કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૪. કવિતા ન કરવા વિશે કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૪. કવિતા ન કરવા વિશે કવિતા|જયન્ત પાઠક}} <poem> કવિતા કરવાનું બં...")
 
No edit summary
 
Line 27: Line 27:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૨૮-૩૨૯)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૨૮-૩૨૯)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૩. મૃગયા |૩૩. મૃગયા ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૫. પાછા વળવું |૩૫. પાછા વળવું ]]
}}

Latest revision as of 12:09, 6 September 2021

૩૪. કવિતા ન કરવા વિશે કવિતા

જયન્ત પાઠક

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરોવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય —
પણ… પછી
જલપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુનાં ફૂલ ના ફૂટે,
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊંચે ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
— એટલે કે કશું થાય જ નહીં!

૨૭-૯-’૭૭

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૨૮-૩૨૯)