ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. પ્રાચીના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 42: Line 42:
‘કર્ણ-કૃષ્ણ’ની આપણા અનેક આલોચકોએ ‘પ્રાચીના’નું અવલોકન કરતાં ચર્ચા કરી છે. રામપ્રસાદ શુક્લે ‘કર્ણનો નાશ એની વિકાસેચ્છાને જ આધીન છે’ એમ જણાવી પ્રાકૃત અંશોના વિનાશરૂપ સ્વાર્પણ વડે જ સ્વપરનો સમુલ્લાસ હોવાનું રહસ્ય આ કૃતિમાંથી તારવી બતાવ્યું છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮) રામપ્રસાદ બક્ષીએ ‘કર્ણ-કૃષ્ણ’ વિશે લખતાં ‘સમષ્ટિના સત્યના રશ્મિ’ તરીકે પોતાનું અભિજ્ઞાન આપતો કર્ણ મહાભારતના ને વેણીસંહારના કર્ણથી આગળ છે એમ જે જણાવ્યું છે તે યોગ્ય છે. મહાભારતકારે કૃષ્ણ દ્વારા કર્ણને સમજાવવામાં સામ, દામ અને દંડનો વિનિયોગ કરેલો તો ઉમાશંકરે એમાં ચોથો ઉપાય ભેદ ઉમેર્યો છે તે રામપ્રસાદ બક્ષીએ જણાવ્યું છે. ભેદના ઉપાયરૂપે કૃષ્ણ કર્ણને ભીષ્મે તેનો તિરસ્કાર કર્યાની ઘટનાની યાદ આપે છે, પરંતુ આ ઘટના મહાભારતમાં તો આ પ્રસંગ બાદ બને છે, અને એ ઘટનામાં કર્ણનું અપમાન કરનાર અન્ય હતા એટલે મહાભારતનો ઘટનાક્રમ જાણનારને અહીં કાલવ્યુત્ક્રમનો દોષ દેખાય. કર્ણ કૃષ્ણને ‘પાર્થસારથિ’ કહીને સંબોધતો હોય એવી પંક્તિ (‘હા યુદ્ધભોમે ફરી, પાર્થસારથિ’) પહેલી આવૃત્તિમાં ‘કર્ણ-કૃષ્ણ’માં હતી, પરંતુ પાંચમી આવૃત્તિમાં એ પંક્તિમાં ‘પાર્થસારથિ’ને બદલે ‘પાર્થબંધુ હે’ મળે છે – જે યોગ્ય જ થયું છે.
‘કર્ણ-કૃષ્ણ’ની આપણા અનેક આલોચકોએ ‘પ્રાચીના’નું અવલોકન કરતાં ચર્ચા કરી છે. રામપ્રસાદ શુક્લે ‘કર્ણનો નાશ એની વિકાસેચ્છાને જ આધીન છે’ એમ જણાવી પ્રાકૃત અંશોના વિનાશરૂપ સ્વાર્પણ વડે જ સ્વપરનો સમુલ્લાસ હોવાનું રહસ્ય આ કૃતિમાંથી તારવી બતાવ્યું છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮) રામપ્રસાદ બક્ષીએ ‘કર્ણ-કૃષ્ણ’ વિશે લખતાં ‘સમષ્ટિના સત્યના રશ્મિ’ તરીકે પોતાનું અભિજ્ઞાન આપતો કર્ણ મહાભારતના ને વેણીસંહારના કર્ણથી આગળ છે એમ જે જણાવ્યું છે તે યોગ્ય છે. મહાભારતકારે કૃષ્ણ દ્વારા કર્ણને સમજાવવામાં સામ, દામ અને દંડનો વિનિયોગ કરેલો તો ઉમાશંકરે એમાં ચોથો ઉપાય ભેદ ઉમેર્યો છે તે રામપ્રસાદ બક્ષીએ જણાવ્યું છે. ભેદના ઉપાયરૂપે કૃષ્ણ કર્ણને ભીષ્મે તેનો તિરસ્કાર કર્યાની ઘટનાની યાદ આપે છે, પરંતુ આ ઘટના મહાભારતમાં તો આ પ્રસંગ બાદ બને છે, અને એ ઘટનામાં કર્ણનું અપમાન કરનાર અન્ય હતા એટલે મહાભારતનો ઘટનાક્રમ જાણનારને અહીં કાલવ્યુત્ક્રમનો દોષ દેખાય. કર્ણ કૃષ્ણને ‘પાર્થસારથિ’ કહીને સંબોધતો હોય એવી પંક્તિ (‘હા યુદ્ધભોમે ફરી, પાર્થસારથિ’) પહેલી આવૃત્તિમાં ‘કર્ણ-કૃષ્ણ’માં હતી, પરંતુ પાંચમી આવૃત્તિમાં એ પંક્તિમાં ‘પાર્થસારથિ’ને બદલે ‘પાર્થબંધુ હે’ મળે છે – જે યોગ્ય જ થયું છે.
ડોલરરાયે ‘કર્ણ-કૃષ્ણ’ની સંવાદ-કળાની પ્રશંસા કરી છે, તે સાથે એ કાવ્યમાંના કેટલાક દોષ પણ બતાવ્યા છે. કર્ણે યુદ્ધકળાપરીક્ષાના પ્રસંગે કુંતીની આંખોમાં દિવ્ય વાત્સલ્યધારા નિહાળી હતી અને તેથી કર્ણને કુંતી પોતાની માતા હોય તેવી લાગણીયે થઈ હતી. તેથી કર્ણ કૃષ્ણને કહે છે કે ‘એ જાણું છું કૈંક રહસ્ય, જ્યારથી | પામ્યો છું હું આશિષ કુંતીનેત્રની | મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી...’ ડોલરરાય આ સંદર્ભે ટીકા કરતાં લખે છે  ‘સંભવની દૃષ્ટિએ, કર્ણ આવી રીતે અનુમાન કરીને પોતાના જન્મની બધી હકીકત સમજી શકે એ વાત મને જરા દુરાકૃષ્ટ લાગે છે.’૨૩૩ ઉમાશંકરે મૂળમાં કર્ણમુખે ‘કૈંક રહસ્ય’ એમ કહ્યું છે ત્યાં બધી હકીકત સમજવાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી અને તેથી ડોલરરાયની આ વિધાનગત લાગણી બરોબર જણાતી નથી. વળી ડોલરરાય કર્ણમુખે ઉચ્ચારાતા ‘સમષ્ટિમાં જે સહુ જન્મહીણાં | જીવે, વળી ભાવિ વિશેય જીવશે, | એ સર્વના જન્મકલંક કેરો | અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી’ – આવાં વચનોમાં ઔચિત્યભંગ જુએ છે. તેઓ લખે છે  “કવિએ પોતે, પોતાના શબ્દોમાં આવી દલીલ વાપરી હોત તો એ મહાભારતનાં આ પ્રસંગનું અર્થઘટન (‘ઇન્ટરપ્રીટેશન’) છે એ દૃષ્ટિએ આવકાર્ય બનત. પણ કવિએ આને સંવાદકાવ્ય બનાવ્યું છે તેથી પોતાનું અર્થઘટન પણ એ પાત્રના મુખેથી કરાવે છે, અને તેથી કવિનાં મંતવ્યો પાત્રનાં સંપ્રજ્ઞાત મન્તવ્યો બની જાય છે એટલા પૂરતું મને આ વિષયમાં અનૌચિત્ય જણાય છે.” અહીં ડોલરરાયને કર્ણના પાત્રવિકાસની નાટ્યદૃષ્ટિએ ઊણપ ચીંધવી હશે કદાચ. જોકે કર્ણ ‘હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર, | – સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ.’ – આવાં વચનો ઉચ્ચારી શકતો હોય, ‘મારેય હૈયે હિત છે સમષ્ટિનું’ આવી વાત કહી શકતો હોય, ‘સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ’ એ રીતે પોતાનું અભિજ્ઞાન આપતો હોય (ને આ બધા સામે જો ડોલરરાયને વાંધો ન હોય) તો પછી આવાં વચન કહેનાર કર્ણના મુખમાં ડોલરરાયનિર્દિષ્ટ વચનો હોય તો એમાં વાંધો લેવાપણું રહેતું નથી. વળી ડોલરરાય કાવ્યના અંત સંબંધે ટીકા કરે છે તે પણ જોવા જેવી છે. તેઓ ‘જાઉં હવે... કૃષ્ણ... અહીં કારમો ’ – એ પંક્તિઓમાં કર્ણ ભારતનો મહારથ ખોટકાઈ પડવાની વાત કરે છે. ડોલરરાય કહે છે કે ‘આ વચનોનું ઔચિત્ય કે ધ્વનિ મને સમજાતો નથી. પોતે લીધેલાં પગલાંથી ભારતનો રથ ખોટકાઈ જશે એટલે ભારતનો વિકાસ અટકી પડશે એમ કર્ણ જાણે છે છતાં, પોતે આવો નિશ્ચય કરે છે એમ નિરૂપવાથી કર્ણના પાત્રની મહત્તા વધે છે કે ઘટે છે  કે પછી કર્ણનાં આ વચનો મોંમાં મૂકવામાં કવિને કોઈ બીજો ભાવાર્થ ઉદિૃષ્ટ હશે ૨૩૪ એક વાત તો સ્પષ્ટ છે કે વેગથી જતાં રથ જે રીતે અટક્યો તેનું સૂચન કર્ણને કરવું છે. તેમ કરતાં કર્ણ અને કૃષ્ણ ભેગા ન થઈ શક્યાથી કેવી દારુણ પરિસ્થિતિ ભારત માટે થઈ તે સૂચવવાનો કવિનો લોભ પણ જોર કરી જાય છે અને તેથી વિધિવશાત્ એક જ રથનાં બે ચક્રો બે વિરોધી દિશામાં જતાં રથની જે દશા થાય તે બતાવી કર્ણ-કૃષ્ણના જ નહિ, તેમના સમયની ભારતનીયે કરુણતા બતાવાય છે. વળી આ ઉક્તિ દ્વારા કૃષ્ણ જેટલી કર્ણની મહત્તા – ને તેય પાછી કર્ણમુખે જ  – સૂચવાય છે ને તેમાં કંઈક અનૌચિત્ય લાગવાનો સંભવ જરૂર છે, જોકે કર્ણ પોતાની મહત્તા સૂચવવા કરતાં, નિયતિપ્રેરિત કરુણતા દર્શાવવા માગતો હોય એવું વધારે જણાય છે. રામપ્રસાદ શુક્લે કૃષ્ણને મળેલા શાપ વડે જ એમની મહત્તા સત્સ્વરૂપે ઝળહળી રહી હોવાનું નિરીક્ષણ કર્યું જ છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮)
ડોલરરાયે ‘કર્ણ-કૃષ્ણ’ની સંવાદ-કળાની પ્રશંસા કરી છે, તે સાથે એ કાવ્યમાંના કેટલાક દોષ પણ બતાવ્યા છે. કર્ણે યુદ્ધકળાપરીક્ષાના પ્રસંગે કુંતીની આંખોમાં દિવ્ય વાત્સલ્યધારા નિહાળી હતી અને તેથી કર્ણને કુંતી પોતાની માતા હોય તેવી લાગણીયે થઈ હતી. તેથી કર્ણ કૃષ્ણને કહે છે કે ‘એ જાણું છું કૈંક રહસ્ય, જ્યારથી | પામ્યો છું હું આશિષ કુંતીનેત્રની | મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી...’ ડોલરરાય આ સંદર્ભે ટીકા કરતાં લખે છે  ‘સંભવની દૃષ્ટિએ, કર્ણ આવી રીતે અનુમાન કરીને પોતાના જન્મની બધી હકીકત સમજી શકે એ વાત મને જરા દુરાકૃષ્ટ લાગે છે.’