરિવેશ કે સંદર્ભની હાર, પેલે પાર જો કોઈ અર્થ રહ્યો હોય તો તેને ને મારે શી નિસ્બત? હું તો માનવીના ઐહિક સંદર્ભમાં જ એ અર્થને જાણવાનો આગ્રહ રાખું છું. હું આ ખુરશીને જાણું છું કારણ કે મારો હાથ એને અડે છે ત્યારે એ બંને પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખવાને પ્રયત્ન કરે છે. આ પ્રતિકાર જ આપણા જ્ઞાનનો પાયો છે. જે બધંુ એકરૂપ થઈ જાય છે તેનુ જ્ઞાન થયું એમ કહેવાનો ભાગ્યે જ કશો અર્થ છે.
આવા જગતમાં હું જે નિશ્ચિતપણે જાણી શકું છું, જેને હું નકારી શકું એમ નથી, જેને હું અવગણી કે ઉવેખી શકું એમ નથી તેનું મારે મન મહત્ત્વ છે. આ જગતનો એને અતિક્રમી જતો એવો કોઈ અર્થ હોય તો તેની મને ખબર નથી; ને એ વિશે હું આજની પરિસ્થિતિમાં તો કશુ જાણી શકું એમ નથી તે પણ નક્કી છે. તો એ પરિસ્થિતિ, મારા એ પરિવેશ કે સંદર્ભની હાર, પેલે પાર જો કોઈ અર્થ રહ્યો હોય તો તેને ને મારે શી નિસ્બત? હું તો માનવીના ઐહિક સંદર્ભમાં જ એ અર્થને જાણવાનો આગ્રહ રાખું છું. હું આ ખુરશીને જાણું છું કારણ કે મારો હાથ એને અડે છે ત્યારે એ બંને પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખવાને પ્રયત્ન કરે છે. આ પ્રતિકાર જ આપણા જ્ઞાનનો પાયો છે. જે બધું એકરૂપ થઈ જાય છે તેનુ જ્ઞાન થયું એમ કહેવાનો ભાગ્યે જ કશો અર્થ છે.
મનુષ્યની આ વિશિષ્ટ પ્રકારની સંજ્ઞા કે સંવિત્તિ જ એને વિશ્વમાં આગન્તુક કે બહારના માણસની કક્ષાએ મૂકી દે છે. વૃક્ષોમાં વૃક્ષરૂપ થઈને જીવવું કે પશુઓ વચ્ચે પશુ થઈને જીવવામાં આવી સમસ્યા ઊભી થતી નથી કારણ કે ત્યારે જગતમય થઈને જીવવાનું શક્ય છે. પણ આ સંવિત્તિ જ મને જગતની બહાર મૂકી દે છે – હું જગતમાં પર્યાપ્ત થઈને રહેતો નથી. આથી જ મારો અર્થ જગતની બહાર શોધવા હું પ્રેરાઉં છું પણ એવો કશો અર્થ મને પ્રાપ્ત થાય એમ નથી; આમ એ અર્થને પામ્યા વિનાનો હું જગતમાં છતાં જગતની બહારનો બની રહું છું. જે મને પૂરેપૂરું સમજાય તે જ હું કરું; જો આને અભિમાન રાખ્યાનું પાપ ગણો તો તેથી શું? અહીં પાપ જેવું કશું નથી. દુનિયામાં પાપી કોઈ નથી, બહુ તો એ કહી શકો કે બિનજવાબદાર લોકો છે. નરકની વાત કરીને બિવડાવશો તો એવી કોઈ વસ્તુની તો કલ્પના કરવાનીય મારામાં શક્તિ નથી. આવું વલણ રાખવાથી અમરતાનો અધિકાર ખોવા જેવું થાય છે એમ કહેશો તો ‘અમરતા’ જેવી સંજ્ઞાનો મારે મન કશો અર્થ નથી. પછી એને ખોવાની વાત જ ક્યાં રહે છે? જે કાંઈ અનિશ્ચિત છે, જે કાંઈ જાણી શકાતું નથી તેને ખાતર કશો કૂદકો મારવાની મારી તૈયારી નથી. એક અનુભૂતિને પૂરી જીવી લેવી, એનાં આગામી પરિણામોની કે એવા કશા હિસાબની ચિન્તામાં પડ્યા વિના એ અનુભૂતિને પૂરેપૂરી સ્વીકારીને જીવી લેવી તે જ મારે મન ઉચિત છે. જે બે અન્તિમોનો વિચ્છેદ થયો છે તેમાંના એકને નકારીને, જગતને મિથ્યા કહીને ને બ્રહ્મને સત્ય કહીને કે તેને જ સાચું માનીને ને બ્રહ્મને નકારીને – અસંગતિને ટાળીએ તો એ તો છટકી નાસવા જેવું થયું. પણ આપણે તો જીવવા ઇચ્છીએ છીએ, છટકી નાસવાનું નહીં. આમ આ જીવનરીતિમાં મનુષ્ય પોતે અને પોતા વિશેનું જ્ઞાન – એની વચ્ચેની દુર્બો‘તાને હંમેશાં દૂર કરવા મથે છે ને પેલી કાચની દીવાલના જેવી પારદર્શિતાને જાળવી રાખવાનો પ્રયત્ન જ ચેતનાને એક પ્રકારની ઉત્કટતા અર્પે છે. એમાં કોઈ મહત્ત્વાકાંક્ષા કે અભીપ્સાનો સવાલ નથી કારણ કે એને અન્તે કશું પામવાનો અહીં પ્રયત્ન જ નથી, એવા કશાની આશા પણ નથી.
મનુષ્યની આ વિશિષ્ટ પ્રકારની સંજ્ઞા કે સંવિત્તિ જ એને વિશ્વમાં આગન્તુક કે બહારના માણસની કક્ષાએ મૂકી દે છે. વૃક્ષોમાં વૃક્ષરૂપ થઈને જીવવું કે પશુઓ વચ્ચે પશુ થઈને જીવવામાં આવી સમસ્યા ઊભી થતી નથી કારણ કે ત્યારે જગતમય થઈને જીવવાનું શક્ય છે. પણ આ સંવિત્તિ જ મને જગતની બહાર મૂકી દે છે – હું જગતમાં પર્યાપ્ત થઈને રહેતો નથી. આથી જ મારો અર્થ જગતની બહાર શોધવા હું પ્રેરાઉં છું પણ એવો કશો અર્થ મને પ્રાપ્ત થાય એમ નથી; આમ એ અર્થને પામ્યા વિનાનો હું જગતમાં છતાં જગતની બહારનો બની રહું છું. જે મને પૂરેપૂરું સમજાય તે જ હું કરું; જો આને અભિમાન રાખ્યાનું પાપ ગણો તો તેથી શું? અહીં પાપ જેવું કશું નથી. દુનિયામાં પાપી કોઈ નથી, બહુ તો એ કહી શકો કે બિનજવાબદાર લોકો છે. નરકની વાત કરીને બિવડાવશો તો એવી કોઈ વસ્તુની તો કલ્પના કરવાનીય મારામાં શક્તિ નથી. આવું વલણ રાખવાથી અમરતાનો અધિકાર ખોવા જેવું થાય છે એમ કહેશો તો ‘અમરતા’ જેવી સંજ્ઞાનો મારે મન કશો અર્થ નથી. પછી એને ખોવાની વાત જ ક્યાં રહે છે? જે કાંઈ અનિશ્ચિત છે, જે કાંઈ જાણી શકાતું નથી તેને ખાતર કશો કૂદકો મારવાની મારી તૈયારી નથી. એક અનુભૂતિને પૂરી જીવી લેવી, એનાં આગામી પરિણામોની કે એવા કશા હિસાબની ચિન્તામાં પડ્યા વિના એ અનુભૂતિને પૂરેપૂરી સ્વીકારીને જીવી લેવી તે જ મારે મન ઉચિત છે. જે બે અન્તિમોનો વિચ્છેદ થયો છે તેમાંના એકને નકારીને, જગતને મિથ્યા કહીને ને બ્રહ્મને સત્ય કહીને કે તેને જ સાચું માનીને ને બ્રહ્મને નકારીને – અસંગતિને ટાળીએ તો એ તો છટકી નાસવા જેવું થયું. પણ આપણે તો જીવવા ઇચ્છીએ છીએ, છટકી નાસવાનું નહીં. આમ આ જીવનરીતિમાં મનુષ્ય પોતે અને પોતા વિશેનું જ્ઞાન – એની વચ્ચેની દુર્બો‘તાને હંમેશાં દૂર કરવા મથે છે ને પેલી કાચની દીવાલના જેવી પારદર્શિતાને જાળવી રાખવાનો પ્રયત્ન જ ચેતનાને એક પ્રકારની ઉત્કટતા અર્પે છે. એમાં કોઈ મહત્ત્વાકાંક્ષા કે અભીપ્સાનો સવાલ નથી કારણ કે એને અન્તે કશું પામવાનો અહીં પ્રયત્ન જ નથી, એવા કશાની આશા પણ નથી.