૨૩૩ ઉમાશંકરે મૂળમાં કર્ણમુખે ‘કૈંક રહસ્ય’ એમ કહ્યું છે ત્યાં બધી હકીકત સમજવાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી અને તેથી ડોલરરાયની આ વિધાનગત લાગણી બરોબર જણાતી નથી. વળી ડોલરરાય કર્ણમુખે ઉચ્ચારાતા ‘સમષ્ટિમાં જે સહુ જન્મહીણાં | જીવે, વળી ભાવિ વિશેય જીવશે, | એ સર્વના જન્મકલંક કેરો | અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી’ – આવાં વચનોમાં ઔચિત્યભંગ જુએ છે. તેઓ લખે છે  “કવિએ પોતે, પોતાના શબ્દોમાં આવી દલીલ વાપરી હોત તો એ મહાભારતનાં આ પ્રસંગનું અર્થઘટન (‘ઇન્ટરપ્રીટેશન’) છે એ દૃષ્ટિએ આવકાર્ય બનત. પણ કવિએ આને સંવાદકાવ્ય બનાવ્યું છે તેથી પોતાનું અર્થઘટન પણ એ પાત્રના મુખેથી કરાવે છે, અને તેથી કવિનાં મંતવ્યો પાત્રનાં સંપ્રજ્ઞાત મન્તવ્યો બની જાય છે એટલા પૂરતું મને આ વિષયમાં અનૌચિત્ય જણાય છે.” અહીં ડોલરરાયને કર્ણના પાત્રવિકાસની નાટ્યદૃષ્ટિએ ઊણપ ચીંધવી હશે કદાચ. જોકે કર્ણ ‘હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર, | – સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ.’ – આવાં વચનો ઉચ્ચારી શકતો હોય, ‘મારેય હૈયે હિત છે સમષ્ટિનું’ આવી વાત કહી શકતો હોય, ‘સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ’ એ રીતે પોતાનું અભિજ્ઞાન આપતો હોય (ને આ બધા સામે જો ડોલરરાયને વાંધો ન હોય) તો પછી આવાં વચન કહેનાર કર્ણના મુખમાં ડોલરરાયનિર્દિષ્ટ વચનો હોય તો એમાં વાંધો લેવાપણું રહેતું નથી. વળી ડોલરરાય કાવ્યના અંત સંબંધે ટીકા કરે છે તે પણ જોવા જેવી છે. તેઓ ‘જાઉં હવે... કૃષ્ણ... અહીં કારમો ’ – એ પંક્તિઓમાં કર્ણ ભારતનો મહારથ ખોટકાઈ પડવાની વાત કરે છે. ડોલરરાય કહે છે કે ‘આ વચનોનું ઔચિત્ય કે ધ્વનિ મને સમજાતો નથી. પોતે લીધેલાં પગલાંથી ભારતનો રથ ખોટકાઈ જશે એટલે ભારતનો વિકાસ અટકી પડશે એમ કર્ણ જાણે છે છતાં, પોતે આવો નિશ્ચય કરે છે એમ નિરૂપવાથી કર્ણના પાત્રની મહત્તા વધે છે કે ઘટે છે  કે પછી કર્ણનાં આ વચનો મોંમાં મૂકવામાં કવિને કોઈ બીજો ભાવાર્થ ઉદિૃષ્ટ હશે ૨૩૪ એક વાત તો સ્પષ્ટ છે કે વેગથી જતાં રથ જે રીતે અટક્યો તેનું સૂચન કર્ણને કરવું છે. તેમ કરતાં કર્ણ અને કૃષ્ણ ભેગા ન થઈ શક્યાથી કેવી દારુણ પરિસ્થિતિ ભારત માટે થઈ તે સૂચવવાનો કવિનો લોભ પણ જોર કરી જાય છે અને તેથી વિધિવશાત્ એક જ રથનાં બે ચક્રો બે વિરોધી દિશામાં જતાં રથની જે દશા થાય તે બતાવી કર્ણ-કૃષ્ણના જ નહિ, તેમના સમયની ભારતનીયે કરુણતા બતાવાય છે. વળી આ ઉક્તિ દ્વારા કૃષ્ણ જેટલી કર્ણની મહત્તા – ને તેય પાછી કર્ણમુખે જ  – સૂચવાય છે ને તેમાં કંઈક અનૌચિત્ય લાગવાનો સંભવ જરૂર છે, જોકે કર્ણ પોતાની મહત્તા સૂચવવા કરતાં, નિયતિપ્રેરિત કરુણતા દર્શાવવા માગતો હોય એવું વધારે જણાય છે. રામપ્રસાદ શુક્લે કૃષ્ણને મળેલા શાપ વડે જ એમની મહત્તા સત્સ્વરૂપે ઝળહળી રહી હોવાનું નિરીક્ષણ કર્યું જ છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮)
ભૃગુરાય અંજારિયાએ કર્ણના પાત્ર પરત્વે લખતાં જણાવ્યું છે કે ‘લેખક ખૂબ સિફતથી કર્ણના જીવનપ્રસંગોને લગતી વીગતો જોઈતી દલીલો રૂપે લાવી શક્યા છે, કૃષ્ણને મુખે પણ એ મુત્સદ્દીની અદાથી શોભે એવી દલીલો મૂકે છે, છતાં અહીં કર્ણના પાત્રની સમગ્રતાને પડતી મૂકવી પડી છે એ ચોક્કસ.’૨૩૫ મહાભારતમાં કર્ણના જે કંઈ સંદર્ભો આવે છે તે બધા ધ્યાનમાં લઈને વાત કરવાની હોય તો ભૃગુરાયને લાગ્યું છે એવું લાગે જરૂર. પણ આવો અભિગમ સ્વયંસંપૂર્ણ અથવા આત્મપર્યાપ્ત એવી કલાકૃતિનું રહસ્ય સમજવામાં અનિવાર્ય નથી. એમ તો દુર્યોધન સુયોધન રૂપે – ભદ્ર પાત્ર તરીકે ભાસના ‘ઊરુભંગ’માં આવે જ છે. એ દુર્યોધનના મહાભારતગત બધા સંદર્ભો લઈને ‘ઊરુભંગ’ના દુર્યોધનની વાત કરવાથી કલાનો અર્થ કેટલો સરે  ઉમાશંકરની કર્ણ વિશેની વિભાવનાના સંદર્ભમાં કાવ્યગત પાત્રોચિત્ય તપાસવું એ જ કલાકૃતિની સ્વાયત્તતાના ને કલાના હિતમાં લેખાય. આ ભૃગુરાયે ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં ઊતરી આવેલા શાંત ગૌરવની સરસ નોંધ લીધી છે. તેઓ લખે છે  ‘જ્યાં લાગણીનાં બહુ મોટાં ચઢાણ કે ઉતરાણ ન બતાવવાં હોય ત્યાં જ ઉમાશંકર સર્વાંશે સફળ થયા છે. ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં શાંત ગૌરવ આવી શક્યું છે. શાંત, સંયમિત સૂરે વહેતી વાતચીતના સ્વરોચ્ચાર છે, અને દરેક કથનને નિરૂપવા, રંગના લપેડા નહીં, વીગતોનાં ઝૂમખાંથી લચી જતાં વર્ણનો નહીં, પણ અજબ સ્વચ્છતાભર્યા, આછા માત્ર આવશ્યક ઉપસાટથી મોહક બનતાં ભાવભીનાં નખચિત્રો છે.’૨૩૬
ભૃગુરાય અંજારિયાએ કર્ણના પાત્ર પરત્વે લખતાં જણાવ્યું છે કે ‘લેખક ખૂબ સિફતથી કર્ણના જીવનપ્રસંગોને લગતી વીગતો જોઈતી દલીલો રૂપે લાવી શક્યા છે, કૃષ્ણને મુખે પણ એ મુત્સદ્દીની અદાથી શોભે એવી દલીલો મૂકે છે, છતાં અહીં કર્ણના પાત્રની સમગ્રતાને પડતી મૂકવી પડી છે એ ચોક્કસ.’૨૩૫ મહાભારતમાં કર્ણના જે કંઈ સંદર્ભો આવે છે તે બધા ધ્યાનમાં લઈને વાત કરવાની હોય તો ભૃગુરાયને લાગ્યું છે એવું લાગે જરૂર. પણ આવો અભિગમ સ્વયંસંપૂર્ણ અથવા આત્મપર્યાપ્ત એવી કલાકૃતિનું રહસ્ય સમજવામાં અનિવાર્ય નથી. એમ તો દુર્યોધન સુયોધન રૂપે – ભદ્ર પાત્ર તરીકે ભાસના ‘ઊરુભંગ’માં આવે જ છે. એ દુર્યોધનના મહાભારતગત બધા સંદર્ભો લઈને ‘ઊરુભંગ’ના દુર્યોધનની વાત કરવાથી કલાનો અર્થ કેટલો સરે  ઉમાશંકરની કર્ણ વિશેની વિભાવનાના સંદર્ભમાં કાવ્યગત પાત્રોચિત્ય તપાસવું એ જ કલાકૃતિની સ્વાયત્તતાના ને કલાના હિતમાં લેખાય. આ ભૃગુરાયે ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં ઊતરી આવેલા શાંત ગૌરવની સરસ નોંધ લીધી છે. તેઓ લખે છે  ‘જ્યાં લાગણીનાં બહુ મોટાં ચઢાણ કે ઉતરાણ ન બતાવવાં હોય ત્યાં જ ઉમાશંકર સર્વાંશે સફળ થયા છે. ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં શાંત ગૌરવ આવી શક્યું છે. શાંત, સંયમિત સૂરે વહેતી વાતચીતના સ્વરોચ્ચાર છે, અને દરેક કથનને નિરૂપવા, રંગના લપેડા નહીં, વીગતોનાં ઝૂમખાંથી લચી જતાં વર્ણનો નહીં, પણ અજબ સ્વચ્છતાભર્યા, આછા માત્ર આવશ્યક ઉપસાટથી મોહક બનતાં ભાવભીનાં નખચિત્રો છે.’ (‘મમત્વ’ ને ‘મહત્ત્વ’ – એ બે પદોનો વિનિયોગ નોંધવા જેવો છે. ઉમાશંકર આ રીતના પદપ્રયોગોથી પંક્તિને સૂત્રાત્મકતા અર્પી તેની અવતરણક્ષમતા સિદ્ધ કરે છે. આવાં અનેક દૃષ્ટાંતો ‘પ્રાચીના’માં મળે એમ છે. – ચં૰)
S ‘મમત્વ’ ને ‘મહત્ત્વ’ – એ બે પદોનો વિનિયોગ નોંધવા જેવો છે. ઉમાશંકર આ રીતના પદપ્રયોગોથી પંક્તિને સૂત્રાત્મકતા અર્પી તેની અવતરણક્ષમતા સિદ્ધ કરે છે. આવાં અનેક દૃષ્ટાંતો ‘પ્રાચીના’માં મળે એમ છે. – ચં૰
‘પ્રાચીના’ના આરંભનાં ત્રણ કાવ્યો ‘કર્ણ-કૃષ્ણ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’ અને ‘ગાંધારી’ કોઈ ને કોઈ રીતે યુદ્ધના સંદર્ભ સાથે સંકળાયેલાં છે. ડૉ. ચંદ્રકાન્ત મહેતા આ ત્રણેય કાવ્યોને ઉચિત રીતે ‘યુદ્ધવિરોધી કાવ્યો’૨૩૭ તરીકે ઓળખાવે છે. આમ છતાં એટલું જ અભિજ્ઞાન આ કાવ્યો બાબતમાં પર્યાપ્ત નથી એ સ્પષ્ટ છે. ઉમાશંકરને જન્મ ને જીવનાં કૃત્યોમાં ઊંડો રસ છે, નિયતિ ને આકસ્મિકતાની સમસ્યાનું પણ કંઈક આકર્ષણ લાગે છે. ‘અહો  જનોની ચિર યુદ્ધ-શ્રદ્ધા ’ એમ કહેનાર કૃષ્ણની ધર્મ-શ્રદ્ધા દૃઢ છે. માણસમાંથી ધર્મ બાદ થાય તો શું બાકી રહે  અરે  કાવ્યમાંથી પણ ધર્મ નિ:શેષપણે બાદ થાય તો શું બચે  ઉમાશંકરનાં ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં કાવ્યોની માંડણી ધર્મના વજ્રપાયા પર થયેલી છે એ સ્પષ્ટ છે. ‘પ્રાચીના’થી ‘મહાપ્રસ્થાન’માં આ ધર્મ શબ્દ અત્રતત્ર ફંગોળાતો જ રહ્યો છે. ને એમને હાથે વ્યાસ-રવીન્દ્રનાથને અનુકૂળ એવી જીવનનિયામક ધર્મ શબ્દની ચિકિત્સા થતી આવી છે.’૨૩૮ – આ ઉશનસ્નું વિધાન સ્થાને છે. રવીન્દ્રનાથની જેમ માનવ્ય-ધર્મમાં ઉમાશંકરનો ઊંડો-વ્યાપક રસ છે, બંનેની દૃષ્ટિ ભારતીયતાને જે રીતે જુએ, મૂલવે છે એમાંય સામ્ય છે, આમ છતાં ઉમાશંકર રવીન્દ્રનાથના શિષ્ય હોવાનું વિધાન કરવાની જરૂર નથી. ઉમાશંકરની શક્તિ-મર્યાદા ઉમાશંકરની જ છે તે તો આ ‘કર્ણ-કૃષ્ણ’ ને રવીન્દ્રનાથનું ‘કર્ણ-કુંતી સંવાદ’ સરખાવી જોતાં તુરત પ્રતીત થાય છે.
‘પ્રાચીના’ના આરંભનાં ત્રણ કાવ્યો ‘કર્ણ-કૃષ્ણ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’ અને ‘ગાંધારી’ કોઈ ને કોઈ રીતે યુદ્ધના સંદર્ભ સાથે સંકળાયેલાં છે. ડૉ. ચંદ્રકાન્ત મહેતા આ ત્રણેય કાવ્યોને ઉચિત રીતે ‘યુદ્ધવિરોધી કાવ્યો’૨૩૭ તરીકે ઓળખાવે છે. આમ છતાં એટલું જ અભિજ્ઞાન આ કાવ્યો બાબતમાં પર્યાપ્ત નથી એ સ્પષ્ટ છે. ઉમાશંકરને જન્મ ને જીવનાં કૃત્યોમાં ઊંડો રસ છે, નિયતિ ને આકસ્મિકતાની સમસ્યાનું પણ કંઈક આકર્ષણ લાગે છે. ‘અહો  જનોની ચિર યુદ્ધ-શ્રદ્ધા ’ એમ કહેનાર કૃષ્ણની ધર્મ-શ્રદ્ધા દૃઢ છે. માણસમાંથી ધર્મ બાદ થાય તો શું બાકી રહે  અરે  કાવ્યમાંથી પણ ધર્મ નિ:શેષપણે બાદ થાય તો શું બચે  ઉમાશંકરનાં ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં કાવ્યોની માંડણી ધર્મના વજ્રપાયા પર થયેલી છે એ સ્પષ્ટ છે. ‘પ્રાચીના’થી ‘મહાપ્રસ્થાન’માં આ ધર્મ શબ્દ અત્રતત્ર ફંગોળાતો જ રહ્યો છે. ને એમને હાથે વ્યાસ-રવીન્દ્રનાથને અનુકૂળ એવી જીવનનિયામક ધર્મ શબ્દની ચિકિત્સા થતી આવી છે.’૨૩૮ – આ ઉશનસ્નું વિધાન સ્થાને છે. રવીન્દ્રનાથની જેમ માનવ્ય-ધર્મમાં ઉમાશંકરનો ઊંડો-વ્યાપક રસ છે, બંનેની દૃષ્ટિ ભારતીયતાને જે રીતે જુએ, મૂલવે છે એમાંય સામ્ય છે, આમ છતાં ઉમાશંકર રવીન્દ્રનાથના શિષ્ય હોવાનું વિધાન કરવાની જરૂર નથી. ઉમાશંકરની શક્તિ-મર્યાદા ઉમાશંકરની જ છે તે તો આ ‘કર્ણ-કૃષ્ણ’ ને રવીન્દ્રનાથનું ‘કર્ણ-કુંતી સંવાદ’ સરખાવી જોતાં તુરત પ્રતીત થાય છે.
ઉમાશંકરે ‘કર્ણ-કૃષ્ણ’ કૃતિમાં મિશ્રોપજાતિને સુંદર રીતે પ્રયોજ્યો છે. રામનારાયણ પાઠકે ‘બૃહત પિંગલ’ (૧૯૫૫)માં ઉમાશંકરના મિશ્રોપજાતિનાં કેટલાંક રસપ્રદ નિરીક્ષણ કર્યાં છે. તેઓ ‘પ્રાચીના’ની છંદોરચનાના સંદર્ભમાં લખે છે કે, “ ‘પ્રાચીના’નાં લાંબાં કાવ્યો ઘણાંખરાં ત્રૈષ્ટુભ-જાગત ઉપજાતિમાં છે અને વસ્તુ મહાભારતનું હોવાથી તેમાં અનિયમિત આર્ષ છંદોનું અનુકરણ કરવામાં પણ ઔચિત્ય રહેલું છે.” (પૃ. ૨૭૧)
ઉમાશંકરે ‘કર્ણ-કૃષ્ણ’ કૃતિમાં મિશ્રોપજાતિને સુંદર રીતે પ્રયોજ્યો છે. રામનારાયણ પાઠકે ‘બૃહત પિંગલ’ (૧૯૫૫)માં ઉમાશંકરના મિશ્રોપજાતિનાં કેટલાંક રસપ્રદ નિરીક્ષણ કર્યાં છે. તેઓ ‘પ્રાચીના’ની છંદોરચનાના સંદર્ભમાં લખે છે કે, “ ‘પ્રાચીના’નાં લાંબાં કાવ્યો ઘણાંખરાં ત્રૈષ્ટુભ-જાગત ઉપજાતિમાં છે અને વસ્તુ મહાભારતનું હોવાથી તેમાં અનિયમિત આર્ષ છંદોનું અનુકરણ કરવામાં પણ ઔચિત્ય રહેલું છે.” (પૃ. ૨૭૧)
Line 49: Line 48:
‘એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ,
સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા 
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા ’
‘એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ,
સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા 
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા ’
ત્યારે એમાં ‘એ’ પદની ઉપસ્થિતિએ પંક્તિના અર્થાનુસારી ભાવાનુલક્ષી ખંડકો થતાં છંદોલયને નવું જ રૂપ મળે છે અને ‘પી જા, પીજા,’ પંક્તિના શાલિનીના લયે, શબ્દોના પુનરાવર્તન તેમ જ સચોટ પ્રાસમેળે, તથા ‘જણનારાંના’માં લીધેલ એક ગુરુને સ્થાને બે લઘુની એકતાનતાવિરોધી ઉપસ્થિતિથી ઉપરની ઉક્તિ સરસ-સચોટ અનુભૂતિ આપીને રહે છે. પદવિન્યાસનો છંદોલયની સિદ્ધિમાં શું ફાળો હોઈ શકે તે આ દૃષ્ટાંતમાં બરોબર પ્રતીત થાય છે. ઉમાશંકરના કાને ઉમાશંકરની પદ્યસિદ્ધિમાં મહત્ત્વની મદદ કરી હોવાનું ‘પ્રાચીના’ – ‘મહાપ્રસ્થાન’ની રચનાઓ જોતાં તુરત પ્રતીત થાય છે.
ત્યારે એમાં ‘એ’ પદની ઉપસ્થિતિએ પંક્તિના અર્થાનુસારી ભાવાનુલક્ષી ખંડકો થતાં છંદોલયને નવું જ રૂપ મળે છે અને ‘પી જા, પીજા,’ પંક્તિના શાલિનીના લયે, શબ્દોના પુનરાવર્તન તેમ જ સચોટ પ્રાસમેળે, તથા ‘જણનારાંના’માં લીધેલ એક ગુરુને સ્થાને બે લઘુની એકતાનતાવિરોધી ઉપસ્થિતિથી ઉપરની ઉક્તિ સરસ-સચોટ અનુભૂતિ આપીને રહે છે. પદવિન્યાસનો છંદોલયની સિદ્ધિમાં શું ફાળો હોઈ શકે તે આ દૃષ્ટાંતમાં બરોબર પ્રતીત થાય છે. ઉમાશંકરના કાને ઉમાશંકરની પદ્યસિદ્ધિમાં મહત્ત્વની મદદ કરી હોવાનું ‘પ્રાચીના’ – ‘મહાપ્રસ્થાન’ની રચનાઓ જોતાં તુરત પ્રતીત થાય છે.
દર્શક ‘કર્ણ-કૃષ્ણ’નો આસ્વાદ કરાવતાં ઊલટભેર લખે છે  “ઉમાશંકરે આ કાવ્ય સર્જ્યું હશે ત્યારે વાગ્દેવીએ તેમના પર વરદ હસ્ત મૂક્યો હશે.” (યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., પૃ. ૧૬૬) ‘કર્ણ-કૃષ્ણ’માં કવિ નાટ્યોચિત પદાવલિની વધુમાં વધુ સમીપ હોવાનું નિરીક્ષણ નિરંજન ભગત કરે છે.૨૩૯ દીપક મહેતા સભાનતાથી પદ્યપ્રયોગ ન થયો હોય એમાં ‘કુબ્જા’ સાથે ‘કર્ણ-કૃષ્ણ’ને પણ ગણાવે છે. તેઓ નોંધે છે  “ ‘કર્ણ-કૃષ્ણ’માં પદ્યના માધ્યમ પાસેથી કવિ સારું કામ કઢાવી શક્યા છે.”૨૪૦ આ બધાં કાવ્યો વિશેના જો બધા વિવેચકોના મત લઈએ તો લગભગ એક યા બીજા કારણે આમાંનાં બધાં જ કાવ્યોને અગત્ય મળ્યાનું સમજાય  એને વળી આપણા વિવેચનની જ એક ખૂબી ગણવી ને  ઉમાશંકરની નાટ્યપદ્યની ખોજની બાબત ધ્યાનમાં લેતાં ‘કર્ણ-કૃષ્ણ’માંના પદ્યપ્રયોગને ધ્યાનમાં લેવો જ પડે એવી ને એટલી એની સિદ્ધિ જરૂર છે. રામનારાયણે ‘બૃહત્ પિંગળ’માં (પૃ. ૬૯૦) મિશ્રોપજાતિ માટેના બૃહત ક્ષેત્રની સંભાવના દર્શાવી છે અને ‘પ્રાચીના’ગત મિશ્રોપજાતિવાળા પદ્યપ્રયોગો જોતાં એ અભિપ્રાય વજૂદવાળો પણ લાગે છે.