બે અન્તિમો વચ્ચેના વિચ્છેદને કૃત્રિમ રીતે સાંધીને સમાધાન કરનાર વૃત્તિ સામે બળવો કરવો અનિવાર્ય બની રહે છે. પરાણે કૂદકો કોઈ મરાવે તો તેની સામે બળવો જ કરવો પડે. આ બળવો પોતે જ એક મૂલ્ય બની રહે છે. જે લોકો પારદર્શી સૂઝથી ગભરાઈને આંખ પર આંધી ચઢાવે છે તેમની વાત જુદી; પણ જેઓ નરી આંખે જોવા ઇચ્છે છે તેમને એક વિરલ દૃશ્ય જોવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થાય છે : પોતાને ઉલ્લંઘી જતી એવી સત્તા સાથે બુદ્ધિ જ્યારે બાથ ભિડાવે છે ત્યારે એ દૃશ્ય જ બની રહે છે. માનવીય ગૌરવનું એ રોમાંચક દૃશ્ય છે. એ બુદ્ધિ કોઈની પાછી વાળેલી પાછી પડે એમ નથી. એમ કરવામાં એ પોતે પોતાના પર જે શિસ્ત ચલાવે છે, અભૂતપૂર્વ એવું જે સંકલ્પબળ પ્રકટાવે છે ને પછી જે જુદ્ધ જામે છે તે ખરેખર એક અસાધારણ વસ્તુ છે. એ સત્-તાને બુદ્ધિને હંફાવે એવે સ્થાને સ્થાપી હોય તે જ ઠીક, એવું ‘અમાનુષીપણું’ જ માનવને અનોખું ગૌરવ અર્પે છે. એ સત્-તાને જો એથી સહેજ પણ ન્યૂન બનાવીએ તો એટલે અંશે માનવી જ ઊણો બને. મને બધું જ સમજાવી દેનાર સિદ્ધાન્ત મને દરિદ્ર કરી મૂકે છે. કશાક સાથે અથડાવાનું આવે નહીં ત્યાં સુધી હું મારા શરીરની ગરિમાને પણ શી રીતે જાણું? ગુરુત્વાકર્ષણનું કામ જ એ છે ને!
બે અન્તિમો વચ્ચેના વિચ્છેદને કૃત્રિમ રીતે સાંધીને સમાધાન કરનાર વૃત્તિ સામે બળવો કરવો અનિવાર્ય બની રહે છે. પરાણે કૂદકો કોઈ મરાવે તો તેની સામે બળવો જ કરવો પડે. આ બળવો પોતે જ એક મૂલ્ય બની રહે છે. જે લોકો પારદર્શી સૂઝથી ગભરાઈને આંખ પર આંધી ચઢાવે છે તેમની વાત જુદી; પણ જેઓ નરી આંખે જોવા ઇચ્છે છે તેમને એક વિરલ દૃશ્ય જોવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થાય છે : પોતાને ઉલ્લંઘી જતી એવી સત્તા સાથે બુદ્ધિ જ્યારે બાથ ભિડાવે છે ત્યારે એ દૃશ્ય જ બની રહે છે. માનવીય ગૌરવનું એ રોમાંચક દૃશ્ય છે. એ બુદ્ધિ કોઈની પાછી વાળેલી પાછી પડે એમ નથી. એમ કરવામાં એ પોતે પોતાના પર જે શિસ્ત ચલાવે છે, અભૂતપૂર્વ એવું જે સંકલ્પબળ પ્રકટાવે છે ને પછી જે જુદ્ધ જામે છે તે ખરેખર એક અસાધારણ વસ્તુ છે. એ સત્-તાને બુદ્ધિને હંફાવે એવે સ્થાને સ્થાપી હોય તે જ ઠીક, એવું ‘અમાનુષીપણું’ જ માનવને અનોખું ગૌરવ અર્પે છે. એ સત્-તાને જો એથી સહેજ પણ ન્યૂન બનાવીએ તો એટલે અંશે માનવી જ ઊણો બને. મને બધું જ સમજાવી દેનાર સિદ્ધાન્ત મને દરિદ્ર કરી મૂકે છે. કશાક સાથે અથડાવાનું આવે નહીં ત્યાં સુધી હું મારા શરીરની ગરિમાને પણ શી રીતે જાણું? ગુરુત્વાકર્ષણનું કામ જ એ છે ને!