દર્શક ‘કર્ણ-કૃષ્ણ’નો આસ્વાદ કરાવતાં ઊલટભેર લખે છે  “ઉમાશંકરે આ કાવ્ય સર્જ્યું હશે ત્યારે વાગ્દેવીએ તેમના પર વરદ હસ્ત મૂક્યો હશે.” (યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., પૃ. ૧૬૬) ‘કર્ણ-કૃષ્ણ’માં કવિ નાટ્યોચિત પદાવલિની વધુમાં વધુ સમીપ હોવાનું નિરીક્ષણ નિરંજન ભગત કરે છે.૨૩૯ દીપક મહેતા સભાનતાથી પદ્યપ્રયોગ ન થયો હોય એમાં ‘કુબ્જા’ સાથે ‘કર્ણ-કૃષ્ણ’ને પણ ગણાવે છે. તેઓ નોંધે છે  “ ‘કર્ણ-કૃષ્ણ’માં પદ્યના માધ્યમ પાસેથી કવિ સારું કામ કઢાવી શક્યા છે.”૨૪૦ આ બધાં કાવ્યો વિશેના જો બધા વિવેચકોના મત લઈએ તો લગભગ એક યા બીજા કારણે આમાંનાં બધાં જ કાવ્યોને અગત્ય મળ્યાનું સમજાય  એને વળી આપણા વિવેચનની જ એક ખૂબી ગણવી ને  ઉમાશંકરની નાટ્યપદ્યની ખોજની બાબત ધ્યાનમાં લેતાં ‘કર્ણ-કૃષ્ણ’માંના પદ્યપ્રયોગને ધ્યાનમાં લેવો જ પડે એવી ને એટલી એની સિદ્ધિ જરૂર છે. રામનારાયણે ‘બૃહત્ પિંગળ’માં (પૃ. ૬૯૦) મિશ્રોપજાતિ માટેના બૃહત ક્ષેત્રની સંભાવના દર્શાવી છે અને ‘પ્રાચીના’ગત મિશ્રોપજાતિવાળા પદ્યપ્રયોગો જોતાં એ અભિપ્રાય વજૂદવાળો પણ લાગે છે.<br>
૨. ૧૯મા દિવસનું પ્રભાત
 
<big>'''૨. ૧૯મા દિવસનું પ્રભાત'''</big>
આ કાવ્યનું વસ્તુ મહાભારતના સૌપ્તિક પર્વના ૮મા તથા સ્ત્રીપર્વ–ઐષિક પર્વના ૧૦ અને ૧૧મા અધ્યાયોમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્યમાં સ્ત્રીપર્વના ૧૧મા અધ્યાયની ભીમસેનની લોહમય પ્રતિમાના ભંગની તથા એ જ પર્વના ૧૪મા અધ્યાયમાંનાં ગાંધારીનાં વચનોની વાત પણ આવી જાય છે. ઉમાશંકર પોતાની દૃષ્ટિ સામે જે વસ્તુ હોય તેને પુષ્ટ કરતી સામગ્રી આજુબાજુના સંદર્ભોથી પણ મેળવે છે. વ્યાસના માનવજીવનના દર્શનને તેઓ પોતાની રીતે ન્યાય કરવા સતત સાવધાની રાખે છે ને તેથી મહાભારતમાં એમના મૌલિક દર્શને – અર્થઘટને આવતી વસ્તુવક્રતા એક અર્થમાં મહાભારતના પ્રાચીન સંદર્ભની વિરોધી નહિ, બલકે એ સંદર્ભની ઉદ્યોતક-પોષક-સંવર્ધક બની રહે છે. પ્રાચીન દર્શન સાથે કવિના અર્વાચીન દર્શનનું સંયોજન થતાં સનાતન દર્શનનો જ એક સંદર્ભ ઊપસી આવે છે.
આ કાવ્યનું વસ્તુ મહાભારતના સૌપ્તિક પર્વના ૮મા તથા સ્ત્રીપર્વ–ઐષિક પર્વના ૧૦ અને ૧૧મા અધ્યાયોમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્યમાં સ્ત્રીપર્વના ૧૧મા અધ્યાયની ભીમસેનની લોહમય પ્રતિમાના ભંગની તથા એ જ પર્વના ૧૪મા અધ્યાયમાંનાં ગાંધારીનાં વચનોની વાત પણ આવી જાય છે. ઉમાશંકર પોતાની દૃષ્ટિ સામે જે વસ્તુ હોય તેને પુષ્ટ કરતી સામગ્રી આજુબાજુના સંદર્ભોથી પણ મેળવે છે. વ્યાસના માનવજીવનના દર્શનને તેઓ પોતાની રીતે ન્યાય કરવા સતત સાવધાની રાખે છે ને તેથી મહાભારતમાં એમના મૌલિક દર્શને – અર્થઘટને આવતી વસ્તુવક્રતા એક અર્થમાં મહાભારતના પ્રાચીન સંદર્ભની વિરોધી નહિ, બલકે એ સંદર્ભની ઉદ્યોતક-પોષક-સંવર્ધક બની રહે છે. પ્રાચીન દર્શન સાથે કવિના અર્વાચીન દર્શનનું સંયોજન થતાં સનાતન દર્શનનો જ એક સંદર્ભ ઊપસી આવે છે.
૧૮ દિવસના મહાભારતના ભીષણ યુદ્ધ બાદ ૧૯મા દિવસે સવાર કેવું પડ્યું તેનું દર્શન આ કાવ્યમાં થાય છે. આગલી રાતે અશ્વત્થામાએ પાંડવોના શિબિરમાં ઘૂસી જઈને ભીષણ હત્યાકાંડ આચર્યો. ધૃષ્ટદ્યુમ્ન અશ્વત્થામાના મૂઢ મારથી હણાયો. તેનો સારથિ – સૂત જીવતો નાસી છૂટ્યો ને કૃષ્ણ નદીતીરે પાંડવોને મંગલાર્થે લઈ ગયેલા ત્યાં જઈ બધા સમાચાર આપ્યા. કાવ્યના આરંભમાં રથ લઈને સૂત પ્રવેશે છે. રથમાં યુધિષ્ઠિર બેઠેલા છે. સૂત ક્રમશ: જે કંઈ રાતે બન્યું તેની વાત યુધિષ્ઠિરને કરતો જાય છે ને સાથે સાથે પાંડવોના શિબિરમાં પ્રવેશતાં ક્રમશ: ધૃષ્ટદ્યુમ્નાદિનાં શબ બતાવતો જાય છે. શરૂઆતમાં જ સૂત સંહારઘોર કાલરાત્રિનું બયાન કરે છે. યુધિષ્ઠિર ચોતરફ વ્યાપેલા સૂનકારનો નિર્દેશ કરતાં કહે છે  ‘સ્મશાન-શો ચોગમ શાન્ત દેશ ’ યુધિષ્ઠિર યુદ્ધમાં ઘવાયેલાના નિ:શ્વાસ સાંભળે છે. તેમનું મન યુદ્ધનો ભોગ બનેલ પાંડુપાંચાલ-વીરોને જોવા અધીરું બને છે. સૂત રથને ઝડપથી પાંડવશિબિરે લઈ જાય છે. પાંડવશિબિરના પ્રવેશદ્વારે જ્યાં કૃતવર્મા અને કૃપાચાર્ય ઊભેલા તે સ્થાન બતાવે છે. અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્નને જગાડી તેની કેવી રીતે હત્યા કરી તે જણાવતાં ‘ન મૃત્યુ વીરોચિત શસ્ત્રઘાતે | દે દુર્મના’ એમ ટીકા પણ કરે છે. યુધિષ્ઠિર આ ધૃષ્ટદ્યુમ્નના મૃત્યુની ઘટના વિશે વિમર્શન કરતાં કહે છે 
૧૮ દિવસના મહાભારતના ભીષણ યુદ્ધ બાદ ૧૯મા દિવસે સવાર કેવું પડ્યું તેનું દર્શન આ કાવ્યમાં થાય છે. આગલી રાતે અશ્વત્થામાએ પાંડવોના શિબિરમાં ઘૂસી જઈને ભીષણ હત્યાકાંડ આચર્યો. ધૃષ્ટદ્યુમ્ન અશ્વત્થામાના મૂઢ મારથી હણાયો. તેનો સારથિ – સૂત જીવતો નાસી છૂટ્યો ને કૃષ્ણ નદીતીરે પાંડવોને મંગલાર્થે લઈ ગયેલા ત્યાં જઈ બધા સમાચાર આપ્યા. કાવ્યના આરંભમાં રથ લઈને સૂત પ્રવેશે છે. રથમાં યુધિષ્ઠિર બેઠેલા છે. સૂત ક્રમશ: જે કંઈ રાતે બન્યું તેની વાત યુધિષ્ઠિરને કરતો જાય છે ને સાથે સાથે પાંડવોના શિબિરમાં પ્રવેશતાં ક્રમશ: ધૃષ્ટદ્યુમ્નાદિનાં શબ બતાવતો જાય છે. શરૂઆતમાં જ સૂત સંહારઘોર કાલરાત્રિનું બયાન કરે છે. યુધિષ્ઠિર ચોતરફ વ્યાપેલા સૂનકારનો નિર્દેશ કરતાં કહે છે  ‘સ્મશાન-શો ચોગમ શાન્ત દેશ ’ યુધિષ્ઠિર યુદ્ધમાં ઘવાયેલાના નિ:શ્વાસ સાંભળે છે. તેમનું મન યુદ્ધનો ભોગ બનેલ પાંડુપાંચાલ-વીરોને જોવા અધીરું બને છે. સૂત રથને ઝડપથી પાંડવશિબિરે લઈ જાય છે. પાંડવશિબિરના પ્રવેશદ્વારે જ્યાં કૃતવર્મા અને કૃપાચાર્ય ઊભેલા તે સ્થાન બતાવે છે. અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્નને જગાડી તેની કેવી રીતે હત્યા કરી તે જણાવતાં ‘ન મૃત્યુ વીરોચિત શસ્ત્રઘાતે | દે દુર્મના’ એમ ટીકા પણ કરે છે. યુધિષ્ઠિર આ ધૃષ્ટદ્યુમ્નના મૃત્યુની ઘટના વિશે વિમર્શન કરતાં કહે છે 
“જે સાત અક્ષૌહિણી સૈન્યનો ધણી,
તેને અંતે ખોટ તે શસ્ત્રઘાતની 
દીધો, વિધિ, તેં જય એક હસ્તથી
લીધો જયાનંદ જ ચોરી અન્યથી.”
“જે સાત અક્ષૌહિણી સૈન્યનો ધણી,
તેને અંતે ખોટ તે શસ્ત્રઘાતની 
દીધો, વિધિ, તેં જય એક હસ્તથી
લીધો જયાનંદ જ ચોરી અન્યથી.”
યુધિષ્ઠિર જેવા ધર્મપુરુષ ધૃષ્ટદ્યુમ્નના મૃત્યુથી વેદના પામીનેય છેવટે તો ધર્મચિંતન-તત્ત્વવિચારમાં જ ડૂબી જાય છે. તેઓ કહે છે 
યુધિષ્ઠિર જેવા ધર્મપુરુષ ધૃષ્ટદ્યુમ્નના મૃત્યુથી વેદના પામીનેય છેવટે તો ધર્મચિંતન-તત્ત્વવિચારમાં જ ડૂબી જાય છે. તેઓ કહે છે 
“સમાન પલ્લાં વિધિની તુલાનાં,
જયાજયો તે મનનાં જ બ્હાનાં.”
“સમાન પલ્લાં વિધિની તુલાનાં,
જયાજયો તે મનનાં જ બ્હાનાં.” (આ પંક્તિઓ અનાસક્તિયોગના સાચા સાધક શ્રીમદ્ રાજચંદ્રની આ ઉક્તિ પરથી સૂઝેલ છે  ‘જે ઉપાધિજોગ વર્તે છે તેને પણ સમાધિજોગ માનીએ છીએ.’)
S આ પંક્તિઓ અનાસક્તિયોગના સાચા સાધક શ્રીમદ્ રાજચંદ્રની આ ઉક્તિ પરથી સૂઝેલ છે  ‘જે ઉપાધિજોગ વર્તે છે તેને પણ સમાધિજોગ માનીએ છીએ.’
અનાસક્ત ચિત્ત જ દુ:ખદ ઘટનામાંથી આ રીતે આશ્વાસન શોધી શકે. યુધિષ્ઠિરનું યુધિ-સ્થિરપણું ઉમાશંકરની કવિતામાં આવી આવી ઘટના-પ્રતિક્રિયામાંથી અનુભવવા મળે છે. સૂતને શસ્ત્રો, શબદ વગેરેથી છવાઈ ગયેલા રસ્તામાં રથ હાંકવામાં મુશ્કેલી જણાય છે, આમ છતાં યુધિષ્ઠિરના આદેશથી આગળ વધે છે. આ દરમિયાન યુધિષ્ઠિર પોતા પૂરતું તો અશ્વત્થામા દ્વારા જે થયું તેને ન્યાય્ય શિક્ષા માની લે છે. સૂતની જીભ રથની સાથે જ ચાલે છે. સૂત, અશ્વત્થામા ચોરની જેમ શિબિરમાં ઘૂસી ઊંઘતા સુભટો પર જે રીતે તૂટી પડ્યો તેનું વર્ણન કરતાં કહે છે 
અનાસક્ત ચિત્ત જ દુ:ખદ ઘટનામાંથી આ રીતે આશ્વાસન શોધી શકે. યુધિષ્ઠિરનું યુધિ-સ્થિરપણું ઉમાશંકરની કવિતામાં આવી આવી ઘટના-પ્રતિક્રિયામાંથી અનુભવવા મળે છે. સૂતને શસ્ત્રો, શબદ વગેરેથી છવાઈ ગયેલા રસ્તામાં રથ હાંકવામાં મુશ્કેલી જણાય છે, આમ છતાં યુધિષ્ઠિરના આદેશથી આગળ વધે છે. આ દરમિયાન યુધિષ્ઠિર પોતા પૂરતું તો અશ્વત્થામા દ્વારા જે થયું તેને ન્યાય્ય શિક્ષા માની લે છે. સૂતની જીભ રથની સાથે જ ચાલે છે. સૂત, અશ્વત્થામા ચોરની જેમ શિબિરમાં ઘૂસી ઊંઘતા સુભટો પર જે રીતે તૂટી પડ્યો તેનું વર્ણન કરતાં કહે છે 
“ઝૂમી
જેવો અરણ્યે કઠિયારો કરાળ
છેદે મહાવૃક્ષની ડાળ ડાળ,
એ રીતે પાંચાલલક્ષ્મી વિનાશી.”
:“ઝૂમી
જેવો અરણ્યે કઠિયારો કરાળ
છેદે મહાવૃક્ષની ડાળ ડાળ,
એ રીતે પાંચાલલક્ષ્મી વિનાશી.”
આવા અશ્વત્થામાના ક્રૂર કર્મમાં નિયતિનો હાથ જોવાનું, એમાં ન્યાયાન્યાય શોધવાનું તો યુધિષ્ઠિરને જ સૂઝે એવી ટીકા પણ સૂત કરી લે છે. યુધિષ્ઠિરનું ચિત્ત આ દારુણ ઘટનાનો તાગ મેળવવામાં વ્યસ્ત છે. તેઓ કહે છે 
આવા અશ્વત્થામાના ક્રૂર કર્મમાં નિયતિનો હાથ જોવાનું, એમાં ન્યાયાન્યાય શોધવાનું તો યુધિષ્ઠિરને જ સૂઝે એવી ટીકા પણ સૂત કરી લે છે. યુધિષ્ઠિરનું ચિત્ત આ દારુણ ઘટનાનો તાગ મેળવવામાં વ્યસ્ત છે. તેઓ કહે છે 
“શ્રી કૃષ્ણ-શા તે અમ કર્ણધાર,
નૌકા તોયે ઘોર ઝંઝા વટાવી,
ડૂબી અંતે છીછરે નીર આવી.
જીવ્યા જોવા દૈવની આંખ રૂઠી,
આયુષ્યમાં આખર ખાલી મૂઠી.
જીવ્યા  ના.”
“શ્રી કૃષ્ણ-શા તે અમ કર્ણધાર,
નૌકા તોયે ઘોર ઝંઝા વટાવી,
ડૂબી અંતે છીછરે નીર આવી.
જીવ્યા જોવા દૈવની આંખ રૂઠી,
આયુષ્યમાં આખર ખાલી મૂઠી.
જીવ્યા  ના.”
Line 68: Line 67:
સૂત જે ઘટનાઓ ગુજરી ચૂકી છે તેનું વર્ણન કરી તેમને દૃશ્યભૂમિકાએ લાવવાનો પ્રયત્ન કરે છે. જે રંગભૂમિ પર બતાવવું મુશ્કેલ છે તે આ રીતે સૂત દ્વારા પ્રગટ થાય છે. સૂત અતીતને વર્તમાનની ભૂમિકાએ લાવનાર આ કાવ્યમાં અનિવાર્ય એવો સંકલનાકાર છે, – કથનકાર – ‘નૅરેટર’ છે. ગ્રીક નાટકમાં જેમ કોરસ દ્વારા કેટલુંક કામ સાધી લેવાતું એમ અહીં આ સૂત દ્વારા અન્યથા રંગભૂમિ પર પ્રગટ કરવું મુશ્કેલ એવું કામ સાધી લેવાય છે.
સૂત જે ઘટનાઓ ગુજરી ચૂકી છે તેનું વર્ણન કરી તેમને દૃશ્યભૂમિકાએ લાવવાનો પ્રયત્ન કરે છે. જે રંગભૂમિ પર બતાવવું મુશ્કેલ છે તે આ રીતે સૂત દ્વારા પ્રગટ થાય છે. સૂત અતીતને વર્તમાનની ભૂમિકાએ લાવનાર આ કાવ્યમાં અનિવાર્ય એવો સંકલનાકાર છે, – કથનકાર – ‘નૅરેટર’ છે. ગ્રીક નાટકમાં જેમ કોરસ દ્વારા કેટલુંક કામ સાધી લેવાતું એમ અહીં આ સૂત દ્વારા અન્યથા રંગભૂમિ પર પ્રગટ કરવું મુશ્કેલ એવું કામ સાધી લેવાય છે.
યુધિષ્ઠિર સૂત દ્વારા અશ્વત્થામાએ કઈ રીતે દ્રૌપદેયોને હણ્યા તેની વાત સાંભળે છે ને ત્યારે તેઓ અશ્વત્થામાને શંકાનો લાભ આપી, કૌન્તેય માનીને તેણે દ્રૌપદેયોને હણ્યા હોય એવી સંભાવના વ્યક્ત કરી તેના પ્રત્યે ઉદારતા બતાવે છે ને ત્યારે સૂતને પણ યુધિષ્ઠિરની ટીકા કરવી પડે છે. સૂત અશ્વસ્થામાના પાશવી કર્મનો આલંકારિક રીતે ચિતાર આપતાં કહે છે 
યુધિષ્ઠિર સૂત દ્વારા અશ્વત્થામાએ કઈ રીતે દ્રૌપદેયોને હણ્યા તેની વાત સાંભળે છે ને ત્યારે તેઓ અશ્વત્થામાને શંકાનો લાભ આપી, કૌન્તેય માનીને તેણે દ્રૌપદેયોને હણ્યા હોય એવી સંભાવના વ્યક્ત કરી તેના પ્રત્યે ઉદારતા બતાવે છે ને ત્યારે સૂતને પણ યુધિષ્ઠિરની ટીકા કરવી પડે છે. સૂત અશ્વસ્થામાના પાશવી કર્મનો આલંકારિક રીતે ચિતાર આપતાં કહે છે 
“હૃદયે અમેય
વૈરાગ્નિથી જે, સમરે અજેય
સૂતા હણે દ્રૌપદ-દ્રૌપદેય;
સાંખી શકે જે દ્રુપદદ્રુમે ના
એકે કૂણો અંકુર, ગાન તેનાં
ભલે કરે પાંડવરાજ; જેના
રહ્યાસહ્યા હસ્તિતુરંગ, સેના
અશેષ, દ્રૌણિ હણતો નિશીથે
અંધારમાં (પાંડુસુતોની પીઠે)
ઘૂમી રહ્યો તે શિબિરે બહોળે,
મોટી છોળે મત્ત માતંગ ડ્હોળે
ઊંડો ધરો સ્વચ્છ યથા યથેચ્છ,
ગેંડો ઘૂમે ઘોર કાન્તાર સ્વચ્છ,
ઝંઝા ઝઝૂમે સઢઝુંડમાં યથા,
દ્રૌણાયનિ તે શિબિરાંગણે તથા.”
:“હૃદયે અમેય
વૈરાગ્નિથી જે, સમરે અજેય
સૂતા હણે દ્રૌપદ-દ્રૌપદેય;
સાંખી શકે જે દ્રુપદદ્રુમે ના
એકે કૂણો અંકુર, ગાન તેનાં
ભલે કરે પાંડવરાજ; જેના
રહ્યાસહ્યા હસ્તિતુરંગ, સેના
અશેષ, દ્રૌણિ હણતો નિશીથે
અંધારમાં (પાંડુસુતોની પીઠે)
ઘૂમી રહ્યો તે શિબિરે બહોળે,
મોટી છોળે મત્ત માતંગ ડ્હોળે
ઊંડો ધરો સ્વચ્છ યથા યથેચ્છ,
ગેંડો ઘૂમે ઘોર કાન્તાર સ્વચ્છ,
ઝંઝા ઝઝૂમે સઢઝુંડમાં યથા,
દ્રૌણાયનિ તે શિબિરાંગણે તથા.”
અહીં મિશ્રોપજાતિ છંદનો પ્રવાહ વક્તવ્યને અનુકૂળ છટા ધારતો, અલંકારાદિની અનેક વીગતો ધારણ કરીને આસ્વાદ્ય ભારઝલાપણું પ્રગટ કરે છે. સૂતની વર્ણનોર્મિને અનુકૂળ વળાંકો લેતો છંદ અશ્વત્થામાની ધૃષ્ટ ગતિનો નિર્દેશક બની રહે છે. અહીં પ્રાસ અર્થાનુસારી હોત તો  પણ નથી, ને એવી મહંદશે અર્થાનુસારી નહિ એવી પ્રાસરચનાનું સંગીત વૈષમ્યભાવે ઉક્તિગત પ્રવાહને વૈવિધ્ય ને વૈશિષ્ટ્ય સમર્પે છે એમ લાગે છે. ‘હૃદયે અમેય’ શબ્દોથી આરંભીને ‘શિબિરાંગણે તથા –’ આગળ પૂરું થતું વાક્ય એ વાક્યને, એની પ્રલંબતાને મિશ્રોપજાતિનો પંક્તિગત ટૂંકો લય, ઉપવાક્યોના આધારે કેવો અનુકૂળ બન્યો છે તે જોવા જેવું છે.
અહીં મિશ્રોપજાતિ છંદનો પ્રવાહ વક્તવ્યને અનુકૂળ છટા ધારતો, અલંકારાદિની અનેક વીગતો ધારણ કરીને આસ્વાદ્ય ભારઝલાપણું પ્રગટ કરે છે. સૂતની વર્ણનોર્મિને અનુકૂળ વળાંકો લેતો છંદ અશ્વત્થામાની ધૃષ્ટ ગતિનો નિર્દેશક બની રહે છે. અહીં પ્રાસ અર્થાનુસારી હોત તો  પણ નથી, ને એવી મહંદશે અર્થાનુસારી નહિ એવી પ્રાસરચનાનું સંગીત વૈષમ્યભાવે ઉક્તિગત પ્રવાહને વૈવિધ્ય ને વૈશિષ્ટ્ય સમર્પે છે એમ લાગે છે. ‘હૃદયે અમેય’ શબ્દોથી આરંભીને ‘શિબિરાંગણે તથા –’ આગળ પૂરું થતું વાક્ય એ વાક્યને, એની પ્રલંબતાને મિશ્રોપજાતિનો પંક્તિગત ટૂંકો લય, ઉપવાક્યોના આધારે કેવો અનુકૂળ બન્યો છે તે જોવા જેવું છે.
સૂત કાલરાત્રિનું પણ ઓજસપૂર્ણ ચિત્ર આપે છે. તેની સંસ્કૃતપદાવલિ – દીર્ઘસમાસ રચના ધ્યાનપાત્ર છે. સૂત કહે છે 
સૂત કાલરાત્રિનું પણ ઓજસપૂર્ણ ચિત્ર આપે છે. તેની સંસ્કૃતપદાવલિ – દીર્ઘસમાસ રચના ધ્યાનપાત્ર છે. સૂત કહે છે 
Line 77: Line 76:
યુધિષ્ઠિર ધર્મનો સહારો લઈ જાતે સ્વસ્થ રહે છે ને એના જ સહારે અન્યને સ્વસ્થ કરવા મથે છે. તેઓ દ્રૌપદીને સમાશ્વાસન આપતાં ‘જે જે રહ્યો તે ધર્મસહચાર પૂરો કરવા’ શીખ આપે છે.
યુધિષ્ઠિર ધર્મનો સહારો લઈ જાતે સ્વસ્થ રહે છે ને એના જ સહારે અન્યને સ્વસ્થ કરવા મથે છે. તેઓ દ્રૌપદીને સમાશ્વાસન આપતાં ‘જે જે રહ્યો તે ધર્મસહચાર પૂરો કરવા’ શીખ આપે છે.
ને આ વખતે દ્રૌપદી યુધિષ્ઠિરને ‘નૃપ’ શબ્દથી સંબોધીને તીખાશથી કહે છે 
ને આ વખતે દ્રૌપદી યુધિષ્ઠિરને ‘નૃપ’ શબ્દથી સંબોધીને તીખાશથી કહે છે 
“રે નૃપ, સાથ મારી
સિંહાસને બેસી, જશો વિસારી
સ્હેજે તમે તો મૃત પુત્ર પંચ,
ડૂબી જશો રાજ્ય તણે પ્રપંચ,
હું માત્ર નારી, વળી તેય માતા,
મારા રુઝાશે ક્યમ ઘાવ તાતા ”
:“રે નૃપ, સાથ મારી
સિંહાસને બેસી, જશો વિસારી
સ્હેજે તમે તો મૃત પુત્ર પંચ,
ડૂબી જશો રાજ્ય તણે પ્રપંચ,
હું માત્ર નારી, વળી તેય માતા,
મારા રુઝાશે ક્યમ ઘાવ તાતા ”
દ્રૌપદી અર્જુન અને કૃષ્ણને તીણાં વાગ્બાણ મારે છે. કૃષ્ણને સૌભદ્રેયને ગાદી સોંપવાનો રસ હશે એવું મહેણુંયે મારે છે ને છતાં કૃષ્ણ જરાય અ-સ્વસ્થ થતા નથી. દ્રૌપદી ભીમનું શરણું લે છે અને દ્રૌણાયનિનો મસ્તકમણિ લાવી, વેરનો બદલો લેવા ને નહીંતર પોતાની જાતને મિટાવી દેવાનું કહે છે. મૂળ મહાભારતમાં દ્રૌપદી અનશનની વાત કરે છે. અહીં તો વેરનિર્યાતન વિના, આ જ રીતે પાંચાલોની પુત્રી નહિ હોય – એટલું સૂચન માત્ર કરવામાં આવ્યું છે. ભીમ દ્રૌપદીનો બોલ ઉપાડી લે છે, ને કૃષ્ણ ભીમને વારવા મથે છે. સૂત નગરમાંથી શોકગ્રસ્ત એકવસ્ત્રા રમણીઓને આવતી જુએ છે ને તેનું વર્ણન કરે છે. એ રમણીઓમાં કુંતી, ગાંધારી વગેરે છે. સૂત તેમનું મંદાક્રાન્તા છંદમાં સુંદર વર્ણન કરે છે 
દ્રૌપદી અર્જુન અને કૃષ્ણને તીણાં વાગ્બાણ મારે છે. કૃષ્ણને સૌભદ્રેયને ગાદી સોંપવાનો રસ હશે એવું મહેણુંયે મારે છે ને છતાં કૃષ્ણ જરાય અ-સ્વસ્થ થતા નથી. દ્રૌપદી ભીમનું શરણું લે છે અને દ્રૌણાયનિનો મસ્તકમણિ લાવી, વેરનો બદલો લેવા ને નહીંતર પોતાની જાતને મિટાવી દેવાનું કહે છે. મૂળ મહાભારતમાં દ્રૌપદી અનશનની વાત કરે છે. અહીં તો વેરનિર્યાતન વિના, આ જ રીતે પાંચાલોની પુત્રી નહિ હોય – એટલું સૂચન માત્ર કરવામાં આવ્યું છે. ભીમ દ્રૌપદીનો બોલ ઉપાડી લે છે, ને કૃષ્ણ ભીમને વારવા મથે છે. સૂત નગરમાંથી શોકગ્રસ્ત એકવસ્ત્રા રમણીઓને આવતી જુએ છે ને તેનું વર્ણન કરે છે. એ રમણીઓમાં કુંતી, ગાંધારી વગેરે છે. સૂત તેમનું મંદાક્રાન્તા છંદમાં સુંદર વર્ણન કરે છે 
“અગ્રે કુંતી; સ્પૃશતી કરથી સ્કંધ, ગાંધારી આવે;
તેને સ્કંધે નૃપતિ કર દૈ અંધ દોરાય ભાવે.
સંધ્યાસ્કંધે રજનિ કર દૈ જેમ પામે પ્રચાર,
ને સ્કંધે દૈ કર રજનિને આવતો અંધકાર.”
“અગ્રે કુંતી; સ્પૃશતી કરથી સ્કંધ, ગાંધારી આવે;
તેને સ્કંધે નૃપતિ કર દૈ અંધ દોરાય ભાવે.
સંધ્યાસ્કંધે રજનિ કર દૈ જેમ પામે પ્રચાર,
ને સ્કંધે દૈ કર રજનિને આવતો અંધકાર.”
Line 104: Line 103:
આમ ‘૧૯મા દિવસનું પ્રભાત’માં ભીષણ યુદ્ધે કેવળ કૌરવોને જ નહિ પાંડવોને પણ ભારે હાણ કરી છે. નિર્દોષ દ્રૌપદેયોના અકાળ મોતને વિશે શું કહેવું  માતૃત્વની કોમળ લાગણીઓનું શું  ભાઈ સામે ભાઈ આવીને મુકાઈ જાય એ પરિસ્થિતિ પણ કેવી  ઉમાશંકરે આ કાવ્યક્ષણ પસંદ કરતાં ખાસ તો કુંતાની તીવ્ર મનોવેદના – જે સંવાદમાંયે પ્રગટ થઈ શકી નથી અને તેથી જ વધુ ઉત્કટતાથી અનુભવાય છે  – ને ગાંધારી-દ્રૌપીદના સંવાદે ધ્વનિત કરવા ચાહ્યું હોય એમ જણાય છે. આ કાવ્યમાં કવિએ જે કંઈ રસબિન્દુઓ છે તેનો સમુચિત વિકાસ કર્યો જણાતો નથી. કાવ્યમાં વર્ણનરસ – કથનરસ, સંવાદ-માધ્યમ છતાં, ઠીક ઠીક મહત્ત્વ પામ્યો જણાય છે. આ બધાંના ફલસ્વરૂપે આ કાવ્ય નથી સારો સંવાદ થતું કે નથી સુશ્લિષ્ટ-સુરેખ સુઘટિત કાવ્ય પણ થતું.
આમ ‘૧૯મા દિવસનું પ્રભાત’માં ભીષણ યુદ્ધે કેવળ કૌરવોને જ નહિ પાંડવોને પણ ભારે હાણ કરી છે. નિર્દોષ દ્રૌપદેયોના અકાળ મોતને વિશે શું કહેવું  માતૃત્વની કોમળ લાગણીઓનું શું  ભાઈ સામે ભાઈ આવીને મુકાઈ જાય એ પરિસ્થિતિ પણ કેવી  ઉમાશંકરે આ કાવ્યક્ષણ પસંદ કરતાં ખાસ તો કુંતાની તીવ્ર મનોવેદના – જે સંવાદમાંયે પ્રગટ થઈ શકી નથી અને તેથી જ વધુ ઉત્કટતાથી અનુભવાય છે  – ને ગાંધારી-દ્રૌપીદના સંવાદે ધ્વનિત કરવા ચાહ્યું હોય એમ જણાય છે. આ કાવ્યમાં કવિએ જે કંઈ રસબિન્દુઓ છે તેનો સમુચિત વિકાસ કર્યો જણાતો નથી. કાવ્યમાં વર્ણનરસ – કથનરસ, સંવાદ-માધ્યમ છતાં, ઠીક ઠીક મહત્ત્વ પામ્યો જણાય છે. આ બધાંના ફલસ્વરૂપે આ કાવ્ય નથી સારો સંવાદ થતું કે નથી સુશ્લિષ્ટ-સુરેખ સુઘટિત કાવ્ય પણ થતું.
આ કાવ્યમાં કવિએ મહંદશે ઉપજાતિનો જ વિનિયોગ કર્યો છે એમ છતાં સૂતની ઉક્તિઓમાં વર્ણનભાગ આવે છે ત્યાં વસંતતિલકા, મંદાક્રાન્તા વાપર્યો છે. આરંભે કાલરાત્રિનું સૂચન વસંતતિલકામાં આવે છે. છેલ્લી કાલરાત્રિનો નિર્દેશ મંદાક્રાન્તામાં છે. સૂતને કરુણતાભર્યા વાતાવરણમાં વર્ણન માટે મંદાક્રાન્તા વધુ ઇષ્ટ જણાયો લાગે છે.
આ કાવ્યમાં કવિએ મહંદશે ઉપજાતિનો જ વિનિયોગ કર્યો છે એમ છતાં સૂતની ઉક્તિઓમાં વર્ણનભાગ આવે છે ત્યાં વસંતતિલકા, મંદાક્રાન્તા વાપર્યો છે. આરંભે કાલરાત્રિનું સૂચન વસંતતિલકામાં આવે છે. છેલ્લી કાલરાત્રિનો નિર્દેશ મંદાક્રાન્તામાં છે. સૂતને કરુણતાભર્યા વાતાવરણમાં વર્ણન માટે મંદાક્રાન્તા વધુ ઇષ્ટ જણાયો લાગે છે.
કાવ્યમાં અશ્વત્થામાની રુદ્રતા, કાલરાત્રિની ભીષણતા બતાવવા સમુચિત અલંકાર-પદાવલિનો વિનિયોગ થયો છે. તેમાંય જોકે મૂળની પ્રેરણા પણ કવિને યત્કિંચિત્ ઉપકારક થઈ હશે. એકંદરે સૂક્ષ્મદૃષ્ટિ સર્જક-વિવેચક ઉમાશંકર પોતે પણ કદાચ આ કાવ્યને શિથિલ ગણે એવું એ લાગે છે 
કાવ્યમાં અશ્વત્થામાની રુદ્રતા, કાલરાત્રિની ભીષણતા બતાવવા સમુચિત અલંકાર-પદાવલિનો વિનિયોગ થયો છે. તેમાંય જોકે મૂળની પ્રેરણા પણ કવિને યત્કિંચિત્ ઉપકારક થઈ હશે. એકંદરે સૂક્ષ્મદૃષ્ટિ સર્જક-વિવેચક ઉમાશંકર પોતે પણ કદાચ આ કાવ્યને શિથિલ ગણે એવું એ લાગે છે.<br>
૩. ગાંધારી
 
<center> '''<big>૩. ગાંધારી</big>''' </center>
 
મહાભારતના વસ્તુ પર આધારિત ‘પ્રાચીના’માંનું આ ત્રીજું કાવ્ય છે. સમયાનુક્રમે તો ‘કર્ણ-કૃષ્ણ’, ‘બાલરાહુલ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’ અને ત્યાર પછી ‘ગાંધારી’ લખાયું છે. ‘૧૯મા દિવસનું પ્રભાત’ તેમણે ૧૯૪૨માં ૯થી ૧૪ સપ્ટેમ્બર સુધીમાં લખીને પછી તુરત ૧૮ સપ્ટેમ્બરના અરસામાં ‘ગાંધારી’નું લેખન પણ હાથ પર લીધું જણાય છે. બંને કાવ્યો વસ્તુદૃષ્ટિએ ઘણું નૈકટ્ય ધરાવે છે. બંને કાવ્યોમાં ગાંધારીની ઉપસ્થિતિ મહત્ત્વની છે. ‘૧૯મા દિવસના પ્રભાત’માં કૃષ્ણ ભીમને ધૃતરાષ્ટ્રના બાહુમાં કચડાઈ જતો બચાવી લે છે. ‘ગાંધારી’માં તો કૃષ્ણ ગાંધારીનો શાપ પાંડવોને બદલે પોતાનો જ વિનાશ કરે એવી યુક્તિ રચે છે અને એ રીતે પાંડવોને બચાવી લે છે. બંને કાવ્યોમાં મહાભારતના યુદ્ધ પછીનો ઘટના-સમય પસંદ કરવામાં આવ્યો છે. બંનેમાં યુદ્ધનાં હૃદયભેદક પરિણામોનો કારુણ્યસભર ચિતાર જોવા મળે છે. ‘ગાંધારી’નું વસ્તુ મહાભારતના સ્ત્રીપર્વમાંના ૧૬થી ૨૫ અધ્યાય સુધીમાં આવતી ઘટનાઓ પર આધારિત છે. ગાંધારી અંધ રાજા ધૃતરાષ્ટ્રને પરણ્યા પછી આંખે પાટા રાખતાં હતાં. એ ગાંધારીને કૃષ્ણે દિવ્ય દૃષ્ટિ આપી. એ દિવ્ય દૃષ્ટિને બળે જ કાવ્યારંભે આંખે પાટા બાંધનાર ગાંધારી પ્રકાશથી પોતાની ઉક્તિ આરંભે છે  ગાંધારી પોતાને દિવ્ય દૃષ્ટિ મળ્યાની ધન્યતા વ્યક્ત કરે છે ત્યારે કૃષ્ણ સત્યયુગના અસ્તની એ અંતિમ પ્રભા હોવાનું કહે છે. કૃષ્ણનું આ વચન કલિના આરંભનો નિર્દેશ તો કરે છે – કદાચ પરોક્ષ રીતે પોતાની – સત્યયુગની લીલા-સમાપ્તિનું સૂચન કરી, કાવ્યના અંતે આવનાર શાપનો પણ ગૂઢ રીતે અણસાર આપે છે. ગાંધારી પોતાના અપૂર્વ દર્શનની વાત કરે છે અને કૃષ્ણ એવા અપૂર્વ દર્શન પાછળ સતીત્વનું પુણ્ય કામ કરી ગયું છે એમ કહી સત્યપૂત અને તેથી આકર્ષક વિનમ્રતા દાખવે છે.
મહાભારતના વસ્તુ પર આધારિત ‘પ્રાચીના’માંનું આ ત્રીજું કાવ્ય છે. સમયાનુક્રમે તો ‘કર્ણ-કૃષ્ણ’, ‘બાલરાહુલ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’ અને ત્યાર પછી ‘ગાંધારી’ લખાયું છે. ‘૧૯મા દિવસનું પ્રભાત’ તેમણે ૧૯૪૨માં ૯થી ૧૪ સપ્ટેમ્બર સુધીમાં લખીને પછી તુરત ૧૮ સપ્ટેમ્બરના અરસામાં ‘ગાંધારી’નું લેખન પણ હાથ પર લીધું જણાય છે. બંને કાવ્યો વસ્તુદૃષ્ટિએ ઘણું નૈકટ્ય ધરાવે છે. બંને કાવ્યોમાં ગાંધારીની ઉપસ્થિતિ મહત્ત્વની છે. ‘૧૯મા દિવસના પ્રભાત’માં કૃષ્ણ ભીમને ધૃતરાષ્ટ્રના બાહુમાં કચડાઈ જતો બચાવી લે છે. ‘ગાંધારી’માં તો કૃષ્ણ ગાંધારીનો શાપ પાંડવોને બદલે પોતાનો જ વિનાશ કરે એવી યુક્તિ રચે છે અને એ રીતે પાંડવોને બચાવી લે છે. બંને કાવ્યોમાં મહાભારતના યુદ્ધ પછીનો ઘટના-સમય પસંદ કરવામાં આવ્યો છે. બંનેમાં યુદ્ધનાં હૃદયભેદક પરિણામોનો કારુણ્યસભર ચિતાર જોવા મળે છે. ‘ગાંધારી’નું વસ્તુ મહાભારતના સ્ત્રીપર્વમાંના ૧૬થી ૨૫ અધ્યાય સુધીમાં આવતી ઘટનાઓ પર આધારિત છે. ગાંધારી અંધ રાજા ધૃતરાષ્ટ્રને પરણ્યા પછી આંખે પાટા રાખતાં હતાં. એ ગાંધારીને કૃષ્ણે દિવ્ય દૃષ્ટિ આપી. એ દિવ્ય દૃષ્ટિને બળે જ કાવ્યારંભે આંખે પાટા બાંધનાર ગાંધારી પ્રકાશથી પોતાની ઉક્તિ આરંભે છે  ગાંધારી પોતાને દિવ્ય દૃષ્ટિ મળ્યાની ધન્યતા વ્યક્ત કરે છે ત્યારે કૃષ્ણ સત્યયુગના અસ્તની એ અંતિમ પ્રભા હોવાનું કહે છે. કૃષ્ણનું આ વચન કલિના આરંભનો નિર્દેશ તો કરે છે – કદાચ પરોક્ષ રીતે પોતાની – સત્યયુગની લીલા-સમાપ્તિનું સૂચન કરી, કાવ્યના અંતે આવનાર શાપનો પણ ગૂઢ રીતે અણસાર આપે છે. ગાંધારી પોતાના અપૂર્વ દર્શનની વાત કરે છે અને કૃષ્ણ એવા અપૂર્વ દર્શન પાછળ સતીત્વનું પુણ્ય કામ કરી ગયું છે એમ કહી સત્યપૂત અને તેથી આકર્ષક વિનમ્રતા દાખવે છે.
આમ ગાંધારી-કૃષ્ણ વચ્ચે દિવ્ય દૃષ્ટિ વિશે વાત ચાલે છે એ દરમિયાન જ નેપથ્યમાંથી જે સ્ત્રીઓ પોતપોતાના પતિઓના શબ આગળ ક્રંદન કરતી હોય છે તેમના અવાજો આવે છે. ગાંધારી એ ક્રંદનમગ્ન સ્ત્રીગણને જોવા આતુર છે, દિવ્ય ચક્ષુથી યુદ્ધાંગણપારની દ્યુતિ જ માત્ર નહિ, યુદ્ધાંગણ પરની દૃશ્યાવલિ પણ નીરખવી છે. દરમિયાન યુદ્ધની ભીષણતા – બીભત્સતા દાખવતી વિધવા નારીઓની વિલાપોક્તિઓ કાને પડતી રહે છે 
આમ ગાંધારી-કૃષ્ણ વચ્ચે દિવ્ય દૃષ્ટિ વિશે વાત ચાલે છે એ દરમિયાન જ નેપથ્યમાંથી જે સ્ત્રીઓ પોતપોતાના પતિઓના શબ આગળ ક્રંદન કરતી હોય છે તેમના અવાજો આવે છે. ગાંધારી એ ક્રંદનમગ્ન સ્ત્રીગણને જોવા આતુર છે, દિવ્ય ચક્ષુથી યુદ્ધાંગણપારની દ્યુતિ જ માત્ર નહિ, યુદ્ધાંગણ પરની દૃશ્યાવલિ પણ નીરખવી છે. દરમિયાન યુદ્ધની ભીષણતા – બીભત્સતા દાખવતી વિધવા નારીઓની વિલાપોક્તિઓ કાને પડતી રહે છે 
Line 138: Line 139:
“તમે પરંતુ સહુ સ્પષ્ટ દેખતા,
છતાં રહ્યા ક્રંદન આ ઉવેખતા,
થવા દીધો ઉપર ર્હૈ જ ધ્વંસ,
તો નાશ પામે ત્યમ વૃષ્ણિવંશ,
જગે રહો યાદવનો ન અંશ 
અને તમેયે અણજાણ માનવી
હાથે અજાણ્યા સમ આ જગાટવી
મહીં મહાનિર્જનમાં શમી રહો
એકાકી દૂર ”
“તમે પરંતુ સહુ સ્પષ્ટ દેખતા,
છતાં રહ્યા ક્રંદન આ ઉવેખતા,
થવા દીધો ઉપર ર્હૈ જ ધ્વંસ,
તો નાશ પામે ત્યમ વૃષ્ણિવંશ,
જગે રહો યાદવનો ન અંશ 
અને તમેયે અણજાણ માનવી
હાથે અજાણ્યા સમ આ જગાટવી
મહીં મહાનિર્જનમાં શમી રહો
એકાકી દૂર ”
કૃષ્ણ અવિચલ ધૈર્ય ને સ્વસ્થતાથી, સમુદારતાથી આ શાપવાણીનો સ્વીકાર કરતાં કહે છે 
કૃષ્ણ અવિચલ ધૈર્ય ને સ્વસ્થતાથી, સમુદારતાથી આ શાપવાણીનો સ્વીકાર કરતાં કહે છે 
“બસ એ જ ને  અહો 
દયા સતીની  મુજ દોષ તો મહા,
શિક્ષા મળી અલ્પ થકીય અલ્પ હા ”
:“બસ એ જ ને  અહો 
દયા સતીની  મુજ દોષ તો મહા,
શિક્ષા મળી અલ્પ થકીય અલ્પ હા ”
ગાંધારીને આ પછી એકદમ પોતાનાથી અઘટિત થયાની લાગણી થાય છે ને તેથી વેદના પણ થાય છે. મૂળમાં ગાંધારીના આવા પ્રતિભાવનું આલેખન નથી. કવિએ અહીં ગાંધારીએ કૃષ્ણને ચાહીને શાપ દીધો એમ નથી, અનિચ્છાએ શાપ દેવાઈ ગયો એવું આલેખન કરીને ગાંધારીના પાત્રને ઉદાત્ત બનાવ્યું છે. વળી કૃષ્ણ પર ગાંધારીનો શાપ ઊતરવાથી કાવ્યન્યાય (‘પોએટિક જસ્ટીસ’) પણ સિદ્ધ થતો બતાવ્યો છે. મહાભારતના એક ટીકાકાર નીલકંઠે આ શાપપ્રસંગ સંદર્ભે એક સુંદર શ્લોક ઉતાર્યો છે 
ગાંધારીને આ પછી એકદમ પોતાનાથી અઘટિત થયાની લાગણી થાય છે ને તેથી વેદના પણ થાય છે. મૂળમાં ગાંધારીના આવા પ્રતિભાવનું આલેખન નથી. કવિએ અહીં ગાંધારીએ કૃષ્ણને ચાહીને શાપ દીધો એમ નથી, અનિચ્છાએ શાપ દેવાઈ ગયો એવું આલેખન કરીને ગાંધારીના પાત્રને ઉદાત્ત બનાવ્યું છે. વળી કૃષ્ણ પર ગાંધારીનો શાપ ઊતરવાથી કાવ્યન્યાય (‘પોએટિક જસ્ટીસ’) પણ સિદ્ધ થતો બતાવ્યો છે. મહાભારતના એક ટીકાકાર નીલકંઠે આ શાપપ્રસંગ સંદર્ભે એક સુંદર શ્લોક ઉતાર્યો છે 
अनिरस्त परध्वंसो याति शक्तमुपेक्षकम् ।
कुलध्वंसप्रसूतार्तिर्गांधार्या इव केशवम् ।।
अनिरस्त परध्वंसो याति शक्तमुपेक्षकम् ।
कुलध्वंसप्रसूतार्तिर्गांधार्या इव केशवम् ।।
Line 145: Line 146:
આ સમગ્ર કાવ્યમાં કૃષ્ણ એક ચતુર આલાપક તરીકે પ્રગટ થાય છે. દેખીતી અધર્મની છાયાઓ વચ્ચે નિગૂઢ રહેલા ધર્મ-સત્યનું દર્શન એ જ કવિનો તો ખરો ઉપક્રમ છે. તે ક્રમશ: તેઓ સિદ્ધ કરે છે. ભાનુમતી, રાધા, ઉત્તરા આદિના વિલાપોથી તેઓ વાતાવરણને ગાંધારીના શાપોદ્ગારનું ઉદ્દીપક બનાવે છે. કૃષ્ણ સમસ્ત પ્રણાશને તાટસ્થ્યથી અવલોકે છે, ગાંધારી એવું તાટસ્થ જાળવી શકતી નથી. ગાંધારી ક્રમશ: વધુ ને વધુ લાગણીમાં લપેટાતી છેવટે શાપ આપવાની ભૂમિકાએ પહોંચે છે ને આ પણ જાણે કૃષ્ણની જ પ્રેરણાથી થઈ રહ્યું હોય એવી સતત લાગણીયે કવિ કરાવતા રહે છે. છેવટે શાપવાણીની આગળ કાવ્યની ચરમસીમા આવે છે ને તે બિન્દુએ પહોંચ્યા પછી સમગ્ર કાવ્યનો ધર્મપ્રેરિત ઉદાત્ત અર્થ સમજવાની ગાંધારીએ મેળવેલી અવલોકનભૂમિ પ્રાપ્ત થાય છે.
આ સમગ્ર કાવ્યમાં કૃષ્ણ એક ચતુર આલાપક તરીકે પ્રગટ થાય છે. દેખીતી અધર્મની છાયાઓ વચ્ચે નિગૂઢ રહેલા ધર્મ-સત્યનું દર્શન એ જ કવિનો તો ખરો ઉપક્રમ છે. તે ક્રમશ: તેઓ સિદ્ધ કરે છે. ભાનુમતી, રાધા, ઉત્તરા આદિના વિલાપોથી તેઓ વાતાવરણને ગાંધારીના શાપોદ્ગારનું ઉદ્દીપક બનાવે છે. કૃષ્ણ સમસ્ત પ્રણાશને તાટસ્થ્યથી અવલોકે છે, ગાંધારી એવું તાટસ્થ જાળવી શકતી નથી. ગાંધારી ક્રમશ: વધુ ને વધુ લાગણીમાં લપેટાતી છેવટે શાપ આપવાની ભૂમિકાએ પહોંચે છે ને આ પણ જાણે કૃષ્ણની જ પ્રેરણાથી થઈ રહ્યું હોય એવી સતત લાગણીયે કવિ કરાવતા રહે છે. છેવટે શાપવાણીની આગળ કાવ્યની ચરમસીમા આવે છે ને તે બિન્દુએ પહોંચ્યા પછી સમગ્ર કાવ્યનો ધર્મપ્રેરિત ઉદાત્ત અર્થ સમજવાની ગાંધારીએ મેળવેલી અવલોકનભૂમિ પ્રાપ્ત થાય છે.
આ ‘ગાંધારી’ કાવ્ય વિશે ગુજરાતી વિવેચનામાં સામસામા છેડાના અભિપ્રાયો ઉચ્ચારાયા છે. નિરંજન ભગત ‘મારો પ્રિય વિદ્યમાન લેખક’ નામના લેખમાં ‘ગાંધારી’ને ‘સંગ્રહની શ્રેષ્ઠ કૃતિ’ લેખે છે. તેમણે ગાંધારીના પાત્રમાં નાટ્યોચિતતા (‘ડ્રામેટિકલી મોટિવેટેડ’), નાટ્યાત્મક પરિવર્તન (‘ડ્રામેટિક કન્વર્ઝન’) દેખાય છે. તેઓ ગાંધારીની બાબતમાં નોંધે છે કે, ‘આરંભ અને અંતની ગાંધારી એકની એક હોવા છતાં જાણે ભિન્ન વ્યક્તિઓ હોય એવો ભેદ સ્પષ્ટ છે.’૨૪૪ સામી બાજુએ ભૃગુરાય અંજારિયાને ‘ગાંધારી’ નિર્બળ કૃતિ લાગી હોય એમ જણાય છે. તેઓ લખે છે 
આ ‘ગાંધારી’ કાવ્ય વિશે ગુજરાતી વિવેચનામાં સામસામા છેડાના અભિપ્રાયો ઉચ્ચારાયા છે. નિરંજન ભગત ‘મારો પ્રિય વિદ્યમાન લેખક’ નામના લેખમાં ‘ગાંધારી’ને ‘સંગ્રહની શ્રેષ્ઠ કૃતિ’ લેખે છે. તેમણે ગાંધારીના પાત્રમાં નાટ્યોચિતતા (‘ડ્રામેટિકલી મોટિવેટેડ’), નાટ્યાત્મક પરિવર્તન (‘ડ્રામેટિક કન્વર્ઝન’) દેખાય છે. તેઓ ગાંધારીની બાબતમાં નોંધે છે કે, ‘આરંભ અને અંતની ગાંધારી એકની એક હોવા છતાં જાણે ભિન્ન વ્યક્તિઓ હોય એવો ભેદ સ્પષ્ટ છે.’૨૪૪ સામી બાજુએ ભૃગુરાય અંજારિયાને ‘ગાંધારી’ નિર્બળ કૃતિ લાગી હોય એમ જણાય છે. તેઓ લખે છે 
“સંગ્રહનાં બીજાં કાવ્યો જોઈએ તો ‘ગાંધારી’માં પણ પાત્રો બે જ છે. પણ એના મોટા ભાગમાં સંવાદની ચોટ આવી નથી. એના અંતભાગમાં ગાંધારી કૃષ્ણને શાપ આપે છે એ ગંભીર પ્રસંગનું ગંભીરભાવે નિરૂપણ કરવામાં કવિને સફળતા મળી નથી. ગાંધારીના શબ્દોમાં શાપનો અભિનય કે બળ નથી. કૃષ્ણનો પ્રત્યાઘાત પણ ઉપરછલ્લો લાગે છે. અને તે પછી તરત જ કૃષ્ણની યુક્તિનો મર્મ ગાંધારીના મુખમાં નિર્બળતાથી મુકાયો છે.”
:“સંગ્રહનાં બીજાં કાવ્યો જોઈએ તો ‘ગાંધારી’માં પણ પાત્રો બે જ છે. પણ એના મોટા ભાગમાં સંવાદની ચોટ આવી નથી. એના અંતભાગમાં ગાંધારી કૃષ્ણને શાપ આપે છે એ ગંભીર પ્રસંગનું ગંભીરભાવે નિરૂપણ કરવામાં કવિને સફળતા મળી નથી. ગાંધારીના શબ્દોમાં શાપનો અભિનય કે બળ નથી. કૃષ્ણનો પ્રત્યાઘાત પણ ઉપરછલ્લો લાગે છે. અને તે પછી તરત જ કૃષ્ણની યુક્તિનો મર્મ ગાંધારીના મુખમાં નિર્બળતાથી મુકાયો છે.”
(શ્રી ફા. ગુ. સ. ત્રૈ., ઑક્ટો.–ડિસે., ૧૯૬૬, પૃ. ૧૮૩)
(શ્રી ફા. ગુ. સ. ત્રૈ., ઑક્ટો.–ડિસે., ૧૯૬૬, પૃ. ૧૮૩)
આવા બે છેડાના અભિપ્રાયોનો અર્થ જ કે આ કૃતિની પાસે મનમાં કોઈ ને કોઈ આગ્રહ-અભિગ્રહ કે અપેક્ષા લઈને વિવેચક ઉપસ્થિત થાય છે ને સ્વકીય રુચિના સંદર્ભે જે તે લાગે તે રજૂ કરવા પ્રેરાય છે. વિવેચનમાં આવું તો બને, પણ એમાં સરેરાશ જે વસ્તુલક્ષી ધોરણ ટકવું જોઈએ એ કેટલું ટકે છે એ પ્રશ્ન રહે છે. ઉમાશંકરે એટલે જ કદાચ ‘કવિનો શબ્દ’ માટેની એમની મુલાકાત–પ્રશ્નોત્તરીમાં જે દર્શાવ્યું છે કે ‘દરેક કૃતિ આગળ પદ્યનાટકની પોતાની કલ્પના લઈ આવીને તે પ્રમાણે એ કૃતિમાં પદ્યનાટક સિદ્ધ થયું છે કે નહિ તે તપાસવા જવું એ કંઈક બીજે રસ્તે ચઢી જવા જેવું ગણાય’ – તે સાચું લાગે છે.
આવા બે છેડાના અભિપ્રાયોનો અર્થ જ કે આ કૃતિની પાસે મનમાં કોઈ ને કોઈ આગ્રહ-અભિગ્રહ કે અપેક્ષા લઈને વિવેચક ઉપસ્થિત થાય છે ને સ્વકીય રુચિના સંદર્ભે જે તે લાગે તે રજૂ કરવા પ્રેરાય છે. વિવેચનમાં આવું તો બને, પણ એમાં સરેરાશ જે વસ્તુલક્ષી ધોરણ ટકવું જોઈએ એ કેટલું ટકે છે એ પ્રશ્ન રહે છે. ઉમાશંકરે એટલે જ કદાચ ‘કવિનો શબ્દ’ માટેની એમની મુલાકાત–પ્રશ્નોત્તરીમાં જે દર્શાવ્યું છે કે ‘દરેક કૃતિ આગળ પદ્યનાટકની પોતાની કલ્પના લઈ આવીને તે પ્રમાણે એ કૃતિમાં પદ્યનાટક સિદ્ધ થયું છે કે નહિ તે તપાસવા જવું એ કંઈક બીજે રસ્તે ચઢી જવા જેવું ગણાય’ – તે સાચું લાગે છે.